ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૪ ગધ રચનાંં….
.વિષય : સભ્યતાનું ધોરણ
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No-0091
વિષય: સભ્યતાનું ધોરણ
પ્રકાર: ગદ્ય (લેખ)
સભ્યતા એક એવી ક્રિયા છે જેનાં દ્વારા નિશ્ચિત કરેલાં હેતુઓ, કાર્યો સફળ કરવાં માટેની રીતોનો વિકાસ.
આ વિકાસમાંથી માનવીએ મેળવેલાં સંતોષને સભ્યતા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સભ્યતા એટલે કોઈ જગ્યાએ પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દા.ત સિંધુ ખીણની સભ્યતા. (ગુગલના સૌજન્યથી)બીજું એક ઉદાહરણ એ આપી શકાય કે ગુફામાં વસવાટ કરતો આદિમાનવ આગ સળગાવવા પથ્થરનો ઉપયોગ કરે જ્યારે આધુનિક માનવ દિવાસળીનો ઉપયોગ કરે. અહીં અગ્નિ એ ઉદ્દેશ છે અને પથ્થર અને દિવાસળી સાધન છે તેથી બંનેને સિદ્ધિ મળે છે અને આ સિદ્ધિની પ્રાપ્તિને સંતોષને આવતા બદલાવને સભ્યતા કહે છે. સભ્યતાનું કાર્યક્ષેત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે: (૧) યાંત્રિક સંગઠન (૨) સામાજિક સંગઠન
યાંત્રિક સંગઠનમાં ભૌતિક અને ટેકનિકલ સાધનોનો સમાવેશ થાય છે જેમ કે કોમ્પ્યુટર છાપખાનું રેડિયો-ટીવી ટેલિફોન વગેરે આ સંગઠનમાં આવે છે જ્યારે સામાજિક સંગઠન માનવીના વર્તન અને વિકાસનો નિયમન કરે છે તેમાં સમૂહો, કુટુંબો, સામાજિક ચળવળો અને જ્ઞાતિ તથા વર્ગવ્યવસ્થા જેવા આર્થિક અને સામાજીક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
હવે આપણે સમજીએ સભ્યતાનું ધોરણ એટલે કે તેના ઉપયોગનું ધોરણ. પહેલા જોઈએ યાંત્રિક સંગઠન તો તેમાં કોમ્પ્યુટર મોબાઈલ ટીવી આધુનિક વસ્તુઓનો કેટલાં અંશે અને કેવી રીતે ઉપયોગ કરવો એ સભ્યતાનું ધોરણ છે. આવી વસ્તુઓનો સારી અને ખરાબ બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તેના ઉપયોગ પરથી આપણી સભ્યતા પણ દેખાય છે. કેવી રીતે સામાજિક સંગઠનમાં પણ કુટુંબો અને પરિવારોમાં સભ્યતા રાખવી, મિત્રો સાથે પ્રેમ લાગણી, નાતજાતના ભેદભાવથી દૂર, પરસ્ત્રીને માતા સમાન ગણવી, સંસ્કારો અને સંસ્કૃતિનું પાલન કરવું વગેરે કાર્યો કે જેનાથી આપણને સંતોષ મળે છે. અને આ સંતોષ એટલે જ સભ્યતા. બાળકને નાનપણથી જ આ સભ્યતા માતાપિતા તરફથી વારસામાં અપાય છે પરંતુ મોટા થતાં યુવાનો કેટલા અંશે તેનું પાલન કરે છે તે તેના સ્વભાવ અને આજુબાજુના વાતાવરણ પર જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સંસ્કાર એટલે જ સભ્યતા અને તેનું પાલન જેટલા પ્રમાણમાં થાય તે તેનું ધોરણ.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
****************************†*
NOG SS NO. 0060
વિષય : સભ્યતાનું ધોરણ
પ્રકાર : ગદ્ય (આર્ટીકલ)
આજે જયારે આપણે સભ્યતાનાં ધોરણ વિશે વાત કરી રહ્યાં છીએ ત્યારે પ્રથમ તો એ જ પ્રશ્ન ઉદ્ભવે કે સભ્યતા એટલે શું? તેનું ધોરણ, તેનો માપદંડ કોણ નક્કી કરે છે? કોને તેનો અમલ કરવાનો રહે છે?
મારી દ્રષ્ટિએ સભ્યતા એટલે સમાજ દ્વારા, સમાજમાં રહેનારાં તમામ લોકો માટે એકબીજા સાથે સારી રીતે વર્તન કરવાનાં વણલખ્યાં નિયમો. જેમાં ઘણી બધી વાતો આવરી લેવામાં આવી છે પણ મુખ્ય હેતું એ છે કે સમાજમાં સુચારુતા જળવાઈ રહે અને સૌ કોઈ શાંતિથી જીવી શકે. માનવી પહેલાં પાષણયુગમાં જીવતો હતો. ત્યાર પછી ધીમે ધીમે તે આજનાં દિવસ સુધી પહોંચ્યો છે, તે સર્વ વિદિત છે. આજ સુધી પહોંચતાં માનવે ઘણાં નિયમો બનાવ્યાં હશે અને તેને આજ સુધી તે વળગી પણ રહ્યો હશે અને અમુક નિયમોમાં સમય મુજબ ફેરફારો પણ કર્યા હશે.
