ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ ગદ્ય.પદ્ય રચનાઓ
વિષય : કલ આજ ઔર કલ,ભૂતકાળ,ભવિષ્ય,વર્તમાન ” વિષયક રચનાઓ.(તા.૧૪-૮-૨૦૨૧) દિવસ – 5
( પાંચમો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************
*NOG સાહિત્ય સરિતા (૧)*
*NOG.SS.NO-0036*
*વિષય – કલ, આજ ઔર કલ*
*ભૂતકાળ, વર્તમાનકાળ,ભવિષ્યકાળ*
*શીર્ષક -માણી લઈએ*
*માણી લઈએ*
*ડગલે ને પગલે આશા જગાવી લઈએ,*
*થોડાં ભવિષ્યનાં સપના જોઈ લઈએ.*
*સોનેરી ભવ્ય ભૂતકાળને યાદ કરીને*
*સમયને બંધ મુઠ્ઠીમાં સમેટી લઈએ.*
*સમય રેતી જેમ સરકતો જાય છે,*
*અતીતને ઊંડે ઊંડે સરકાવી લઈએ.*
*ઉડતાં પતંગ જેવું મન ચગ્યાં કરે,*
*અસ્તિત્વ સતત ધબકાવી લઈએ.*
*ભૂત ભૂલી સપના જોવા તૈયાર થયાં,*
*વર્તમાનમાં રહી આજને જીવી લઈએ.*
*નાદ ને સાદનાં સંભારણા તો ઘણાં છે,*
*અરમાનોનાં પોટલાં સમેટી લઈએ,*
*સત્યની પળે મુક્ત મને વિહરીએ,*
*સત્ય-ચિત્ત-આનંદ માણી લઈએ.*
✍🏻અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
********************************
N.OG.S.S.No.0102.
શીર્ષક:– ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ.
પ્રકાર:—ગદ્ય.
વિષય:-ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ.
માનવજીવન સાથે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ ત્રણે જોડાયેલા હોય છે. આપણે કોઈપણ કાર્ય વર્તમાનકાળમાં કરીએ છીએ તો સારા કાર્યો થોડો સમય પછી ભૂતકાળ બની જાય છે. આપણે બોલેલા શબ્દો ,આપણા દ્વારા થયેલું કોઈપણ કાર્ય, ભૂતકાળના ગર્ભમાં ચાલ્યુ જાય છે .ત્યાર પછી આપણે વર્તમાન કાળમાં જે કંઈ કરી રહ્યા છે તેનું ફળ તો આપણે તાત્કાલિક જ મળે છે. પરંતુ કેટલાક કાર્યો અને કેટલાંક કર્મો જે આપણા ભૂતકાળ માં સંચિત થયેલા હોય છે, તેનું ફળ આપણે ભવિષ્યકાળમાં મળે છે .આપણે જો સારું કાર્ય કર્યું હશે તો તેનું ફળ હંમેશાં સારું રહેશે .આપણે કોઈનું બૂરું કાર્ય કર્યું હશે તો ભવિષ્યમાં પણ આપણું તે લોકો પણ પૂરું કરશે. માટે આપણે આપણા જીવનના વર્તમાનકાળમાં ખૂબ સારી રીતે જીવીએ સારા કાર્યો કરીએ કરીએ લોકોના ભલાઇના કાર્યો કરીએ, તો આપણા ભવિષ્યને માટે આ બધું જ ફાયદારૂપ પુરવાર થાય છે, અને આપણો ભવિષ્યકાળ પણ સારો જાય છે. સારા ભવિષ્ય માટે વર્તમાન કાળમાં આપણે જે કંઈ કરીએ છીએ તે આપણે ભવિષ્યકાળમાં તેનું ફળ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વર્તમાનમાં સારું ભણે તો ભવિષ્યમાં સારી નોકરી મળે .સારો વેપાર કરીએ તો ભવિષ્યકાળમાં પ્રગતિ થાય .સારા કાર્યો હંમેશા આપણી પ્રશંસાને પ્રાપ્ત કરે છે અને તે જ રીતે વર્તમાન કાળમાં જે કોઈ ઘટનાઓ બને છે તેને ભવિષ્યની દીર્ઘદ્રષ્ટિ ને ધ્યાનમાં રાખીને જો આપણે આપણો વ્યવહાર રાખીએ તો ભવિષ્યમાં સુખ મળેજ રાખે છે. તે જ રીતે જીવનના દરેક ભાગમાં આપણે જો કાળજી ન રાખે તો આપણું ભવિષ્ય પણ આપણા તરફથી બેદરકાર રહેશે .ધારોકે ખાવાપીવામાં કાળજી ન રાખે તો શરીર બીમાર પડે ત્યારે ભવિષ્યમાં ઘણા બધા રોગોનો ભોગ બનવું અનિવાર્ય બની જાય છે .માટે સારા કાર્યો કરો તમે તાત્કાલિક ફળ મળશે .તમારું કાર્ય ફળ છે તે ભૂતકાળમાં ભલે ચાલ્યુ જાય ,પરંતુ તેનો લાભ તમને વર્તમાનકાળ પછી ભવિષ્યકાળમાં મળવાનો જ છે. માટે દરેકે પોતે જો સારું જીવન જીવવા માગતા હોય તો, કોઈપણ પ્રકારની બીજાને હરકત કર્યા વિના આપણે આપણા કાર્યો સારી રીતે કરીએ તો આપણું ભવિષ્ય ઉજ્જવળ છે.
આમ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણે ભેગા મળી માનવજીવન માટે સુખ સુવિધા અને બુરા કાર્યો કર્યા હોય, તો દુઃખ પેદા કરે છે. આપણું સારું જીવન જીવવા માટે હંમેશા સારા કાર્યો કરો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો પ્રગતિ કરતા રહો આનંદમાં રહો.
રતીલાલ વાયડા.
દ્વારકા.(જીલો.દેવભૂમિ દ્વારકા.
૯/૮/૨૦૨૧. સોમવાર.
********************************
NOG.SS.No. 0098
प्रकार:- गद्य
विषय:- भूतकाल, भविष्य काल ,
वर्तमान काल।
शीर्षक:- लघुकथा।
मिश्रा जी मध्यम वर्गीय परिवार से थे। गृहस्थ जीवन काफी सुखमय था। दफ्तर,घर परिवार व समाज में काफी दबदबा था।उनका एक ही बेटा था।
उनका सपना बेटे को डॉक्टर बनाने का था। बेटे के उज्जवल भविष्य के लिए गहन विचार विमर्श करके नौकरी से V.R.S. लिया। बेटा भी होनहार निकला। उसने डॉ. बनकर मिश्रा जी के सपने को साकार किया।
मिश्रा जी दिनभर घर में रहकर घर के छोटे बड़े कामों में हाथ बंटाने लगे थे। दिनभर घर में रहने से घर के सदस्यों की बोली में भी परिवर्तन आने लगा। वे मिश्रा जी से व्यंग्यात्मक लहजे में बात करने लगे। धीरे-धीरे स्थित ये हो गई कि हर छोटे-बड़े काम का हिसाब किताब बेटा रखने लगा। आर्थिक रूप से भी मिश्रा जी बेटे पर निर्भर होने लगे। ये बातें उन्हें मन ही मन कचोटती थी।
एक बार मिश्रा जी के फोन का बैलेंस खत्म हो गया। उन्होंने बेटे से कहा बेटा मेरे फ़ोन में बैलेंस डलवा देना बैलेंस खत्म हो गया है। बेटा क्लीनिक जाने की जल्दी में था। बेटा बड़बड़ाने लगा, पापा आप दिनभर घर में फुर्सत में बैठे रहते हो। मेरे पास समय नहीं है।और ये सब फिजूल खर्ची है। कहते हुए घर से निकल गया।
मिश्रा जी बेटे की बात से बहुत आहत हुए। रात भर सोचते रहे। मैंने भूतकाल में बेटे के उज्जवल भविष्य के लिए निर्णय लिया था । बच्चे का भविष्य बन गया है,तो मैं भी अब क्यों न आत्मनिर्भर और स्वाभिमान की जिंदगी जीऊं? सुबह तक वे कठोर निर्णय ले चुके थे। उन्होंने घर के सभी सदस्यों को बुलाया और कहा, बेटा मैं ये बंगला बेचकर छोटा-सा घर खरीद रहा हूं, और बाकी बची धनराशि बैंक
में जमा करूंगा। आप अपना इंतजाम कर लो। मेरा ये फैसला अटल है। उन्होंने घर वालों की एक ना सुनी।
इस प्रकार मिश्रा जी ने कठोर निर्णय द्वारा अपने वर्तमान और भविष्य को सुरक्षित किया। अपने स्वयं के निर्णय को अंजाम देने खुशी खुशी घर से निकल पड़े।
✍️
लीना शर्मा
हालोल।
*******************************
NOG SS NO. 0001 વિષય :— કલ આજ ઔર કલ
પ્રકાર :– ગદ્ય શીર્ષક :— “. પુણ્યનો માર્ગ ” .
આપણે સૌ જાણીએ છીએ કે દરેકને પોતે કરેલા કર્મનું ફળ અચૂક મળે છે. પછી કેટલાક કર્મોનું ફળ તરત જ મળે છે તો કેટલાક કર્મોનું ફળ પાકે ત્યારે મળે છે. જેને સંચિત કર્મ કહેવાય છે .આપણે આપણા ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યની ચિંતાના પણ કર્મ તો કરીએ જ છીએ .જેના ફળ સ્વરૂપે સુખ કે દુઃખનો અનુભવ પણ કરીએ છીએ. આપણને એમ હોય છે કે આ સંતો ખુબ જ ધ્યાન, યોગ ,તપસ્યા કરીને સારા કર્મો ની પોટલી વાળતા હોય છે. એટલે એમને તો સ્વર્ગમાં જ જગ્યા મળશે પણ એવું હોતું નથી એવા જ એક સંતની વાત કરું તો,…….. પૃથ્વી પરથી એકવાર એક મહાન સંત સ્વર્ગમાં પહોંચ્યા. બહાર ચિત્રગુપ્ત પોતાનો ચોપડો લઈને ઉભા હતા. તેમણે સંતને તેમનું નામ અને ગામ પૂછ્યું. સંત તો ગુસ્સે થઈ ગયા. કેમકે પૃથ્વી પર તો તેમની ચારે દિશાએ ખુબજ પ્રસિદ્ધિ હતી. એનું એમને ગુમાન પણ હતું અને એ જ ગુમાનમાં રહીને તુમાખી થી તેમણે ચિત્રગુપ્ત ને કહ્યું, “. અરે, તને મારા નામની પણ ખબર નથી ! હું તો બહુ મોટો સંત છું .”.
ચિત્રગુપ્તે પૂછ્યું, “. સ્વામીજી તમે પૃથ્વીલોકમાં કયા સત્કાર્યો કર્યા છે?”. . સંત બોલ્યા, ” મેં મારી યુવાનીમાં અન્ય લોકોની જેમ જ માતા-પિતાને સાચવ્યા , પત્ની બાળકો ને સાચવીને સંસારમાં બનતા બધા જ સામાજિક કાર્યો કર્યા . પછી મેં સન્યાસ લીધો અને એ પછીનું જીવન ધ્યાન અને તપસ્યામાં જ વિતાવ્યું છે. સંસારનો ત્યાગ કર્યો છે.”. ચિત્રગુપ્તે તરત જ કહ્યું કે , એટલે જ તે કરેલા તારા યુવાનીના કર્મો એટલે કે તારી ગઈકાલ માં રહીને કરેલા કર્મો ના ફળે જ તને પુણ્ય મળ્યું છે. સંન્યાસ લીધા પછી એટલે કે એ સમયના તારા વર્તમાનમાં તે કોઈ જ પુણ્યનું કામ નથી કર્યું, એટલે પુણ્ય માં ઉમેરો થયો જ નથી. સંત ને નવાઈ લાગી , ” અરે , એવું કેવી રીતે બને ભગવાન ? મેં સંસારમાં રહીને તપ કર્યું જ નહોતું. સંસાર છોડ્યા પછી જ તપસ્યા કરી તો એનું પુણ્ય કેમ નહીં ?”. . ચિત્રગુપ્તે બહુ સરસ જવાબ આપ્યો કે, ” તે જે સંસારિક જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી છે એટલે જ તને તેનું પુણ્ય મળ્યું છે અને સ્વર્ગમાં જગ્યા મળી છે.” સંન્યાસ લીધા પછી તારા વર્તમાનમાં તે માત્ર તપજ કર્યું, ના કોઈનું ભલું કર્યું અને તારું ભવિષ્ય સુધારવા એટલે કે એકમાત્ર સ્વર્ગની સુખ-સુવિધાની લાલચે જ તપસ્યા કરી એટલે એનું પુણ્ય નથી મળ્યું . . બસ આ વાત આપણને એટલું જરૂર સમજાવે છે કે આપણી ગઈકાલ, આજ અને આવતીકાલને હંમેશા નિજસ્વાર્થ માટે નહીં પણ પરોપકાર માટે જ જીવવી જોઈએ . કરેલા કર્મોનું ફળ મળવાનું જ છે. પછી ભલે તે કર્મ ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય, કે ભવિષ્યની ચિંતા નું હોય ! .
આપણી આજ સુધારીશુ તો આપોઆપ આવતીકાલ પણ સુધરશે અને ગઈકાલ પણ …..!!!!!
પ્રદીપ રાવલ , ” સંચાલક ”
*****************************
NOG SS No-0042
વિષય-કલ આજ ઔર કલ
પ્રકાર-ગદ્ય
શીર્ષક-ત્રણ પેઢી
કલ આજ ઔર કલ વિષય અંતર્ગત ત્રણ પેઢીની થોડી સામાન્ય વાતો મારા શબ્દોમાં.
પહેલી પેઢી એટલે આપણાં વડીલો. કરસકર પૂર્વક જીવન જીવતાં. આયોજન કરી પોતાનાં સંતાન માટે જમીન-જાયદાદ,ધન-સંપત્તિ ભેગી કરનાર પેઢી. સાદું -ભોજન અને ઉચ્ચ વિચારો એ તેમની આગવી ઓળખ કહી શકાય. ધર્મની ભાવના તેમનાં સંસ્કારોમાં વણાયેલી. ઓણખાણ એ ખાણ સમાન માની દરેક સંબંધોને માન-સન્માન આપનારી આ પેઢી એટલી જ કુટુંબપ્રેમી પણ ખરી.ખોટા મોજ-શોખ કે દંભ દેખાડામાં ન માનનારી આ પેઢી એકદમ આદર્શ પેઢી કહી શકાય.
બીજી પેઢી એટલે આપણે. સ્માર્ટફોન વાપરનારાં. હેસિયત કરતાં વધારે ખર્ચ કરનારાં, દેખાડો કરવામાં માહેર પણ હક માટે લડનાર સાહસિક પેઢી કહી શકાય. હરવું-ફરવું, મોજ-શોખમાં માનનારાં. બંને પેઢીનાં સેતુ બનનાર સાચા કુટુંબપ્રેમી બાળકો અને વડીલોને લાગણી આપી બંને જોડે તાલ મિલાવનારા. દેશી જમણને પ્રેમ કરનારાં અને પંજાબી,ચાઈનીઝ બધું ટેસથી ખાનારાં. જીન્સ,ટીશર્ટ, પંજાબી, સાડીને અપનાવનારાં.સોમનાથ દર્શન કરવા જાય અને ગોવા ફરવા પણ, સાહિત્ય પ્રેમી,મૂવી, ટી.વી. દરેક પ્રકારના મનોરંજનને માણનારાં. જરુર પડ્યે દરેક સંબંધને કામ આવનારા. ટૂંકમાં પ્રેક્ટિકલ કહી શકાય એવી પેઢી.
ત્રીજી પેઢી એટલે આપણાં બાળકો. બધું તૈયાર મેળવનાર પેઢી. સંઘર્ષનું નામોનિશાન નહીં. મહદ અંશે આળસુ,પોતાનામાં જ રચીપચી પેઢી. પોતાનાં કામથી કામ રાખનાર સંબંધો પ્રત્યે ઉદાસીનતા દાખવનાર પેઢી. થોડી સ્વચ્છંદી ઉડાવ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે બેદરકાર. ધર્મ પ્રત્યે અજ્ઞાતા, હરવું-ફરવું ,ખાવું-પીવું ને મોજ મજામાં માનનારી પેઢી. ફાટેલાં જીન્સ પહેરનારાં અને મેગી,પિત્ઝા -બર્ગર ખાનારી થોડી નિર્માલ્ય કહી શકાય તેવી આ પેઢી. મ્યુઝિક, ડાન્સ,મૂવી અને મોબાઈલ પ્રત્યે વણગણ ધરાવનાર રાત્રે જાગી દિવસે સૂઈ જનારા, આડાઅવળા ટાઇમ-ટેબલ સાથે પોતાની મરજી મુજબ જીવનારી આ પેઢીને જો યોગ્ય માર્ગદર્શન ન મળે ગુમરાહ પણ થઈ શકે.
ટૂંકમાં પેઢી બદલાતાં વાણી, વર્તન અને વિચારોમાં આમૂલ પરિવર્તન આવે છે,જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ.
પૂજા(અલકા)કાનાણી.