ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૩ ગદ્ય ૨ પદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૭ (૨૫-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
(નોધ : ઉપરોક્ત વિષયક રચનાઓ પ્રસિદ્ધિ છેલ્લો દિવસ)
********************************
NOG SS No:0099
શબ્દ : માયા-મોક્ષ, પ્રાણ-પ્રકૃતિ
વિભાગ: ગદ્ય
શબ્દો:117
શીર્ષક: મોહની માયાજાળ
‘આ સંસાર અસાર છે’ એવું જાણવા છતાં પણ આપણે સંસારમાં રહીને વિરક્ત બની શકતા નથી. દરેક મનુષ્ય આજીવન મોહની માયાજાળમાં અટવાયેલા જ રહે છે. કાયા જરઠ થઈ જાય છતાં મન સંસારની માયા છોડી શકતું નથી. સંસાર તરફની આશક્તિને કારણે લોભી આત્માને મોક્ષ મળતો નથી. સ્પૃહાથી કરેલ કર્મો કદી ફળતા નથી, નિઃસ્પૃહ રહીને કર્મો કરનારા મનુષ્યોના આત્માનું કલ્યાણ થાય છે. વળી, મનુષ્યના સ્વભાવમાં ક્રોધ વણાયેલો જ રહે છે, તેનો કદી ત્યાગ કરી શકાતો નથી.
‘હું અને મારું’ એમ ‘સ્વ’ની આસપાસ રહીને બનેલ કૂંડાળુંની બહાર નીકળવું અશક્ય છે. વળી, સંસારીઓ સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરવા અસમર્થ છે. ‘હું અને મારો પરિવાર’થી શરૂ કરેલ સ્વાર્થભર્યા કર્મોની કોઈ સીમા જ નથી. એમાં પરોપકાર કે પરમાર્થની ભાવનાને કોઈ સ્થાન નથી.
🖋️ ભાવના મિસ્ત્રી ‘અભય’ (વલસાડ)
*******************************
*N.O.G.S.S.No* .19
*વિષય…* *મોક્ષ…માયા*
*શીર્ષક… છૂટકારો*
હંસાબેન પોતાનાં પતિનાં આકસ્મિક અવસાન બાદ બંને પુત્રો.. જય,અને અક્ષરને સંભાળવામાં ઝઝૂમી રહ્યાં. બંને પુત્રોને સારું ભણાવી સમાજમાં માનભેર સ્થાન અપાવવામાં એ સફળ રહ્યાં. બંને પુત્રો પરણી પણ ગયાં. હંસાબેન હવે ઝાઝી મોહ..માયામાં રહેવાનાં બદલે જાતને મોક્ષ મળે એવી પ્રવૃત્તિ કરવાં લાગ્યાં. રોજ યોગ-ક્લાસમાં, વૃદ્ધાશ્રમમાં, મંદિરમાં વધારે સમય ગાળવા લાગ્યાં. એ પોતે પ્રામાણિક હોવાથી દરેકને મદદરૂપ થતાં.
એક દિવસ ક્લાસમાં થી આવ્યાં, તો બન્ને ભાઇઓની વાત સાંભળી ગયાં. બંને ઇચ્છતાં હતાં કે મમ્મી એમનાં પૈસા શેરબજારમાં રોકવા આપી દે તો સારું.
હંસાબેન કંઈક નક્કી કરી એમનાં યોગ સાથી મિત્રની સલાહ લીધી.એ ભાઈએ આવું કરવાનાં બદલે કંઈક બચતફંડમાં રોકવાની સલાહ આપી.આથી બંને ભાઇઓની વાત હંસાબેને ન માની, અને પેન્શન યોજનામાં રોકાણ કર્યું. બંને પુત્રો નારાજ થઈ ગયાં. વહુઓ પણ જે સુશીલ દેખાતી હતી એનો મુખવટો ઉતરી ગયો. હંસાબેન ખુદને પ્રશ્ન પૂછવાં લાગ્યાં કે શું મારી રકમ જ આ લોકો માટે સર્વસ્વ છે? હું તો એમનાં સુખમાં ક્યારેય આડી આવતી નથી. આટલાં વર્ષો થયાં છતાં હું તો હજુ ત્યાં ની ત્યાં જ લાગી રહી છું. મારે કોઈ માયા કે લોભ નથી, પણ હવે આ રકમ હું મારી ઇચ્છા મુજબ વાપરીશ.
