[3/24, 1:36 AM] Pradip: N.O G.SS NO. 0026
વિષય – સંબંધ.
ગઝલ – લગાગા ૪ મુતકારિબ છંદ.
શરુઆત મારી આ સારી થઈ છે.
સંબંધોથી દિલપર સવારી થઈ છે.
છે સુખથી અમારે તો અનબન હંમેશા,
ને દુઃખની ઉદાસી જ પ્યારી થઈ છે.
પ્રસંગો બધાંયે ફૂલોથી વધાવ્યાં,
સુગંધી કહાણી અમારી થઈ છે.
મને એક શંકા હંમેશા રહી છે,
હથેળીમાં મારી જ બારી થઈ છે.
લડી ભાગ્યથી હું , હંમેશા ઝઝૂમી,
ખુદા પણ કહે છે ” પ્યારી થઈ છે”!
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[3/24, 1:36 AM] Pradip: NOG SS No : 114
પ્રકાર :- મૌલિક લેખ
વિભાગ : -ગદ્ય
શબ્દ:- સંબંધોનું મહત્વ
શિર્ષક : -પૈસા થી સંબંધો નથી ખરીદી શકાતા.પણ દિલથી ખરીદી શકાય છે.
શબ્દ સંખ્યા-300
રચના:-
“શરીર પર પડેલા ઉઝરળા તો સૌ કોઈને દેખાઈ આવે છે.પણ હૈયામાં પડેલા ઉઝરડા કોઈને નથી દેખાતા.”
જીવનમાં વધુ સંબધો હોવા જરૂરી નથી. પણ જે સંબંધો છે એ સાચવવા જરૂરી છે. ગેરસમજના કારણે સંબંધ તોડવાથી એક અહંકાર નો જન્મ થાય છે. આજકાલ સંબંધો સાચવવા ખૂબ જ અઘરા થઈ ગયા છે.સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો શોધવામાં નહીં.!પણ ભૂલી જવામાં મજા છે. આજે લોહીના સંબંધોમાં પણ નજીવા કારણોસર જ દરાર જોવા મળે છે.લોકો જેમ કપડાં બદલે છે એમ સંબંધો બદલતા થયા છે.લોકો કામ પતી જાય એટલે મોઢું ફેરવતા થયા છે.
હૃદયમાં ઉભરાતી લાગણીઓને કોઈ ઘર નથી હોતું. જ્યાં પ્રેમ મળે ત્યાં જ એ પોતાની ઉર્મિઓને ઠાલવે છે.
સંબંધોનું મૂલ્ય સાચવવા માટે આપણે રામાયણ ગીતા મહાભારતના ગ્રંથો નું અનુકરણ કરવું જ જોઈએ .
સમજદાર વ્યક્તિનું રોકાણ હોય છે.સંબંધોને સાચવવા માટે.
આપણે કોઈના હૃદયમાં સ્થાન મેળવવું હોયને તો થોડું નમવું પડે. જિંદગીને સાત રંગો થી ભરવા પરિવારના લોકોએ એકબીજાની લાગણીઓને સમજવી પડે.દરેકના ઘરમાં થોડા ઘણા વાસણો ખખડતા હોય પણ સાંજ થતાં ભેગા બેસી જમતા હોય ને એ જ સાચો સંબંધ. જો આપણાથી કોઈ નારાજ થઈને બેઠું હોય તો આપણે પણ એવું વિચારીયે, બદલો લેવાની ભાવના રાખીશું તો સંબંધો તૂટતા વાર નહીં લાગે. નાની નાની વાતોમાં ખોટું ન લગાડવું જોઈએ.
આપણને કોઈ તકલીફ હોય અને આપણે પરિવાર મિત્રોની સલાહ સૂચન કે સાથની જરૂર હોય તો બેફિકર સાદ પાડવો જોઈએ .
પૈસાથી ખુશી નથી ખરીદી શકાતી પણ દિલથી સંબંધોને પૈસા વગર પણ ખરીદી શકાય છે.સંબંધો ને તરોતાજા રાખવા એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખી સંબંધોને મજબૂત બંધનમાં બાંધવા જોઈએ.
