GN_15-05-2022.
JF_15-05-2022
***********************************
NOG SS NO.0081
પ્રકાર : પદ્ય
વિષય : સ્નેહની સરવાણી
શીર્ષક: માનવ કંઈ શીખે..
એક પંખી વૃદ્ધ,ઉડવાને થયું અશક્ત ,
પડ્યું રહે વૃક્ષની એક ડાળીને ખૂણે ગુમસુમ.
દેખે ઝાંખું,બોલી ન શકે એ ઝાઝું,
ભૂખે તરસે બેસી રહે વાળી ટૂંટિયું.
એક નાનકડું પક્ષીબાળ આવી ચઢ્યું ભૂલે,
સતત અવાજે જાણે મા તાતને શોધે.
ન આવી મા કે તાત નવ સાંભળે,
થાકી બેઠું બાળ અશક્ત વૃદ્ધની સમીપે.
એનાં સ્નેહે , સ્પર્શે બાળ પામ્યું શાતા,
ખાવાને ઊડ્યું ,આંબવા આભ પણ પંખ નાનાં.
વૃદ્ધ ફરી એકલું, વળી ભૂખ પ્યાસે જીવ કકળે,
ત્યાં તો પક્ષીબાળ આવ્યું,ભરી ધાન ચાંચ માંહે.
આવ જા કરી એણે વૃદ્ધની ભૂખ ટાળી,
સમી સાંજે હૂંફ ફરી વૃદ્ધની ગોદે માણી.
આવી સરવાણી શુદ્ધ સ્નેહની વહી રહી,
વૃદ્ધનાં સ્નેહની વ્યાજ સહ થઈ રહી જાણે ભરપાઈ.
માનવ આમાંથી શીખે, વૃદ્ધત્વને માન આપે,
સ્નેહની સરવાણી વહેતી સદાય સૌ કાજ રાખે.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
**********************************
*NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય-લધુવાર્તા*
*વિષય* : *સ્નેહની સરવાણી*
*શબ્દો* : *૩૫૦*
*શીર્ષક* : *’વિશિષ્ટ સ્નેહ સંબંધ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મનીષભાઈ અને બીનાબેનનો એક સુખી સંપન્ન પરિવાર ગણાય. મનીષભાઈ અને બીનાબેન બંને સ્વભાવે ખૂબ જ સરળ, ઉદાર અને સંવેદનશીલ હતાં. તેમનો એક માત્ર દીકરો હાર્દિક નાનપણથી જ હસમુખો, રમતિયાળ અને લાગણીશીલ સ્વભાવનો હતો. હાર્દિક શાળાએ દરરોજ મનુભાઈની સ્કૂલવાનમાં જતો. સ્કૂલવાનમાં ડ્રાઈવર મનુભાઈની દીકરી દિશા પણ આવતી હતી. દિશા અને હાર્દિક એક જ વર્ગમાં ભણતાં હતાં. દિશા જોતાં જ વ્હાલ ઉપજે તેવી વાચાળ અને પ્રેમાળ હતી. હાર્દિક અને દિશાને એકબીજા સાથે ખૂબ બનતું. મનીષભાઈ અને બીનાબેન હાર્દિકની દિશા પ્રત્યેની લાગણી અને મિત્રતાથી વાકેફ હતાં. તેઓએ ક્યારેય હાર્દિકને આ બાબતે ટોક્યો નહોતો. જન્મદિવસની ઉજવણી જેવા કેટલાય પ્રસંગોએ દિશાને ઘરે બોલાવી દીકરીની જેમ આનંદથી સામેલ કરતાં.