આપણે ટ્રાફિકનાં નિયમોનું ઉદાહરણ લઈએ તો સૌએ તેનાં નિયમોનું પાલન કરવાનું રહે છે અને લોકો કરે પણ છે. પરંતુ, જે લોકો તેમ નથી કરતાં તે પોતાની સાથે બીજાને પણ નુકસાન પહોંચાડે છે. જેમાં કેટલાંય નિર્દોષ લોકો પણ જીવ ખોઈ બેસે છે તો કેટલાંક જિંદગીભર અપંગ બની રહે છે. આવું જ ગેરવર્તન અમુક લોકો ગરીબો સાથે, સ્ત્રીઓ સાથે કે મજૂરવર્ગ સાથે કરતાં હોય છે જે ન કરવું જોઈએ. ગેરવર્તણુક ઘણીવાર માણસને મુસીબતમાં પણ મૂકી દે છે. આવું ન બને માટે જ સમાજનાં હોદેદારોએ વર્તનનાં અમુક માપદંડો નક્કી કર્યા છે. જેથી ભગવાનની બનાવેલી આ દુનિયામાં સૌ કોઈ પ્રેમથી જીવી શકે.
દરેક વ્યક્તિનું સન્માન કરવું, તમને ન ગમે તેવું વર્તન બીજાં સાથે ન કરવું, કોઈને શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન ન પહોંચાડવું, ધીમા અવાજે વાત કરવી, સામેની વ્યક્તિને ધીરજથી સાંભળવી વગેરે જેવાં સભ્યતાનાં ધોરણોનું પાલન જો દરેક વ્યક્તિ કરવા લાગે તો સ્વર્ગ આ ધરતી પર જ ઉતરી આવે! બીજો લાભ એ મળે કે જ્યાં શાંતિ હોય ત્યાં વિકાસ થાય. માટે, સભ્યતાપૂર્ણ વર્તન કરીએ અને વિકાસનાં પંથે આગળ વધીએ અને સમાજે બનાવેલાં સભ્યતાનાં માપદંડો પર ખરાં ઉતરવાનો પ્રયત્ન કરીએ.
ભગવતી પંચમતીયા. ‘રોશની’
****************************†**
NOG SS No : 0044
પ્રકાર:-. ગદ્ય
વિષય:- સભ્યતાનું ધોરણ
શીર્ષક:- સભ્યતા
શબ્દો:- ૨૦૭
‘સભ્યતા’ આ શબ્દ સમાજમાં ડગલેને પગલે સાંભળવા મળે.સમાજમાંથી જ શીખવા પણ મળે.સવાલ એ છે કે, સભ્યતા એટલે શું? એની વ્યાખ્યા શું? એનાં માપદંડ અલગ અલગ જગ્યાએ જુદા જુદા.
સામાન્ય રીતે ઉપલા સ્તર વાળા, નીચલા સ્તર વાળા પાસે સભ્યતાની આશા રાખે, પોતાનાં માપદંડ મુજબ. માવતર, પોતાનાં સંતાનો પાંસે એમનાં માપદંડ મુજબ. સભ્યતા જાળવવી એટલે વડીલોને માન આપવું,માન મર્યાદામાં રહેવું.ઘર પરિવાર, માવતરની
આબરૂને લાંછન લાગે એવું કૃત્ય ન કરવું. શાળામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી શિસ્તનો આગ્રહ રાખે તો આચાર્ય શિક્ષકો પાંસેથી . ઓફિસમાં બોસ એનાં કર્મચારીઓ પાંસેથી.
સભ્યતા વિશાળ ફલક પર જોઈએ તો વિદેશમાં વસવાટ કરનારે ત્યાંનાં માપદંડ મુજબ સભ્યતા જાળવવી પડે.જેમ કે, પરદેશમાં ઓફિસમાં અંગ્રેજીમાં જ વાત કરવી પડે.પોતાનાં વતનનાં સાથી કર્મચારી સાથે પોતાની ભાષામાં વાત કરવી હોય તો પૂછવું પડે,” હું મારી ભાષામાં વાત કરું તો આપને વાંધો નથી ને?” એમ ન કરે તો સભ્યતા નથી એવું કહેવાય.
પરદેશમાં યુવતી ટૂંકા કપડાં પહેરીને નીકળે તો કોઈનું ધ્યાન પણ જતું નથી! જ્યારે આપણાં દેશમાં એવું કહે કે,”સભ્યતા નેવે મૂકી,આને બળાત્કારનું કારણ જણાવે.”
આપણે ત્યાં મહેમાન આવ્યાં હોય અને મોટેથી વાતો કરીએ તે એકદમ સામાન્ય જ્યારે પરદેશમાં પાડોશીને સભ્યતાનું ઉલ્લંઘન લાગે અને ચૂપચાપ પોલીસને ફોન કરે અને આપણે દંડ ભરવો પડે.
સભ્યતા માત્ર શિક્ષિત વર્ગમાં જ હોય એવું નથી.અશિક્ષિત વર્ગ પણ પોતાનાં માપદંડ મુજબ સભ્યતા જાળવીને જીવે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
******************************
NGO સાહિત્ય સરિતા (૧)
NOG SS No : 0039
વિષય – સભ્યતાનું ધોરણ
શબ્દો – ૩૫૦. નિબંધ
પ્રકાર : ગદ્ય
સભ્યતાનાં આમ જુઓ તો વિનમ્રતા, સારું વર્તન, શહેરીકરણ, નાગરિકત્વ, સંસ્કૃતિ વગેરે અનેક અર્થ થાય છે. સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી, (જીવનને લગતી બધી બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે.) (ગુગલના સૌજન્યથી)
સભ્યતા અને સંસ્કૃતિનો અર્થ ક્યાંક સમાન છે તો ક્યાંક એ બંને વચ્ચે આછીપાતળી ભેદરેખા છે.એનાં અર્થ વિશે વિદ્વાનોમાં મતમતાંતર રહેલા છે.
“સમાજના મૂલ્યાત્મક સર્જનો એટલે સંસ્કૃતિ.” -સમાજશાસ્ત્રી મેકાઈવર.
જ્યારે ટેક્નોલોજીની શોધ નહોતી થઈ ત્યારે જીવનશૈલી માટેના ભૌતિક સાધનો અલગ હતા.પોતાના જીવનની સ્થિતિ સુધારવાના નિરંતર પ્રયાસમાં શોધ અને વિકાસ દ્વારા જે પ્રાપ્ત કર્યું એ સભ્યતા છે.
(સભ્યતાનું કાર્યક્ષેત્ર મુખ્ય બે વિભાગમાં વહેચાયેલું છે.
(૧)- યાંત્રિક સંગઠન – જેમાં અનેક ભૌતિક વસ્તુઓના ઉત્પાદન માટે ટેક્નિકલ સાધનોનો વિકાસ,
(૨) – સામાજિક સંગઠન – આ સંગઠન વ્યક્તિના વર્તન અને વિકાસનું નિયમન કરે છે. ) ગુગલના સૌજન્યથી)
પ્રાચીન સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને આદિ અથવા જંગલી લોકોથી વિપરીત ગણાતા જ્યારે આજે આધુનિક લોકોને જૂનવાણી લોકોથી વિપરીત મનાય છે.આને પણ સભ્યતાનો વિકાસ જ કહેવાય.
સભ્યતાનાં ધોરણો અને માપદંડ સૌ પ્રથમ વ્યકિગત હોય છે “મૂર્ખ માણસ રૂપને પરણે છે જ્યારે બુદ્ધિશાળી સારા સ્વભાવને મહત્વ આપે છે.”
શિક્ષિત વર્ગની અને અશિક્ષિત વર્ગની સભ્યતા અલગ અલગ હોય છે.
સભ્યતા પર અસર કરતા પરિબળો
(૧)- કૌટુંબિક – દરેક કુટુંબના પોતાના નિયમો હોય છે જે મોટે ભાગે દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યેની લાગણી અને આદરને કારણે માનતી હોય છે.
(૨)- સોસાયટી અને જુદા જુદા સામાજિક સંગઠનો – અહીં પણ નિયમો હોય છે જે દરેક સભ્ય માટે બંધનકર્તા હોય છે. ઉચ્ચતમ સમાજ, મધ્યમ વર્ગીય સમાજ ને નિમ્ન સમાજ, દરેકને પોતાના ધોરણો અને માન્યતાઓ અલગ અલગ હોય છે.
(૩)- ધર્મ અને ધાર્મિક સંગઠનો – ધાર્મિક શાસ્ત્રોમા ધર્મ અને જીવન વિશેનું માર્ગદર્શન આપીને નિયમો આપ્યા હોય છે.
(૪)– શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ
અનુશાસન જળવાઈ રહે એ માટે શિક્ષણ આપતી દરેક સંસ્થાઓને પણ પોતાના ધોરણો હોય છે જે દરેક સભ્યને લાગુ પડે છે.
(૫)- વ્યવસાય તથા વ્યાવસાયિક સંસ્થાઓ – જ્યારે વ્યક્તિ કોઈ વ્યાવસાયિક સંસ્થામાં જોડાય ત્યારે એણે એ સંસ્થાના નિયમો પાળવાનાં હોય છે.
(૭) – આર્થિક બાબતો – આવકનું વ્યવસ્થિત આયોજન કરવું એ વ્યક્તિગત છે અને કોઈ પણ નિર્ણય લેવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે.
સભ્યતાના કેટલાક ભયસ્થાનો પણ છે. માનવી સભ્યતાને દર્શાવતાં ક્યાંક દંભી પણ બનતો હશે જે આ સિક્કાની અનિચ્છનીય બીજી બાજુ છે! અતિ સભ્યતામાં સરી જઈને ક્યારેક વ્યક્તિ પોતાનું સ્વત્વ ગુમાવે એવી દહેશત પણ ખરી!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