[3/24, 8:46 PM] Babu Sangada.પત્રકાર: બાબુ સંગાડા “મહેક”
NOG 109
વિષય :-સબંધો
પ્રકાર .પધ
શિર્ષક:-દોસ્તો મુખ ફેરવી ઉભા છે.
તલવાર જેમ વિંઝાતા
સબંધો,
કયારેક તડપાવે,કયાંરેક કાપી નાખે,
ને કોઈવળે સવર્ધન કરે,
બસ મારી આગળ પાછળ.
હું વસંતના કેસૂંડા જોવો,
મારામાં ડૂંબી પીધા કરું,
પેલા આવતા પ્રહારો,
યુધ્ધ મેદાને લડતાે યૌધ્ધો થઈ.
વાયરાના ઝોંકા જેવા,
ચક્રવાકો ઊભા થાય,
કોઈ તરછોડે,હડધૂતે,
ત્યારે ઊભા થતા ઝેરના મોજા,
હું નિલકંઠ બની પીધા કરું.
મારા પર કિંચડ ઉડાડે,
કોઈ ઊતારે,
દ્વિ વિચારધારાના કારણે,
હું જાતને મઠારું સળગતી હોળીઓ વચ્ચે,
મારી હસ્તરેખાના નકશા પર,
ત્યાંરે શેરીઓ ભરી દુશ્મનો તાળિયો પાડે,
ને દોસ્તો મુખ ફેરવી ઉભા છે.
બાબુ સંગાડા”મહેક”
હાલોલ
[3/25, 5:42 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S. No. 0102.
નામ :- રતીલાલ વાયડા
વિષય:- સંબંધો/લાગણીઓના મેણા ટોણા.
પ્રકાર:-ગદ્ય. ( મૌલિક લેખ.)
શીર્ષક:-સંબંધોમાં શાબ્દિક પ્રહારો દ્વારા મેળા ટોણા.
તારીખ:- ૨૫/૩/૨૦૨૨.શુક્રવાર.
રચના:-
આપણેસમાજ અને કુટુંબમાં એકબીજાની સાથે લાગણીઓનાંસંબંધોથીજોડાયેલા છીએ.વાણીદ્વારાવિચારોનીઅભિવ્યક્તિથીઆપણા સંબંધો ટકી રહે છે.
આપણા બોલાયેલા શબ્દોકોઈનાજીવનમાંશાંતિ,સ્વસ્થતા અને આનંદમાં વધારો કરે છે. જ્યારે કેટલીક વાર શબ્દો કોઈ ના હૃદય સુધી પહોંચી જાય છે અને તેને તીરની જેમ ખૂંચે છે તેના જીવનમાં અશાંતિ પેદા કરે છે.
ખાસ કરીને કુટુંબમાં રહેતા વ્યક્તિઓ તરફ જે શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ તે માટે આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ. કુટુંબજીવન સમર્પણની ભાવના ઉપર રચાયેલું માળખું છે .આપણા શબ્દો તેઓના જીવનમાં પ્રાણ પૂરી શકે છે તેમજ તેઓને નિરાશાની ગર્તામાં પણ મૂકી શકે છે.
કુટુંબના વ્યક્તિઓમાં ઉમર , શિક્ષણ, ક્ષમતા, વગેરે અલગ અલગ હોય છે. ઘણા લોકો કુટુંબમાં જ ઈર્ષા, અદેખાઈ , દ્વેષભાવ રાખીને કુટુંબીજનો સાથે ગેરવર્તન કરતા હોય છે અને તેઓને દુભવતા હોય છે. પરિણામે કુટુંબ દુઃખી થાય છે અને તૂટવા લાગે છે.
કુટુંબ ,સમાજ, દેશ, વગેરે તરફ સમર્પણ અને ત્યાગ ભાવના રાખો .બલિદાન દેવાની તત્પરતા રાખો. તમે તેઓની સેવા માટે જ છો. તેવો ભાવ રાખો અને તમારા મોઢામાંથી એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેથી તમામનું ભલું થઈ શકે. સુખ ,શાંતિ અને પ્રગતિ થાય.
તમારા કટુ વચન તમને વ્યાજ સહિત જ પાછા મળશે તે વાત પણ ન ભૂલવી જોઈએ.
સંબંધો અને લાગણીઓમાં મેળા ટોણાંનો ત્યાગ જીવન જીવવાનો આ એક જ સાચો માર્ગ છે . સારા શબ્દો દ્વારા બીજાના જીવનને હંમેશા હુંફ આપતા રહો તેઓને આગળ વધવામાં મદદ કરો ઉદારતા રાખો સુખી અને શાંતિથી જીવન જીવવાનો આ એક જ સાચો માર્ગ છે.
રતીલાલ વાયડા
૨૫/૩/૨૦૨૨. શુક્રવાર.
નવી મુંબઈ.