ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના લોક મેળા.લોકોત્સવ,. માનવતા,ધાર્મિકતા, આધ્યાત્મિકતા” વિષયક રચનાઓ(૦૧-૯-૨૦૨૧)દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
**********************************************
NOG SS No : 100
પ્રકાર – ગદ્ય
શીર્ષક : આવાહન – વાહન
કૃષ્ણ – અર્જુન
કૃષ્ણ સાધક નથી, તેને સાધક કહેવું ખોટું થશે કારણ તે એક સિદ્ધ, પારંગત, જીવનની તમામ કળાઓમાં નિપુણ કલાકાર છે. અને તે આ સિદ્ધ અવસ્થામાં, મનની આ અંતિમ અવસ્થામાં જે કહે છે તે તમને અહંકારી લાગે છે, પણ એવું નથી. મુશ્કેલી એ છે કે કૃષ્ણને તમારી જેમ જ ભાષાકીય “હું” નો ઉપયોગ કરવો પડે છે, પરંતુ તેમના “હું” અને તમારા વચ્ચેના અર્થમાં જબરદસ્ત તફાવત છે. જ્યારે તમે “હું” કહો છો ત્યારે તેનો અર્થ તમારા શરીરની અંદર કેદ થયેલ છે, પરંતુ જ્યારે કૃષ્ણ કહે છે ત્યારે તેનો અર્થ એ છે કે જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે.
આથી તે અર્જુનને કહેવાની હિંમત ધરાવે છે, “બાકીનું બધું છોડી દે અને મારા ચરણોમાં આવો.” જો તે તમારા જેવો જ “હું” હોત – શરીરનો કેદી – તેના માટે આવી વસ્તુ કહેવી અશક્ય હશે. અને જો કૃષ્ણનો “હું” તમારા જેટલો નાનો હોત તો અર્જુનને નુકસાન થયું હોત. અર્જુને તરત જ જવાબ આપ્યો હોત, “તમે શું કહો છો? પૃથ્વી પર હું તમારી સમક્ષ શા માટે શરણું? અર્જુનને ખરેખર ખૂબ દુખ થયું હોત, પણ તે આ સાંભળી દુઃખી ના થયો.
કૃષ્ણને સમજવું ખરેખર મુશ્કેલ છે. તે સમજવું સહેલું છે કે માણસે શાંતિ શોધવી હોય તો તેણે દુનિયામાંથી ભાગી જવું જોઈએ, પરંતુ બજારના મોટા ભાગમાં શાંતિ મળી શકે છે તે સ્વીકારવું ખરેખર મુશ્કેલ છે. તે સમજી શકાય તેવું છે કે જો માણસ તેના જોડાણોથી તૂટી જાય તો તે મનની શુદ્ધતા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે સમજવું ખરેખર મુશ્કેલ છે કે સંબંધો અને જોડાણોની વચ્ચે પણ કોઈ સંપર્ક વિનાનો અને નિર્દોષ રહી શકે છે, તે શાંત અને સ્થિર ચક્રવાતના કેન્દ્રમાં પણ રહી શકે છે.
એ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી કે મીણબત્તીની જ્યોત સ્થિર રહેશે અને હજુ પણ પવન અને વાવાઝોડાથી સારી રીતે એકાંતવાળી જગ્યાએ રહેશે, પરંતુ તમે કેવી રીતે માની શકો કે મીણબત્તી તોફાની તોફાન અને વાવાઝોડા વચ્ચે પણ સતત સળગતી રહી શકે છે? તેથી કૃષ્ણની નજીકના લોકો માટે પણ તેને સમજવું મુશ્કેલ છે. તમે બહારથી ન્યાય કરી શકતા નથી કે માણસ શાણો છે કે મૂર્ખ છે કારણ કે કેટલીકવાર તેમના કાર્યો સમાન હોઈ શકે છે.
કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે, “લડો, પણ ભગવાનને સંપૂર્ણ શરણાગતિ સાથે લડો. તમે વાહન બનો. ” હવે, શરણાગતિનો અર્થ સંપૂર્ણ જાગૃતિ છે, અન્યથા તમે શરણાગતિ આપી શકતા નથી. શરણાગતિ એટલે અહંકાર છોડવો, અને અહંકાર એ તમારી બેભાનતા છે. કૃષ્ણ કહે છે, “અહંકાર છોડો અને પછી તેને ભગવાન પર છોડી દો. પછી તેની ઇચ્છા પૂર્ણ થવા દો. પછી જે થાય તે સારું છે. ”
અર્જુન દલીલ કરે છે. વારંવાર અને તે નવી દલીલો લાવે છે અને તે કહે છે, “પરંતુ આ લોકોને મારવા માટે – નિર્દોષ લોકોને, તેઓએ કંઈ ખોટું કર્યું નથી – માત્ર રાજ્ય માટે ઘણા લોકોને મારવા માટે, આટલી હિંસા, આટલી હત્યા, આટલું લોહીલુહાણ … તે કેવી રીતે યોગ્ય હોઈ શકે? રાજ્ય માટે આ લોકોની હત્યા કરવાને બદલે હું ત્યાગ કરવા અને જંગલમાં જઈને સાધુ બનવા માંગુ છું. ”
હવે, જો તમે માત્ર બહારથી જુઓ તો અર્જુન કૃષ્ણ કરતાં વધારે ધાર્મિક લાગે છે. અર્જુન કૃષ્ણ કરતાં વધુ ગાંધીવાદી લાગે છે. કૃષ્ણા બહુ ખતરનાક લાગે છે. તે કહે છે, “સાધુ બનવાની અને હિમાલયની ગુફાઓમાં ભાગી જવાની આ બધી બકવાસ છોડી દે. તે તમારા માટે નથી. તમે બધું ભગવાન પર છોડી દો. તમે નક્કી કરતા નથી, તમે આ નિર્ણય છોડી દો. તમે ફક્ત આરામ કરો, છૂટથી રહો, અને તેને તમારામાં ઉતરવા દો અને તેને તમારામાંથી વહેવા દો. પછી, ગમે તે થાય…. જો તે તમારા દ્વારા સાધુ બનવા માંગે છે, તો તે સાધુ બનશે. જો તે તમારા દ્વારા યોદ્ધા બનવા માંગે છે, તો તે યોદ્ધા બનશે.
અર્જુન વધુ નૈતિક, શુદ્ધવાદી લાગે છે. કૃષ્ણ તદ્દન અલગ લાગે છે. કૃષ્ણ એક બુદ્ધ છે, એક જાગૃત વ્યક્તિ છે. તે કહે છે, “તમે નક્કી ન કરો. તમારી બેભાનતામાંથી, તમે જે પણ નક્કી કરો છો તે ખોટું થશે, કારણ કે બેભાનતા ખોટી છે. ” અને મૂર્ખ વ્યક્તિ બેભાન અવસ્થામાં રહે છે. ભલે તે સારું કરવાનો પ્રયત્ન કરે, પણ હકીકતમાં તે ખરાબ કરવામાં જ સફળ થાય છે.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
*********************************************
NOG. SS NO.0095
વિષય :– શ્રાવણી મેળા , માનવતા , ધાર્મિકતા, આધ્યાત્મિકતા , રાધા – કૃષ્ણ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ નિષ્કલંક મહાદેવનો મેળો “
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભરાતો કોળિયાકનો મેળો બહુજ જાણીતો છે .જે ભાદરવી અમાસને દિવસે ભરાય છે .એનું ધાર્મિક મહત્વ પણ છે . મહાભારતનાં યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા .કોળિયાકનાં સમુદ્ર કિનારે એમણે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરીને વેદોક્ત વિધિથી પુજા કરી હતી .જેનાથી યુદ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી એમને મુક્તિ મળી હતી અને તેઓ નિષ્કલંક થયા હતા ,તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે .
આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી ઓટના સમયે જ તેના દર્શન થાય છે .અહીં દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે અને ભાદરવી અમાસે મેળો યોજાય છે .આ દિવસે નિષ્કલંક મહાદેવનાં મંદિરે ભાવનગરના મહારાજાના હસ્તે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે .
એવું કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ત્યારે પાંડવો બહુજ દુખી થઈ ગયા હતા. પોતાનાં જ સગાઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું તેથી એમનો આત્મા એમને ડંખતો હતો .એમણે ભગવાન શ્રી કૃષ્ણને આ સમસ્યાનો ઉકેલ લાવવાની વિનંતી કરી હતી. ભગવાને એમને એક કાળી ગાય અને એક કાળો ધ્વજ આપીને કહ્યું હતું કે આ ધ્વજ સાથે રાખીને આ ગાયની પાછળ જવું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થાય ત્યારે એમ સમજજો કે તમને માફી મળી ગઈ છે .પણ સાથે એમ પણ કહ્યું હતું કે પછી તમારે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું પડશે .હવે જ્યારે તેઓ ફરતા ફરતા કોળિયાકનાં દરિયા કિનારે પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈ ગયો .
પાંચેય ભાઈઓએ ત્યાં જ શિવની પુજા કરવાનું નક્કી કર્યું. એમની સામે જ પાંચ સ્વયંભૂ લિંગ પ્રગટ થયા અને પાંડવો એમની પુજા કરીને નિષ્કલંક થયા હતા .આ પુજા પાંડવોએ ભાદરવાની અમાસની રાત્રે કરી હતી તેથી દર વર્ષે ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે .
આ સ્થળ દરિયાની વચ્ચે આવેલું છે .ભરતી વખતે પાણીમાં ડૂબી જાય છે .દિવસના અમુક કલાક પુરતું જ ત્યાં સુધી જઈ શકાય છે જ્યારે ઓટ હોય ત્યારે ભક્તો છેક ત્યાં પગે ચાલીને જઈ શકે છે .એવું પણ કહેવાય છે કે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય માટે અહીં અસ્થિ પધરાવાય છે .
સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે પણ અહીં ચડાવેલી ધજા એમજ ફરકતી રહે છે .એને કે શિવલીંગ ને કે દરેક શિવલીંગની સામે બિરાજેલા નંદીને પણ કદી નુકશાન થયું નથી.બસ આ છે અહીંની કથા .
દીપિકા ચાવડા “ તાપસી. “
*********************************************
NOG:SS:NO.:0101
વિષય: શ્રાવણી મેળા માનવતા , ધાર્મિકતા ,આધ્યાત્મિકતા, રાધા -કૃષ્ણ
પ્રકાર: ગદ્ય-પદ્ય
શીર્ષક: શ્રાવણ માસના હિંડોળા
લેખન : ભરત સાંગાણી
કવિ કાલિદાસે લખ્યું છે, ‘ઉત્સવપ્રિય:ખલુ માનવા:’ માણસો ઉત્સવપ્રિય હોય છે. ઉત્સવો આર્ય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. પ્રતિવર્ષ અષાઢ-શ્રાવણ માસની વરસાદી મૌસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. અષાઢ વદ બીજથી મંદિરોમાં ભક્તો કલાયુક્ત હિંડોળા બનાવે છે. ઠાકોરજીને હિંડોળામાં પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ઝીલે છે અને ઝુલાવે છે. ચાર્તુમાસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે. મંદિરોમાં ભગવાનને લાડ લડાવવા વિવિધ હિંડોળા શણગાર કરવામાં આવે છે. ભક્તોને હેતથી ઝૂલવાનો અવસર એટલે હિંડોળા.
હિંડોળાના અનેક પ્રકારો છે તેમાં બગીચામાં હીંડોળા, સોનાના, શાકભાજીના કલાત્મક હીંડોળા, પવિત્રાના હિંડોળા, શ્રાવણ ભાદોના, સુકા મેવાના, લીલા મેવાના મુખ્ય છે. શ્રાવણ ભાદોના હિંડોળા ભક્તોને વધુ આકર્ષે છે. હિંડોળાના અનેક પદો વ્રજભક્તોએ ગાયા છે. તેમાં જુદા જુદા રાગ છે.
ગુ જરાતની વૈષ્ણવ હવેલીઓ રાજા રણછોડના મંદિરોમાં ઉજવાઇ છે ભવ્ય હિંડોળા મહોત્સવ! હિંડોળા મહોત્સવ એટલે પ્રભુને ઝરમરીયા વરસાદમાં ઝુલાવવાનું પર્વ. અષાડ વદી ૨ થી શ્રાવણ વદી ૨ પ્રત્યેક વર્ષે મંદિરોમાં આ દિવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. હિંડોળા પર્વ વ્રજનો આ ઉત્સવ છે. ભગવાન બાલ કૃષ્ણલાલ કદમની ઝાડની ડાળીઓ પકડી ઝૂલ્યા હતા. તેની લીલાઓ યાદ કરી આ પર્વ ઉજવાય છે.
નાથદ્વારામાં શ્રીજી સ્વરૂપે ડાકોરમાં રાજા રણછોડરાય સ્વરૂપે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જગન્નાથ સ્વરૂપ પંઢરપુરમાં વિઠ્ઠલનાથ સ્વરૂપે પ્રભુને ઝુલાવવામાં આવે છે.
