પેપર લીક કૌભાંડો માં યુવા છોકરાઓ ને લાલચો આપી રાજકીય અને સરકારી ભ્રષ્ટ બાબુઓ ને શાશક સરકારો ના અજ્ઞાની રાજકીય નેતાઓ બાબુઓ ના ભ્રષ્ટ શિક્ષણ હેઠળ અનેક કૌભાંડો કરી રહ્યા છે અને એક માત્ર વોટ બેંક ની ભીખ ખાતર ગુનાહ શોધક સરકારી કંટ્રોલ વાળી એજન્સીઓ ને હાથ બનાવી પકડવા ખાતર યુવાઓ ને પકડી કેસ કરી પ્રજાની આંખો માં ધૂળ નાખી રહ્યા છે..આ વાત પ્રત્યેક નાગરિક સમજતા હોવા છતાં બધું મૂંગા મોએ વ્યવસ્થિત આયોજન બદ્ધ કૌભાંડો ચાલી રહ્યા છે..ભ્રષ્ટ બાબુઓ ના પગાર થી અનેકો ગણી સંપતિ જગ જાહેર દેખાતી હોવા છતાં ઢાંક પીછોડો અજ્ઞાની રાજકીય નેતાઓ સત્તા સાચવવા પોતાના સ્વાર્થે જોઈ પ્રજાને પારાવાર નુકશાન પહોચાડી રહ્યા છે.રાજકીય નેતાઓ પણ શાશક સરકાર માં હોવાથી પોતાના પરિવારો ના સંતાનો. જમાઈઓ.ભાઈઓ ને વિદેશ સેટ કરી ભ્રષ્ટ સંપતિ ને સગેવગે કરી રહ્યા છે.બાબુઓ ના પરિવારો પણ પ્રત્યેક દેશમાં સેટ થયેલા જોવા મલે છે અને વંશજો ના નામે અનેક સંપત્તિઓ વિદેશ માં બનાવી ચૂક્યા છે..અનેક કૌભાંડો ના પર્દાફાશ બાદ રાજકીય બચાવ ટીમ ને કામે લગાડી મોટી ભ્રષ્ટાચાર ની રકમ રાજકીય રીતે ગોઠવણી કરી ગુનેગારો જાહેર માં ફરતાં જોવા મળે છે અને ચોરે અને ચૌટે સંભળાય છે કે હમણાં હજુ અખબાર માં ફોટા સાથે બેનામી સંપત્તિ પકડાયા ના અહેવાલ હતા,,આખો પરિવાર ફરાર હતો અને થોડાક સમય માં તે જ પરિવાર ના સભ્યો પોતાની સંપત્તિઓ માં રહેતા પ્રજા જોઈ રહી છે અને જગ જાહેર કહે છે કે બધું સેટિંગ કરી અમો પાછા આવી ગયા…
તાંજેતર માં પેપર લીક કૌભાંડ માં બોર્ડ અધ્યક્ષ કે કોઈપણ કર્મચારી ની મદદ વિના શું પેપર બહાર આવે ખરું?.મીડિયા માં બધું ઉપર થી નીચે સુધી ગોઠવી પ્રેસ આપવામાં આવે છે માટે મીડિયા પણ છાપવા કે દૃશ્ય શ્રાવ્ય બતાવવા લાચાર હોય છે કેમકે આધાર પુરાવા બધું અંદર ખાને સિલ કરી દેવામાં આવે છે..એક પણ સરકારી બાબુ ને હજુ ભ્રષ્ટાચાર માં આરોપી બનાવી પકડ્યા નથી અને પૈસા કમાવવાની લાલચ માં યુવાઓ ને કેરિયર તરીકે પકડી ને કેસ કરી તેમની જિંદગી બગાડી નાખવામાં આવે છે..તેમની સાચી પૂર્ણ તપાસ કરવામાં આવે તો સાચા ભ્રષ્ટ બાબુઓ અને રાજકીય હલકી કક્ષાના મનોવૃત્તિ વાળા લાલચી નેતાઓ ના નામ ખૂલે..અસંખ્ય બાબુઓ ના તેમજ રાજકીય પરિવાર ના સભ્યો ગોઠવણી થી સરકાર માં નોકરી કરતા જોવા મળે છે માટે નોકરી ના ભ્રષ્ટાચારી મોટી રકમ ના ભાવો બોલાય છે…પણ બધું ઢાંક પિછોડો કરી ક્લીન ચિટ અપાવવામાં આ સરકાર માહિર છે.ઉપર થી નીચે સુધી ન્યાય તંત્ર માં પુરાવા નો નાશ કરી અત્યાર સુધી અનેક કૌભાંડીઓ ક્લીન ચીટ મેળવી સત્તામાં અને સરકાર માં ગોઠવાઈ ગયા છે…નફ્ફટ નેતાઓ અને નફ્ફટ ભ્રષ્ટ પ્રાદેશિક બાબુઓ સામે બુદ્ધિશાળી લોકો લાચાર છે…
બેચાર વર્ષ થી રાજકીય અદલા બદલી રાજકીય પક્ષો માથી આવેલ પોપટિયા અધકચરા પ્રવક્તા ઓ દ્વારા આજકાલ ના રાજકીય પક્ષો ચાલે છે જેણે માત્ર હાજી,હા અને લખેલું વાચી જઈ પ્રેસ સંબોધવાનું અને નેતાઓ ની ચાપલૂસી,પટાવાળા નું કાર્ય કરવાનું હોય છે અને બેચાર મંત્રીઓ અને બેચાર રાજકીય તેમના આકાઓ ની આગળ પાછળ મોટા ભાગે દલાલ ની ભૂમિકા બજાવવાની હોય છે તે સિવાય તેમને પોતાનું મગજ વાપરવાનું હોય તેવું ક્યાંય દેખાતું નથી….વિનાશ કાલે વિપરીત બુદ્ધિ…
એક હિ આગ…. જન ફરિયાદ.ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક…
(પ્રજા ના હિત માં અનેક ફરિયાદો મળતા અનુભવે વાસ્તવિકતા રજૂ કરવાની ફરજ પડેલ છે..તંત્રી)
નોધ: અધકચરા રાજકીય વિવાદિત બની બેઠેલા રાજકીય દલાલ રૂપી પ્રવક્તા એ જોઈ વિચારી ને તંત્રી સામે પોતાના સ્વ જોખમે ચર્ચા કે વિવાદ કરવો )