એમણે મકકમ નિર્ણય કરી એક બાલાશ્રમ ખોલવાનો નિર્ણય કર્યો. બાકીની જીંદગી અનાથ બાળકોની માતા થવાનું નક્કી કર્યું. એમની મમતા નો જાણે મોક્ષ થયો.. એમ ભવિષ્ય જોઇ રહ્યાં.
*કલ્પનાબેન* *ત્રિવેદી સુરેન્દ્રનગર*
†*******************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- માયા – મોક્ષ , પ્રાણ- પ્રકૃતિ..
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- માનવીય પ્રકૃતિ ને મોક્ષ
******************************
પ્રદીપભાઈએ ૧૪ જુલાઈએ “આવાઝ દે કે” વાળો વિડિયો ગ્રુપમાં મૂકેલો. જોઈને મનોમંથન થયું. હાલની સામાજિક પરિસ્થિતિની સચ્ચાઈ દર્શાવતો વિડિયો..
એક એક દિવસ કરતાં ક્યારે જિંદગી આથમી જાય છે ..ખબર જ નથી પડતી.. એમ થાય છે હાલ થોડું કમાઈ લઈએ..પછી શાંતિથી જીવીશું! અને હકીકતે એ જીવવાનું રહી જ જાય છે..
શું આ જ માનવ જીવનની “મોહમાયા” કે બીજું કાંઈ?
પંખી જેવું જીવન છે!.. દાંતે તરણાં ભેગાં કરી માળો કરીએ.. અને જેને માટે બાંધીએ એ કામધંધે દેશાવર જાય.. ને વિશાળ માળો સૂનો પડે!..
ગામડામાં મોટાં હવેલી જેવડાં ધરો સાવ સૂનાં ને ખંડેર પડ્યાં છે..
જ્યારે સ્વાથ્ય સારું તો ફુરસદ નહિ અને સાવ ફુરસદ હોય ત્યારે સ્વાથ્ય ગાયબ..આજ જીવનની પ્રકૃતિ..પણ આપણે એમાંય એને માનવીય સ્વભાવની પ્રકૃતિ કહી બચાવ કરીએ.
મનોમંથને કવિ શ્રી પ્રહલાદ પારેખના “અતિસુખનું દુઃખ” કાવ્યની પંક્તિઓ યાદ આવી..
અંતર ભરપૂર :
દેવે દીધું મને માગ્યું જે જીવને,
તો ય કાં આકુળ ઉર ?
રૂપરાશિ મમ અંગે અંગ;
છલકતા ઉર સુખતરંગ;
ધન-વૈભવ સકલ સંગ
શાના આ કરુણ સૂર? અંતર..
ક્યારેક અતિસુખ કે જીવનની સાહ્યબીની ભરપૂરતા મનની વ્યાકુળતાનું કારણ બને છે. અને સમાજમાં કંઈ કેટલાય ધન-વૈભવમાં આળોટતાં ધનિક અને રાજવીઓએ “ब्रह्म सत्यं। जगत मिथ्या।” સ્વીકારીને સંસાર ત્યાગી, મોક્ષનો માર્ગ લીધો.
જેમાં શંકરાચાર્ય, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, રાજા ભર્તુહરિ જેવા અનેક સાધુ-સંતોએ નિજાનંદની મસ્તીનો માર્ગ લીધો, પણ તેઓની પત્નીઓ પતિ વિના સંસારમાં રહીને ધર્મને માર્ગે ચાલી. કેટલું કપરું! આવી કલ્પના માત્ર થી લખલખું વ્યાપી જાય.. એ જ વસ્તુ રાજા જનક જેવા સંસારી એ સંસારમાં રહીને મોક્ષની ગતિ સાધી.
મારા મતે..જરૂર છે સંયમ, સમતાનું વિવેક બુદ્ધિ સાથેનું સાયુજ્ય અને અનુસંધાન એ જ સાચો મોક્ષ!..
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*******************************
NOG SS No :0064
વિષય : મોક્ષ / માયા
શીર્ષક : કળયુગનો કૃષ્ણ
સડસડાટ વહેતી જીંદગી,
પળની ક્યાં નવરાશ છે?
