ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના લોક મેળા.લોકોત્સવ,. માનવતા,ધાર્મિકતા, આધ્યાત્મિકતા” વિષયક રચનાઓ(૩૦-૮-૨૦૨૧)દિવસ – ૧
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS No : 0089
વિષય ” શ્રાવણ માસ ના લોક મેળા.લોકોત્સવ ” (કૃષ્ણ – રાધા) માનવતા,ધાર્મિકતા,આધ્યાત્મિકતા…. ”
શીર્ષક : “ નંદલાલ “
રુંવે રુંવે મોરપીંછ ને ફરતે ધાડું પતંગિયાનું
પધારો ને કૃષ્ણ માનવતા નો મેળો ઊભરાયો
બિરાજી હિંડોળે ઝૂલા ઝૂલે લળી નંદલાલ
મોહિની મુગ્ધ નરનારી ને મલકાતો નંદલાલ
સારાંશ પ્રત્યક્ષ પ્રકાશી કાનુડો જ નંદલાલ
તું જ સાક્ષર મારો શ્રી કૃષ્ણ ગીતા રચનાર
જોયુ્ં -જોવું નટખટી ચાલ ચાલતો લાડલો
મટુકી ફોડી સંગ મિત્રો ખાતો માખણચોર
એક કુંવારીકાને એક સપન આપતો કાનજી
મૌન પોકારતું રાધા-કૃષ્ણ બસ શ્વાસે રાખતો
દેશો દિશા અને પરબ સમર્પણે કપટી લાલજી
નિતનવા રોજ ઉમેરો યાહોમે ભવોભવ શ્યામજી
નંદ નો દુલારો દેતો શીખ વહાલે વહાલે કાનજી
વરણાગી તું મુરલી મદન મારો મુરારિ વહાલમજી
દેવકી વાસુદેવની લાગણી જ્યાં સળવળે છે..
આંખ ભીની બંધ પણ લાગણીએ ટળવળે છે
શ્યામ તારી વાંસળી હું સાંભળું છું કહી રાધા
ગોપ ગોપીના જેમ સહુના દિલમાં કળ વળે છે.
ગોધુલી ઊડી, બન્યો તું ગાયો નો ગોવાળ છે
જોઇને આંખો અમારી ઝળહળે છે નૈન ખુલે છે
આ સમીરે રાસ રમવા દોટ મૂકી મોહિની ફેરવે
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે ચોમેર કિલ્લોલ છે
માખણ મટકી તોડવા કુદકો મારવા તૈયાર છે
આજ જમના હવે ખળખળે ચરણ સ્પર્શવા છે
ગોપીઓ ગોકુળીયાંની અમે શું વાતો કરીએ
ગોધને પણ વાત આખી ચળવળે બેડલા ફૂટે છે
નંદોતસવ ને પૂતના વધ, રાસલીલા મથુરામાં છે
કંસ વધ -રાધે મિલન, કૃષ્ણ અર્જુન ગીતા રચાય છે
—- રેખા શુકલ. અમેરિકા
********************************
NOG SS No : 0032
વિષય ” શ્રાવણ માસના લોક મેળા.લોકોત્સવ ” (કૃષ્ણ – રાધા) માનવતા,ધાર્મિકતા,આધ્યાત્મિકતા…. ”
શીર્ષક : *કાનાની રાધા*(શણગાર)
તારે જોવું ના જોવું તો કાના હું શાને કરું
સોણલાં શણગાર…
તુ મારામાં છતાય મને એકલું એકલું લાગે…
તો કાના હું શાને કરું,સોણલાં શણગાર.
તું મારી ભીતર છતાંય મળવાનું ના થાય…
તો કાના હું શાને કરું, સોણલાં શણગાર.
તું વરસે અનરાધાર છતાંય ગાગર મારીના ભરાય, તો કાના , હું શાને કરું સોણલાં શણગાર…
શ્વાસમાં તારો શ્વાસ તોય તું કાના દૂરનો દૂર
તો કાના, હું શાને કરું સોણલાં શણગાર.
