GN_25-04-2022.
[4/24, 3:35 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- પડછાયો
પ્રકાર:- ગદ્ય
શબ્દ સંખ્યા:- ૧૭૧.
શીર્ષક:- વડલાનું રૂદન.
ગામને પાદરે ઊભેલો વડલો પોતાના પડછાયામાં બળબળતી બપોરે કંઈ કેટલાં પશુ પંખીઓ અને વટેમાર્ગુને આશરો આપે તો બાળ ગોપાલ વડવાઈ નો હિચકો બનાવી ઝૂલે. પોતાના પડછાયા શાંતિ મેળવ બધાંને ખુશ જોઈ વડલો હરખાય.
વડલાના પડછાયામાં રમીને, વડવાઈએ ઝૂલીને મોટી થયેલી આરતી લગ્ન કરીને ગઈ ત્યારે અહીંથી જ વિદાય આપેલી ત્યારે વડલો પણ માયુસ થઈ ગયેલો.
લગ્ન પછી આરતી એકાદ બે વખત પિયર આવી ત્યારે પણ સખીઓ સાથે વડવાઈએ ઝૂલતી અને એ જોઈ વડલો હરખાતો.
આજે એકાએક વહેલી પરોઢે આરતીને એકલીને વડવાઈએ ઝુલતી જોઈ વડલાને આશ્ર્ચર્ય થયું પરંતુ આરતીને જોઈને આનંદ પણ થયો.
વડલાને ક્યાં ખબર હતી કે આ આનંદ ક્ષણિક છે!
ભાણનું આગમન થયું ને એકાએક મરણપોકનો અવાજ સાંભળતા જોય તો આરતીના પિયરિયાં વડલા નીચે ભેગાં થતાં હતાં. વાતચીત પરથી માલમ પડ્યું કે સાસરિયાના અસહ્ય ત્રાસથી ત્રસ્ત આરતીએ સવારમાં ફાંસો ખાઈ મુક્તિ મેળવી સાંભળતાં જ વડલાને ભાન થયું કે સવારે આરતીનો આત્મા જ જતાં હિચકે જુલીને મારી વિદાય લઈ ગયો અને વડલો રડી ઉઠ્યો કોણ સમજે વડલાની ભાવના કોન સંભળાય વડલાનું રુદન.!
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[4/24, 5:26 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
શીર્ષક – પડછાયો
……………………………….. પ્રકાશ પર અપારદર્શક વસ્તુ પર પડે છે..!
પણ પડછાયો તો જીવન્ત
છે..!
માનતા નહીં હું એકલો છું..! હું મારી સાથે જ મારામાં જ સાથે સાથે ચાલું છું…!
ક્યાં લાગે છે મને ભાર તારો મારે કેડે લઈને ફરવાનું છે..!
તાકાત હોય તો કરીજો જોને એકલો મને..!
પ્રકાશને છાયાને વેર રહે સદાય..!
સાથે જ કદી નથી જોઈ શકતા ..!
એકબીજાને કારણ અહમને અથડામણ થાય છે..!
સૂરજ ન ઉગવાની સાથે સાથે ફર્યા કરું છું..!
તમે આકૃતિ હું પડછાયો વિહરનાર અજવાળે..!
હું એથી બડભાગી ભમે રાખે આગળને પાછળ..!
જ્યાં ઉભી રહું છું ત્યાં મારો પડછાયો ઉભો રહે છે ..!
પડછાયો મારો મિત્ર છે..!
નાસી છૂટે છે અંધારું થતાં વેંત જ ..!
પડછાયો વધુ સારો..!
અંતર આત્માતો ધોકો પણ દે..!
પણ પડછાયો ક્યારેય નહીં..!
કેવું છે અંધારું જોયું નથી ને ભાગી જાય ડરપોક..!
કયારે દુઃખી થતો નથી..!
