ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ. (૩૦-૭-૨૦૨૧) દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*******************************************
NOG SS No : 0059
પ્રકાર: ગદ્ય – લેખ.
શબ્દ:સફળતા-નિષ્ફળતા,
સક્રિય-નિષ્ક્રિય.
શીર્ષક: નિષ્ફળતા એજ
સફળતાનો પાયો.
શબ્દો:૨૫૦.
સફળતા, એ નિષ્ફળતાની ઈટોંથી બાધેંલી ઈમારતછે.
પ્રત્યેક સિક્કાને બે બાજુછે તેમજ, માનવજીવનને પણ બે બાજુંઓછે, એકછે સફળતા યાને
આનંદનો મહોત્સવ તો બીજી બાજું,નિષ્ફળતા એટલે દુ:ખનો દરિયો.
હાં- માનવજીવનમા પૂર્વભવૉના સંચિત કરેલાં કર્મો અનુસાર કોઈકેને વહેલી અને સરળતાથી સફળતાં મળેછે તો કોઈકને સખ્ત
પરિશ્રમથી લાંબા સમય બાદ મળેછે, તો કોઈકના જીવનમા અંત સુધી પણ સફળતા ડોકાંતી નથી !
હાં, વિશ્ર્વના પટ પર એવી પણ
વિરલ વ્યકિતોછે જેણે જીવનમાં
હર અનુભવે નિષ્ફળતાજ અનુભવીછે,છતાં ‘કરતાં જાળ
કરોળિયો’ ની કહેવત અનુસાર હર નિષ્ફળતા બાદ બમણાં આત્મ
વિશ્ર્વાસ અને ચારગણી મહેનત
કરી નિષ્ફળતાની ઈંટો વડે પોતાની સફળતાની ઈમારત,વટથી ઊભી કરીછે.
જગતને પોતાની તેજસ્વિતાના દર્શન કરાવ્યાંછે.
પરિશ્રમની મિશાલને વધું તેજસ્વી બનાવીને પૉતાની આગવી ઓળખ ઈતિહાસમાં નોંધાવીછે.
વિરલ વ્યક્તિઓને શત્ત શત્ત
વંદન.
સફળતાને હજું પચાવવી સહેલીછે, પણ સતત મળતી નિષ્ફળતાને પચાવવા માટે તો
આગવી ધીરજ,આગવી મહેનત સાથે ફરી તેજ કાર્ય માટેનો આગવો ઉત્સાહ જ સફળતા
ને બાંધી લાવેછે.
અંગ્રેજી કહેવત
‘Failures are the pillars of
SUCCESS.’ તો તેને ટોંચ મારે
તેવી આપણી ગુજરાતી કહેવત
“નિષ્ફળતાની સીડી બનાવી
સફળતા મેળવે તે મરદમાણસ !
” પરિશ્રમની પાંખે ઊડી માનવ પોતાનાં પારબ્ધને પલ્ટી શકેછે”.
©️ જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
********************************
NOG SS NO : 0055
વિષય : નિષ્ફળતા
વિભાગ: ગદ્ય ( વાર્તા )
શીર્ષક :
“સફળ કે નિષ્ફળ…?”
*******************
આજે ફરીથી એકવાર સન્માન સમારંભમાં પરમેશ્વરી દેવી છવાઇ ગયા, એટલો માન મરતબો મળ્યો કે ભલભલા તેની સેવાની ભેખને નતમસ્તક થઈ ગયા.
શહેરમાં એક એવું અનાથ બાળક ન્હોતું કે જે પરમેશ્વરી ” મા “નીછત્રછાયામાં ઉછર્યું ન હોય, એક એવું વૃદ્ધાશ્રમ ન્હોતું કે જ્યાંનાં વડીલોને “દીકરી” પરમેશ્વરી એ સંભાળ્યા ન હોય, મુસીબતો સામે માનવી ભલે લાચાર હોય પણ પરમેશ્વરી દેવી મુસીબતના મહારથી ગણાતા.
સફળતા જાણે ચડતા સૂર્યની જેમ તેમને પોંખી રહી હતી.
આજે સમારંભમાં હાજરી આપી પાછા ફર્યા ત્યારે એક જ સવાલ અગ્નિની જેમ લપકારા મારતો લાગ્યો જે પત્રકારો વારંવાર પૂછી રહ્યા હતા,” તમારી પ્રેરણા કોણ?????”
હવે કહે તો કેમ કહે કે તેની અતિશય મહત્વાકાંક્ષા હેઠળ કચડાયેલા જુવાનજોધ દીકરાની આત્મહત્યા …….
બસ, એક “મા”નોવિયોગ ..દુનિયા કે ‘ દી સમજવાની હતી …..
પ્રચંડ સફળતા પાછળ એક નિષ્ફળ માનો પુણ્ય પ્રકોપ લપકારા મારતો હતો….
આજે ફરી એક એવોર્ડ મળ્યો, તેઓ ફિક્કું હસ્યા અને પોતાની જાતને પૂછી બેઠા…. ” હું સફળ કે નિષ્ફળ ?”
