ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૪ ગધ રચનાંં….
.વિષય : સામાજિક પરિવાર ની હૂફ..દિવસ – ૭
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO— 0103
વિષય- કોરોના
વિભાગ- ગધ
શીર્ષક-માનવતાની મહેંક
એક હતો ડોશો , અને એક હતી ડોશી. ઇશ્વર રચિત દુનિયામાં જન્મ થતાં તેઓનાં મા-બાપે નામ તો પાડયું હતું , પણ આજે ઘડપણે સંતાનો તરફથી મેળવેલી ભેટ ,એટલે તેઓનાં નામનું ડોશા-ડોશી નામમાં પરિવર્તન થયું હતું.
ડોશા-ડોશીનું જીવન, વૃક્ષ રૂપી વડલો બની ઘરને છાયામાં રાખી રક્ષણ કરતું હતું, પણ ધનની લાલસા સાથે સંતાનોએ વૃક્ષને મૂળિયાથી જ જુદું પાડી દીધું હતું.
ગામનાં અંતરિયાળ ભાગમાં રહેતાં ડોશા-ડોશીનું જીવન કષ્ટમય ,તો હતું,પણ આ કોરોનાની મહામારીમાં તો તેઓનું જીવન જીવવા માટે દુષ્કર બની ગયું હતું.
કોરોનાનાં ભયને, કારણે ગામનાં લોકો ગભરાઇને ઘરમાં જ કેદનું જીવન જીવવા મજબૂર બની ગયાં હતાં.ગામની શેરીઓ સૂમસામ બની ગઇ હતી.
દિવસભરનો અપવાસી ડોશો આજે ડોશીનાં ખાટલા આગળ બેસી તેની સારવાર કરતો હતો. આ મહામારીએ તેને મળતી નહિંવત મંજૂરી, પણ ઝૂંટવી લીધી હતી.
અશક્ત શરીરે,પણ ડોશીએ રામનામની માળા કરવાની છોડી
ન હતી.
પેટ્રોલિંગ કરતાં સુપરિન્ટેન્ડેન્ટ અજયસિંહની નજર ડોશા-ડોશીનાં ઘરનાં અર્ધ ખૂલ્લા બારણે પડી હતી.ઘરની પરિસ્થિતિ દરિદ્રતાની છડી પોકારતી હતી.
અજયસિંહનું લાગણી વત્સલ હ્રદય ડોશા-ડોશીની લાચારી જોતાં દ્રવિત થઇ રડી પડ્યું હતું.
થોડીવારમાં જ અજયસિંહ હાથમાં મહિનાભરનાં રાશન સાથે ડોશા-ડોશીનાં દરવાજે દસ્તક કરી ઉભો હતો.
ઇશ્વર કૃપા મેળવતાં ડોશા-ડોશીની આંખોમાં ઝળઝળિયાં બિન્દુ બની વર્ષી રહ્યાં હતાં.
ઇશ્વર તરફનાં વિશ્વાસે આજે જીત મેળવી હતી.
અજયસિંહ માટે લાગણી , અને પ્રેમ દર્શાવવા સંબંધની કોઇ લેબલની જરૂર ન હતી, પણ સ્વર્ગવાસી માબાપની યાદ આવતાં તેનામાં માનવતાનું પ્રાગટ્ય થયું.
અજયસિંહે ડોશા-ડોશીને દત્તક લેતાં તેનાં બાળકોએ બા-બાપુજીનાં નામથી સંબોધન કરીને ડોશા-ડોશીને આવકાર્યા હતાં.
બા-બાપુજીનાં નામનો અધિકાર પ્રાપ્ત થતાં તેઓનાં જીવનમાં નવ પ્રભાતનો ઉજાશ પથરાય ગયો હતો.
સંકડાશ ઘરની જગ્યામાં નથી હોતી,પણ લોકોનાં દિલમાં હોય છે.કોરોનારૂપી સંગ્રામની સામે ધર્મની ધજા લહેરાતી રહી હતી. આખરમાં અજયસિંહ જેવાં સેવાભાવી લોકોનાં પૂણ્યથી કોરોનારૂપી મહામારીનો અંત આવવાનો જ છે.
નિલમ દોશી
મુંબઇ
**************†**************†*
NOG SS No : 0048
વિષય – કોરોના – સામાજિક જીવનનાં અનુભવો
પ્રકાર – ગદ્ય (લેખ)
*શીર્ષક – કોરોના અને સામાજિક જીવન*
દરેક સિક્કાની બે બાજુ હોય છે, શક્ય છે કે એક બાજુ વરવી અને બીજી સારી હોય ! કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિને જોવાનાં અને મૂલવવાનાં દરેકનાં દ્રષ્ટિકોણ અલગ હોય. જાન્યુઆરી ૨૦૨૦માં કોરોના નામની વૈશ્વિક મહામારીએ ભારતમાં પગપેસારો કર્યો અને બે મહિનામાં એણે ભારતની જનતાને ભરડામાં લેવાનું ચાલુ કર્યું. એનાં પગલે ૨૪ માર્ચ, ૨૦૨૦ થી ૧૮મે, ૨૦૨૦ નાં સમયગાળામાં ભારતમાં લૉકડાઉન લદાયું.