ચઢતાં સુરજ સાથે વધે ને ઘટે મારો પડછાયો..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[4/24, 5:32 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS. NO. 0034
વિષય : પડછાયો
વિભાગ : ગદ્ય ( લેખ)
શીર્ષક : પડછાયો – એક છાંયા
પડછાયો– પ્રતિબિંબ, છાંયો. વિવિધ અર્થ ધરાવતો આ શબ્દ ખરેખર અનેરો છે. સામાન્ય અર્થ કરીએ તો સજીવ કે નિર્જીવનું પ્રતિબિંબ. જે પ્રકાશમાં દેખાય છે અને અંધકાર માં ગાયબ થઈ જાય છે. એમ પણ કહી શકાય કે સુખમાં સાથે અને દુઃખમાં ગાયબ! સાયન્સે પણ આ પુરવાર કરેલું છે કે, સૂર્ય જેમ- જેમ ઉપર આવે ત્યારે પડછાયો ટૂંકો બને અને સૂર્ય આથમે ત્યારે પડછાયો લાંબો બને.
આપણે ક્યારેય આપણાં પડછાયાને શાંતિથી ધારીને નિહાળ્યો? લગભગ બધાંનો જવાબ ના જ હશે. પરંતુ પડછાયો આપણને સ્વની ખોજ કરવાનો, સ્વંયને સમજવાનો એક ઈશારો છે. પડછાયાની કાળી છાયા આપણે ઈગ્નોર શા માટે કરીએ છીએ? અહીં વાત કાળાં-ગોરાંનાં ભેદની નથી. પરંતુ એક કડવી વાસ્તવિકતા છે કે, આપણે દર્પણમાં કલાકો સુધી આપણાં બિંબને નિહાળીએ છીએ પરંતુ પડછાયાને નહીં. ધોમધખતા તડકામાં તપવું કઠિન છે. પરંતુ એમાં જે તપે છે એ ચોક્કસ આગળ વધે છે. પ્રતિબિંબ અને પડછાયામાં ભેદ ભલે હોય પણ એ બંને સ્વ સાથે મિલાપ કરાવે છે.
આજે આપણે એક બીજી વાત કરવી છે, આપણાં જીવનમાં ખરેખર પડછાયો બનીને ઉભેલાં સ્વજનોની, મિત્રોની. ઘરમાં વડીલોની હાજરી અને હૂંફ આપણાં જીવનમાં જરૂરી છે. જેમ વિશાળ વટવૃક્ષની છાંયામાં નાનાં-નાનાં છોડ પાંગરે એમ જ ઘરમાં ઘરડાં જ ગાડાં વાળે. તેમની છત્રછાયામાં જીવન આસાન બની જાય છે. પરિવાર પર કોઈ આફત આવે તો એ મજબૂત છતને કારણે જ મુસીબતોને આપણે હંફાવી શકીએ છીએ. પરંતુ આજે નવી પેઢીને ઘરમાં વડીલોની હાજરી ખટકે છે. તેમનું સ્થાન ઘરનાં એક ખૂણામાં કાં તો ઘરડાં ઘરમાં જ હોય છે.
એવી જ રીતે એક સાચો મિત્ર પણ પડછાયાની જેમ દરેક મુશ્કેલીમાં સાથે રહે છે. સુદામા અને શ્રીકૃષ્ણની મિત્રતાનું ઉદાહરણ આજે પણ અપાય છે.
કોઈપણ વ્યક્તિ અંદર અને બહારથી ભિન્ન-ભિન્ન વર્તે છે. જગતમાં આવી રીતે ડબલ સ્ટાન્ડર્ડથી જ લોકો જીવતાં હોય છે. જીવનમાં સારાં કર્મોની સુવાસ બધે જ ફેલાય છે જ્યારે ખરાબ કર્મોની સજા મળે છે એ કર્મનો સિધ્ધાંત છે. તેથી જ એવાં કર્મ કરીએ કે જેથી બુરાઈનો પડછાયો પણ આપણને ન અડકે અને પરમપિતા પરમાત્મા સમક્ષ આપણી છબિ, આપણો પડછાયો એકદમ શુદ્ધ, નિર્મળ રહે.
ટહુકો :-
જગતને સારું કે ખરાબ કહેવા કરતાં સૌથી પહેલાં આપણે સારા બનીએ તો કોઈ સમસ્યા જ ન રહે.
— ડૉ. રેખા શાહ
[4/24, 5:39 PM] Leena Sharma.MeM: NOG SS.No.0098
વિષય:- પડછાયો
પ્રકાર:- ગદ્ય
વિષય:- આનંદ ની અનુભૂતિ
મિત્રો, મોટા મોટા સાહિત્યકાર લેખક ,લેખિકા ,કવિ, કવિયિત્રીના જ્ઞાન ના ભંડાર રૂપી સીચણથી દિવસે ને દિવસે વિસ્તૃત અને ઘટાદાર થતો આ વડલો (NOG.SS.Grup) જેની નીચે ઉભી રહીને પડછાયો જોઊ તો અનેરો આનંદ મળે છે .હાશ…….. અનુભવું છું તૃપ્ત થઈ જાઉં છું.
✍️
લીના શર્મા
હાલોલ.
[4/24, 5:51 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* પડછાયો
*પ્રકાર-* ગદ્ય
*શીર્ષક-* પડછાયાની ફિલસૂફી
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
******************************
*”હું તો ચાલુ ત્યારે ચાલે મારો પડછાયો*”
*”હું તો દોડું ત્યારે દોડે મારો પડછાયો..”*
આ બાળગીત બાળપણમાં ઘણાં બધાં એ ગાયું હશે અને આ પડછાયાને એક અજાયબી જેવો ગણી તેની સાથે કલાકો કાઢ્યા હશે. ચાલીને, દોડીને વિસ્મય પામીને જોયું પણ હશે કે અરે! હા તો બધું આપણા જેવું જ કરે છે.. ત્યારે એ સુધબુધ ન હતી કે એ સમજી શકીએ કે, પડછાયો બોલી કે સાંભળી તો નથી જ શકતો..પણ એનામાં બુદ્ધિનું તત્વ પણ નથી કે તે કોઈપણ નિર્ણય લઇ શકે.. ટુંકમાં એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં.. તે માત્ર છાયો જ છે.
હવે ક્યારેક ચગડોળે ચડેલું મન પ્રશ્ન કરે છે કે.. શું પડછાયો હંમેશા સાથે જ હોય છે? અનેક તર્ક-વિતર્ક યુક્ત જવાબો મળે ક્યારેક ‘હા’ તો ક્યારેક ‘ ના’
‘હા’ ત્યારે જ્યારે આપણે પ્રકાશમાં હોઈએ ત્યારે તે સતત સાથે હોય છે.. સૂર્ય, ચંદ્ર કે લાઈટ જેવાં કોઈપણ અજવાળામાં સદાય આસપાસ આજુબાજુ ફરતો પડછાયો, પ્રકાશની દિશાએ વધઘટ થાય છે..
‘ના’ ત્યારે જ્યારે આપણે ગાઢ અંધકારમાં હોઈએ ત્યારે તે ક્યારેય સાથે નથી હોતો.. એટલે કે અલોપ થાય.
જ્યારે સૂર્ય મધ્યાહ્ને તપતો હોય ને બિલકુલ આપણા માથા ઉપર હોય ત્યારે આ પડછાયો હોવા છતાં.. આપણને સાથે નથી તેવો આભાસ થાય છે.. કારણ એ આપણા પગ તળે રમતો હોય છે..
આ પડછાયો જીવનની ફિલસૂફી શીખવે છે જીવનમાં જ્યારે ચારે તરફ ઉજાસ હોય અને સફળતા આપણી માથે હોય ને તેનાં અજવાળામાં આળોટતાં હોઈએ ત્યારે આપણાં સહયોગી કે સાથીદારો આપણને સતત સાથે હોવા છતાં દેખાતા નથી.
સફળતાનાં અતિશય અજવાળાંથી આપણી આંખો અંજાયેલી હોય.. પગ તળે રહેલું સત્ય આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી.
તેનાથી વિરુદ્ધ જ્યારે જીવનની પડતી, અસ્ત કે અંધકાર સમયે જો પડછાયો પણ આપણો નથી તો અન્યની અપેક્ષા કેટલી? એમ મન વાળીએ છીએ.. ત્યારે પણ પડછાયો તો હોય જ છે.. પણ અંધકારે તે સંતાઈ બેઠો હોય છે.. જેને આપણી આંખો જોઈ નથી શકતી.. બાકી સૌ હિતેચ્છુ એમાં પણ સાથે જ હોય છે..
માટે જીવનની તડકી છાંયડીને સુખ-દુઃખમાં સમતાનાં અજવાળાં કેળવીને સૌ સાથે જ છે એમ માનીને ચાલવું એ જ જીવનની સાચી સાર્થકતાનો અર્થ અને ધ્યેય બની શકે.
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* ૨૪/૦૪/૨૨