ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ. (૨૯-૭-૨૦૨૧) દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0044
વિષય:- સફળતા- નિષ્ફળતા, સક્રિય- નિષ્ક્રિય
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:-ઉડાન
શબ્દો:- ૧૧૧.
”હા, હું સ્ત્રી છું. એવી સ્ત્રી કે જેને તમે વર્ષોથી અબળા માનતા આવ્યાં,એ તમારી માન્યતા છે, બાકી હું તો છું શક્તિનો સ્ત્રોત. શક્તિનો અખૂટ ભંડાર ભરેલો છે સ્ત્રીમાં અને એટલે જ અમને સ્ત્રીઓને નિષ્ક્રિય બનાવી દેવા જાતજાતનાં બંધનમાં બાંધી છે, સાથે જ ફરજોની બેડી પણ પહેરાવી છે, છતાં મારે તો ઉડવું છે આકાશમાં.તમે મને બંધનોમાં જકડી, ફરજોની બેડી પહેરાવી, મારું આકાશ છીનવી લીધું પણ પણ હું હિંમત તો નહીં જ હારૂં.
હું સક્રિય રહી મનોબળ મક્કમ કરીશ, મારાં નિર્ણયમાં રહીશ અડગ.પાછીપાની નહીં જ કરું.
આભમાં ઉડવાનાં, આભને આંબવાનાં અથાગ પ્રયત્નો કરીશ.ફરજોની સાથે ઉડીશ અને સફળતા મેળવીને જ જંપીશ.મારાં મનોરથો પૂર્ણ કરીને જ જંપીશ.”
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
*******************************
NOG SS No :- 0038
વિષય :- સફળતા , નિષ્ફળતા
વિભાગ :-ગદ્ય
શીર્ષક :-સફળતાની એકલતા.
માણસ ઘણીવાર સફળતાની પાછળ એટલો ભાગે છે કે, એના પરિવાર કે મિત્ર મંડળ ને ગણકારતો નથી…બસ સફળતા મેળવાનો નશો એને એવો ચડી જાય કે એ જાણે પોતાને પણ ભૂલી જાય છે.
પણ જ્યારે એ સફળતા મેળવે છે, ત્યારે એની ખુશી મનાવવા એની પાસે કોઈ નથી હોતું. એ એકલતા અનુભવે છે ને સફળતાનો આનંદ નથી ઉઠાવી શકતો.
દોસ્તો ! સફળ થવા જરૂર પ્રયત્ન કરવો પણ જ્યારે સફળતા મળે ત્યારે એની ખુશી મનાવવા તમારી પાસે
પરિવારને મિત્રોનું ટોળું હોવું જોઈએ. તોજ તમે સફળતાનો
આનંદ મેળવી શકો. નહિ તો એકલતા તમને કોરી ખાશે.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
*******************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ” નિષ્ફળતા જ સફળતાનું ઝરણું ”
નિષ્ફળતામાંથી જ સફળતાનું ઝરણું પ્રગટે છે . જીવનમાં સફળતા મેળવવી હોય તો સકારાત્મક વિચારધારા જોઈએ .ધીરજ રાખી મહેનત કરવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. જે માણસ અકળાય છે , હતાશ થાય છે તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી .
કોઇએ લખ્યું છે કે ,
” છે કઠણ માર્ગો ઘણાં,
વિશ્વાસ તો પણ છે અટલ .
સંકટોને જોઈ હિંમત,
હારનારો હું નથી ,
છે હૃદયમાં રોશની એ ,
બોલવાને ના કરી ,
પારકાં તેજે પ્રકાશેલો ,
સિતારો હું નથી .”
જે માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ છે, શ્રધ્ધા છે, સફળતા પ્રાપ્ત કરવાની જેને ધૂન સવાર થઈ હોય છે એવા માણસો જીવનમાં કદી પાછા પડતાં નથી .
સફળતા મેળવવા માટે ક્યારેય નિષ્ફળતાથી ડરવું નહીં પણ નિષ્ફળતાને જ સફળતાનું પગથિયું બનાવીને આગળ વધવું જોઈએ . આપણે વીજળીના શોધક આલ્વા એડિસનને યાદ કરીએ તો એમણે કેટલી ધગશથી પ્રયોગો કર્યા હતા. અનેકવાર નિષ્ફળતા મળવા છતાં પણ ક્યારેય ડગ્યા નહોતાં . મિત્રો પણ એમનો સાથ દેવા જ્યારે તૈયાર નહોતા ત્યારે એમણે મિત્રોને કહ્યું હતું કે આપણે જેમ જેમ નિષ્ફળ જઈએ છીએ તેમ તેમ સફળતા નજીક આવતી જાય છે અને એમનો આ જ આત્મવિશ્વાસ એક દિવસ એમનાં જીવનમાં સોનેરી સૂરજ બનીને આવ્યો અને એમની અથાગ મહેનતે વીજળીની શોધ કરીને સાબિત કરી બતાવ્યું કે જીવનમાં સફળતા મેળવવી હોય તો હંમેશા સકારાત્મક વિચારો જ રાખવા જોઈએ. ધીરજ રાખી મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે. નિષ્ફળતાથી હતાશ થવાને બદલે સફળતા ક્યાંથી મળશે ? એનાં રસ્તાઓ શોધો . વારંવાર શોધતાં રહો તો જરૂર સફળતા તમારા કદમ ચૂમશે.
ટૂંકમાં એટલું નક્કી જ છે કે નિષ્ફળતા જ સફળતાનાં શિખરે પહોંચાડે છે . નિષ્ફળતામાંથી જ સફળતાનું ઝરણું પ્રગટે છે . પરંતુ એ માટે ધીરજ , ઉત્સાહ , આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચારધારા અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરવાનો અભિગમ રાખવો જોઈએ .
