ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચનાંં….
.વિષય : સામાજિક પરિવાર ની હૂફ..દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NGO SS NO-0011
સાહિત્ય સરિતા
શબ્દ:- સામાજિક પરિવારની હૂંફ
પ્રકાર:- ગદ્ય- લઘુકથા
શીર્ષક:- ખીલી ઉઠ્યું રતન…
પ્રકાશે અચાનક સવાર સવારમાં જોરથી બૂમ પાડી,” મા, મને ઝાંખું ઝાંખું દેખાય છે. પથારીમાં ઉભાં થતાં ચક્કર આવે છે.”
પ્રકાશનાં અવાજની દિશામાં દોડતી ધારાબેન પ્રકાશ પાસે પહોંચી. પ્રકાશ બે હાથોને આમતેમ હલાવી આજુબાજુની વસ્તુઓને અડકવા પ્રયત્ન કરતો હતો. સાથે પોતાની બંને આંખ પટપટાવી રહ્યો હતો.
ધારાબેને દોડતાં આવીને પ્રકાશને સાંત્વના આપતાં કહે,” બધું દેખાશે બેટા,તું તો મારી આંખનું રતન છે. આ તારું રતન મારાં માટે ખાસ છે. પ્રભૂની દેન છે. તું ભગવાનનું આપેલું સંતાન છે.”
“પણ મા, તું અત્યારે જ ૧૦૮ બોલાવી દવાખાને દાખલ કરાવ ને.” પ્રકાશે રોતાં રોતાં તેની મા નો હાથ પકડીને ધારાબેનને કહ્યું.
ધારાબેન કહે,” જે રીતે કોરોના મહામારી સમયે હું તારી સાથે હતી. તે રીતે મારા શ્વાસથી હંમેશા તારાં શ્વાસ બચાવતી રહીશ.”
૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રકાશને લઈ જવામાં આવ્યો હતો. તેને ફરીથી કૉવિડ-૧૯ ની હોસ્પિટલમાંનાં ખાસ મયુકરમાયકોસિસનાં વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો.
બીજા દિવસે તેનું ઑપરેશન કરવામાં આવ્યું.
ઑપરેશન થીયેટરમાંથી બહાર નીકળતાં જ પ્રકાશની એક આંખ પર મોટો પાટો તથા ઑક્સિજન ચઢાવેલી પ્રકાશની હાલત જોઈને ધારાબેન અચાનક ફર્શ પર પટકાઈ ગયાં.
પ્રકાશને ભાન આવતાં જ ધારાબેન તેને મળ્યા ને કહ્યું,” બેટા, તું કોઈ પણ જાતની ચિંતા ન કરીશ. તારી આંખનું રતન હું થઈશ. તું મારા રતનનું વહાલું રતન છે.”
આમ કહી બંને એકબીજાને ભેટી પડ્યાં. પ્રકાશનું ખરેલાં રતનને બદલે ધારાબેન એને ખીલી ગયેલું રતન આપતાં પ્રકાશનાં જીવનમાં પ્રકાશ આવ્યો. પણ ધારાબેનનાં જીવનમાં…
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
******†*†********************** NOG SS No – 0050.
પ્રકાર – ગદ્ય લેખ
શીષૅક – મોતનો ખેલ જીત્યાં
………………………………..
“બાવન દિવસની જિંદગીની રમતમાં,
અંતે બાદશાહ જીત્યો મોતનો ખેલ.”
બાવન પત્તાની ગંજીફાની રમતમાં એક્કો સૌથી મોટો, પણ અમારા ચાર વ્યક્તિનાં પરિવારમાં આલોક મારા પતિ ઘરનાં બાદશાહ હું એમની રાણી સાથે મારો દસ વર્ષનો દીકરો અને મારો લાડલો દિયર.
કોરોના વિશ્વમાં ફેલાયો ત્યારથી ખૂબ તકેદારી રાખતાં કારણકે મારા પતિની નોકરી જ બહારગામ આવવાં જવાની,અને મારા દિયર પણ નોકરી કરતાં માટે ખૂબ સાચવતાં.
