ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના તહેવારો” વિષયક રચનાઓ(૨૫-૮-૨૦૨૧)દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS No.0081
વિષય : શ્રાવણ માસનાં તહેવાર
પ્રકાર : ગદ્ય
શબ્દો: ૩૪૯
શીર્ષક : નોળી નોમ
શ્રાવણમાસ એટલે તહેવારોનો મહિનો,આની ભૂમિકા વિશે વિચાર કરીએ તો ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ચાતુર્માસમાં આ તહેવારોનો સંબંધ ખેડૂતોની નિરાંત અને સામાજિક જીવન સાથે સુસંગત હોઈ શકે.વૈશાખ-જેઠનાં તડકા અને તનતોડ મહેનત બાદ આષાઢી મેઘથી ભૂમિપુત્ર શાતા પામી ઉત્તમ ઉપજની આશા બાંધી વિવિધ તહેવારો દરમિયાન દેવને રીઝવે છે.
આવાં તહેવારોમાં એક એટલે નોળી નોમ. ગુજરાતમાં એમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં ઊજવાતા આ દિવસે નોળિયાને પૂજાયછે.શ્રાવણ સુદ નોમના દિવસે જુવારના લોટથી નોળિયો બનાવી સ્થાપના કરાય છે.તેની આસપાસ આ જ લોટથી નવ દીવા કરવામાં આવે છે . નોળિયાને કંકુથી તિલક કરી અબીલ ગુલાલ ચઢાવાય છે.વસ્ત્ર પણ ચઢાવાય છે તો કેટલાંક એને
બ્રાહ્મણનો અવતાર માની જનોઈ પણ પહેરાવે છે.સ્ત્રીઓ
પાલવ પાથરી સંતાનોનું સાપથી રક્ષણ કરવા વિનંતી કરે છે. સંતાન વિહોણી સ્ત્રી સંતાન માટે પ્રાર્થના કરે છે.
તે દિવસે નવ પ્રકારનાં ફણગાવેલા કઠોળને જુવારનાં રોટલા સાથે ખવાય છે.મસાલા વિના ખાવામાં આવે છે.આ માટે પોળ કે શેરીની સ્ત્રીઓ એક ઘરે સાથે ખાય અને એકટાણું કરે.આમ સામુદાયિક ભાવના વિકસે છે.એક પરંપરા પ્રમાણે બહેન ભાઈનાં રક્ષણ માટે તે દિવસે ઘઉં ન ખાય.આગળ આવતી વાર્તા પ્રમાણે છાશ કે દૂધ પણ ન વપરાય. સૂર્યાસ્ત પહેલાં એ લોટનાં નોળિયાને નદી, તળાવમાં પધરાવી પ્રકૃતિમાં વિલીન કરી દેવાય.
આપણાં દરેક તહેવાર સાથે ધર્મ કે પ્રકૃતિનું જોડાણ હોય જ છે.એક સંતાન વિહિન બ્રાહ્મણ દંપતિને સંતાનનું દુઃખ વસમું લાગતાં એક નોળિયાને પાળ્યો. પોતાનાં સંતાન જેટલો જ તેના પર અનુરાગ હતો બંનેને. એવામાં બ્રાહ્મણ
સ્ત્રી ગર્ભવતી થઈ.આ ચમત્કારનું શ્રેય નોળિયાને જ મળ્યું.
દંપતિને ઘેર એક પુત્રનો જન્મ થયો.ખુશીનો પાર નહોતો.નોળિયા પર હજુ એટલો જ પ્રેમ દર્શાવતાં. ઘોડિયામાં સૂતેલાં પુત્રનું ધ્યાન રાખવાનું નોળિયાને સોંપી બ્રાહ્મણ પત્ની પાણી ભરવા ગઈ.પાછી ફરી તો નોળિયાનું લોહીવાળું મોં જોઈ એનાં મગજે જુદો જ હિસાબ માંડ્યો.એણે નોળિયાને પોતાનાં પુત્રનો હત્યારો માની અધમૂઓ કરી નાખ્યો.પછી એને જંગલમાં મૂકી આવી.