દિશાના શાળા શિક્ષણ દરમ્યાન જ તેના પિતા મનુભાઈ પક્ષઘાતના ગંભીર હુમલાનો ભોગ બન્યા. તેમની જીંદગી સ્થગિત થઈ ગઈ. સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ ન થતાં પક્ષઘાતની કાયમી અસર અમુક અંગોમાં રહી ગઈ. મનુભાઈ અને તેમના પત્નીએ આર્થિક સમસ્યાઓથી ઘેરાઈ દિશાને શાળામાંથી ઉઠાડી લઈ પોતાના ગામે જવા નક્કી કર્યું. આ સમાચાર મળતાં હાર્દિક ઉદાસ થઈ ગયો. મનીષભાઈ અને બીનાબેન હાર્દિકની સાથે મનુભાઈ અને દિશાને મળવા તેમના ઘરે પહોંચ્યા. દિશાના માથે હાથ ફેરવીને મનીષભાઈ મનુભાઈને સંબોધીને બોલ્યાં,’તમારે ક્યાંય જવાનું નથી.આજ પછી દિશાની સઘળી જવાબદારી મારી. તમે સહુ આગળ ઉપર સ્વમાનથી જીવન જીવી શકશો તેની ખાતરી હું આપું છું.’
મનીષભાઈએ મનુભાઈને પોતાની ઓફિસમાં તેમને અનુકૂળ ઓફિસ સંચાલનનું કામ સોંપી નોકરીએ રાખ્યા. દિશાની માતાને સરકારી મદદથી પોતાનો ગૃહઉદ્યોગ શરૂ કરાવ્યો. તેમની આવક શરૂ થવાથી ફરી સ્વમાનભેર જીવન વ્યતિત કરવા લાગ્યા. સ્કોલરશીપ અને હાર્દિકના પ્રોત્સાહનથી દિશાએ ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.બી.એ. કર્યું. હાર્દિકે વિદેશમાંથી એન્જીનીયરીંગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી પરત આવી પિતાનો વ્યવસાય સંભાળ્યો. એક અદમ્ય જોડાણે હાર્દિક દિશાની તકલીફોમાં સતત તેની પડખે રહેતો. હાર્દિક અને દિશાનો સંબંધ લોહીના સંબંધથી પણ વિશિષ્ટ હતો. તેમની વચ્ચેની લાગણીઓ હંમેશા આ ભવની મિત્રતાના પવિત્ર સ્નેહસંબંધને વાચા આપતી રહી હતી.
આજે દિશાના લગ્ન લેવાયાં છે. હાર્દિક સ્નેહભરેલી અશ્રુભીની આંખે દિશાને વિદાય આપતાં ઈશારાથી કહી રહ્યો છે ‘હું છું ને તારી સાથે’. દિશા દોડતી આવીને હાર્દિકને ભેટી પડી અને આંખોમાંથી જાણે આટલાં વર્ષો સાચવી રાખેલો અશ્રુબંધ તૂટી પડ્યો. અનરાધાર આંસુ વહેવા લાગ્યાં. દૂર ઉભાં મનુભાઈ અને તેમના પત્ની બંને હાથ જોડીને મનીષભાઈ અને બીનાબેનનો આભાર માની રહ્યા હતાં. જ્યારે તેઓ અશ્રુભીની આંખે ઈશ્વરના આ આશિર્વાદરૂપી અદ્વિતીય સ્નેહની સરવાણીને માણી રહ્યાં.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૩ મે ૨૦૨૨.
**********************************
NG/022
વિષય: સ્નેહની સરવાણી
પ્રકાર: ગદ્ય
શીર્ષક: આશ્રિત
કરણે કાળઝાળ થયેલી માયામામી તરફ જોયું. તે ધ્રુજી રહ્યો હતો અને સામે એક રમકડાની કાર તૂટેલી પડી હતી.
માયાએ ત્રાડ પાડતાં કહ્યું, “તને કંઈ ભાન પડે છે, આ કાર કેટલી મોંઘી હતી. હજી પરમદિવસે રાહુલના જન્મદિવસે લઈ આવ્યા હતા. બે દિવસ પણ નથી થયા અને તે તોડી નાખી. તને તોડફોડ સિવાય કંઈ બીજું આવડે છે?”
કરણ કંઈ કહે તે પહેલાં તેના ગાલ ઉપર જોરદાર તમાચો પડ્યો અને તે પછી પીઠ ઉપર મામીના ધબ્બા. તે બેવડ વળી ગયો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.