છતાં ૨ એપ્રિલનો એ રવિવાર Rtpcr માં પોઝિટિવ છે પણ વધારે નથી અસર પણ ૧૪ દિવસ કોરોન્ટાઈન રહેવું પડશે. નાનું ઘર એમાં બાળક ૧૪ દિવસ વનવાસ પૂરો કરી ૧૭ એપ્રિલે પતિદેવ કોરોના નેગેટિવ થઈ ગયાં. મોબાઈલ પર વાત કરી ગેમ રમી પૂરાં કર્યાં.૨૦ એપ્રિલે પતિદેવ ઓફિસ જવાનું શરૂ કર્યુ, આવીને થાક લાગતો ૨૩-૨૪ એપ્રિલ સાંકરદા ગયાં. બુલેટ ટ્રેનનાં પાટાનું ટેસ્ટિગ કરવાં. મારા પતિ સિવિલ ટેકનીશિયન છે.
૨૪એપ્રિલે રાત્રે નવ વાગે આવી નાહી ને જમ્યાં બાદ ૧૦૨ તાવ આવ્યો. તાવની દવા આપ, બીજે દિવસે ફરી ૧૦૩ ડોકટરરે કહ્યું ‘લું’ લાગી હશે. તેની દવાથી સારું થાશે બીજે દાડે ૧૦૨-૦૩ તાવ ફેમિલી ડોક્ટર કહ્યું લોહીનાં રિપોર્ટ કરાવ્યાં તો શ્વેત કણ ઓછાં થઈ ગયાં . ફરી તાવ આવે ડોકટરે કહ્યું તો ctscan કરાવ્યું તો છાતીમાં ૨ ટકા ઇન્ફેશન આવ્યું. લોહીનાં રિપોર્ટ કરાવ્યાં તો crp જે ૬ ની અંદર હોવું જોઇએ એ ૧૩ થયું હતું ત્યાં સુધી ઓળખીતા ડૉકટરે તો મેલેરિયા ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યુ બધા રિપોર્ટ બધાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં.
શ્વાસમાં તક્લીફ થઈ અને દાખલ કરી દીધાં. ઓળખીતા બે ડફણાં વધું મારે. ૨૫૦૦૦ ડિપોઝિટ ભરાવી પછી સ્પેશિયલ રૂમમાં એડમિટ કર્યા. ત્યાં સુધી ઓક્સીજન ૯૮-૯૮% થાતું.
પતિ કોરોના નેગેટિવ હતાં.૩૦ એપ્રિલે લોહીનાં રિપોર્ટ કરાવ્યાં તો બધું નોર્મલ હતું. કોરોના નેગેટિવ અને સ્પેશિયલ રૂમમાં રાખ્યાં હું નર્સને ખુબ આજીજી કરી મળી લેતી.
બધું સારું છે અને ડૉકટર કહે હવે દવાનાં ડોઝ ઓછાં કરીશું. ૩જી મના હું સવારે ચા નાસ્તો લઈ ગઈ તો પતિ પલંગ પર છતાં પાટ પડ્યાં હતાં, પૂછતાં કહ્યું ,”બાથરૂમ જઈ આવ્યો તો બહું થાક લાગ્યો” આવું જયારે ૧૦૨-૦૩ તાવ હતો ત્યારે પણ નહોતું થયું.
મેં ચા નાસ્તો કરાવ્યો, પછી કહ્યું કે સાંભળો મને આ ડોકટરની દવામાં કંઇક ગડબડ દાખલ કરે ૫ દિવસ થયા તો સારું થવાનાં બદલે ઓકસીજન ૯૨-૯૩ થઈ ગયું? તો પતિ મારા પર ગુસ્સો કર્યો તું ડૉકટર છે? બપોરે ૧૧:૩૦ વાગે જમવાનું આપવા ગઈ તો અંદર ના જવા દીધી એમ કહી ને કે બીજાં કોવિડ દર્દીઓ છે. મેં ડોકટરને પુછ્યું કેમ છે એમને..? તો કહે મસ્ત કાલે રજા આપી દઇશું.
પતિને વિડિયો કોલ કર્યો તો એ કહે સારું લાગે છે સવાર કરતાં .મેં કહ્યું ,”અંદર આવવાં નથી દેતાં “
તો કહે ,”કઈ નહિ તું ઘરે જા મને સારું છે સાંજે ચા લઈ આવજે.”
ઘરે આવી મન માનતું ન હતું, કામ પતાવી પાછી ગઈ
સાંજે બેહોશ હાલતમાં છતાં પાટ પડ્યાં હતાં અને સવારે ચાલુ કરેલ એસી હજુ ચાલુ હતું.
મેં “આલોક આલોક ” કહી ગાલ પર હાથ ફેરવ્યો ત્યાં ઈશારા થી એસી બંધ કરવા કહ્યું મેં જેવું એસી બંધ કર્યુ ત્યાં એમને શ્વાસમાં તક્લીફ થવા લાગી ઝટ જઈ ડોકટરને બોલાવી લાવી તો પણ ડૉકટર કહે નોર્મલ છે કશું નથી. “તમે કેમ અંદર આવ્યાં?”
