GN_02-8-21.
***********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૬ ગદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ.(તા.૦૨-૮-૨૦૨૧) દિવસ – ૭(છેલ્લો દિવસ)
Jan fariyad & News of Gandhinagar daily
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG SS No-0042
વિષય-સફળતા-નિષ્ફળતા
પ્રકાર-ગદ્ય
શીર્ષક- સિક્કાની બે બાજુ
શબ્દો-૨૧૦
‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.’
ઘણાં લોકો સફળતા અને નિષ્ફળતા માટે નસીબને જવાબદાર ગણે છે, પણ મારા મતે સફળતા મેળવવા અથાગ પરિશ્રમ કરવો પડે એ સત્ય હકીકત છે. સફળતા મળતાં હરખાતો માનવી,છકી જતો માનવી. નિષ્ફળતા સમયે કેમ હિંમત હારી નાસીપાસ થઈ જાય છે? ખરેખર તો સફળતા અને નિષ્ફળતા એ સિક્કાની બે બાજુઓ છે.
ઘણી વખત મળતી નિષ્ફળતા પછી આપણી જાતને સવાલ પૂછવો જોઈએ કે અનુભવ પરથી મને શું શીખવા મળ્યું? અને તેનો જવાબ મળે ત્યારે જીવનમાં આવતા દરેક સંકટોનો સામનો કરી નિષ્ફળતાને સફળતામાં ફેરવી શકાય. દરેક સફળ માનવીની યશગાથા સાથે નિષ્ફળતાની વાતો વણાયેલી હોય છે, એટલે જ કહેવાયું હશે ને? ‘નિષ્ફળતા એ સફળતાની ચાવી છે.’
એકવીસ વર્ષ ધંધામાં નિષ્ફળતા, બાવીસમાં વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા.ચોવીસ વર્ષે ફરી ધંધામાં નિષ્ફળતા. છવીસ વર્ષે પત્નીનું અવસાન સત્તાવીસ વર્ષે માનસિક વિકૃતિનો ભોગ બન્યા ચોંત્રીસ વર્ષે સંસદીય મંડળની ચૂંટણીમાં હાર્યા આખરે બાવનમાં વર્ષે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા અબ્રાહિમ લિંકનને તમે શું કહેશો? નિષ્ફળ કે સફળ?
ખરેખર તો જીવનનું લક્ષ્ય જ આપણા જીવનને અર્થ આપે છે, અને એ જ સફળતા તરફનું પહેલું પગથિયું છે. ચાંદો બનવાનું લક્ષ્ય રાખીએ તો તારો તો અવશ્ય બની શકાય ખરું ને?
પૂજા(અલકા)કાનાણી
********************************
NOG SS No.0102
શીર્ષક:–સફળતા–નિષ્ફળતા.
પ્રકાર :–ગદ્ય.
સફળતા–. નિષ્ફળતા.
સફળતા એટલે સુખ વૈભવ શાંતિ અને આનંદનો અનુભવ.
નિષ્ફળતા એટલે ચિંતા દુઃખ અને મુશ્કેલીનો અનુભવ.
માનવજીવનમાં સફળતા અને નિષ્ફળતા બંને અનુભવેલી ઘટનાઓ હોય છે .બંનેમાંથી કોઈપણ કાયમ રહેતું નથી.
માનવ વાનર માંથી સર્વોત્તમ માનવ અને અગ્નિથી ચક્રની શોધ અને આજે મંગળ સુધી ની સફર એ અનેક ક્ષેત્રોમાં થયેલ વૈજ્ઞાનિક પ્રગતિ અને દરેક ક્ષેત્રોમાં થયેલી અનેક શોધો જેને કારણે અનેક શાસ્ત્રો નો વિકાસ થયો .આર્થિક ,સામાજિક ,ધાર્મિક, રાજકીય, ઉન્નતિ વગેરે બાબતો માટે હજારો , લોકોએ હજારો વર્ષો સુધી નિષ્ફળતાના અનેક પ્રયોગોનું પરિણામ આજે આપણે જોઇયે અને માણી રહ્યા છીએ. નિષ્ફળતાનું એક એક ડગલું જો મક્કમતાથી, હાર્યા વિના ,નિશ્ચય પૂર્વક ,સતત આગળ ચાલ ચાલતું એ પ્રયાણ અંતે સફળતાના દરવાજા ખોલી આપે છે. આમ માનવીએ સૌપ્રથમ તો નિષ્ફળતા માંથી જ પ્રગતિ કરી છે.