પ્રદીપ રાવલ . સંચાલક
તા.૨૫-૭-૨૦૨૧
********************************
NOG SS No. – 0063
વિષય – સફળતા – નિષ્ફળતા
વિભાગ – ગદ્ય (માઈક્રોફિક્શન)
શબ્દ – ૮૦
શીર્ષક – ‘મીના’
અથાગ પરિશ્રમ છતાંય એક તો નિષ્ફળતા કેડો મુકવાનું નામ ન્હોતી લેતી. વળી, પુરુષોનાં એકાધિકાર અને પ્રભુત્વ ધરાવતી રમત એટલે સામાજિક અને કૌટુંબિક ટીકાનો સામનો તો ખરોજ. આ બધાં પરિબળોની વચ્ચે માતાનાં સહકાર અને ૨૦૧૬માં પાનવાળાની દુકાનની બાજુમાંથી નીકળતી વખતે ટીવીમાં જોયેલ, રીઓ ઓલમ્પિકમાં ભારતીય મહિલાઓની અનેક સંઘર્ષને મ્હાત આપી આત્મવિશ્વાસ થકી મેળવેલી ઝળહળતી સફળતાની અભૂતપૂર્વ ગાથાએ, અનેરી શક્તિનો સંચાર કર્યો.
અને..
આજે એજ પાનની દુકાને ટીવી જોતાં ઊભું આખું ગામ અને કુટુંબ મીનાની સિધ્ધિને તાળીઓથી વધાવતું ગર્વ લ્યે છે.
✍️ – રીટા ભાયાણી
********************************
NOG SS No. 39
વિષય-“સફળતા-અસફળતા-
નિષ્ફળતા”
પ્રકાર — ગદ્ય – લેખ
શીર્ષક — મંડ્યા રહેવું
શબ્દો – ૩૪૮
તારીખ -૨૫-૧-૨૧
નક્કી કરેલું ધ્યેય મહેનતથી સિદ્ધ થાય એ સફળતા. સિદ્ધ ના થાય અને એ કાર્ય કરવાનું માંડી વાળીએ એ નિષ્ફળતા પણ સફળતા ના મળે તો ફરી એ સિદ્ધ કરવાનું નક્કી કરીને પ્રયત્નો ચાલુ રાખીએ એ નિષ્ફળતા નથી.
*ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.* વિવેકાનંદજીનું આ કથન દરેક માટે પ્રોત્સાહનરૂપ છે. સફળતા મળે ત્યાં સુધી હાર્યાં કે થાક્યાં વગર કામ ચાલુ જ રાખે એને ચોક્કસ એક દિવસ સફળતા મળવાની જ.
સફળતા મેળવવા પાછળ ઘણાં બધાં પરિબળો હોય છે. સૌથી પહેલાં તો એક લક્ષ્ય નક્કી કરવું પડે. એ લક્ષ્ય સુધી પહોંચવાના અનેક રસ્તા હોય. વારંવાર રસ્તો બદલવાથી સમય બગડશે અને ક્યાંથી જવું એ વાતે અસમંજસમાં ડૂબી જવાશે. માટે બરાબર વિચારીને એક રસ્તો નક્કી કરવો જોઈએ. જે કંઈ કરો એ પૂરાં આત્મવિશ્વાસ સાથે કરવું જોઈએ કારણકે વ્યક્તિનો એની જાત ઉપરનો ભરોસો સફળ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આત્મનિર્ભર બનીને જે કરવું હોય એ જાતે જ નક્કી કરવું. કોઈ પણ કાર્ય કંટાર્યા વગર પ્રેમથી, લગનથી કરવામાં આવે તો કાર્ય કરવાની મજા આવશે અને એ જલ્દી પૂરું થશે. ગમતું સંગીત સાંભળવું, ગીત ગાવું, મન ખુશ રહે એવા સકારાત્મક વિચારો કરવા એ વ્યક્તિનાં ઉત્સાહમાં વધારો કરે છે. કાર્ય લાબું હોય, અઘરું હોય ત્યારે કાર્ય કરવાનો ઉત્સાહ ઓછો ના થાય એવા પ્રયત્નો કરવા બહુ જરૂરી છે. તકલીફ પડે કે નિષ્ફળ થવાની શકયતા લાગે ત્યારે અકળાયા વગર સ્વ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. તન થાકી જાય પણ મન હારવું કે થાકવું ના જોઈએ. મનોબળ મક્કમ હશે તો જીત ચોક્કસ થશે જ.
સમયનું યોગ્ય પાલન, સખત મહેનત, સકારાત્મક અભિગમ, પોતાની ખામીઓની ઓળખ, સ્વસ્થ તન અને મન હશે તો પુરુષાર્થનાં પગલે સારું પ્રારબ્ધ આવશે જ.
*સિદ્ધિ એને જઈ વરે, જે પરસેવે ન્હાય.* પણ આજે પરસેવે ન્હાવું પડે એવી મહેનત કરવી ગમતી નથી. જેઓ અભણ, ગરીબ અને લાચાર છે એમને તનતોડ મહેનત કરવી પડે પણ જેની પાસે સારું બુદ્ધિધન છે, શિક્ષિત અને સાહસિક છે તેઓ એસી.ઓફિસમાં બેસીને તનને નહિ પણ મનને કસીને પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે અને સારી આવક પણ મેળવે છે. આમ સફળતા મેળવવામાં શિક્ષણ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”