મેં કહ્યું હું આવી તો ખબર પડી આલોકની હાલત તો જૂઓ ! ત્યારે ઓક્સિજન ૯૨-૯૩% થઈ ગયું હતું. બીજી રૂમમાં શિફ્ટ કરી દીધાં.
આમ રાતનાં આઠ વાગ્યાં ડૉકટર કહે આજે રાત્રે અહીં રેજો. હું આખી રાત હોસ્પિટલમાં રહી. ભૂખી તરસી.
ત્યાં ડૉકટર કહે આલોકને શિફ્ટ કરવો પડશે બહું પ્રયત્ન કર્યા એક લાખ રૂપિયા રોકડા ભરવા છતાં કશે ઓકસીજન બેડ ન હતાં.
એક પ્રાઇવેટ ડોકટરે કહ્યું ફરી CTSCAN કરાવ્યું.
એને ઓકસીજન વાળી CTSCAN માટેની બુક કરાવી કહે ૩૫૦૦₹ લેશે અમે તૈયાર હતાં આલોકને CTSCAN કરવવા ગયાં ત્યાં સુધી એમનો ઓકસીજન ૮૦ થી ઓછો થઈ ગયો. પછી એક બાળકોની હોસ્પિટલને કોવિડ બનાવી હતી તે હોસ્પિટલ પેલા પ્રાઇવેટ ડોકટરે પ્રિફર કરી હતી તેને કહ્યું ત્યાં દસ લીટર ઓકસીજન છે આલોકને ત્યાં સારું થઈ જશે.
ત્યાં પોહચ્યાં ત્યારે એમ્બ્યુલન્સમાં જ ડોકટરે ચેક કર્યુ તો ૭૫ જેવું ઓકસીજન હતું.તો એમની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી.
હવે અમે પેલા ડૉકટર જેનાં ત્યાંથી આલોકને શિફ્ટ કર્યો એ ડોકટરને કોલ કર્યો એ ફોન ન ઉપાડે. એમ્બ્યુલન્સ વાળો કહે જે કરવું હોય એ કરો ઓકસીજન વધ્યો નથી.
એ કારમો દિવસ….
મેં આલોકને સતત માથે હાથ ફેરવ્યાં કર્યો. એમની આંખો ચડી ગઈ હતી. જાણે યમદેવ આવી ગયાં હતાં…. હું તેમનાં ગાલ પર લાફા મારવાં લાગી, ચાલુમાં જ ૧૦૮ ને કોલ કર્યો તો તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાંથી નહીં લઈ જઈએ એમ કહ્યું… અહીં ઓકસીજન ના જેવો જ હતો. મેં કહ્યું ફરી એ જ હોસ્પિટલ માં લઇ જાવ. ત્યાં પહોંચતા ૨-૩ મિનિટ પહેલાં એમ્બ્યુલન્સમાં ઓકસીજન પતી ગયો મેં મહામૃત્યુંજય નો જાપ શરુ કર્યા. ઓફિસના ફ્રેન્ડ પાર્થને કોલ કર્યો ને લાગવગ ને ઓળખાણ કરી ગોત્રી સરકારી દવાખાનામાં લઈ ગયાં. પેલાં પ્રાઇવેટ ડોકટરે સવારે ના પાડી જે હવે કહે હા ત્યાં જ લઈ જાવ….
કારમો દિવસ એમ્બ્યુલન્સની અછત પૈસા ખર્ચતા પણ, ભગવાનની દયાથી એક જ બેડ હતો જે મળ્યો સારવાર ચાલુ થઈ પણ હજુ ખતરો ટળ્યો ન હતો.
આમ જ ૨૫ દિવસ લેવલ આવતાં થયાં ને ભગવાનની કૃપા હેમખેમ ઘરે આવ્યાં હજી કાળજી રાખવા ની છે.
વડીલોનાં આશીષ ફળ્યાં. આવાં સમયે પોતાનાની હાજરી ખૂબજ જરૂરી છે.
રાગીની શુક્લ” રાગ”
(મુંબઈ, કાંદિવલી)
*********†**********************
NOG SS NO -100
વિષય : કોરોના મહામારી
પ્રકાર : ગદ્ય
શીર્ષક : *લિવિંગ ઓન ઍજ*
જૂનું અસ્તિત્વ, જે ગઈકાલે એક અબજ વર્ષ જૂની તારાઓની નક્ષત્રની જેમ નિશ્ચિત હતું, નક્કર લાગ્યું હતું તે વિખેરાઇ ગયું છે. વસ્તુઓ જે રીતે હતી તેના પર પાછા ફરવાનો કોઈ રસ્તો નથી, એવું લાગવા લાગ્યું !
મૂવી રીવાઇન્ડ કરવાની કોઈ રીત નથી અને તમને એ સંસ્મરણો રીવાઇન્ડ કરવા જતાં પીડા થાય છે. “પાછળથી” અને તેના માટે આવતી કાલની ખુશીની વિસ્મૃતિ માટે ભયંકર ગમગીની વર્તાય છે.
તમારા પેટ અને છાતીમાં દુઃખદ અફસોસની ભાવના, કારણ ભૂતકાળનું વિભાજન થયું છે. ભવિષ્યમાં પણ હવે “આગળ શું છે” જાણવાની કોઈ રીત નથી દેખાય રહી. તમારા હાથની બહાર, સંતુલનની બહાર અને નિયંત્રણની બહાર બધું જ સુમેળમાં છે.
તમારી યોજનાઓ સવારના ટ્રાફિકના અવાજમાં પતન ગઈ છે. તમારી આશાઓ અને સપના તમારી હૃદયની બારી પર વરસાદના છાંટાની જેમ ભીંજવી એનો તોર ઘટાડી રહીં છે.
તમારામાં જે બાકી છે તે વર્તમાન ક્ષણ છે અને તે પણ હવે કોઈ સુરક્ષિત સ્થાન નથી લાગતું. શરીર અમૂર્ત જીવનને સમજી શકતો નથી. તમે સમય પર છો પણ તેમાંથી, નક્કર જમીન હોવા છતાં હવે ખૂબ જ આધારહીન લાગે છે.
જેમ કે તમે કોઈ બીજાના સ્વપ્નમાં જીવી રહ્યા છો. તમે અહીં પોતાને ઓળખી શકતા નથી. કે તમને ફરીથી પ્રારંભ કરવાનું કહેવામાં આવે છે પરંતુ તમને ખબર નથી હોતી કે બધું ક્યાં સમાપ્ત થયું. કે એક સમયે એવું લાગવા માંડે કે તમારું જીવન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ તે હજી પણ ચાલુ જ છે અને પછી મુલાકાતીઓ આવે છે – લાચારીની, વૃદ્ધાવસ્થા, ચિંતા, બીમારી અને ભયાનક અસ્વસ્થતા જે તમને ખતમ પણ કરે તમને તારી પણ નાખે.
એક ભયંકર દુખ કે જે આખા વિશ્વને નષ્ટ અથવા બચાવી શકે છે. એક વિનાશ, ત્યાગની ભાવના, સંરક્ષણ વિનાના બાળકની જેમ, આકાશમાં તારા વિના પ્રકાશની જેમ. એક હૃદય કે જે અજાણ્યા રીતે ધબકારા કરે છે. શ્વાસ જે વધુ સંકુચિત, તંગ લાગે છે. આખા શરીરમાં અસ્વસ્થતા.તમે તમારા પોતામાં છો, પણ પોતે અનુભવી નથી શકતા.
(“મારી પાસે આવો”, બ્રહ્માંડ રડે છે.)
તમે અહીં વસ્તુઓની ધાર નજીક શું કરો છો?
સારું, તમે શ્વાસ લો, થોડી ચા તૈયાર કરી મિત્રો સાથે વાત કરો અથવા તેમની સાથે શાંતિથી મૌનમાં રહી મૌન ને સમજવાનો પ્રયત્ન કરો.
તમે આગળનું કાર્ય કેમ કરી કરશો અથવા તે કાર્ય તમને કેમ કરી સક્રિય કરશે એ સમજવાનો પ્રયત્ન કરો અને અજાણ્યા આકાશ હેઠળ નિરાશ થઈને થોડા સમય માટે બેસો. બેઘર, ડરી, પીડાદાયક સત્ય સાથે ઘનિષ્ઠ – હા ક્યારેક, ધારની નજીક, *તમે જાતને શોધી છે?*
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
*******************************
NOG SS No.0007
વિષય : કૉરોના મહામારી માં પારિવારીક હૂંફ
પ્રકાર : લેખ
* “મમ્મી તેં સ્ટીમ લીધી?જો મેં તારા માટે ઉકાળો બનાવી રાખ્યો છે તે પી લેજે. માર્કેટથી આવીને પહેલાં નાહી લેજે.માસ્ક વગર બહાર ના જતી.બહુ ગીર્દી વાળી જગ્યાએ પણ ન જતી.”
*અરે પપ્પા! તમે વારેઘડીએ બહાર ન જાવ ને. અમે જે હશે તેનાથી ચલાવી લઈશું.એક વર્ષ કેરી નહીં ખાઈએ તો ચાલશે,પણ પ્લીઝ તમે ઘરની બહાર ન જાવ.”
* “સ્વીટુ ઍમેઝોન પરથી મંગાવેલા પાર્સલ ને પહેલાં સેનીટાઈઝ કરજે અને પછી જ ખોલજે.”
*અરે ફાલ્ગુ માસી તમારાં ફેફસાં ખૂબ નબળાં છે તો એ માટે પતંજલિ ની શ્વાસાહરી ટૅબલેટ લેતાં જાવ,એ બહુ અસરકારક છે. તમારું કૉરોનાથી રક્ષણ કરશે”
* રીધ્ધી બેટા હમણાં કૉરોનાને લીધે બધેજ જોખમ છે,અને એમાં પણ તારી સખી જે વિસ્તારમાં રહે છે ત્યાં તો કૉરોનાના ઘણાં કેસ આવ્યાં છે.એટલે આ વખતે તારી સખીને ઝૂમ મીટીંગ પર જ જન્મદિવસની શુભેચ્છા આપી દે.પણ એના ઘરે તો ન જ જવાય.
*દાદા દાદી મને ખબર છે કે આ લૉકડાઉનમાં તમે ઘરે રહીને કંટાળી ગયાં છો,એટલે જ મેં તમારા માટે ખાસ તમારા નાના નાની પાર્કના મિત્રોની ઝૂમ મીટીંગ ગોઠવીને તમને સરપ્રાઈઝ આપ્યું.હવે એના પર તમે નિરાંતે ગપ્પાં મારો.”
આ અને આવી નાની નાની કાળજીઓ આજે દરેક ઘરમાં લેવાતી જોવા મળે છે.આ મહામારીએ આપણાં દરેકનાં હ્રદયનાં તારોને જોડવાનું એક મહત્વનું કામ કરી આપ્યું.જેનાથી એ સાબિત થાય છે કે નવી જૂની પેઢી વચ્ચે ભલે વિચાર ભેદ હોય,પરંતુ એ બધાં આજે પણ એકબીજાની હૂંફે જ શ્વસે છે.
આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી
*******************************
NOG SS No 0052
વિષય : પરિવારની હુંફ
શીર્ષક : હુંફ
પ્રકાર : ગદ્ય ( લેખ )
ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેવાં સમયે ,ખરાબ સમયે તમને સાચાં લોકો ,નજીકનાં લોકો ,જે પોતાનાં કહી શકાય કે જેમનાં કહેવાથી , નજીક હોવાથી હુંફ વર્તાતી હોય , સારું અનુભવાતુ હોય છે ,આ એક બહુ મોટા પરિબળની જેમ કામ કરતું હોય છે.
સંસારથી હારેલો ,થાકેલો ,નાસીપાસ થયેલ માનવી જ્યારે એકલતા અનુભવે છે પછી તેને ન કરવા જેવાં કામ કરવાનાં વિચાર આવ્યા કરે છે.પણ જો આવા સમયે કોઈ ટેકો આપનાર , ખભો આપનાર , આંસુ લૂછવા માટે રૂમાલ ઘરે ત્યારે કેવું સારું લાગે છે ? સાચી વાત ને.
પેલી કહેવત તો યાદ હશે ‘ડૂબતે કો તીનકે કા સહારા’
નાનકડી વાર્તા દ્વારા સમજીએ તો…
અસહ્ય વહેતાં પાણીમાં કીડી તણાતી હોય છે અને તેવામાં ઝાડ પરથી એક પાદડું નીચે પડે છે તે પાદડાના સહારે સહારે કીડી તણાતી બચી જાય છે. સાથે સાથે તેને નવું જીવતદાન પણ પ્રદાન થાય છે.
આ ટૂંકી વાર્તા પરથી બોધ એટલો જ લેવાનો થાય છે કે સંસારમાં , જીવનમાં આવુ જ બનતું આવે છે.જેમ કીડીને પાદડા થકી જીવતદાન મળે છે ,તેમ માનવીને પરિવારની હૂંફ , તેનો સહારો, ટેકો જીવન જીવવા માટે નવો માર્ગ ચીંધે છે.નવી આશા જન્માવે છે.
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા