*NOG SS NO:004*
*વિષયઃ બિન્દાસ*
*પ્રકાર* *ગદ્ય(નિબંધ લેખ)*
*શબ્દોઃ ૩૯૪*
*શીર્ષકઃ*સ્પષ્ટ વક્તા*
માનવી જન્મે ને બોલતાં શીખે ને તેનાં સ્વરપટલમાંથી એક રણકાર નીકળે તેની પરથી જરૂર એટલું તો નક્કી થાય કે તે કેવા સૂરનો માલિક હશે. તેનું સૌંદર્ય તેની ચામડી કે રૂપ પરથી નક્કી થાય.આમ માનવનાં અંદાજ કરી લેવાની વૃત્તિ કોઈ વાર સત્ય તો કોઈ વાર અસત્ય કો કોઈવાર હાસ્યાસ્પદ પણ ઠરે.
ચાલો મૂળ મુદ્દા પર આવું એક વાર એક વ્યક્તિ તેમનાં સગાને ત્યાં ગઈ હતી, ત્યાં યજમાનને ત્યાં બાબો આવ્યો હતો. બધાં રમાડતાં હતાં ને પોતાનો મત દર્શાવી રહ્યાં હતાં. ત્યાં એક ભાઈ બહુ જ બિન્દાસ હતાં તે માનતા કે તેમનાં જેટલાં સ્પષ્ટ વક્તા કોઈ જ નથી તેઓ બોલી ઊઠ્યાં આ બાળક અત્યારે તો મર્કટ (વાંદરા) જેવું
દ્ષ્ટિમાન થાય છે. તેમનું આ બોલવું એટલું તેમને મોંઘું પડ્યું કે એમને એ ઘરમાં કાયમ માટે પ્રવેશ બંધ થઈ ગયો.
એકવાર એક પત્ની પતિને રોજ તૈયાર થાય ને પૂછે “હું કેવી લાગું છું.”
પતિ કેટલાય સમયથી રોજ કહેતો,” તું સુંદર દેખાય છે, ભલભલા તારા રૂપ આગળ ઝાંખા પડે.”
પત્ની સંતોષાતી નહિ, એટલે પતિને થયું કે આનો ઉપાય કરવો રહ્યો. રોજ હવે જાડી થતી પત્નીને કેવી રીતે કહેવું કે તું બેડોળ થતી જાય છે. તે બજારમાં જઈ અરિસો લઈ આવ્યો. જેમાં ચાર એંગલ (ખૂણા)થી પ્રતિબિંબ અલગ જ દેખાય. પત્ની ખુશ થઈ ગઈ ને તે અરિસો બેડ રૂમમાં લટકાવ્યો. નખશિખ પ્રતિબિંબ દેખાય. પત્ની અરિસા સામે ઊભી રહી તો પાતળી દેખાય, બીજી બાજુંથી થોડી બટકી, ત્રીજી બાજુંથી ચહેરો થોડો કરચલી વાળો દેખાયો, તે ગભરાય આઘી ખસી ગઈ . થોડી આઘી ખસીને ઉત્તર બાજુંથી અરિસાની સામે આવી તો જેવી હતી તેવી દેખાય તે બોલી ઊઠી,” હાય!હાય! હું તો જાડી થઈ ગઈ છું.”
દોડી પતિને કહેતા કહેતા રડવા જેવી થઈ ગઈ ને પતિ મહાશય બોલ્યા,” પ્રિયે, જે હું ન કહી શક્યો તે અરિસાએ બિન્દાસ રૂપે કહી દીધું અને કહેવાય છે ને અરિસો સાચું જ બોલે છે.”બિચારા પતિદેવને પંદર દિવસ પત્ની વિના કાઢવા પડ્યાં કારણ તે નારાજ થઈ પિયરે પ્રયાણ કરી ગઈ હતી.
પોતાની જાતને બિન્દાસ માનનારો માનવી ઘણીવાર એકલતા છૂપાવવા જ કે લોકો વચ્ચે આકર્ષણરૂપ બનવા
આવી અલ્લડગિરી કરતો હોય છે. અધૂરો ઘડો છલકાય ઘણો તેમ આવડત ઓછી હોયને બધાં વચ્ચે અર્ધ ઘટિત જ્ઞાન પિરસવા માંડે ને બિન્દાસ વાતોને વધારી ઘટાડીને કહે ત્યારે એ એવો ફસાતો હોય છે કે તેને બિન્દાસ ત્યાંથી છટકવું પડે છે. મોં છૂપાવી તેં ભાગી જાય છે ને હાસ્યને પાત્ર બનતાં બનતાં રહી જાય છે.
બિન્દાસ રહેવું સારું પણ નિજાનંદ માટે,પારકાંને માટે સચેતતા વાપરી બોલવું જરૂરી.સ્પષ્ટ વક્તા બનતા બિન્દાસી મુસીબતમાં મૂકી દે છે.
*જયશ્રી પટેલ*
*૨૫/૪/૨૨*