ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ, રચના
વિષય : ” કથની – કરણી “‘ ” સુખ : દુઃખ ” વિષયક..રચનાઓ દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0079
વિષય : કથની કરણી
શીર્ષક : મહોરું
પ્રકાર : ગદ્ય
::::::::
કથની શું ને કરણી શું , એ વાત સમજવી ભારે. આવી વ્યક્તિ જ્યારે
જીવનમાં ભેટે ત્યારે હલચલ મચાવે એમાં બે મત નહી.
આવી મહોરા પહેરેલી વ્યક્તિથી ભગવાન જ બચાવી શકે. તેમને સમજવાનો વ્યર્થ પ્રયત્ન કરવો હિતાવહ નથી.
માણસ કહે કાંઈ અને કરે કાંઈ. બાળકને શિખવાડીએ ખોટું નહી બોલવાનું . અણગમતાનો ફોન આવે તો બાળકને કહે , મા ઘરમાં નથી . એમ કહી દે. બાળક મા સામે ટગર ટગર જોયા કરે .
આ તો સામાન્ય વાત થઈ . પરિવારમાં , મિત્રતામાં જ્યારે આવા અનુભવ થાય ત્યારે માયાના આવરણ ખંખેરાતા જાય.
કરણી અને કથનીમાં સામ્ય રાખનારને મોહરા પહેરવાની આવશ્યકતા નથી જણાતી.
સહુના ગમતા થવા માટે , માણસ ચાલતી ગાડીનો મુસાફર બની જાય છે. અંતરનો અવાજ સાંભળવાનું પસંદ કરતો નથી.
ભલે લાખ અવરોધ નડે. સમાજ તમને ન આવકારે. કરણી અને કથની સમાન રાખવાનો પ્રયત્ન ત્યજવો નહી. સ્વની સાથે પરમ શાંતિનો અહેસાસ થશે.
મુખ પર ચિંતાની વાદળી નહી જણાય. આનંદ અને ઉમંગ જણાશે.
પ્રવિણા કડકિયા.હ્યુસ્ટન.અમેરિકા
********************************
NOG SS No : 0077
*વિભાગ:ગદ્ય,લેખ*
*શબ્દ સંખ્યા:350*
*વિષય:કથની અને કરણી*
*શીર્ષક:હાથીનાં દાંત*
જીવનમાં કહેવું અને કરવું એમાં આસમાન-જમીનનો ફેર છે.મોટી મોટી વાતો કરનાર , વચનો આપનાર અને સાથે સાથે જીવવા -મરવાનાં કોલ આપનાર ક્યારેય એમનું બોલેલું પાળતા નથી.
અરે ,બોલીને તરત જ ફેરવી તોળવું એમનાં લોહીમાં હોય છે.
અભી બોલા અભી ફોક…! એ કહેવત અમસ્તી થોડી પડી હશે ?
કશું પણ કરવા માટે કહેવાની જરૂર નથી પડતી,પછી એ દાન હોય કે સેવા હોય .
ઘણાંય એવાં લોકો મેં જોયા છે કે પોતે ગુપ્ત દાન કરે ,એનો લાગતાં વળગતાં સામે ઢંઢેરો પીટે અને પાછાં એમ કહે કે ,”જોજો..વાત બહાર જાય નહીં..!”
બોલો, આવા લોકોની કરણી અને કથનીને તમે શું કહો? જવાબ છે ,નર્યો દંભ.
કામ કહીને કરવાવાળા તો ચોક્કસ રાજકારણી બની શકે !
એમાં એમની ગજબની ફાવટ હોય છે. કોરોનાકાળમાં ઘણાંય લોકોને જોયાં કે જેમણે દિવસ-રાત કાર્યરત રહી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને રાહતની સામગ્રી પહોંચાડી, આર્થિક સહાય આપી, દવાનો ખર્ચો સહજતાથી ગુપ્ત રીતે ઉપાડી લીધો.
આવા લોકો ભૂગર્ભમાં રહી ,લો પ્રોફાઇલથી અને શાંતિપૂર્ણ કામ કરે છે.એમનાં કામોની સોશિયલ મિડિયા પર એકપણ પોસ્ટ જોવા મળતી નથી.કામ કરીને, એનો ઢોલ પીટવો એમની તાસીરમાં જ હોતું નથી.