તુ છેડે વાંસળીનાં સૂર હું છેડું મારા દિલડાંના સૂર
તો કાના, હું શાને કરું સોણલાં શણગાર.
હું ઝૂરુ જમનાને કાંઠે,તું ઝૂલે કદમની ડાળે…
તો કાના, હું શાને કરું સોણલાં શણગાર.
હું તારી રાધારાની કાના,બરસાનાની ગોવાલણ,
તો કાના, હું શાને કરું સોણલાં શણગાર.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
24/8/2021
***************†****************
NOG SS No. — 39
વિષય – “શ્રાવણ માસનાં લોકમેળા, લોકોત્સવ” (કૃષ્ણ -રાધા) માનવતા, ધાર્મિકતા, આધ્યાત્મિકતા….
પ્રકાર –ગદ્ય – લેખ
શીર્ષક — રાધા-માધવ
શબ્દો — ૩૫૦
તારીખ ૨૫-૮-૨૧
બુધવાર
રાધા-શ્યામ સાથેજ બોલાય છે અને પૂજાય છે.
કૃષ્ણ સાથે લેવાતું રાધાનું નામ લોકમુખે રટણ બની ગયું છે. કૃષ્ણની શ્યામદ્રષ્ટિથી રાધાની અદ્ભૂત ઓળખ ઉપસી આવે છે. એ જ રીતે રાધાનાં કૃષ્ણને જાણવા રાધાનું હૃદય જોઈએ.
રાધા-કૃષ્ણની અનોખી જોડીએ શ્વેત-શ્યામ રંગનું અદ્ભૂત સાયુજ્ય સર્જ્યું. કૃષ્ણને કારણે લોકો શ્યામ રંગને પૂજતાં અને પૂછતાં થઈ ગયાં! ગોરી રાધાની સાથે શ્યામ કૃષ્ણ અદ્ભૂત દિપી ઊઠ્યાં અને રાધા-કૃષ્ણની જોડી મનનાં મિલનને કારણે અજર-અમર બની ગઈ! શ્વેત-શ્યામનાં સમન્વયમાં બંને એકરૂપ થઈ ગયાં. બંને સાથે હોય કે ના હોય, બંનેને સાથે જ અનુભવાય એ રાધે-શ્યામ.
“કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા”
— મુકેશ જોશી
કૃષ્ણમય રાધા શ્યામની ભક્તિમાં એટલી બધી ઓતપ્રોત હતી કે કૃષ્ણ વિશે એ કૃષ્ણ કરતાં વિશેષ જાણતી હતી. એની પ્રેમભક્તિ દુન્યવી નહોતી,અંતરની હતી! પ્રીતની સાચી રીતનું ઉત્તમ ઉદાહરણ હતી રાધા! કૃષ્ણથી દૂર રહીને કૃષ્ણને ભીતર અનુભવવાની આવડત રાધા પાસે હતી. આમ પ્રેમ કોને કહેવાય, પ્રેમ એટલે શું? એ જાણવું હોય, સમજવું હોય તો રાધા-કૃષ્ણને જાણીવા અને સમજવાં પડે! રાધા-માધવ એટલે પ્રેમની દિવ્યતાનું પરમ ઉદાહરણ!
સાથે રમીને, રાસલીલાઓ કરીને એકબીજામાં તન્મય થયાં પછી બંને અલગ થયાં. પણ બંને એક શ્વાસ બની ગયાં પછી બેમાંથી એકને પણ એ દૈહિક અલગતા વર્તાતી નહિ. હા, કૃષ્ણનો વિરહ રાધાનેબહુ આકરો લાગતો પણ એ જાણતાં હતાં કે કૃષ્ણએ બહુ બધા કાર્યો કરવાનાં છે એટલે જ એ એનાથી દૂર છે એટલે મૌન રહીને એનાં કાર્યોમાં કોઈ વિઘ્ન નાંખ્યાં વગર વિરહ સહન કર્યો!