કથીરીયા પ્રવિણા “પવિ” નવસારી.હાલ- નવસારી વતન-જુનાગઢ જીલ્લાનું ઉમરાળી ગામ.
[3/24, 1:36 AM] Pradip: N.O G.SS NO. 0032
વિષય – સંબંધ.
શીર્ષક:- *સંબંધનાં સરનામા*
સંબંધના સરનામાંને સાચવી રાખજો,
દિલની અટારીએ છાપી રાખજો.
સંબંધને હંમેશા લાગણીઓથી જોજો,
દિલમાં લાગણીઓને સ્થાપીને જોજો.
સંબંધ હંમેશા આપણે સાચવવતા થઈએ,
એકબીજામાં હંમેશા ઓળઘોળ થઈએ.
સમયે સમયે આપણે મળતા રહીએ,
સુખ દુઃખ એકબીજાના બાટતા રહીએ.
વેરઝેર આજકાલ ભૂલતા થઈએ,
અમૃત પરસ્પર ભેળવતા થઈએ.
ભૂલ થઈ હોયતો માફી માંગતા રહીએ.
વાર તહેવારે મળતા રહીએ.
ખભે ખભા મીલાવતા રહીએ,
સુખ દુઃખને હંમેશા બાંટતા રહીએ.
સમયે સમયે મળતા રહીએ,
ભૂતકાળને હંમેશા ભૂલતા રહીએ.
જિંદગી આમ જ જીવતા રહીએ,
સાથ સાથ જીવતા રહીએ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
23/3/2022
[3/24, 1:36 AM] Pradip: *NOG SS :004*
*વિષયઃ સંબંધો/ લાગણીઓ નાં મહેણાં ટોણાં*
*શબ્દોઃ૩૫૦*
*પ્રકારઃ લેખ*
*શીર્ષકઃ માર્મિક શબ્દો*
સમય જતાં જતાં માનવીની સમજદારીનાં બે રસ્તાઓ જોવા મળે. તેની જિવ્હા ક્યારેક ક્યારેક જીવન જોડવાનું કાર્ય કરે તો ક્યારેક વાઢવાનું કામ કરે. દરેક માણસ તેની મર્યાદા સુધી સહન કરે પછી ક્યાં વાક્યુધ્ધ થાય ક્યાં સંબંધો જ કપાય જાય. કૃષ્ણે પણ શિશુપાલના સો ગુન્હા માફ કર્યા ને અંતે તેને સુદર્શન ચક્રથી વાઢી નાંખ્યો.
માનવી કંકાશ નથી ઈચ્છતો , છતાંય તેનો ભોગ બને છે. કેમ જાણો છો? તમને થશે એમાં શું નવું છે? માનવ તો શું જાનવર પણ લઢી મરે છે ,પણ કેમ? એક સરસ ઉદાહરણ આપું છું એક ઘરમાં બે કૂતરા બે બાળકો અલગ અલગ લઈ આવેલાં. બન્ને બાળકો બહારથી આવે ને પોતપોતાના કૂતરાને ખાવા પીવા ને ફરવા લઈ જાય. એકનો માલિક શાંત ને બીજાનો માલિક તિતલિયા સ્વભાવનો. કંઈ પણ થાય એટલે તે તિતલિયા સ્વભાવ વાળો વ્યક્તિ પોતાના કૂતરા માટે લઢી વઢી સારી વસ્તુઓ લઈ લે. સમજણાં થયા પછી પેલો તિતલિયા સ્વભાવનો કૂતરો પણ તેવો જ ભાવ રાખતો થયો તેને મળે તે જલ્દી ખાય લે ને પછી પેલાની પ્લેટમાંથી ઘુરકિયું કરી ઝડપી લઈ ખાય લે તો જ સંતોષ થાય. તો જુઓ સોબત તેવી અસર તો આવે જ ને!
સયુંક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિઓ મનની મનમાં સમાવી ગાલ પર તમાચો મારી ગાલ લાલ રાખે છે. જ્યારે લાવા ઉકળે છે ત્યારે એક બીજાને મહેંણા ટોંણા મારી વાતનો બદલો લીધાંનો સંતોષ માનીલે છે.આ મહેણાં ટોણાંમાં મિઠાશ હોયને તો મિત્રો તે આનંદમાં લઈ ભૂલાય જાય પણ જો માર્મિક શબ્દો ઊંડા આઘાતને પોષે તો તે જરૂર તલવારનું કામ કરી વાઢ કાપ કરી નાંખે છે. ઘણીવાર તો બે સગા ભાઈઓ કે સગી બહેનો એક બીજાનાં મોઢા આખી જિંદગી જોતા નથી.મોટા મોટા ધંધા પણ ઠબ થઈ જાય છે.
કોઈના સ્વભાવમાં જ અહંમ પોસાતો હોય છે તો કોઈ જતુ કરતા હોય છે. દ્રોણે બે શિષ્યો સાથે જુદો જુદો વ્યવહાર કર્યો એકને બાણાવળી બનાવ્યો તો એકનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માંગી લીધો. બન્ને શિષ્યો છતાંય ગુરુ જેવા ન બન્યા કારણ બન્નેમાં સૌમ્યતા હતી.
મારું કહેવું એવું જ છે મિત્રો સંબંધો અને લાગણીઓને કોઈ મહેણાં ટોણાંથી નહિ પણ એકના દુષ્કૃત્ય ને કડવા શબ્દોને ભૂલી પેલા દૂધમાં ભળી જતી સાકરની જેમ મીઠાશ બનો. મધુમાખી ફૂલને ડંખ દે છે પણ ફૂલ તેના ગુણ નથી છોડતું તે તો મીઠાશ જ અર્પે છે માટે ફૂલ બનો.
*જયશ્રી પટેલ*
*૨૩/૩/૨૨*
[3/24, 1:36 AM] Pradip: NOG SS 0002
*સંબંધોના સમીકરણ*
આજના આધુનિકયુગમાં દરેક સંબંધના સમીકરણ બદલાઈ ગયા છે. જો કોઈ સંબંધ બાકી રહ્યો હોય તો તે છે *લાગણીના સંબંધ.*
આ એક જ સંબંધ એવો છે જેને કોઈ નામ કે ઉપનામ ન હોય ફકત ૠણાનુબંધ જ હોય. એક એવો સંબંધ જેને કોઈ બંધન ન હોય અને જેનાં સાંનિધ્યમાં કલાકો વિતાવીને પણ મન તૃપ્ત થતું જ નથી, જેનું આપણા જીવનમાં આગવુ સ્થાન હોય છે એનાં પર મારી કવિતા રજુ કરું છું.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક કોઈ એક અમસ્તી જ ઓળખાણ હોય,
તોય મનના તાર જોડાયા હોય,
ક્યારેક મૂક કબુલાત કે સંમતિ હોય,
તોય અસ્વીકૃતિની પીડાને લાગણી હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક થકવી દેનારો અને ગુસ્સો ઉપજાવનારો હોય,
તોય પરાણે વહાલા લાગે એવાં હોય,
ક્યારેક સમાજના બંધન નડતા હોય,
તોય મદમસ્ત બનીને જીવતાં હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક સ્વેચ્છાએ આળસમરડીને માથું ઊંચકનારા હોય,
તોય મુશ્કેલીમાં સાથ ન છોડનારા હોય ,
ક્યારેક સમયાંતરે ભૂત, ભવિષ્ય કે વર્તમાન બદલનારા હોય,
તોય અનોખો માનસિક આધાર હોય.
*એ લાગણીનો સંબંધ*
ક્યારેક એને સમજવામાં થાપ ખાઈ જતાં હોય,
તોય પોતીકાની અંતરથી લાગણી હોય ,
ક્યારેક થાકી હારીને ફરિયાદ કરી લેતા હોય,
તોય મસ્તિષ્કમાં અવિરત એના જ વિચાર હોય .
*એ લાગણીનો સંબંધ*
જે તમને અનુભવ અને સંજોગથી જ સમજાય છે. આવા આ લાગણીઓના ઘોડાપૂરને રોકવા કરતાં એ સંબંધનું મનોમંથન કરીને તો જોજો મારા વહાલા તમારું હૃદય પુલકિત અવશ્ય થઈ જશે.
જીજ્ઞા કપુરિયા “નિયતી”