ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શિક્ષક દિન રચનાઓ(૨૦-૯-૨૦૨૧)દિવસ – ૩
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
***************************************†*****
NOG SS No : 0059
NOG સાહિત્ય સરિતા (૧)
વિષય: ‘શિક્ષક દિવસ’.
પ્રકાર:ગદ્ય
શીર્ષક “શિક્ષાદાતા-મહાદાતા”.
શબ્દો:૧૪૬
સમસ્ત વિશ્ર્વમાં અનેક દિવસો
ઉજવાયછે,દરેક ઉજવણીનાં વિશેષ કારણો હોયછે, પરંતુ આપણા દેશમાં શિક્ષક દિવસની
ઉજવણી એ એક વિશેષ વ્યકતિનાં માન -સન્માન સાથે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા
આપણા ગુરુજનોના મહાન ઉપકારનું ઋણ ચૂકવવાનો એક અલ્પ,નમ્ર પ્રયાસ છે.
આપણા જન્મદાતા માતા-પિતા પછી સૌથી વિશેષ
કોઈનું ઋણ આપણા ઉપર હોયતો તે શિક્ષક યાને પરમપૂજ્ય ગુરુજનોનું છે,જેનો દરેક શિક્ષિત વ્યક્તિ ,નમ્રભાવે,સ્વીકાર કરે છે.
જેમ હીરાઘસુ,રફ હીરાને ઘસી ઘસી પાસાં પાડી તેને મૂલ્યવાન બનાવે છે, તેવી જ રીતે આપણને
આપણા ગુરુજનોએ પોતાની જાત ઘસી આપણને આજના લેવલ ઉપર લાવી મૂક્યા હોય છે.
આપણા જીવન ઘડતરમાં
સારા સંસ્કાર અને શિક્ષણનું
સિંચન કરનારા આપણા ગુરુજનો ,સાચા વિદ્યાદાતા છે.ધનના દાતા કરતાં,શિક્ષણનું દાન કરનાર હંમેશાં વિશેષ મોટાં હોયછે. ‘શિક્ષાદાતા – મહાદાતા’.
આજના શિક્ષક દિવસના પાવન પ્રસંગે, મારા-તમારા અને આપણા તમામ નામી-અનામી
શિક્ષકભાઈ-બ્હેનોના ચરણે
આપણા કોટી કોટી સાદરવંદન.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.
*********†**********************
NOG-SS-No. 0097
વિષય:શિક્ષક દિવસ
પ્રકાર: ગદ્ય
શીર્ષક : ઉત્તમ શિક્ષક
એક માતા સો શિક્ષક સમાન છે.માતા ગર્ભસ્થ શિશુની માવજત કરે, પોષણ કરે,સંસ્કાર સિંચન કરે અને યોગ્ય સમયે પોતની જાતને વલોવી નાંખીને બાળકને જન્મ આપે.આ સમગ્ર પ્રક્રિયા,મા ખુબ આનંદ ઉત્સાહથી કરતી હોય છે. કંઈ પણ અપેક્ષા સિવાય.આ ગર્ભ સ્થ સંસ્કાર અને ગળથૂથીના સંસ્કાર આપનાર મા એ પ્રથમ અને ઉત્તમ શિક્ષક છે. પુ. મોરારીબાપુ એમ કહે કે,બેગમાં જે કપડું પહેલા મૂકીએ એ છેલ્લે નીકળે. મા દ્વારા મેળવેલ શિક્ષણ અને સંસ્કાર બાળક ના મગજ પર એક અમિટ છાપ મૂકી જાય છે. જે ડગલે ને પગલે બાળકમાં ઉજાગર થાય છે.
તયારબાદ બાલમંદિરના શિક્ષિકા.જે ખુબ પ્રેમથી બાળકની માવજત કરીને બાળકને હૂંફ આપેછે. અને એ સવારના દરરોજનો ચાર કલાકનો સમય બાળક અને શિક્ષિકા વચ્ચે નો સૌથી ઉત્તમ સમય કહી શકાય.દરેક બાળકનો આ સમય સચવાય જાય તો દેશને સર્વોત્તમ નાગરિક મળી શકે.
મારા મતે સમજુ” મા “અને બાલવાડીના પ્રેમાળ શિક્ષિકા જ બાળકના સમગ્ર જીવનના ઘડવૈયા છે.
વર્ષાબેન દેસાઈ . એડવોકેટ. વડોદરા.તા.૫/૯/૨૧
***†***††**********************
NOG SS No : 0055
વિષય : શિક્ષક દિન
પ્રકાર : ગદ્ય
વ્યવસાયથી વિસ્તરીને વિદ્યાર્થીનો વિશ્વાસ અને શિક્ષણનો શ્વાસ એવા સૌ શિક્ષકોને વંદન….🙏🏻
જેવી રીતે રાષ્ટ્રરક્ષા માટે સૈનિક હાથમાં બંદૂક લઈ સીમાડા સાચવે તેવી રીતે રાષ્ટ્ર અસ્મિતા માટે શિક્ષક હાથમાં પુસ્તક અને ચોકનો ટુકડો લે છે.
સૌ શિક્ષકોને વંદન.🙏🏻
શ્રદ્ધા ભટ્ટ..વાપી..05/09/202
********†***********************
NOG SS No :-0038
શીર્ષક :- શિક્ષક દિન
સર્વપલ્લી રાધાક્રિષ્નમના જન્મદિવસની અને શિક્ષક દિનની
બધાને ખૂબ ખૂબ વધાઈ.
સમાજની ગમે તેવી પરિસ્થિતિમાં શિક્ષક એક એવું કામ કરે છે કે સમાજરૂપી મંદિરને કેળવીને આગળ લાવે છે…!
શિક્ષકના વાણી વર્તનની અસર બાળક ઉપર જ નહીં
એ બાળક થકી બનતા આખા સમાજ ઉપર પડે છે માટે જેટલું બાળક પુસ્તકમાંથી શીખે એનાથી વધારે શિક્ષકની
રહેણીકરણી ઉપરથી શીખે છે….!
શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. સારા શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન એ બાળકને ઉચ્ચજીવન પ્રદાન કરી
મહાનતાની પદવી અપાવે છે….!
હું ગૃહિણી મારા પરિવારના શિક્ષકો વચ્ચે રહેતા સદાય આનંદ ને ગર્વ અનુભવું છું…!
એવા મહાન શિક્ષકોને અને મારા ગુરુઓને પ્રણામ કરતા હું શિક્ષક દિનની શુભેચ્છા પાઠવુ છું…🙏
✍️શીલાપટેલ “આકાંક્ષા”
************†*******************
*NOG SS No :- 0027*
વિષય :- શિક્ષકદિન
*આજે પાંચ સપ્ટેમ્બર…એટલે શિક્ષકદિન.*
મારી કર્મભૂમિ એટલે કે શાળા. શિક્ષણ સંસ્થા પણ માતૃત્વનું ઋણ ચૂકવે છે. કાલે મારી સંસ્થા, ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ, નરોડાએ એનું ઉદાહરણ પૂરું પાડ્યું. કોરોનાની પરિસ્થિતિમાંથી હળવા થવા બધાં જ શિક્ષકોને રમતો રમાડી, ઈનામ આપ્યાં અને જ્ઞાન સાથે આનંદ પીરસ્યો.
*શિક્ષક હોવાનું ગૌરવ*
કોઈએ મને પૂછ્યું કે, તમને શિક્ષક હોવાનું આટલું બધું ગૌરવ કેમ છે ?
મેં ગૌરવથી જ જવાબ આપ્યો કે….
એક ડૉક્ટરની આવક દેશમાં બીમારી વધવાથી વધે છે.
એક વકીલની આવક દેશમાં ક્રાઈમ વધવાથી વધે છે.
જ્યારે એક શિક્ષકની આવક દેશની પ્રગતિ થવાથી વધે છે.
*જય હિન્દ* , *જય શિક્ષક*
શિક્ષકદિનની ઢેર સારી શુભેચ્છાઓ…💐
*કાલે શાળામાં મેં આપેલ વક્તવ્ય અહીં રજું કરું છું.*
મિત્રો, તમને ખબર છે કે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે શા માટે ઉજવવામાં આવે છે?
હા, જે વ્યક્તિ રાષ્ટ્રપતિ હોવા છતાં એમ કહે કે હું પહેલા શિક્ષક છું, પછી રાષ્ટ્રપ્રમુખ છું. એમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે મનાવાય છે. દેશનું સર્વોચ્ચ પદ ભોગવતા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નખશિખ શિક્ષક હતા.
1962 માં જ્યારે ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓએ મળીને એમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ, ડૉ. રાધાકૃષ્ણને કહ્યુ કે, મારો જન્મદિન શિક્ષકદિવસ તરીકે ઉજવો કેમકે, મને રાષ્ટ્રપતિ કરતાં શિક્ષક હોવાનો વધારે ગર્વ છે. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવાય છે.
ઈન્દિરા ગાંધી જેવા એમનાં વિધાર્થી હતાં. રશિયાના સરમુખત્યાર સ્ટાલિન ખૂબ જ ચસ્કેલ ભેજાનો માણસ હતો જે લગભગ કોઈને મળતો નહિ. એ ડૉ. રાધાકૃષ્ણનને બે વાર મળ્યો હતો. તેથી, આખી દુનિયા અચંબામાં પડી ગઈ હતી. વિચાર કરો…એક તેજસ્વી શિક્ષક વિશ્વના પાવરફુલ લોકોને પણ આંજી શકવાની તાકાત રાખે છે.
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ આંધ્રપ્રદેશના તિરૂતની શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ વિરાસ્વામી અને માતાનું નામ સિતામ્મા હતું. તેઓ અત્યંત ગરીબ બ્રાહ્મણ હતા. સૌને નવાઈ લાગશે પણ, સર્વપલ્લી એમની અટક નથી. એમનાં ગામનું નામ છે. એ વખતે લોકો પોતાના મૂળ વતનનું નામ અટક તરીકે પ્રયોજતાં હશે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 6 વર્ષ સુધી વિઝિટીંગ પ્રૉફેસર તરીકે રહ્યા હતા. ત્યાં તેઓ હિન્દુ ધર્મ ભણાવતા. થોડી અલપ ઝલપ……1888 માં જન્મ, 1906 માં મદ્રાસ કૉલેજમાંથી ફિલોસોફી સાથે માસ્ટર ડિગ્રી…20 વર્ષની વયે પહેલો શોધ નિબંધ લખ્યો… 1948માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. 1949માં ભારતના રાજદૂત બન્યા. 1954માં એમને દેશનું સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” થી નવાજ્યા. 1962માં જ્યારે એમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે રાષ્ટ્રપતિ તરીકેનો એમનો પગાર ઘટાડી ફકત બે હજાર રૂપિયા કરી નાખ્યો. સમગ્ર વિશ્વમાં એમની ખ્યાતિ હતી. જ્યારે તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે હેલિકોપ્ટર દ્વારા સીધા વ્હાઈટ હાઉસમાં ઉતરવાનું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ પરદેશી હતા.
અંતિમ દિવસોમાં તેઓ ઘણુબધું ભૂલી જતા. તબિયત બગડતી ચાલી અને આખરે, 1975 ની 17 એપ્રિલે ડૉ.રાધાકૃષ્ણન સર્વપલ્લીએ કાયમ માટે દુનિયામાંથી વિદાય લીધી.
જેમણે શિક્ષકને ગૌરવ પ્રદાન કર્યું એવા રાધાકૃષ્ણન ભારતની પ્રજાનાં હ્રદયમાં કાયમ સજીવન રહેશે. આજના દિવસે એ મહાન, તેજસ્વી શિક્ષકનું સ્મરણ કરીયે.
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ
********************************
NOG :SS : 0032
પ્રકાર: પદ્ય
વિષય: શિક્ષકદિન
શીર્ષક: *તમન્ના*
બાળપણથી જ શિક્ષક બનવાની તમન્ના હતી,
એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક
શાળામાં.
નાનાં ભૂલકાઓને હું રામાયણની વાતો અને મહાભારતની વાતો સાંભળતી અને સંભળાવતી,
એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક શાળામાં.
હસી લેતી, રમી લેતી હું રોજ નાનાં ભૂલકાઓ સંગ, એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક શાળામાં.
જીંદગીની યાત્રામાં યાદ આવી જાયછે એ શિક્ષકો જેમણે મને શિક્ષક બનવાનાં પાઠ શીખવ્યાં,એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની
પ્રાથમિક શાળામાં.
આજ પણ ખુશી છે મારાં વિધાર્થીઓને આજનાં ડૉક્ટર અને એન્જિનિયર બનેલાં જોઈને,
એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક શાળામાં..
નાનાં ભૂલકાઓના ભણતરનાં પાયામાં મેં સત્ય
અને અહિંસાનાં ભણાવ્યાં પાઠ,એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક શાળામાં.
હું એક મા પણ છું અને એક શિક્ષક પણ છું
એક મા સો શિક્ષકની ગરજ સારે છે,એટલેજ હું ગુજરાતીની શિક્ષક બની પ્રાથમિક શાળામાં.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
5/9/2021