બાકી આપણે જોયું હતું કે કોરોનાનાં બીજા વેવમાં ઢગલાબંધ લોકો અનાજ કરિયાણાંની કિટ, દવાઓનાં દાન કરતાં કે હોસ્પિટલમાં ભોજન પહોંચાડતાં ફોટોગ્રાફ્સ ન્યુઝ પેપરમાં કે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી વાહવાહ લૂંટતા હતાં.પછી એ ધાર્મિક સંસ્થાઓ હોય, મોટા ધર્મગુરુઓ હોય કે મોટિવેટર સ્પીકર્સ હોય…!
ધર્મગુરુઓ અને મોટિવેટર સ્પીકર્સ પોતે જે ઉપદેશ આપે તેને ક્યારેય અનુસરતાં નથી. ત્યાગ,લોભ, લાલચ,ક્રોધ,ઈર્ષા અને મોહ આ બધાંથી દૂર રહેવા આપણને સમજાવશે – ઉપદેશો આપશે ,પણ પોતાનાં પર એનું અનુસરણ ભાગ્યે જ કરે.
મોંઘીદાટ લક્ઝુરીયસ કાર,એ.સી વાળા વૈભવી આશ્રમોમાં ત્યાગની કથની સાંભળવી ક્ષુલ્લક લાગે..!
મોટિવેટર સ્પીકર્સ સામાન્ય રીતે લોકો આગળ દ્રઢતા અને મજબૂત મનોબળની વાતો કરે, છતાંય હાલમાં જ એક ખ્યાતનામ મોટિવેટર સ્પીકર પોતે હતાશાનો ભોગ બન્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે કહેવું અને કરવું એ બેય વાત સાવ અલગ બાબત છે.
દાંત દેખાડવાનાં અને ચાવવાનાં અલગ હોય છે. ટૂંકમાં હાથીનાં દાંતની ઉપમા બંધબેસતી લાગે.
કથની અને કરણી એ બેમાં બહુ મોટી ખાઈ છે. કથની અને કરણી એક સરખી હોય એવાં લોકો હાલનાં સમયમાં જૂજ અને જવલ્લેજ જોવા મળે છે.એને માટે બેબાક અને બાહોશ હોવું એ સૌથી પહેલી શરત છે.
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************************
NOG. સાહિત્ય સરિતા
NOG SS No. – 0063
વિષય – કરણી-કથની
વિભાગ – ગદ્ય
પ્રકાર – ટૂંકી વાર્તા
શીર્ષક – ‘ચાચા’
નાનપણથી વારેતહેવારે ચોકલેટ, બિસ્કિટ લેવા ચાચાની દુકાને જતાં સૌરભને દરવાજા બહાર ટેબલ ઉપર પડેલી, ‘સખાવત’ માટેની કાણાંવાળી પેટી જોઈ કુતુહલ થતું. અતિ મધ્યમવર્ગીય બાળકને મનમાં વિચાર આવતો, ખરેખર કોઈ પાસે એવાં પૈસા પણ હોય જે આમ દાન કરી શકે. ક્યારેક થતું, અહીં આખો દિવસ બેસીને જોવ કે, કોણ એમાં પૈસા નાખે છે? વળી,સમયાંતરે ચાચા કહેતાં પણ, આ વખતે તો અઠવાડિયામાં પેટી ભરાઈ ગઈ. સૌરભને વિચાર આવતો, પેટી તો કાયમ ચાચા પાસે જ રહે તો જરુર પડ્યે એને એમાંથી લેવાનું મન નહીં થાતું હોય? નબળી ક્ષણે બાપુને પૂછી, ખીજ પણ ખાધેલી, ” દાનમાં મળેલ રકમ તો ગાયમાટી બરાબર કહેવાય, નસીબદારને આવું કાર્ય કરવાનો મોકો ઈશ્વર આપે છે.” જેમજેમ સૌરભ મોટો થતો ગયો એમ એણે જોયું કે, વારેતહેવારે ચાચાના ખાસ ઓળખીતા લોકો શેરીએ શેરીએ, દુકાને દુકાને ફરી ને ફાળા પેટે પૈસા ઉઘરાવતા અને કહેતા, ‘આપવું તમારી ફરજ અને લેવું અમારો હક છે. ગરીબોને ભોજન, કપડાં, ભણતર માટે ચોપડા, દફતર વગેરે કેટલી મદદ, ચાચા નિઃસ્વાર્થ ભાવે કરે છે.’
