[5/12, 9:17 PM] Nayana.MeM.NOG Patel: NOGSS..73
વિષય.. સરવાણી
પ્રકાર..પદ્ય. અછાંદસ
શીર્ષક..રચાય કવિતા.
એ લાગણીનો દરીયો સ્નેહની સરિતા
એના મૌનથી પણ રચાય કવિતા…
એ ક્યાં કશું માગે છે નથી એની આદત
એના સમર્પણ માં પણ રચાય કવિતા..
એને સપનાઓ જોવાની છે આદત.
એના અધૂરા સપનાની પણ રચાય કવિતા..
એને પરિસ્થિતિઓ સાથે લડવાની છે આદત.
એના સંઘર્ષની પણ રચાય કવિતા..
સંવેદના થી છલોછલ હોય દુઃખોનો પહાડ તોય ચહેરા પર હાસ્યની છે આદત..એના સ્મિતની પણ રચાય કવિતા..
લાગણીનો દરિયો સ્નેહની સરિતા
એટલેજ સ્ત્રીની રચાય કવિતા…
નયના પટેલ.
વડોદરા..
[5/13, 3:33 AM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G S S 0089
વિષય સ્નેહની સરવાણી
ગદ્ય
શીર્ષક જાન બક્ષનાર
લેખિકા પ્રવિનાશ
———-
જેને ઠંડી થીજવે નહી. સૂરજનો તાપ બાષ્પીભવન ન કરે. બારે મેઘ ખાંગા થાય પણ ભરતી ન આવે. એવી સદા બહાર સ્નેહની સરવાણીનું ઉગમ સ્થાન કયું, ખબર છે? ન હોય તો કહી જઉં. સતત ધબકતું આપણું દિલ.
તેને કોઈ અસર ન થાય. એ તો બસ નિત નવા સ્નેહના રસ્તા શોધી કાઢે. બિનદાસ બની સ્નેહ વહેતો રાખે. માનવી જન્મે ત્યારથી સ્નેહ
માટે તરસે છે. જે માતાના ઉદરે તેનું પોષણ નવ મહિના થયું એ માતા દિવસ રાતની પરવા કર્યા વગર સ્નેહ પ્રદાન કરતી રહી.
આપનાર બાળ દીકરો છે કે દીકરી તેને કશો ફરક ન પડ્યો. ધરતી પરના અમૃત સમાન દૂધ પીવડાવી સ્નેહનું સિંચન કર્યું. આ પ્રેમે બાળકના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો.
સ્નેહ ‘આપો અને પામો’ એ અરસ પરસ છે. ઘણીવાર નિરાશા સાંપડે છતાં તમે તમારું કર્તવ્ય કરો. ક્યારેક તેની અસર જણાશે અને પાછો મળશે! જીવન હર્યું ભર્યું રાખવાનો રામબાણ ઇલાજ એટલે અઢી અક્ષરનો , ‘સ્નેહ ‘.
સારા યા માઠા દિવસો આવે, તકલીફોની આંધી આવે , દીશાનું ભાન ભૂલી જવાય તે સમયે તમને જે સાચવે તેને સ્નેહ કહેવાય.
માતા યા પિતા દ્વારા પ્રાપ્ત થાય, ભાઈ બહેન યા પતિ , પત્ની મારફત આવી પહોંચે. કઠિન સમય દરમિયાન તમારી રક્ષા કરે.
સંજોગવશાત્ સ્નેહની માત્રામાં વધ ઘટ થાય, ફિકર ન કરો. સ્નેહની લહાણી કરવામાં કરકસર ન કરો. ‘શ્રીમદ ભગવત ગીતા’ વારંવાર કહે છે, જે આપશો તે પામશો. બીજા શું કરે છે તે તરફ દુર્લક્ષ કરો.
‘મા’ સ્નેહની સરવાણીનું ઉદ્દભવ સ્થાન છે. કપરા સંજોગોમાં સ્નેહ આપી જીવન જીવવા માટે તૈયાર કરી. એ માને શત શત પ્રણામ , આજનું જીવન તેના સ્નેહને કારણે છે. હિંમત, વિશ્વાસ અને શ્રદ્ધા ના ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવી પાવન બનાવી. જીવન જીવવાની જડીબુટ્ટી અર્પી .
પ્રવિણા અવિનાશ