શ્રદ્ધા ભટ્ટ
વાપી
૨૫/૦૭/૨૦૨૧
*****†*********†*****†****†****
NOG SS NO. 0034
વિષય : સફળતા-નિષ્ફળતા/સક્રિય-નિષ્ક્રિય
વિભાગ : ગદ્ય ( લેખ )
શીર્ષક : મહેનત… મહેનત… મહેનત
શબ્દો : 344
“ચાખવા સ્વાદ સફળતાનો તું વહેતો રહેજે,
જીવન હારજીતની બાજી, તું ખેલતો રહેજે,
રાખ હૈયે વિશ્વાસ, મળશે કામયાબી જરૂર તને,
નિષ્ફળતાને ધકેલી આગળ તું વધતો રહેજે.”
કોઈપણ કાર્યમાં સતત મથવું તેને સીધી સાદી ભાષામાં સક્રિયતા ( active) કહી શકાય. સક્રિય અને નિષ્ક્રિય વિરોધી શબ્દો છે, પરંતુ બંને માનવજીવન પર ઊંડી અસર કરે છે. વ્યક્તિએ સફળતા પ્રાપ્ત કરવા સક્રિય રહેવું જ પડે. આળસુને જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા મળતો નથી. એક ખૂબ સુંદર વાત છે- ખિસકોલીની. જ્યારે સમુદ્ર ઉપર પુલ બનાવવામાં આવતો હતો ત્યારે સૌ મોટા-મોટા પથ્થરો ઉપાડીને લઈ જતાં હતાં ત્યારે એક નાની ખિસકોલી કિનારાની રેતીમાં આળોટીને એ રેતી સમુદ્રમાં નાંખતી હતી. સૌ કોઈ એની મશ્કરી કરે છે પરંતુ તે સક્રિય રહે છે અને તે શ્રીરામ પ્રભુના આશીર્વાદ મેળવે છે.
આપણે ઘણીવાર સમાચારમાં સફળ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ જોઈએ છીએ. એમનો એક જ મંત્ર હોય છે મહેનત… મહેનત.. મહેનત… અને એ માટે સક્રિય રહેવું પડે. સતત ઉદ્યમ કરવો એ દરેક પ્રાણી માત્રનો સ્વભાવ છે. કરોળિયાને જાળું બનાવવામાં કેટલીયે વાર નિષ્ફળતા મળે છે છતાંય સતત પ્રયત્ન કરીને તે આર્કિટેક્ટ કરતાં પણ સુંદર જાળું ગૂંથે છે. અરે! નાની કીડીબાઈ પણ કણ કણ એકઠું કરતી હોય છે. પંખીઓ એક-એક સળી એકઠી કરીને પોતાનો માળો બનાવે છે. એકમાત્ર માનવ જ સૌથી વધુ નિષ્ક્રિય રહે છે અને તૈયાર ભાણે જમણ કેમ થાય એ શોધતો રહે છે. એદીપણું એટલે કે નિષ્ક્રિયતા મનુષ્યનો મોટો દુર્ગુણ છે. સફળ બનવા માટે એનો ઈલાજ કરવો જ જોઈએ.
આપણે નિષ્ક્રિયતાનાં અંધકારને દૂર કરીશું તો જ સફળતાનાં સૂરજનો સોનેરી ઝળહળતો ઉજાસ માણી શકીશું. આપણે પ્રકૃતિ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. પ્રકૃતિ જો નિષ્ક્રિય થઈને પોતાની ગતિ અટકાવી દે તો? નદીઓ, ઝરણાંઓ વહેવાનું બંધ કરી દે તો? સૂરજ, ચંદ્ર, તારા પ્રકાશવાનું બંધ કરી દે તો? કલ્પના પણ ન થઈ શકે, બરોબર ને! પ્રકૃતિ નિરંતર ગતિશીલ રહે છે, તેથી જ ખુશનુમા છે, માણવા લાયક છે. અરે, બંધિયાર જળ પણ ગંધાઈ જાય છે તો મનુષ્યની શી વિસાત. નિષ્ક્રિયતાને, આળસને ખંખેરીને સતત સક્રિય રહેવું જોઈએ. જીવનમાં આગળ વધવા માટે વહેતાં રહો, ગતિશીલ રહો, સક્રિય રહો નહીં તો કયાંક હાંસિયામાં ધકેલાઈ જશો.
અંતમાં સ્વામી વિવેકાનંદના ગુરુમંત્રથી લોગ આઉટ કરીશું,
” ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.”
— ડૉ. રેખા શાહ કચોરીયા
*******************************
NOG SS NO: 40
વિષય: સફળતા- નિષ્ફળતા, સક્રિય- નિષ્ક્રિય
વિભાગ: ગદ્ય (લેખ)
શીર્ષક: દુન્યવી માપદંડ અને આપણે.