કરણને હજી યાદ હતું કે એક વર્ષ પહેલાં તે મમ્મીપપ્પા સાથે જ રહેતો હતો અને તેને કોઈ વાતની કમી ન હતી. અચાનક એક એક્સિડન્ટમાં તેનાં મમ્મીપપ્પાનું મૃત્યુ થઈ ગયું અને સુરેશમામા તેને પોતાની સાથે લઈ આવ્યા. સુરેશમામાનો રાહુલ તેની ઉંમરનો જ હતો. કરણ ભણવામાં સાવ નબળો હતો અને રાહુલ એકદમ હોંશિયાર. કરણને મસ્તી કરવી અને રમવું બે જ વાતો પ્રિય હતી. તેની અસર રાહુલ ઉપર થઈ અને ધીમે ધીમે તે પણ મસ્તીખોર બની ગયો. આ વાત તેની માયામામીને સહન ન થઈ.
રાહુલના ટેસ્ટમાં માર્ક્સ ઓછા થવા લાગ્યા એટલે માયાને કરણ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. તે માનવા લાગી કે રાહુલ કરણને લીધે બગડવા લાગ્યો છે. તે વાતવાતમાં કરણને મારવા લાગી.
કરણને ખબર ન પડતી કે મામી કેમ મારે છે? રકાબી ફૂટી જવી કે બારીનો કાચ ફૂટવો એ ક્યાં મોટી વાત હતી! મમ્મીએ તો કોઈ દિવસ તેને માર્યો ન હતો. ફ્રીજમાંથી આઈસ્ક્રીમ તો બંનેએ ખાધો હતો તો માર તેને એકલાને કેમ પડ્યો હતો?
સાંજે સુરેશ પાછો ફર્યો અને હંમેશાં ઉછળકૂદ કરનાર કરણને એક ખૂણામાં બેસેલો જોઈને પૂછપરછ કરી. રાહુલે કાર તૂટવાથી માંડીને કરણને પડેલા માર વિશે વાત કરી એટલે સુરેશનું હ્રદય ખિન્ન થઈ ગયું.
તે માયા પાસે ગયો અને કહ્યું, “કરણને હું આ ઘરમાં દીકરો બનાવીને લાવ્યો છું અને તારે તેની મા બનવાનું છે, મામી નહીં. મને ખબર છે તે ભણવામાં હોંશિયાર નથી, તો શું ફક્ત મારવાથી હોંશિયાર થઈ જશે? પ્રેમથી સમજાવીશ તો સમજી જશે. કાલે આપણી સાથે અકસ્માત થાય અને કોઈ રાહુલ સાથે આવું કરે તો શું તારા આત્માને શાંતિ મળશે?”
સુરેશના શબ્દોએ માયા ઉપર ધારી અસર કરી અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને હોલમાં જઈને કરણને પોતાની નજીક બોલાવીને છાતી સરસો ચાંપી દીધો.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
****************************
NOG SS No – 0050
વિષય -સ્નેહની સરવાણી
પ્રકાર – પદ્ય મૌલિક
શીર્ષક – મીઠાં સંબંધો.
તા – ૧૪/૫/૨૦૨૨
………………………………..
સ્નેહની સરવાણીમાં મીઠાં સ્પંદનોને ભીની લાગણી ઊભરાઈ ભીતર..!
એકબીજાને એકબીજામાં શોધતા અમે..!
ને સ્વરમાં મળી આવ્યાં પ્રેમે..!
જીવનનો ખેલને, ચોપાટની રમતમાં પડ્યાં પાસ આતો પ્રેમ ભર્યા..!
ને જિંદગીની સુગંધ મહેંકી પેલાં ફુલડાંની જેમ..!
હૈયે હેતની હરિયાળી આવી..!
ચાતક બનીને જીવવું તારી જિંદગીમાં..?
ક્યાંક આવે છે અનરાધાર પ્રેમ મન ફાવે ત્યાં વરસજેને..!
કોઈની શરમ રાખ્યાં વગર કરજે પ્રેમની ઉજાણી હો..! રોપ્યા દિલડામા પ્રેમનાં પુષ્પો..!
એક નવ પલ્લવિત અંકુર ફૂટ્યાં ..!