સૌરભ તો મોટો થઈ શહેરમાં જતો રહ્યોં. ક્યારેક ગામે આવતો. લગભગ ચાચાની દુકાને કોઈ બીજું જ બેઠેલું દેખાય. એને આશ્ચર્ય થાય, પણ ક્યારેય પૂછ્યું નહીં. હા,પેટી એના સ્થાને અકબંધ હતી. માતાપિતાના એકપછી એક મૃત્યુ, નવી દુનિયા, જીવનના નવા સોપાનો સર કરવાની દોડધામ વગેરેમાં, પોતાનું ઘર, ગામ, ચાચા બધીયે યાદો ધીમેધીમે ધુંધળી થવા લાગી.
અતિ ખુમારી અને જે ઈચ્છ્યુ તે મેળવ્યાના આનંદ સાથે આજે સૌરભ ‘જજ’ તરીકેના જીવનની, પ્રથમ કેસની સુનાવણી માટે ખુરશી ઉપર ગોઠવાયો.
ગુનેગારના કઠેડામાં ઉભેલા, વિચિત્ર અને નિષ્ફિકર હાસ્ય ફરકાવતા, વિશાળ રસાલા સાથે આવેલી વ્યક્તિને જોઈ, એની આંખો સાશ્ચર્ય આઘાતથી ફાટી રહી ગઈ. વિસ્ફારીત આંખે સ્થળ કાળનું ભાન ભૂલી એનાથી રાડ પડાય ગઈ.
‘આ શું? દેશનો મોસ્ટ વોન્ટેડ દાણચોર, અનેક ખૂનનો આરોપી, ખંડણીખોર, હ્યુમન ટ્રાફિકીંગનો બોસ…બહુરૂપી ચાચા તમે?’ એ બરાડી ઉઠ્યો.
‘ઓહોહો.. તો કથની અને કરણીમાં આસમાન જમીનનું અંતર હતું.’ સૌરભ ખિન્ન થઈ ગયો.
– રીટા ભાયાણી.મીઠાપુર
********************************
NOG SS No/0097
વિષય:સુખ-દુ:ખ,કરણી-કથની
પ્રકાર:ગદ્ય
શીર્ષક : ઘટનાચક્ર
સુખ દુ:ખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડીયાં,
ટાળ્યા તે કોઈના નવ ટળે,
રઘુનાથના જડીયા.
સુખ અને દુ:ખ એ એવું ઘટના ચક્ર છે કે દરેક વ્યક્તિએ એમાંથી પસાર થવું જ પડે છે. ખરેખર સુખ અને દુ:ખ મનનું કારણ વધુ છે. સમાજે જે પરિસ્થિતિને સર્વ સામાન્યરીતે સ્વીકારી હોય એ પરિસ્થિતિમાં જે વ્યક્તિ અથવા પરિવાર ગોઠવાય ગયો હોય.એ વ્યક્તિ અથવા પરિવારને સમાજ સુખી માનશે. અને જે પરિસ્થિતિને સમાજે નથી સ્વીકારી.એવી પરિસ્થિતિમાં જીવનારને સમાજ દુ:ખી માનશે.હવે ખરેખર જોઈએ તો દરેકે પોતે પોતાની જીવનશૈલી નક્કી કરવાની હોય છે. દરેક પરિસ્થિતિમાં સમતુલન જાળવી શકાય.એ રીતે પોતે અને પરિવારના સૌને તૈયાર રાખવા જોઈએ. ધાર્યું ધણીનું જ થાય છે. એવું વિચારી હાથ જોડીને બેસી પણ ન જ રહેવાય. સંજોગોને તાબે થયા સિવાય હિંમતથી પરિસ્થિતિ સંભાળવી જોઈએ. દુ:ખને રળવાથી ઓછું નથી થતું. દુ:ખ અને સુખ સિક્કાની બે બાજુ છે.દુ:ખ પછી સુખ રાહ જોઈને ઊભું જ હોય છે.કદાચ દુ:ખને રસ્તે થઈને જ સુખનું સરનામું મળતું હોય છે.દરેક પરિસ્થિતિ પ્રભુ ને આધીન જ હોય છે.એ કયારેય ન ભૂલીએ. સુખમાં છકી જઈને કોઈની સાથે અણછાજતું વર્તન ન કરીએ. ઘટનાચક્ર ફેરવાશે અને આપણે એ જ વ્યક્તિ પાસે મદદ માટે જવું પડે એવું બની શકે. માટે સ્વભાવ સંતુલિત રાખીએ.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ.વડોદરા
********************************
NOG.SS NO.0095
વિષય :– કથની – કરણી
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ છૂપો ચહેરો “
કથની અને કરણી એટલે શું ? તો આપણે એમ પણ કહી શકીએ કે , “ દેખાડવાના જુદાં અને ચાવવાના જુદા .” હા ઘણીવાર આપણે એવા સમાચારો પણ જાણતા હોય છે કે જ્યાં માનવ કલ્યાણની વાતો થતી હોય છે . રાજનેતાઓ ઠાલા વચનો આપે છે પણ જ્યારે એનો અમલ કરવાનો સમય આવે ત્યારે પરિણામ શૂન્ય !