સફળતા કે નિષ્ફળતા; એ તો દુન્યવી માપદંડ છે. આપણી જાતને આપણાથી વધુ કોણ ઓળખી શકે? હા! પણ જાતને પિછાણવાની કોશિષ જો ખરા દિલથી; નિષ્પક્ષતાથી કરીએ તો જ એ શકય બને. શાળા- કૉલેજની પરીક્ષાઓ કે પછી જીવનમાં ડગલે ને પગલે થતી પરીક્ષાઓમાં આપણાં કર્મ પ્રત્યેની નિષ્ઠા અને સક્રિયતા વધુ મહત્વની છે. નિષ્ક્રિય રહેનારને તો હાર-જીતનો પ્રશ્ન જ ઉભો નથી થતો. અને તેથી જ તેમનું જીવન કૂવાનાં દેડકાં જેવું હોય છે. કર્તવ્ય પરાયણ થઇ હંમેશા સક્રિય રહીએ. ભલેને સફળતા હાંસલ ન થાય, પણ નિષ્ફળતા થકી જાતને વધુ ઉજાગર કરીએ. હતાશ ન થતાં નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવીએ; પણ નાસીપાસ તો કદી ન થઈએ.
✍️ વૈશાલી મહેતા.
********************************
NOG SS No : 104
પ્રકાર : ગદ્ય
શીર્ષક :સફળતાની સાથે સાથે
શબ્દ સંખ્યા : ૩૩૯
*******************
કોઈ પણ કોમન ફ્રેન્ડના પ્રસંગમાં હું અને શૈલજા શર્વરીથી દૂર જ રહેતા.
હું શૈલજા અને શર્વરી , સ્કૂલથી સાથે જ હતાં. આજે 35 વર્ષે પણ અમદાવાદમાં જ એટલે કોઈક પ્રસંગમાં ભેગા થઈ જ જઈએ.
મેં અને શૈલજાએ અમારા સપનાઓ માટે મહેનત કરીને આજે સમાજમાં સ્ટેટસ મેળવ્યું હતું.
હું શહેરની કેટલીયે એનજીઓની ચેર પર્સન, શાળા કોલેજની ટ્રસ્ટી, ફેશન આઇકોન હતી. શૈલજા એક સફળ બિઝનેસ વુમન. જ્યારે શર્વરી એ જ ટિપિકલ હાઉસ્વાઈફ. એ ટિપિકલ મિડલ કલાસ લાઈફ જીવતી હતી.
.
“આવી વેદીયણ અને દેશીને કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં પાર્ટીમાં પણ શા માટે અદિતિએ બોલાવી હશે .” હું મનોમન બબડી.”
પાર્ટી લગભગ પુરી થવા આવી હતી. હું અને શૈલજા તો માત્ર હાજરી આપીને અને આદિતિને 15મી મેરેજ એનિવર્સરીની શુભકામના આપીને નીકળી ગયાં.
એટલામાં તો હોટલના ગેટ પરથી સિક્યુરિટી વાળા સાથે રકઝક કરીને શિવમ એની દીકરી સાથે એકટીવા લઈને અમારી બાજુમાં ઉભેલી શર્વરી સાથે આવીને ઊભો રહ્યો. એક એકટીવા પર ત્રણ જણ કેવી રીતે આવે. સાવ સેન્સ વગરનો એનો પતિ.
“ચાલો જલ્દી જલ્દી માર્કેટ લઈ લો , હું ભીંડા લઈ લઉં. તમને બંનેને મૂકીને મને જમવાની ઈચ્છા જ ન થઈ, ઘરે જઈને જલ્દી જલ્દી શાક રોટલી બનાવી લઈએ. ” શર્વરી બોલી.
“ના મમ્મી આજે આપણે બહાર પાંઉભાજી ખાઈશું ” એની દીકરીએ જીદ કરી.
શર્વરીએ વહાલથી દીકરીને કિસ કરી લીધી.
અને દીકરીને ખુશ કરવા ઝરમર વરસતા વરસાદમાં શર્વરી શિવમ સાથે એકટીવા પર નીકળી ગઈ.
શૈલજા , કેરિયરની પાછળ દોડવામાં તેં પરિવાર બનાવવામાં ધ્યાન ન આપ્યું, અને સમયસર માતૃત્વ પણ ન મેળવ્યું અને એક પૈસાવાળા ડિવોર્સીની પત્ની બનીને લગભગ કજોડું લગ્ન કર્યું છે.
જયારે મારા સફળ પતિ એમની મિટિંગ, ટ્રાવેલિંગમાં જ બિઝી રહે છે. અને હું મારી પાર્ટી અને પેજ થ્રિ ના ચક્કરમાં મારા દીકરા દીકરી સાથે છેલ્લે ક્યારે શાંતિથી બેઠી એ જ ભૂલી ગઈ છું.
કારમાં બેસી ને જતા મેં લારી પર વરસાદમાં બિન્દાસ ભીંજાઈને પણ હસતા હસતા ફાઈવ સ્ટાર હોટેલનું ફૂડ છોડીને પરિવાર સાથે પાઉભાજીની લિજ્જત માણતી શર્વરી ને જોઈ.
કોઈ દિવસ નહીં ને આજે મને એની ઈર્ષા થયી. સફળ તો એ થયી હતી. હું અને શૈલજા તો સફળ થવાનો માત્ર દેખાડો કરતા હતા.
~ દિપાલી લીમકર ” દીપ ”
અબુધાબી