આ વૈશ્વિક મહામારીએ કેટલાંય શબ્દોને આપણાં જીવનમાં વણી લીધાં – સોશિયલ ડિસ્ટન્સ, ક્વોરેન્ટાઈન, આઈસોલેશન, લૉકડાઉન. જો સૂક્ષ્મ રીતે જોઈએ તો એનો અર્થ થાય, *પિંજરામાં કેદ થવું*. આ લૉકડાઉને આપણને પિંજરામાં પૂરાતાં અબોલ જીવોની વેદના સમજાવી, સંબંધોની સંવેદનાનો અનુભવ કરાવ્યો.
જેમ દરેક સિક્કાની બે બાજુ હોય, એમ આ મહામારીએ પણ સમાજનાં બે પાસાંઓ બતાવ્યા છે. એકબીજાથી કતરાતાં માણસો, આજે માણસને મળવા ઝંખતાં હોવા છતાં મળી શકતાં નથી. લાગણીથી વિમુખ થયેલો માણસ અબોલ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બન્યો છે. પોતાનાં મોબાઈલ અને સોશિયલ મીડિયામાં પ્રવૃત રહેતાં માણસને આઈસોલેશન દરમિયાન માનવ સંગાથની ઝંખના પ્રબળ બની છે.
એક તરફ આર્થિક ભીંસમાં આવેલ જનતા છે, તો બીજી તરફ સામાન્ય મધ્યમવર્ગીય માનવીથી લઈને સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદને પોતાનાથી બનતી સહાય કરે છે. બાળકોએ દ્રષ્ટાંતરૂપ બની પોતાનાં પોકેટમની રાહતકાર્ય માટે આપ્યાં છે.
લૉકડાઉન દરમિયાન પરિવારોમાં કોઈ કારણસર તિરાડ પડી છે, તો કેટલાંય પરિવારનાં અણબનાવો અને મતભેદો દૂર થયાં છે. આ જ સમયમાં પરિવારની હૂંફ ઈચ્છતાં એકલવાયા લોકોને સહારો આપવા લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવ્યાં છે, તો કેટલાંય લોકો પરિવારથી વિખૂટાં પડ્યાં છે. આ મહામારી દરમિયાન આપણને સૌને કેટલાંય સ્વજનોની વસમી વિદાયનો અહેસાસ થયો છે.
સેનિટઈઝર અને માસ્ક જેવી ચીજવસ્તુઓ રોજિંદી જરૂરિયાતમાં સામેલ થઈ છે. કોરોના પહેલાંનું સામાન્ય (નોર્મલ) ગણાતું જીવન, હવે નવા રૂપરંગ સાથે નવું સામાન્ય (ન્યુ નોર્મલ) બન્યું છે. લગ્ન અને અન્ય પ્રસંગોમાં ધામધૂમથી થતી ઉજવણી હવે ૨૫-૫૦ લોકોની હાજરીમાં સાદાઈથી ઉજવાય છે, જેણે દેખાદેખીમાં થતા રિવાજો પર લગામ મૂકી છે.
અંતે, આ મહામારીમાં આપણે ઘણું ગુમાવ્યું હશે, પણ સાથે પરિવારનું મૂલ્ય અને કુટુંબપ્રેમને સમજ્યાં પણ છીએ. આ મહામારીએ માનવતા ધર્મને ઉજળો કર્યો છે.
પ્રકૃતિ શાહ ‘પ્રીત’
***************************†****
NOG SS No : 101
વિષય: સામાજિક જીવનમાં પારિવારિક હૂંફ
પ્રકાર – ગદ્ય.લેખ
શીર્ષક: વેદના પ્રત્યાઘાત અને પાડોશીઓની હૂંફ.
કોરોના કાળમાં બનતી ઘટનાઓની લઘુકથાઓમાં ઉપસ્થિત થતી અંતરવેદનાનો અજંપો અને માનવતાંનું ભાવન કરીયે.
*રવજીએ પડખું ફર્યું બાજુની ખાલી પથારીમાં હાથ ફેરવ્યો આંખોમાંથી અશ્રુધારા વહી ગઈ કાલે પચાસ વરસનો સથવારો કોરોનાને કારણે વિખૂટો પડ્યો.
* નેતાજી નિવાસની સામેની ફૂટપાથ પર વર્ષોથી બેસતાં ખીમજીને પોલીસે દૂર કર્યો કોરોનાના પ્રોટોકોલને કારણે .
બીજે ક્યાંયથી સહાય પણ ન મળી અને કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “કોરોના પ્રોટોકોલ”.
* આજે પંદર વર્ષે બન્ને એકબીજાની સામે આવ્યા કઈં કેટલીયે યાદો સજીવન થઈ ગઈ હજુ કશું બોલવા જાય પાસે જાવા જાય તેને રોકી મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર મૂક્યું ને ધીરે ધીરે સાયરનનો અવાઝ ધીમો થતો ગયો.
* કોરોના પ્રોટોકોલને કારણે સંતાનો એ દાદાજીને કહ્યું તમારાથી સ્મશાને નહીં આવી શકાય દાદાજી ધીમે પગલે પોતાના રૂમ તરફ આગળ વધ્યા કબાટમાંથી લાલ સાડી બહાર કાઢી રહદય સરસી ચાંપી ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગ્યા.
* આવા સમયે પરિવારની હૂંફ જીવન જીવવાની શક્તિ આપે છે નહીંતો ખીમજી મોચી જેવી ઘટના બની શકે છે.
ત્યારે આ કોરોનાના વિપરીત કાળમાં પરિવારની વ્યાખ્યામાં પાડોશીઓ ને પણ સામેલ કરવા પડશે. કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી તે વાત કોરોના કાળમાં સો ટકા સાચી પડી છે. આપણે કેટલાય કિસ્સામાં જોયું છે કે પતિ કે પત્ની કે સંતાન કે માબાપ કે અત્યંત નજીકના સગાનાં મૃત્યુ વખતે લોકો સ્વજનો પાસે જઈ શક્યા નથી કોરોનાને કારણે ત્યારે પાડોશીઓએ પરિવારની સંપૂર્ણ કાળજી લીધી છે ને મરણોત્તર ક્રિયાઓ પાર પાડી છે તથા જ્યારે પરિવારના એક કે બધાં સભ્યો કોરોનાનો ભોગ બન્યા હોઈ ત્યારે ટિફિન પહોંચાડવા દવાઓ લાવી આપવી ઓક્સિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા કરી હૂંફ પહોંચાડી છે. અને હજારો પરિવારોને કોરાના સામે લડત આપી બહાર લાવ્યા છે નવજીવન આપ્યું છે.
લેખન: ભરત સાંગાણી.
*******************************
NOG.SS.No ; 0079 વિષયઃ પરિવારની હુંફ પ્રકાર – ગદ્ય શીર્ષક : “ક બનાવે કુટુંબ” **** ‘ક’ કક્કાનો પહેલો અક્ષર છે. જેનાથી કુટુંબ બને. કોરોનાનીપણ એ જ રાશિ છે. કોરોનાની મહામારીમાં કુટુંબ ખૂબ મોટોભાગ ભજવે. કુટુંબનાં સભ્ય એકબીજાને હૂંફ પૂરી પાડી.પ્રેમ અને લાગણી નો ધોધ વહાવ્યો. મોટાભાગનાં તે કોરોનાનાજંગમાં જીત્યા તેની પાછળ કુટુંબના સભ્યોનો સહયોગ સ્પષ્ટજણાય છે.કોરોનાને કારણે થયેલા ‘બંધ’ દરમ્યાન કુટુંબ ખૂબ નજીક આવ્યાછે. બાળકોને માતા અને પિતાનો ભરપૂર પ્રેમ સાંપડ્યો છે.માતા પિતા જીવનમાં હંમેશા ખૂબ વ્યસ્ત હોવાને કારણે બાળકોઉપેક્ષિત થતાં તે પ્રત્યે બેદરકારી દાખવતા . હંમેશા સિક્કાની બે બાજુ હોય છે એ આપણને સહુને ખબર છે.માતા પિતાનાં સમય અને પ્રેમ ખાતર વલખાં મારતા બાળકોસમાજમાં ચારેકોર જણાતા હતાં. આજે તેમના મુખ પર સંતોષની ઝલક ઉપસી આવી છે.અરે, પતિ અને પત્ની, એકબીજાને આવશ્યકતાનો અંદાજ આવીગયો છે. સોફા પર બેસી પત્નીને હુકમ છોડતો પતિ, પત્નીને મદદકરતો થઈ ગયો છે. પતિની આંખો ખૂલી છે કે, ‘પત્ની અને માતા”રૂપે સ્ત્રી કેવો ભાગ ભજવે છે. એકબીજાની કદર કરતા શીખવ્યું હોય તો કોરોનાએ કુટુંબમા વડીલોને હૂંફ સાંપડી. કોરોનાના શિકાર થયાં તો તેમનીગેરહાજરી અનુભવી. શિસ્ત અને સહાનુભૂતિ નું વર્ચસ્વ ચારેકોર ફેલાયું.કુદરત કમાલ તારી, માનવીની આંખ ઉઘાડવા ‘કોરોનાની સોટીમારી’. જીવનમાં ગમે તેટલા ઉન્નતિનાં શિખર સર કરે, ઢગલાબંધ પૈસા કમાય, કિંતુ જો કુટુંબનો સાથ, સહકાર અને સ્નેહ નહિ હોય તો સઘળું વ્યર્થ.
પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન.અમેરિકા
Show quoted text