સફળતા મળ્યા પછી પણ તેના શિખર તરફ માનવી આગેકૂચ કરે છે. જીવનમાં ધન ,વૈભવ, સુખ-સમૃદ્ધિ ,સુવિધા વગેરે પ્રાપ્ત થતાં હોય છે ,પરંતુ તેને લાંબો સમય સુધી ટકાવી રાખવું પણ મુશ્કેલ હોય છે. ઘણા બધા લોકો સફળ રહ્યા પછી પણ પોતાના સ્વભાવગત દુઃખ અનુભવતા હોય છે . પોતાની પાસે રહેલી વસ્તુ હોવા છતાં પણ તેના અભાવની તેને ચિંતા છે .મારે અમુક જોઈએ છીએ ,મારા છોકરાઓ મારું માનતા નથી .આવી નાની નાની ફરિયાદો કરી ને રાત્રે ઉંઘી પણ શકતા નથી .આમ તેઓ સફળતાનો આનંદ માણી શકતા નથી. કેટલાક લોકો તો વધુ મેળવવા માટે પોતાની પાસે જે કંઈ હોય છે , તે દાવ ઉપર લગાડી દેશે અંતે બધું ગુમાવે છે અને નિષ્ફળતાની ખાડીમાં પડી જાય છે ,અને પાછા તેમાંથી ડૂબકા મારતા બહાર નીકળવાની કોશિશ કરે છે.
ખરેખર સાચું તો સફળતા અને નિષ્ફળતા આ બંને માનવી સાથે રહેલા સંચિત અને દૈનિક કર્મનું જ ફળ છે. ઈશ્વરી જે સંકેત હોય તે જ પ્રમાણે થતું હોય છે .માણસ જે નિષ્ઠાથી સાચા પ્રયત્ન કરે છે તેને જ સફળતા મળે છે.
તમારા પાસે જે કંઈ છે તેનાથી સંતોષ માનો એ જ સાચું સુખ છે. પ્રયત્નો દ્વારા તેમાં વધુ સફળતા નો ઉમેરો કરી શકાય પણ નિષ્ફળતાથી પણ ડરવું ન જોઈએ.
રતિલાલ વાયડા
નવી મુંબઈ
તારીખ:- ૨૬/૭/૨૦૨૧. સોમવાર.
************†******************
NOG.SS.NO. 0098
प्रकार = गद्य
विषय= सफलता -असफलता , सक्रिय-निष्क्रीय।
शीर्षक= निष्क्रीयता का प्रभाव।
सफल -असफल, सक्रिय-निष्क्रीय मानवीय जीवन के भोग हैं,पहलू हैं। हमारे देश (भारत) में बहुत से ऐसे खिलाड़ी हैं जिन्होंने अपनी कार्य कौशल से खेल जगत में इतिहास रचकर देश का नाम रोशन किया है।
ऐसी ही एक शख्सियत हैं, उत्तराखंड से दिलराज कौर। जो कि दिव्यांग है,पर दिव्यांग कहलाना पसंद नहीं करती। भारत की प्रथम महिला पैराशूट एयर पिस्टल में । राष्ट्रीय स्तर पर २४गोल्ड मैडल,८सिलवर मैडल व अन्य और भी मैडल जीतकर देश का नाम रोशन कर चुकी हैं।
मध्यमवर्गीय परिवार से हैं। पिता का साया उठ जाने से किराए के मकान में रहती हैं। संघर्ष रथ पर सवार रोड़ पर पारले जी बिस्कुट , चिप्स व मूंगदाल के पैकेट बेचकर महेनत कर जीवनयापन कर रही हैं।
हमारे देश की ये कैसी विडंबना है जो खिलाड़ी आर्थिक रूप से मजबूत हैं,वो पेप्सी, चिप्स की एडवरटाइजिंग देकर कमा रहे हैं, साथ ही सरकार व देशवासियों का साथ सहकार भी पा रहे हैं। ऐसे खिलाड़ियों को हक़ मिल सकता है तो इस तरह के संघर्षमयी संघर्ष रथ पर सवार खिलाड़ियों को दर-बदर की जिंदगी क्यों? उनके संघर्ष रथ पर पूर्ण विराम क्यों?