ઘેર આવી જોયું તો પુત્ર ઘોડિયામાં રમી રહ્યો હતો.પાસે સાપનો મૃતદેહ ટુકડાં થઈ પડ્યો હતો.એ ધ્રૂજી ઊઠી . પસ્તાવાનાં આંસુ સારી રહી.પુત્ર પર વ્હાલ વરસાવી રહી હતી તેવામાં ઈજા પામેલો નોળિયો ધીમેથી આવી ગભરાઈને છાશનાં બોઘરણા પર સંતાયો.નિરાશ બ્રાહ્મણ પત્ની છાશ કરવા ઊઠી અને વલોણાંથી પાછો નોળિયો છેદાઈ ગયો .
એની લાગણી ભરી પ્રાર્થનાથી નોળિયો જીવતો થયો અને અમર થઈ ગયો.છાશનાં વલોણાંથી છેદાયો તેથી છાશ,માખણ વર્જ્ય હોય.એક સાવ ઓછાં જાણીતાં પ્રાણી સાથે તહેવાર જોડાયો.
# માયા દેસાઈ
મુંબઈ ભારત .
********************************
NOG SS NO : 0079
વિષય: શ્રાવણ માસના
તહેવાર
શીર્ષક: વધાવો
પદ્ય
——-
પેલો આવ્યો જોને મલકતો શ્રાવણ
વર્ષાની ઝડી લઈ આવ્યો
શ્રાવણ
તહેવારથી છલકાતો જુઓ શ્રાવણ
સખીઓ ઉમંગે રુમઝુમે
શ્રાવણ
ભાઈ બહેન પ્યાર જતાવે
શ્રાવણ
કાનો આવે ધુમ મચાવે
શ્રાવણ
ગોકુળ ગામ હરખે ગાયે
શ્રવણ
શંકરની ભક્તિમાં તરબોળ
શ્રાવણ
ભજન કીર્તનમાં મશગુલ
શ્રાવણ
મહિનાઓમાં મુકુટ સમાન
શ્રાવણ
વ્રત ઉપવાસ મહિમા ગાતો
શ્રાવણ
ગુણલાં ગાતા ન થાકે જીભ
શ્રાવણ
અંગ અંગમાં નૃત્ય ભરે
શ્રાવણ
પ્રેમે ઉજવો હર એક દિન
શ્રાવણ
જગમાં આનંદ ખોબલે ભરે
શ્રાવણ
દોડીને આવો વધાવો સહુ
શ્રાવણ
પ્રવિણા કડકીયા…હ્યુસ્ટન.અમેરિકા
*******************************
NOG SS NO:004
વિષય:*શ્રાવણ તેના તહેવાર સાતમ આઠમ નોમ અને રક્ષાબંધન*
*શબ્દો: *૩૪૮*
*શીર્ષક:*
* શ્રાવણ તેના તહેવારો સાથે જોડાયેલ.. મેળા નેચગડોળ..*
ભરૂચનો એક પરંપરાગત રીવાજ સાતમ, આઠમ ,નોમ અને દશમ ને દિવસે છડી ને પુરૂષો પોતાના કૌશલ્યની નચાવે છે ને વાજતે ગાજતે મેઘરાજાની મૂર્તિ પાસે લઈ જાય છે.ભરૂચમાં તેને ફેરવી મેઘરાજાને નર્મદા નદીમાં પઘરાવી વિદાય કરી દેછે.આ મેધરાજાને નાના બાળકોને ભેટાડવાનો રીવાજ છે.માન્યતા છે કે બાળકની માંદગી દૂર થાય ને બાળક તંદુરસ્ત રહે છે.
બે કોમની છડી નાની મોટી બેન ગણાય તેને સુંદર શણગારે છે. મેઘરાજાની નર્મદા માંથી માટી લાવી દિવાસાને દિવસે સ્થાપના કરાય છે ને ,બળેવને દિવસે પૂરો શણગાર થાય છે.શ્રાવણ વદદસમ ને દિવસે તેમને નર્મદામાં જ પધરાવવા લઈ જાય છે. સાતમ, આઠમ ને નોમના મેળા ભરાય છે.
મેળો એ શ્રાવણનાં તહેવારોનું સુંદર નજરાણું તેમાં તૈયાર થઈ આજુબાજુનાં ગામડાંમાંથી કેટલાંય યુવાન હૈયા આવતાને મેળાની મજા લેતાં. ચગડોળને ઓળખતી થઈ તો તેનો સીધો સંબંધ મેળા સાથે તો ખરો.ભરૂચમાં શ્રાવણ એટલે મેળાની સીઝન.ચગડોળ, અને પારણાં ,મજા આવી જતી.
ત્યારે હાથથી વજન વંઢારતા એ ચગડોળના માલિકો પાસે એક કાણાં પૈસાથી શરૂઆત કરેલી..પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ પાંચ પૈસા, વીસ પૈસા, ચાર આના..આપતા થયા. પૈસા વધતા ગયાને ચગડોળ વાળાના ચક્કર ઓછા થતાં ગયા. દસ બાર માંથી બે ત્રણ થયા.પારણાંમાં યુવાન હૈયાની આપલે થતી. રૂમાલ બદલાતા. કેટલાંક પ્રેમ સફળ થતાં તો કેટલાંક અસફળ.
મોંઘવારી અહીં દર્શન દેવા લાગી, સમજ વધતી ગઈ.ચગડોળની જેમ જ સંસારની ઘટમાળ પણ સમજાવા લાગી.. આજે રોકડાં ને કાલે ઉધારની વાત નાના નાના ફેરફારો લાવતી ગઈ. હાથ વડે મરાતા ધક્કા હવે આસાનીથી વીજળીની રફ્તારે પહોંચી ગયા. ઠેર ઠેર ભરાતા મેળા મેદાનોમાં સ્થાન પામતા ગયાં.
યાદ છે? પેટમાં થતી ગરબડ આપણે તુલના કરી શકીએ સંસારમાં થતાં એ પેટમાંના વિણાચૂટા સંસાર સાથે.
ઊંચી નીચી થતી ચગડોળ માનવના થતાં ઊંચાનીચા સંસાર જેવી જ છે.. વીજળીથી ચાલતી ચગડોળ નવી રફ્તાર જેવી છે..હવે એમ્યૂઝમેન્ટની શોભાને અધધધ રૂપિયા લઈ આનંદ આપતી ચગડોળ…! વધી રહેલી લક્ઝરી (જાહોજલાલી ) ની પ્રતિક છે…!
અવિનાશ વ્યાસનું સુંદર ગીત યાદ કરીએ..
*ચરર મારું ચકડોળ ચાલે,*
આમ શ્રાવણની યાદો, ઉપવાસો ને પાઠપૂજા તેના દરેક તહેવારનો મહિમા અનેરો હોય.. માનવી જીવનની ગાડીનાં ચાર પૈડા એટલે જ સુખ દુ:ખ તહેવાર ને પાઠપૂજા.ભારતની વિવિધતામાં એકતા એટલે તહેવારોની ઉજવણી.
જયશ્રી પટેલ
૧૯/૮/૨૦૨૧
********************************
NOG SS No-0011
વિષય:- રક્ષાબંધન
પ્રકાર:-:- પદ્ય
શીર્ષક:- આવજે બેનડી….
ભાઈ બેનનાં હેતનો સંબંધ, પાળવા આવજે બેનડી,
રાહ જોતાં વીરાને તું રાખડી બાંધવા આવજે બેનડી.
લાવે કંકુ,ચોખા ને મીઠાઈ થાળીમાં પાવન તહેવારે,
ઓવારણાંથી ભાઈનાં દુઃખ ભાંગવા આવજે બેનડી.
આજે છીએ નાનાં આપણે, કાલે થાશું મોટાં જગમાં,
જીવનનાં સુખને નહીં દુઃખને ટાળવા આવજે બેનડી.
ભેટ સોગાદ આપી લઉં, આશીર્વાદ વ્હાલી બેન તારાં,
રાખડીના બંધનનો સંબંધ પાળવા આવજે બેનડી.
રાખડીમાં ચમકે હીરાની ને જગમાં ચમકે તારો વીરો,
આ રાખડી ને તારની જોડીને જોડવા આવજે બેનડી.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
********************************
NGO સાહિત્ય પરિવાર
વિષય – શ્રાવણ મહિનામાં આવતાં ધાર્મિક તહેવારો
શીર્ષક — પ્રેમનું બંધન “રક્ષાબંધન”
શબ્દો — ૩૪૭
તારીખ — ૨૧-૮-૨૧
શનિવાર
શ્રાવણ મહિનો ધાર્મિક તહેવારોનો મહિનો છે. રૂટિન જિંદગીથી કંટાળેલા માણસને તહેવારો અને ઉત્સવો ઉજવીને જીવનમાં નવી ઉર્જા ભરવાનું ગમે છે.
રક્ષાબંધન એટલે કે બળેવનાં દિવસે બ્રાહ્મણો નદીમાં નાહીને એમની જનોઈ બદલે છે. આ દિવસને શ્રાવણી પૂનમ પણ કહે છે. આ પવિત્ર દિવસે બહેન, ભાઈનાં હાથે રાખડી બાંધીને એનાં માટે સુખ-શાંતિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ, બહેનને એનાં સંકટ સમયે સદાય એની સાથે રહેવાનું અને અનિષ્ટોથી રક્ષણ કરવાનું વચન આપે છે.
ભાઈબહેનનાં પવિત્ર અને નિઃસ્વાર્થ સંબંધને સ્નેહથી સાંકળી રાખતો રક્ષાબંધનનો તહેવાર બધાં ભાઈબહેન ધામધૂમથી ઉજવે છે. જેની પાસે તન, મન, ધનથી મુશ્કેલીઓમાં ઓથ અને સાથ આપવા સદાય તત્પર રહે એવો એક ભાઈ હોય એ બહેન પોતાને નસીબદાર માને છે! બહેન જે રીતે ભાઈ અને એનાં કુટુંબનું સુખ અને શાંતિ વાંછતી હોય છે એ જ રીતે ભાઈ પણ હંમેશા ઈચ્છતો જ હોય છે કે પોતાની બહેન એનાં કુટુંબ સાથે ખૂબ સુખી હોય. બંને એકબીજાનાં શુભ અને કલ્યાણ માટે પ્રાર્થનાં કરે છે. આ એક એવો નિઃસ્વાર્થ સબંધ છે જ્યાં માત્ર સુખ આપવાની અને દુઃખને હરાવવાની મજબૂત ભાવના હોય છે.
લોહીનાં સંબંધો અતિરિક્ત પણ લાગણીથી જોડાયેલાં અને બંધાયેલાં ભાઈ બહેનનો સંબંધ પણ અનોખો હોય છે.ઋણાનુબંધથી બંધાતા સંબંધો પણ લોહીનાં સંબંધો જેટલાં જ પવિત્ર અને નિઃસ્વાર્થ હોઈ શકે. આ સંબંધો પણ સ્નેહની સાંકળથી મજબૂત બને છે અને એકબીજાને જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી સહાય અને હૂંફ આપવા માટે તૈયાર હોય છે.
ઘણી વાર પિતાની આવકમાંથી હિસ્સો મેળવવા બાબતે ભાઈ-બહેનનાં સંબંધોમાં ખટરાગ આવી જાય છે.જ્યાં પૈસા અને મિલ્કત કરતાં લાગણીનું, રક્તનાં સંબંધોનું મહત્ત્વ વધારે હોય ત્યાં આ બાબતો ગૌણ બની જાય છે.
સંબંધ કોઈ પણ હોય, બંને પક્ષે સ્નેહ, સમર્પણ, ત્યાગ અને સહનશીલતા હોય તો એ સંબંધ નીખરી ઉઠે છે. આવા સંબંધો જીવનબળ પૂરું પાડે છે, જીવન જીવવાનો આનંદ આપે છે અને આ ધરતી ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય પણ કોઈક મારું છે જ એવી ભાવના બળવત્તર બને છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હારતી નથી!
ઈન્દ્રને ઈન્દ્રાણીએ કુંતમાતાએ યુદ્ધમેદાનમાં જતાં પૌત્ર અભિમન્યુને, હુમાયુને એમની માનેલી બહેન કર્મવતીએ રક્ષા બાંધી હતી. રક્ષા કોઈને પણ બાંધી શકાય. શાસ્ત્રો અનુસાર બહેન સિવાય માતા અને ગુરુ પણ રક્ષા બાંધી શકે છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