હિંડોળાના અનેક પદો વ્રજભક્તોએ ગાયા છે. તેમાં જુદા જુદા રાગ છે. રાગ બિલાવલ, રાગ મલ્હાર, રગ માધવ, રાગ જય જાવંતી પરમ કૃપાળુ પરમાત્માના સગુણ સ્વરૂપનું કીર્તન કરીને પુષ્ટિ ભક્તિનો આનંદ લે છે.
હિંડોળા શ્રી સ્વામીનીજીનો પ્રેમભાવ છે. હિંડોળામાં યુગલ સ્વરૂપે ઝૂલે છે.
હિંડોળાનું પદ
આજ વન કુંજ હિંડોળો સજાવ્યો
આજ વન કુંજ હિંડોળો સજાવ્યો
ઉમંગે ઉમંગે ઝૂલે પિયા પ્યારી
ઉમંગભેર મેઘ ગરજે
કાલિન્દી કિનારે શોભે હિંડોળો
ત્યાં વ્રજરાજ બિરાજ્યા
કંચન સમ વેલી રાધિકા
ઝુલાવે સખી નખરાળો
પીળું વસ્ત્ર, પાઘ કસુંબી
મોર પિચ્છ શિરે ફરકે
“ચતુર્ભુજ” પ્રભુ ગિરિધર છબી નિહાળી
કોટી કંદર્પ લાજયો.
(રચના:ભરત સાંગાણી)
******************************************
NOG SS NO:004
*વિષય*: *શ્રાવણ માસનાં લોક મેળા..લોકોત્સવ.. માનવતા,ધાર્મિકતા, આધ્યાત્મિકતા *
*પ્રકાર:ગદ્ય*
*શબ્દો:૩૩૦*
*શીર્ષક*: *કૃષ્ણ*
શીર્ષક*: *કૃષ્ણ*
શ્રાવણ વદ આઠમ એટલે મારો જન્મ દિવસ, તમને શું કહેવાનું.. હજારો વર્ષથી તમે ધામધૂમથી ઉજવતા આવ્યા છો. મારી વેદના કહું જન્મતાની સાથે મારા પિતા મને તેમના મિત્ર નંદને ત્યાં મૂકી આવ્યાં. આજે પણ ધરા પર કોઈ બાળક મા વગરનું થાય તો મારું મન મુંઝાઈ જાય.ત્યાં તો જશોદામૈયાના લાડપ્યારમાં મારું બાળપણ
ક્યાં વિતી ગયું. ગોવાળો ને બલરામ જેવા જાયાની છત્રછાયામાં કેટકેટલાય પરાક્રમ કર્યા..
મથુરા ગયો તો મારે મામા કંશને હરાવવા પડ્યા કે તેમના કર્મોને મેં પરિણામ આપ્યું. પાંડવોને કૌરવોને કુરૂક્ષેત્ર સુધી ન જવું પડે તેવા પ્રયત્નો કર્યા.. દ્રૌપદીનાં સખા સ્વરૂપે તેણીની લજ્જા રાખી.. પણ અંતે કુરુક્ષેત્રે યુદ્ધ મંડાણા. કર્મની ગતિ ન્યારી તે કર્મફળને સમજાવવા
ત્યાં જ અર્જુનને માર્ગ દેખાડતા *ગીતા* જ રચવી પડી.
જેમાં વાદ નહિ સંવાદ નહિ, કોઈ વિવાદ કે અપવાદ પણ નહિ કહું તો અતિશયોક્તિ નહિ હોય. અર્જુન સાથેનો મારો સંવાદ હતો ને તેમાં હતી એક શુધ્ધ ભાવના સ્પષ્ટ
સમજ.
ભક્તો ગીતા એ ભગવદ ગીતા રૂપે આજે પણ હું એક વાત કહેવા માંગું છું…
*યદા યદા હિ ધર્મસ્યગ્લાનિર્ભવતિ ભારત ।*
*અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્યાનં સૃજામ્યહમ ।।*
સમજાય છે ભક્તો મારી આ વાત..હે ભારત ! જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા આવી જશે અને અધર્મની વૃદ્ધિ થશે ત્યારે ત્યારે હું પ્રગટ થઈશ ને થાઉં જ છું. હું સાકાર રૂપ માનવ દેહે અવતરું છું કારણ…
*પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતામ્ ।*
*ધર્મ સંસ્થાપનાર્યાય સમ્ભવામિ યુગે યુગે ।।*
સાધુ પુરૂષો, સજ્જનોની રક્ષા કરવા અને દુર્જનોનો નાશ કરવા તેમજ ધર્મની રક્ષા કરવા અને ધર્મના માન મોભાને સાચવવા યુગો યુગોથી જન્મ લઉં છું.
હા, જેણે જેણે મારા પરમ સ્વરૂપ ને તત્વ જાણે છે તે જરૂર મોક્ષનો અધિકારી છેફરી ફરી જન્મનાં ફેરામાંથી
મુક્ત થાય છે.
આ હું જણાવું છું એટલા માટે જ કે ગીતા વાંચે ને સમજે નહિતો મારા જન્મની ધામધૂમ શા કામની? મને સમજાય છે કે પ્રશ્ન થાય છે… ગીતામાં રાધાનો ઉલ્લેખ કેમ નથી? પૂછનારાને મારો ઉત્તર છે..
*ગીતા કર્મની ભાષા*
*રાધા પ્રેમના ધર્મની ભાષા..।*
અંત તો મારો પણ ગાંધારીનાં શ્રાપ યુક્ત જ રહ્યો.. તો સમજો કર્મની ભાવનાથી ભક્તો ઘર્મ કરો.
*મારો જન્મ દિવસ ઉજવતા પહેલાં મને સમજો બસ એજ વિનંતી..*શ્રી કૃષ્ણની મર્મે ધરો.*
અસ્તુ.
*જયશ્રી પટેલ*
૨૭/૮/૨૧
**********************************************
NOG SS no 19
વિષય..તહેવારો ની રચના
પ્રકાર…ગદ્ય
શીર્ષક.. મેળાની મજા
———————–
બુન, જરી ઝપટ કરજો ને, પીટ્યો ચ્યારનો ઘરે ગુડાઈ જ્યો હશે.. ને ગળચવા હાટુ ઘર ગજવહે.
રાધા મીના શેઠાણીને જમવાનું જલ્દી પતાવવા વિનવતી હતી.
શેઠાણી: હેં રાધુડી,આ તારો વર આટલું હેરાન કરે છે તે મૂકી દે ને એને. તમારે તો બીજા લગનની કયાં નવાઈ હોય છે?
રાધા: ના,મીનાબુન, મારા બાપ્પાને જીમ ઠીક લાયગુ ઈમ. આની હારે ફેરા ફેરવી દીધાં. મુઆ મારાં નસીબ બુન, બાકી ઈ દલડાં નો હારો સી.
આ પીવાનું હપુચુ મેલે તો હખ થાય.
આમ વાત કરી રાધા ઘરે ચાલી.
ઈ નો વર ઇની રાહ જોતો’તો.
હાલ રાધુડી હટ કર્ય બૌ ભૂખ લાઈગી સે.
રાધા ચૂલો પેટાવી રોટલા શાક બનાવી રહી.કાનો ખાતાં ખાતાં ક્યે,, હેં રાધુ,મૂઓ આ વેસન નો કૂવો..આ જોને લત સૂટતી નથ.
રાધા: એલા તારે સોડવી હોય તો પટ દેતીક સૂટી જાહે..તું જરી મોળો સુ.
ખા મારી માતાના હમ..જો સૂટે સે ક નૈ..આ લત.
હા, હો, વાત તો હાચી,,હું હવે ધેન રાખીશ.
ભળભાંખણુ થાતા પતિ પત્ની કામે જાતા.કાનાને માતાના હમ ની વાત યાદ આવતી ને ભૈબંદ સાથે પીવા નો જાતો.ઈની ટેવ સૂટી જૈ.રાધુડી ને બૌ આનંદ થ્યો. કાનો ઇનો હાથ ઝાલી મેળો કરવા લૈ જ્યો.
એલી રાધુડી,તને લીલી ઓઢણી બૌ ગમે ને,, હાલ્ય, લઈ લઉ,લાલ ચૂડીયું હારે ગલગોટા જેવી લાગીસ..અને હેંડો,ઓલો ટાઢો ટાઢો આસક્કીમ ખાઈ લૈ.
રાધા તો કાનાને બદલાઈ ગયેલો જોઈ ખુશ થઈ.
હાલ કાના, તારી હાટુ મારે એક વાંહળી લેવી સે.
તું વગાડજે.હું ધેનથી હોમભરીસ.
રાધા..કાનો મેળાની મોજ માણી રહ્યાં.
*કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર*