ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૭ ગધ રચનાંં….
.વિષય : કોરોના મહામારી..દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0044
પ્રકાર;- ગદ્ય
વિષય:- કોરોના
શીર્ષક:- મન હોય તો માળવે જવાય.
નીતાબેનને ત્યાં દર માસે અગિયારસને દિવસે એમની સખીઓને બોલાવી એમની સાથે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરે.
દર ત્રણ વર્ષે આવતા અધિકમાસમાં આ કાર્યક્રમ પૂરો મહિનો ચાલે.અધિકમાસમાં નદીએ સ્નાન કરવાનું પણ મહત્વ એટલે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી નદીએ સ્નાન કરવાનો કાર્યક્રમ પણ હોય.વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી અધિકમાસ નું મહાત્મ્ય સમજાવતી કથા પણ વાંચે.દાન કરવાનું મહત્વ એટલે આ બહેનો યથાશક્તિ દાન પણ કરે.
આ વર્ષે કોરોના કાળમાં આવેલા અધિકમાસમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું હોવાથી બધાં ભેગા મળીને તુલસી ચઢાવી ન શકે.
નીતાબેન મુંઝવણમાં,” શું કરું?” ત્યાં જ એમની પુત્રવધૂએ સાસુમાને રસ્તો બતાવ્યો, બધાંને ઝૂમમાં એડ કરી બધાં પોતપોતાના ઘરે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરો.નિતાબેન તો વહુની વાતથી ખુશ થયાં અને વહુની મદદથી બધાંને ઝૂમમાં ભેગા કરી વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી, ત્યારબાદ પુરુષોત્તમ ભગવાનની કથા વાંચી આરતી પણ કરી સંતોષ માન્યો.રહી વાત દાન કરવાની તો બધાંએ પોતાની કામવાળી બાઈને, વોચમેનને જરૂરિયાત મુજબ ચીજ વસ્તુઓ આપી,દાન કરવાનો સંકલ્પ પૂરો કર્યો.
આમ રંગે ચંગે અધિકમાસમાં વૃંદા અર્પણ,કથા વાંચન, અને દાનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો.એટલે જ કહેવાય કે,” મન હોય તો માળવે જવાય.”
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
***************†****************
NOG SS NO. 0095
વિષય :– કોરોના મહામારી
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– ‘ કેશવની પ્રમાણિકતા ‘
આજે કેશવે નોકરી છોડી દીધી ! મેનેજરની જોહુકમી અને શેઠનું પાષાણ હૃદય ! કદી એની કંપનીનાં કારીગરો કે એમની મજબૂરીની વ્યથા સમજી ના શક્યા ! કેશવ મનહર શેઠનાં કારખાનામાં સુપરવાઈઝરની નોકરી કરે . એનું કામ કારીગરો પર નજર રાખવાનું . કોઈ કારીગર કામચોરી કરીને નજર ચૂકવીને સૂઈ નથી જતાંને ! રાતપાળીની નોકરીમાં ક્યારેક કોઈને ઝોકું આવી પણ જાય અને જો નજરે ચડે તો દંડ થાય .
કેશવ બહુજ પ્રમાણિક અને દયાળુ . એ હંમેશાં બધાંને અગાઉથી સૂચના આપી દે અને બને ત્યાં સુધી કોઈને દંડ ના કરે . એવામાં હવે કોરોના આવ્યો .કંપનીમાં નવા નિયમો બન્યા . સૂતા પકડાય તો ૫૦૦ / નો દંડ અને માસ્ક ના પહેરે કે જરાક પણ નીચું હોય તો ૧૦૦૦ / નો દંડ . કેમકે મેનેજરને એમાંથી પણ કમીશન મળવાનું હતું.
મેનેજર નિષ્ઠુર હતો . એણે કેશવને કડક શબ્દોમાં કહી દીધું કે જો તમે કોઈને છૂટ આપશો તો તમારો પગાર કાપીશું . હવે પાંચ – છ હજારનાં પગારવાળા કારીગરોને કેશવ કેવીરીતે આવો દંડ થવા દે ? પણ પોતાની નોકરી પણ જરૂરી હતી ! માત્ર તેર હજારનો ટૂંકો પગાર ! એમાંય ઘરની બધી જવાબદારી , ભાડાનું ઘર , લાઈટબીલ જેવા ખર્ચ તો હોયજ !
આમેય પહોંચી નહોતું વળાતું એમાં વારંવાર મેનેજરની ધમકી ! છતાંય કેશવે એનો પોતાનો નહીં પણ એનાં હાથ નીચેનાં કારીગરો અને એનાં પરિવારનો જ વિચાર કર્યો હતો .બને ત્યાં સુધી એમને દંડ ના કરતો .
કેશવનો આત્મા હંમેશાં ડંખતો . કેમકે દંડ થયો હોય એવા કારીગરો એની પાસે માફી માંગીને કરગરતાં .સાહેબ છ હજારમાંથી હજાર કાપશો તો છોકરાવને ખવરાવીશ શું ? તો કોઇ કહેતું કે પત્નીને ડીલીવરી આવે એમ છે એનું શું થશે ? તો વળી કોઈનાં. વૃદ્ધ મા – બાપની સારવારનો ખર્ચ હતો .રોજરોજ કારીગરોનાં આંસુ કેશવથી જોવાતા નહીં .એને કોઈનાં નિ: સાસા નોતા લેવા .
કેશવે પોતે જ નોકરી છોડી દીધી . પોતાનાં પરિવારનું શું થશે ? એનો પણ વિચાર ના કર્યો ને કોઈનાં નિ: સાસા તો નહીં લાગેને ! બસ છોડી દીધી નોકરી ! મેનેજરની જોહુકમી માંથી છૂટ્યો . મેનેજર કોરોનામાં સપડાયો ! એનું જીવવું પણ મુશ્કેલ હતું .કેશવની સાથે સાથે ઘણાં બધાં કારીગરો પણ નોકરી છોડીને વતનની વાટે પગપાળા નીકળી પડ્યાં .
પાષાણ હૃદયનાં શેઠની કંપનીનું શું થયું ? ખબર નહીં ! કેશવનો આત્મા એટલી હદે દુખી થયો કે એણે કંપનીજ નહીં પણ એ ગામ જ છોડી દીધું !
આવી મહામારીની મહા વ્યથા તો ગામેગામ મજૂરી કરીને જીવતાં લોકોની છે જેને વચેટીયાઓ એ લૂંટીને રસ્તે રઝળવા મજબૂર કરી દીધાં છે .
દીપિકા ચાવડા ‘ તાપસી ‘.
********************************
NOG SS No :- 0038
વિષય :- કોરોના મહામારી
વિભાગ :- ગદ્ય
શીર્ષક :- સાવચેતી
આજે બાળકોને શેરીમાં રમતા જોઉં તો થાય કે ગાડી સાવ ભણતરના પાટા ઉપરથી ઉતરી ગઈ.સાવચેતી જરૂરી છે કે બાળકને રમવું અને મોબાઈલ લઈ બેસી રહેવું એવી
માનસિકતા ઘર ના કરી જાય.
ઓનલાઈન કલાસ ભરીને બાળકો મોબાઈલ લઈ ગેમ રમવા બેસી જાય.મમ્મી કામમાં હોય બાળકોનું મગજ ગેમ તરફ વળીને ભણતરને જાણે અલવિદા કરી રહ્યું છે.
કોરોનાએ નાનાથી લઈ મોટા સુધી બધાને એના સકંજામાં લઈ લીધા છે…કેટકેટલું નુકશાન થઈ રહ્યું છે એનો વીચાર પણ દિલને દર્દથી ભરી દે છે.
પણ આ બધાની વચ્ચે એમ થાય કે જીવ બચશે તો પાછા આગળ આવી જઈશું.માટે અત્યારે બધાંએ કામ વગર બહાર નીકળવું નહિ ને જો નીકળવું પડે તો માસ્ક પહેરી ને જવું.
આપણે આપણું ધ્યાન જાતેજ રાખવાનું છે…થોડી સાવચેતી આપણને મોટી તકલીફ માંથી બચાવી લેશે….🙏
✍️ શીલાપટેલ ” આકાંક્ષા ”
********†***********************
NOG SS No : 0022
વિષય : કોરોના
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : બદલાવ
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“સ્વીટી બેટા, દરવાજો ખોલ. ચાલ જમવા.” સુધાબહેને પોતાની દીકરીને તેનાં શયનખંડનો દરવાજો ખખડાવતાં કહ્યું.
સુધાબહેન નીચે જઈને ડાઇનિંગ ટેબલ આગળ ગોઠવાયાં અને થાળી પીરસી. સ્વીટી પણ ચુપચાપ આવીને બેસી ગઈ. નરેશભાઈ તો પહેલેથી જ હાજર હતા. તેમને સ્વીટીની ખામોશી ખટકવા લાગી હતી. હંમેશા ઘરમાં ઉધમ મચાવતી સ્વીટી હવે એક શબ્દ પણ બોલતી નહોતી. સુધાબહેન પણ અકળાઈ ગયાં હતાં પણ એ જાણતાં હતાં કે દીકરી હમણાં જ કોરોનામાંથી બહાર આવી છે અને તેમાં પણ…
નરેશભાઈએ એક બે જોક્સ કહીને હસાવવાનો પ્રયત્ન કર્યો પણ સ્વીટીનો ચહેરો નિર્વિકાર રહ્યો. સુધાબહેન પણ મ્લાન હસ્યાં.
નરેશભાઈએ ગંભીર સ્વરમાં કહ્યું, “જો બેટા, આ જીવન છે અને આમાં ઉતારચઢાવ આવતાં રહે, આપણે આગળ વધવું રહ્યું. ક્યાં સુધી આમ ચૂપ રહીશ? કંઈક તો બોલ.”
સ્વીટી એકપણ શબ્દ બોલ્યા વગર થાળી ઉપરથી ઉભી થઈ ગઈ અને ઝડપથી પોતાના શયનખંડ તરફ આગળ વધી.
હજી એક મહિના પહેલાં સુધી સ્વીટી બકબક કરીને માથું પકવી દેતી, એક મિનીટ પણ ચૂપ ન રહેતી. જો કે નરેશભાઈ તેનું દુઃખ સમજી શકતાં હતાં. ઘરમાં હંમેશા ધીરગંભીર રહેનાર તેના ભાઈ રાકેશને કોરોના ભરખી ગયો હતો. સ્વીટી પણ માંડ બચી હતી.
બંને ભાઈબહેનને કોરોના થઈ ગયો અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સ્વીટીની તબિયત બગડતી ચાલી હતી અને રાકેશને થોડો આરામ હતો પણ અચાનક એક દિવસ રાકેશની તબિયત બગડી ગઈ અને તાત્કાલિક કોઈ સારવાર મળે તે પહેલાં જ તેણે દેહ છોડી દીધો. ત્યારબાદ સ્વીટીની તબિયત સુધરવા લાગી. નરેશભાઈને દુઃખી થવું પોસાય એવું નહોતું, પત્ની અને માંડ બચેલી પુત્રીને સધિયારો આપવાનો હતો. જ્યારે બહુ તકલીફ થતી તો બાથરૂમમાં શાવરની નીચે રડી લેતાં.
મહિનો આ જ સ્થિતિ રહી એટલે નરેશભાઈએ મનોચિકિત્સકને દેખાડવાનું નક્કી કર્યું. મનોચિકિત્સકે બે સેશન પછી કહ્યું, “તમારી દીકરી નોર્મલ છે. તેને કશું જ નથી થયું, તે આઘાતમાં પણ નથી. પણ તે હવે પહેલાં જેવી નહીં રહે. રાકેશનું મૃત્યુ થયું તે પહેલાં તેની રાકેશ સાથે વાત થઈ હતી અને રાકેશે કહ્યું હતું કે તે જીવ આપીને પણ તેને બચાવશે. બીજે દિવસે ખરેખર રાકેશ જતો રહ્યો અને તે બચી ગઈ, તેથી તેણે નક્કી કર્યું છે કે તે હવે રાકેશની જેમ જ રહેશે અને વર્તશે.”
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
******************†**********”””*
NOG SS No : 0102
વિષય :- કોરોનામાં શિક્ષણ.
પ્રકાર :- ગદ્ય.
માર્ચ 2020 પછી કોરોના એ દેશમાં પોતાનો પંજો ફેલાવ્યો છે અને આજ સુધી તેની ભયાનક અસર રહી છે. કોરોના કાળમાં દેશની શિક્ષણપ્રથાને ભારે નુકસાન થયુંછે. લોકડાઉનમાં તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ છે સમગ્ર શિક્ષણ જગત ઠપ થય ગયું છે. ઓનલાઇન શિક્ષણ પ્રથા ચાલુ કરી આનાથી કદાચ થોડો ફાયદો થયો હશે .
ઓનલાઇન શિક્ષણથી વર્ગનું શિક્ષણ અને લેબોરેટરીમાં પ્રેક્ટિકલ શિક્ષણ મળી શકતું નથી અને તેનાથી વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં નુકસાન થાય છે.
આપણી શિક્ષણ પ્રથા પણ ખામી ભરેલી છે ધોરણ 10મું કે 12મું પાસ કર્યા પછી તેઓને કોઈ પણ જાતની ઔદ્યોગિક ક્ષમતા હાંસલ થતી નથી.
ગ્રેજ્યુએટ થયા પછી પણ નોકરી મળતી નથી એન્જિનિયર થયા પછી પણ બેકાર બેસવાનો વારો આવ્યો છે. અને આપણું યુવાધન ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
શિક્ષણમાં નફાખોરી, ભ્રષ્ટાચાર, શોષણ, આ બધુ અટકાવવું જોઇએ. આજના શિક્ષણવિદો એ કોઈ એવી શિક્ષણ પ્રથા ઉભી કરવી જોઈએ કે જેને કારણે એક બાજુ શિક્ષણ પૂરું થાય અને બીજી બાજુ વિદ્યાર્થી વ્યવહારિક, ઔદ્યોગિક અને કોઈ સારું કામ કરી પૈસા કમાઈ શકે તેવી ક્ષમતા હાંસલ કરે એ પ્રકારની શિક્ષણ સંસ્થાની ખાસ જરૂર છે સરકારે પણ રસ લઈને આ પ્રથાનો વિકાસ કરવો જોઈએ શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડીરોકાણ કરીને વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષા લઈને બહાર પડે ત્યારે પોતે કમાતા થાય પોતાના મા-બાપને ઉપયોગી બને અને પોતે ક્ષમતાથી અને ગૌરવથી જીવન જીવી શકે એ પ્રકારની વિદ્યા અને શિક્ષણનું માળખું આજના કોરોનાના કાળની અંદર શિક્ષણવિદો વિચારે અને ભવિષ્યનાં યુવાનોને દેશને માટે તૈયાર કરે એવી આજના જમાનામાં ખાસ અને તાતી જરૂર છે.
રતિલાલ વાયડા
નવી મુંબઈ.
************†****************
NOG SS No-0011
સાહિત્ય સરિતા
વિષય:- કોરોના મહામારી
પ્રકાર:- લધુકથા
શીર્ષક:- વાવાઝોડું લઈ ગયું કોરોના
પ્રતીક્ષા પ્રતીકને કહે ,” કોરોનાની મહામારી ખરેખર મારા માટે વરદાન સાબિત થઇ.”
“જૂઓ , તમને રસોઈ બનાવતાં, ઘરની સફાઈ કરતાં, વાસણ ને કપડાં ધોતાં આવડી ગયું. એ બધું તમને મારાં કરતાં પણ ખૂબ સારી રીતે આવડી ગયું.”
બાજુમાંથી માલતીમાસી પસાર થતાં’તા કહે,” હા, સાચી વાત,મારા એ પતિદેવને ક્યારની આ બધાં કામ શીખવાડું છું. પણ તમારાં જેવું નથી આવડતું.”
ત્યાં તો ટેલિવિઝન પર સમાચાર આવતાં હતાં,” આવતીકાલે આ શહેર પરથી પ્રચંડ વાવાઝોડું પસાર થવાનું હોઈ ઘરની બહાર નીકળવું નહીં. કોરોનાની મહામારી હજી ગઈ નથી. તેથી કાળજી રાખવી.”
બીજા દિવસે વાવાઝોડાને કારણે આખાં શહેરમાં લાઈટ ન હતી. એટલે મોબાઈલમાં પૂરતું ચાર્જીગ પૂરું થઈ જવાની તૈયારીમાં હતું.
પ્રતિક, પ્રતિક્ષા,પરિતા ને પ્રકાશ આજે ખૂબ કંટાળી ગયા હોવાથી” સમય પસાર કઈ રીતે કરવો? ” તે વિચારતાં હતાં.
પ્રકાશે ખૂણામાંથી પૂંઠા,કલર ને માપપટ્ટીથી લાવ્યો ને અમદાવાદની રમત તથા ચેસ બોર્ડ દોર્યું.
પ્રતિક અને પ્રતિક્ષાએ ઘરનાં પડદાં સાફ કર્યા પછી ઘરમાં લાડું, કઢી ને બટેટાનું શાક,પાપડ બનાવ્યાં.
ઘરનાં બધાં સભ્યોએ જમીને મજાની અંતાક્ષરી રમ્યાં.સાંજે તેમણે બાળકોને વાર્તા કહી.
આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયાં. વાવાઝોડું શહેર પરથી પસાર થઈને જતું રહ્યું. આજે ફરીથી દરેકનું રોજિંદું કામ શરૂ થયું હતું.
પ્રતિક નોકરી જતાં સમયે પ્રતિક્ષાને કહે,” અરે,આજે તો ઘરમાં સાવ શાંતિ છે. બાળકો ક્યાં ગયાં?”
પ્રતિક્ષા કહે,” આ જૂઓને, બહાર આંગણામાં ચેસ રમે છે. ”
પ્રતિક કહે,” અરે,વાહ! અઃ તો એકબીજાને વાર્તા કહે છે.”
બંને એકસાથે બોલી ઉઠ્યા,” વાહ, વાવાઝોડું આવ્યું ને કોરોનાની સાથોસાથ શહેરે સેનિટાઈઝ થયું. ને બધાંનાં મન બદલાયાં.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*******************************
NOG SS No : 0048
વિષય – કોરોના
પ્રકાર – ગદ્ય
*શીર્ષક – કોરોના યોધ્ધા*
પોતાનાં ત્રણ વર્ષનાં દીકરાના ઉછેર માટે સોનલે પોતાની નોકરી છોડી દીધી. એપ્રિલ ૨૦૨૦ માં એનો દીકરો ૧૦માં ધોરણમાં આવ્યો. સોનલે પણ પોતાનું બધું ધ્યાન દીકરાના ભણતરની પાછળ કેન્દ્રીત કર્યું, એમાં પાછું આ વર્ષે કોરોનાના લીધે ઓનલાઈન ભણતર એટલે એની સાથે અનુકૂલતા સાધવાનો પણ સમય લાગ્યો.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૧માં કોરોનાની બીજી લહેર આવી, જે ઘણી ઘાતક હતી. એ સમયે સોનલ પહેલાં જ્યાં કામ કરતી હતી, ત્યાંથી સાહેબનો ફરી કામ ચાલુ કરવા માટે ફોન આવ્યો. સોનલનાં પતિ જગદીશભાઈ પણ ત્યાં જ કામ કરતાં હતાં. એમણે પણ સોનલને ફરી કામ કરવા માટે સમજાવ્યું. તેણીનાં દીકરાએ પણ તેને આના માટે સહકાર આપ્યો.
સોનલે સમય પારખીને કામ કરવાની હા પાડી અને બીજા દિવસે કોરોનાથી બચવા માટેની જરૂરી સાવધાની સાથે ફરજ પર હાજર થઈ. આટલાં વર્ષો પછી તેણીએ પેથોલોજી લેબમાં પગ મૂકતાં આનંદ અનુભવ્યો.
તેણીએ જરૂરતમંદ લોકોનાં ઘરે જઈને કોરોના પરીક્ષણ માટેનાં સેમ્પલ લેવાની જવાબદારી સ્વીકારી. આ સમય દરમિયાન કેટલાંક વડીલોનાં સંપર્કમાં પણ આવી, જેમનાં પરિવારજનોએ આ બિમારીને લીધે તેમનાથી મોં ફેરવી લીધા હતાં. તેણીએ તેનાં કામ સાથે તે સૌને માનસિક સહારો પણ આપ્યો. એકબાજુ તેણી ઘરે ઘરે સેમ્પલ લેવાં જાય અને તેણીનાં પતિ જગદીશભાઈ દિવસ રાત લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરે.
જે દીકરાના ભણતર અને ઉછેર માટે થઈને નોકરી છોડી હતી, આજે તેને ઘરે એકલો મૂકીને તેણી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર (કોરોના યોધ્ધા) બની.
આવા લાખો કોરોના વોરિયર્સ જે પોતાનાં પરિવારથી ઉપર “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના રાખી વૈશ્વિક પરિવારનું વિચારે છે, તેમને મારા કોટિ કોટિ વંદન.
પ્રકૃતિ શાહ ‘પ્રીત’