મોરપીંછ કે વાંસળી જોઈએ એટલે રાધા-કૃષ્ણ યાદ આવે જ. કૃષ્ણને રાધાનું સ્મરણ થાય ત્યારે વાંસળી વગાડે અને પછી સ્વયં વાંસળીના સૂરમાં એવાં ઉતરી જાય કે રાધાનાં હોવાનો એહસાસ ભૂલીને, વાંસળીનાં સૂર સાથે રાધાને પણ ભીતર પામી લે.
રાધા માટે વગડાયેલી વાંસળીનાં સૂર આખીય પ્રકૃતિને કૃષ્ણમય બનાવી દે છે!
રાધા-શ્યામ ક્યાંય દેખાતાં નથી પણ અનુભવાય છે.એમને જોવા માટેની દ્રષ્ટિ હોય તો એ પ્રકૃતિનાં કણ કણમાં છે.
નભ અને ચાંદની, સરોવરનું જળ અને પોયણી વગેરેની સરખામણી કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારે
રાધા-શ્યામ સાથે કરી જ છે.
જ્યાં સુધી ધરતી, આકાશ, સૂરજ, ચંદ્ર, તારા, નક્ષત્રો અને સમુદ્રો રહેશે ત્યાં સુધી રાધા-શ્યામનો પ્રેમ સંબંધ બ્રહ્માંડમાં ગુંજતો રહેશે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
******************************
NOG SS No : 0013
પ્રકાર – ગદ્ય
શીર્ષક : લોકોત્સવ
લોકોત્સવ
સાચી ઉજવણી – સાચો ઉત્સવ
લોકોત્સવ એ લોકોનો ઉત્સવ, લોકો
માટેનો ઉત્સવ,લોકો થી ઉજવાતો
ઉત્સવ.
પણ આ ઉત્સવને જો આપણે આપણાં
દેહ અને આત્મા સાથે જોડીએ તો એ
આપણી માટે સાચો ઉત્સવ ગણાશે.
માનવજીવન એ તત્વ અથવા શરીર અને કંપનો અથવા આત્માનું સંમિશ્રણ છે. આનંદ એટલે તીવ્ર સ્પંદનો અનુભવવા અને તમે શરીર છો, તત્વ જો તે ભૂલી જવું.
લૈંગિક સ્ફુરણાઓ પણ ક્ષણભર માટે તમને તીવ્ર સ્પંદનોનો અનુભવ કરાવી શકે છે એ રીતે તમને સુખ ની એક ઝલક પણ બતાવે છે. પરંતુ આ સુખ ક્ષણિક હોય છે અને અંતે તો જડતા જ લાવે છે.
જે સુખ સત્સંગમાંથી મળે છે તે
ઉચ્ચકોટિનું હોય છે. મંત્રો અને સંગીત તમારા આત્મામાં સ્પંદનો ઊભા કરે છે, એ જ કારણ છે કે જ્યારે તમે ધ્યાન ધરો છો અને ગાઓ છો
ત્યારે એને લીધે થતો હર્ષોન્માદ લાંબા સમય સુધી ટકી રહે છે.જેમ
નવરાત્રી માં માતાજીની આરાધના.
સુક્ષમતાનો આનંદ વધુ ટકનારો
સ્ફૂર્તિ આપનારો, તાજગીભર્યો અને
મુક્તિ અપાવનારો હોય છે. સ્થૂળમાંથી મળતો આનંદ ક્ષણજીવી,
થકવનારો અને બંધનમાં નાખનારો
હોય છે.જેમ કે શ્રાવણ મહિનામાં લોકો
દ્વારા રમાતો જુગાર.
જ્યારે તમને સમજાય કે તમે જ
શક્તિ છો, સ્પંદન અથવા વીજળી છો
ત્યારે ઈચ્છાઓ, લોભ, મોહ,ક્રોધ સર્વે
અદ્રશ્ય થઈ જાય છે અને તમે એક
સાચી ઉજવણીના હકદાર બની જાઓ છો.
તમારા અસ્તિત્વને તમારો સમય
ઉજવે છે.નવા વર્ષે કોઈ એષણા
રાખવાને બદલે નવું વર્ષ જે લાવવા
માગતું હોય એને સ્વીકારી લો. તમારા સમયને તમારી ઉજવણી કરવા દો અને એ ઉજવણી ના તમે
એક મુક સાક્ષી બનો .
આ ઉત્સવ ભાગ્યશાળી છે કેમકે આ
ઉત્સવ તમારા સમયમાં છે અને તમે
જે ઉત્સવમાં જન્મ્યા એ ઉત્સવ પણ
ભાગ્યશાળી છે. તમે દુનિયા માટે
જીવી રહ્યા છો,દુનિયાના લોકોની
સાથેના સમય સાથે તમે હર્ષભેર
ઉજવણી કરવા જીવી રહ્યા છો.
કેટલા નસીબદાર છો.
ઘનશ્યામ વ્યાસ.મુંબઈ
*****************************
NOG. SS NO .0001
વિષય :– શ્રાવણી મેળા
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ દ્વારકાના મેળામાં કૃષ્ણની ઝાંખી”
ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા બાદ ભારતમાં બીજું કોઇ સ્થળ હોય કે જ્યાં કૃષ્ણના જીવનની અનેક કડીઓ જોડાઈ હોય તો તે છે દ્વારકા .દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારમાં ઉમંગ અને ઉલ્લાસભેર મેળો ભરાય છે . “ કાનુડો માંગ્યો દે ને જશોદા મૈયા ….” ના નાદથી આખી દ્વારકાનગરી ગુંજી ઉઠે છે .
ડાકોરની જેમજ દ્વારકામાં પણ નાગપાંચમથી જ મેળો શરુ થઈ જાય છે .મેળામાં મથુરાથી પણ સૂબાઓ આવે છે જે કૃષ્ણ ઉપદેશની ઝાંખી કરાવે છે .મેળામાં દરરોજ લાખો લોકો આવે છે .મંદિરમાં પણ લાખો લોકોની ભીડ જોવા મળે છે. લોકો અહીં દરિયાની વચ્ચે આવેલા બેટ દ્વારકામાં પણ ભગવાન દર્શન માટે જાય છે . આઠમના દિવસે અહીં કૃષ્ણ જન્મોત્સવ ખૂબજ ધામધૂમથી ને ભક્તિમય રીતે ઉજવાય છે.
ગુજરાતનાં નાના શહેરો અને ગામડાઓમાં પણ ભગવાન કૃષ્ણનાં મંદિરો આવેલાં છે ત્યાં પણ મેળાઓ ભરાતાં હોય છે .બધે જ મટકીફોડ અને રાસોત્સવના મોટા કાર્યક્રમ યોજાતા હોય છે . ભગવાન કૃષ્ણની ઝાંખી દર્શાવતી મંડળીઓ પણ અહીં કૃષ્ણાવતારના વિવિધ રંગો રજુ કરે છે . કાન – ગોપીની જોડી બનીને રાસ રમવામાં આવે છે .આમ જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે .
આમ ગુજરાતમાં દ્વારકા જામનગર , પોરબંદર,વેરાવળ , ભાવનગર , રાજકોટ , શિહોર , કચ્છ,પાટણ વગેરે શહેરોમાં પણ મેળાવડાનું આયોજન કાયમ થતું હોય છે .ગુજરાત માં એક એવો પણ વર્ગ છે જે બારમાસી તહેવાર ના મેળાઓ ઉપર નિર્ભર છે.
પ્રદીપ રાવલ
“સંચાલક“.