ઘણીવાર આપણે એવા ‘ ઠગભગતો ‘ કે બની બેઠેલા સાધુ સંતોના ખૂબજ સમાજ ઉપયોગી પ્રવચનો પણ સાંભળતા હોઈએ છીએ .ધર્મ વિશેની ખૂબજ સારી સારી વાતો કરનારાં એજ સમાજ સુધારકો એજ ધર્મની આડમાં રહીને ના કરવાનાં ઘણાં જ ખરાબ કામ કરતાં હોય છે .ત્યાં એ સાબિત થતું દેખાય છે કે કહેવાનું ને કરવાનું બેઉ આવા લોકો માટે જુદું હોય છે .
એક મહિલા સેવા સમાજની સંસ્થામાં વાર્ષિક દિનની ઊજવણી નો કાર્યક્રમ હોય છે . એમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા એક મહિલા સેવિકા ખૂબજ સુંદર પ્રવચન આપીને લોકોની વાહવાહી મેળવે છે .વાત હતી નારીની સુરક્ષા અને માન સન્માન ની ! તેમણે મા – દીકરી , સાસુ – વહુ નાં સંબંધ વિશે ખૂબજ અસરકારક પ્રવચન આપ્યું . લોકોએ તાળીઓનાં ગડગડાટ સાથે તેમને વધાવી લીધાં . બે દિવસ પછી સોસિયલ મિડિયા માં એક વીડિયો વાયરલ થયો જેમાં એજ સમાજ સેવિકા પોતાની જ પુત્રવધુ પર દહેજ બાબતે મારપીટ કરતાં નજરે દેખાતાં હતા .બીજે દિવસે પેપરમાં સમાચાર આવ્યા , મથાળું હતું , “ એક આગેવાન મહિલા સમાજ સુધારકે પોતાની પુત્રવધુને દહેજની માંગણી કરીને ઢોર માર મારીને હત્યા કરી .” જુઓ આને કહેવાય કથની જુદી કરણી જુદી .
એક ગામમાં શાળામાં શિક્ષકદિનની ઊજવણી કરવામાં આવી . આચાર્યએ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું કે વિદ્યાર્થી મિત્રો તમે આવતીકાલનાં શિક્ષકો , નેતાઓ , અને સમાજનાં ઘડવૈયાઓ છો . તમારા વિચારો , વર્તન અને વ્યવહારમાં ક્યાંય જુદાપણું ન હોવું જોઇએ . ‘ કથની તેવી કરણી ‘ નાં સિદ્ધાંતને અનુસરીને જ જીવનમાં આગળ વધજો . છેલ્લી લાઈનમાં બેઠેલો એક વિદ્યાર્થી બોલ્યો ,
“ સાહેબ થોડું મોટેથી બોલશો અહીં સુધી સંભળાતું નથી .”
ત્યાંજ આચાર્યનો અવાજ મોટો થયો ને જોરથી બોલ્યા , “ કોણ બોલ્યો એ ગધેડો ?” આ સાંભળતા જ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું . સરસ્વતી નાં મંદિરમાં જ આવું ?
આને કહેવાય “ કથની જુદી અને કરણી જુદી .”
દીપિકા ચાવડા “ તાપસી “.