इसका मुख्य कारण निष्क्रीयता ही तो है। लेकिन होनहार खिलाड़ियों की नहीं। वे तो आज भी शीर्ष पर खड़े हैं।
धिक्कार है हमारी केन्द्र सरकार, राज्य सरकार,खेल मंत्रालय, खेल मंत्री यों की निष्क्रियता पर,जो देश के गौरव व सफलता के शीर्ष पर खड़े खिलाड़ियों को गुमनामी की ओर धकेल कर जिंदगी जीने को विवश करते हैं ,तो कितनों को हालातों से हारकर घुटने टेकने को मजबूर………
(सफल होने के बावजूद निष्क्रीयता का कितना गहरा प्रभाव पड़ता है जीवन में दोस्तों..….)
✍️
लीना शर्मा
हालोल।
***†******†****††**********†***
NOG SS No : 0031
વિષય: સફળતા, નિષ્ફળતા
વિભાગ: ગદ્ય
પ્રકાર: ટૂંકી વાર્તા
શીર્ષક:- કોશિશ
રોહનને ફૂટબોલ રમવાનો બહુ જ શોખ હતો.તે સારું રમતો પણ ખરો, પરંતુ જ્યારે પણ કોલેજમાંથી રાજ્યકક્ષાના ફૂટબોલ મેચ માટે ટીમ પસંદ કરવામાં આવી તો તેની પસંદગી ના થઇ. આવું તેની સાથે
પહેલાં પણ બની ચૂક્યું હતું. આ વખતે પોતાની આટલી બધી પ્રેક્ટિસ છતાં પણ પોતે પસંદગી ના પામ્યો તેથી ખૂબ નિરાશ થઇ ગયો. તેણે મનમાં નક્કી કર્યું કે એ હવે
કયારેય પણ ફૂટબોલ નહીં રમે.
રોહન કોલેજથી ઘરે આવી ઘરમાં કોઇની પણ સાથે કશી વાતચીત કર્યા વગર પોતાનાં રુમમાં જતો રહ્યો. એ એનાં રુમમાં નિરાશ થઇને ફૂટબોલ સાથેનો પોતાનો ફ્રેમમાં રહેલો ફોટો જોતો હતો ત્યાં જ એક કરોળિયાને તે ફ્રેમ પર ચડતાં જોયો. એ કરોળિયો એ ફ્રેમ ઉપર પોતાનું જાળું બનાવવાની કોશિશ કરતો હતો પણ જેટલીવાર તે જાળું ગૂંથવા જતો એટલી વાર તેનું જાળું તૂટતું તો પણ તે ફરીવાર તે પ્રયત્ન કરતો આમ જ પ્રયત્નો
કરતાં કરતાં આખરે તે જાળું ગૂંથીને જ રહ્યો. આ જોઇને
રોહને મનમાં કંઇક નિશ્ચય કર્યો.
રોહને બીજા દિવસથી ભણવાની સાથે સાથે ફૂટબોલની પ્રેક્ટિસમાં પણ પૂરતું ધ્યાન આપવા લાગ્યો.
ફૂટબોલની રમતમાં જ્યાં તેને પોતાની રમતમાં સહેજ પણ કચાશ લાગતી તેમાં તે વધુ સારું કરવાનો પ્રયત્ય કરવા લાગ્યો. આમ જ પ્રેક્ટિસ કરતાં તે એકદમ ઉત્તમ ખેલાડી પૂરવાર થયો અને એ વર્ષે તે રાજ્યકક્ષાની ટીમમાં કપ્તાન
તરીકે પસંદગી પામ્યો.
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
********************************
NOG:SS No : 0101
પ્રકાર: ગદ્ય
વિષય: સફળતા – નિષ્ફળતા
શીર્ષક: આગળ વધો
લેખક: ભરત સાંગાણી
સફળતા પ્રાપ્ત કરવાની ઇચ્છા દરેક પૃથ્વીવાસીની હોઈ છે. એ વ્યક્તિ બાળક હોઈ, યુવાન હોઈ, કે વયસ્ક હોઈ. વિશાળ જીવનના ફલકમાં દરેક પગથિયાં પર માણસને આગળ વધવાની વધારે ને વધારે સફળતા પામવાની ઝંખના હોઈ છે.
આપણે હમેંશા જે મળે તેનાં કરતાં વધારે ઇચ્છીએ છીએ અને જલ્દી સફળ થવાની ખેવના હોઈ છે, જો તેમ ન થાય તો માણસ હતાશ થઈ જાય છે. નિરાશામાં સરી જાય છે. ઘણા લોકો પોતાના જીવનથી એ હદ સુધી કંટાળી ગયા હોય છે કે આત્મહત્યા કરી બેસે છે.
આજે આધુનિક જમાનામાં જો કોઈ સૌથી મોટી બીમારી હોઈ તો તે છે માનસિક તાણ. જે માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. ખુશીઓ સાથે જીવનનો ઉત્સાહ પણ છીનવી લે છે.
આવા અસંખ્ય દાખલાઓ આપણને મળી રહેશે. મોટાભાગે આજે અતિ જાણીતી વ્યક્તિઓએ તેમના સંઘર્ષકાળમાં નિષ્ફળતાઓ અનુભવી છે. પરંતુ તેમણે હિંમત હાર્યા વિના તેમના માર્ગમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પોતાના કાર્યક્ષેત્રમાં અદ્ભૂત પ્રચંડ સફળતાઓ મેળવી છે.
જાતિ – પંથ- ધર્મ કે રંગભેદ તેમને તે સફળતા મેળવતા અટકાવી શકી નથી.
આજે નિષ્ફળતા ખંખેરી નાખી સફળતાની સીડી પર ડગ માંડવા ઉત્સાહિત કરે તેવો એક પ્રસંગ વર્ણવું છું.
સ્ટીવ જોબ્સ: ‘એપલ’ જેવી ખૂબ મોટી કંપનીનો સ્થાપક સ્ટીવ જોબ્સની કહાણી રસપ્રદ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે બે બિલિયન ડોલર્સની કંપની અને 4000 કર્મચારીઓ ધરાવતી આ ‘એપલ’ કંપની ફક્ત બે કર્મચારી સાથે ગેરેજમાં શરૂ થઈ હતી.
તેણે સફળતા મેળવી તે પહેલાં નિષ્ફળતાઓ તેના કદમમાં વિંટળાયેલી હતી. તે જે કંપનીમાં કામ કરતો હતો તેમાંથી તેને કાઢી નાખવામાં આવ્યો હતો . બીજે પણ બહુ પ્રયત્નો કર્યા પણ કામ મળતું ન હતું . તેણે પોતાની નિષ્ફળતાથી હાર્યા વિના પોતાના નસીબને દોષ દીધાં વિના પ્રયત્ન જારી રાખ્યા.
તે પોતે પોતાની આવડત અને શક્તિઓ વિષે સભાન હતો , તેણે પોતાના સ્વપ્નની કંપની સ્થાપવા અથાગ ને સતત પ્રયત્નો કર્યા અને તે છે ” એપલ”.
સફળતા નાના નાના બહાનાઓની મોહતાજ નથી . મહાન વ્યક્તિઓના શૂન્યમાંથી સર્જન કરવાના પ્રેરણાદાયી જીવન ચરિત્રોનું વાંચન મનન તમને તમારા પથ પર આગળ વધવા દીવાદાંડીની ગરજ સાધશે.
આપણે મનુષ્ય છીએ , આપણી અંદરતો પ્રાણ છે,કામ કરવાની તાકાત છે, તો શું કામ ચિંતા કરવાની? હતાશ થવાનું? પરિસ્થિતી કોઈપણ હોઈ ઉકેલ આવે જ છે. “હિંમતે મર્દા તો મદદે ખુદા” . તમામ કાર્યમાં એકાગ્રતા અને નીડરતાથી લાગી જાવ સફળતા તમારે દ્વારે જ ઉભી છે.
લેખક : ભરત સાંગાણી.
**************†************* NOG SS No : 0073
વિષય.. સફળતા
શીર્ષક..તું ક્યાં છે?
પ્રકાર.ગદ્ય.
સતત નિષ્ફળતા થી થાકી ગયેલો માનવી સકળતા તું ક્યાં છે? એવો સવાલ જ્યારે પોતાના મનને પૂછે છે ત્યારે ,સફળતા એને જવાબ આપે છે,
હું,તારી મજબૂત કંધો પર છું, હું,તારા મનોબળમાં છું, હું તારા સાહસમાં છું,
તારા ધૈર્યમાં છું, તારી વાણીમાં છું, તારી મહેનતમાં છું, બસ તું તારું કાર્ય પુરી નિષ્ટાથી કર, હું તારા કદમોમાં રહીશ,બસ મને માથે ના ચડાવતો,
જ્યારે સફળતા માણસને માથે ચડી જાય ત્યારે અહંકાર બની જાય છે,
બસ હું તારી સાથેજ છું, તું તારી જાત પર ભરોશો રાખીને આગળ વધ.આટલું બોલી સફળતા અદ્રશ્ય થઈ ગઈ,શોધવાની તમારે..
નયના પટેલ..વડોદરા.