પછી આપ્યાં કોલ સાથે રહેવા ને મરવાના..!
જીવનની હર પળે પ્રેમનાં નીર વહાવુ..!
પંચરંગી દુનિયાનો સ્વાદ માણું તારી સંગ..!
ચાંદનીમાં હાથજાલી હાથમાં નિભાવ્યો છે સાથ..!
મને તું ઘર સુધી દોરી જા તારાં..!
મારી જિંદગીનાં પાને પાનાં ભરીલૈ પ્રેમથી..!
શબ્દો બન્યાં શ્વાસ મારા..! આસપાસમાં શબ્દ બન્યાં..! તમન્નાઓને બસ તમારી જરૂર છે ..!
ખુશ્બુ જેમ પવનમાં ભણે છે..! એમ તું મારામાં ભળીજા..! મારો સાથ નિભાવવા..!
સ્મિત આપતાં રહો ..!
એક આદત નિરાળી..!
સુખ વહેંચતા સ્મિત મળતું રહેશે..!
તો સ્નેહની દોરે ખેંચી આવશું..!
પ્રેમને પુરવાર કરી દઈશું..!
ને હું સુગંધિત થઈ પ્રેમમાં..! તમારા હેતની તરસી ભીતરમાં યાદવાસ્થળી મહેંકી ઉઠે..!
હૈયે હરખાઈ અંતર મહીં વસ્યાં તમે..!
જાણે આંતર વૈયક્તિક આકર્ષણ જેવું..!
” રાગ ” કહે લાગણીઓની છાલક વાગે દલડે દરરોજ..!
રાગીની શુક્લ રાગ
મુંબઈ, કાંદિવલી
***********************************
N.O.G.SS .NO OO26.
વિષય – સ્નેહની સરવાણી.
શીર્ષક – દુનિયા રચાવશું!
(ગઝલ )
સરવાણી સ્નેહની અમે હરદમ વહાવશું.
માનવ છીએ તો વ્હાલનાં મોતી લૂંટાવશું.
આખા જગતમાં નામ અમારું કરી જશું,
ફેલાવતાં એ જ્યોતની મહિમા નિભાવશું.
કોઈ કહે દિલેર ને કોઈ ઉડાવી પણ,
અલગારી ,આગવી નવી દુનિયા રચાવશું.
કોઈ ના દુખીના હોય ને લાચાર ત્યાં પછી,
એક નોખાં ને અલગથી જમાનાને લાવશું.
હ્રદયા ભલેને હોય સખત પત્થરો સમા,
કંડારતા એ સૌને પછી ત્યાં ઝૂકાવશું.
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરાં
*********************************
NOG SS No : 114
વિભાગ : પદ્ય
શબ્દ : સ્નેહની સરવાણી
શીર્ષક: ક્યાં ખોવાઈ ગયા છો.
શબ્દ સંખ્યા-80
રચના-
આંખોમાં વાતો ,
વાતોમાં તમે છો.
બે પલનો સથવારો આપી,
કાનજી ક્યાં ખોવાઈ ગયા છો?
આંખોમાં વાતો,
વાતોમાં તમે છો.
યાદોની બારી ખુલે તો,
કાનજી તમારી રાધા હીબકા ભરે છે.
આંખોમાં વાતો
વાતોમાં તમે છો.
સ્નેહની સરવાણી કરી
તમે “કાનજી” રાધાના હદયમાં બિરાજો છો.
કથીરીયા પ્રવિણા “પવી”.નવસારી.
નોધ : NOG સાહિત્ય સરિતા ગ્રુપ ના સભ્યો ની રચનાઓ ઉપર મુજબ છે..કોઈપણ સાહિત્ય સર્જક NOG ગ્રુપ માં નિયમોનુસાર જોડાઈ ને પોતાની રચનાઓ આપવામાં આવેલ વિષય ઉપર મૂકી શકે છે.. ક્યાયપણ પ્રસિદ્ધ થયેલ રચના ગ્રુપ માં મુકવામાં આવશે નહિ કે અખબાર માં પ્રસિદ્ધ કરવામાં પણ આવશે નહિ.સંચાલક