આત્મા ટટોળવા સમય નથી,
માણસ માણસનો ક્યાં થાય છે?
અમીરીની ચળકાટ એવી,
પોતાનાં ઘરમાં જ ખોવાય છે;
જ્યાં શબ્દોનો વ્યવહાર નથી
ત્યાં કલાનો કદરદાન ક્યાં થાય છે?
બે ઘડીની નિંરાત ઝંખતો,
કંઈ ધનનાં ઢગલે આળોટાય છે?
સિમેન્ટના આ શહેર વચ્ચે,
માણસાઈનાં દીવા ક્યાં પ્રગટ થાય છે?
મોહ માયા ન સ્પર્શી જેને,
એ તો પ્રભુમાં લીન થઈ જાય છે.
કળયુગનો બાળ કૃષ્ણ,
સંઘર્ષમાં પણ મલકાય છે.
અંગે રેશમી અંગરખું નથી,
મેલાં કપડે પણ સોહાય છે.
નથી પારખી શક્યો મનુષ્ય,
બાળ માધવની લીલા થાય છે.
કળયુગનો કૃષ્ણ છેડે રાગ,
સૂર મધૂરા માયા લગાડી જાય છે.
નેહા બગથરીયા
********************************
NOG.SS NO – 0050.
વિષય – મોક્ષ
શીર્ષક – મુક્તિ પામવાં.
……………………………….. આત્માએ પરમકૃપાળુ પરમાત્મા નો અંશ છે..!
કર્મનાં બંધનને લીધે જગતમાં અવતરે..!
પડછાયો ભીતર કૂદકા મારે..!
અઘરું છે જીવન ..!
અંધકાર રૂપી કર્મભૂમિ પર અંકુરિત થાય…!
મોક્ષ એટલે મુક્તિ..!
જીવતા જ….!
“હું મુક્ત છું” ..!
પોતાનામાં જ જાગૃતિ હોવી જોઈએ..!
આજ્ઞાથી આત્મા મુક્ત કરવો પડે..!
આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, મનુષ્ય દેહેનાં જ્ઞાની પાસે જ જવું જ પડે …!
મોક્ષની ગલ્લી સાંકડી ,
અટપટી, ભુલભુલામણીવાળી, જ્ઞાન વગરની…!
માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચલાવશે..!
જ્ઞાની પુરુષની કૃપા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે…! આત્મા આખા બ્રહ્માંડનો સૌથી મોટો ન્યાયાધીશ ગણાય છે..!
આત્મજ્ઞાન પ્રાપ્તિ થશે રાગ,દ્વેષ ,વિના શાશ્વત મુક્તિ પામેલો જીવ…!
મોક્ષ માટે ભવોભવ બંધનમાંથી મુક્ત થવું ..!
હોય તો..!
કઠિન તપસ્યા કરવી પડે..!
જ્ઞાન મેળવીને બંધનોથી મુક્ત કરે..!
પુસ્તકો વેદો છે,
વેદો શૂન્ય છે ..!
મોક્ષ કેવી રીતે પામી શકાય..!
ધર્મ ,અર્થ, કામ અને મોક્ષ..! મોક્ષના બે અર્થ ..!
મુક્તિ અર્થાત બંધન..!
જેલમાં પુરાઈ ને છૂટી જાય એ મુક્ત ..!
કર્મની જેલ મોટી..!
ફળ અનેક ભોગવવા પડે..!
ભવ બંધન નું ચક્ર ચાલે..! બંધન છૂટી જાય..!
ત્યારે મોક્ષ થયો કહેવાય..! બીજો અર્થ મોહનો ક્ષય..! મોહમાં કામ, ક્રોધ, લોભ,દોષ, આસક્તિ,મમત્વ આદિ વિકારો સમાયેલાં છે..! સંસારનાં પાત્રો ક્રિયાઓ ઈચ્છાઓ બંધનથી નીકળીને,
જીવને ભગવાનની સાથે બંધાય ત્યારે મોહનો ક્ષય થયો કહેવાય…!
ભાગવતમાં પણ પરીક્ષિતે…! શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળ્યું..!
ત્યારે એનો…!
મોક્ષ થયો હતો..!
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ, કાંદિવલી
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી