ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા સાત ગદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : “જીત – હાર,વિજય – પરાજય”. તેમજ
“માં” વિષયક રચનાઓ. દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO:0004
*વિષય: હાર- જીત, જય-પરાજય*
પ્રકાર : ગદ્ય
*શીર્ષક: સંઘર્ષ*
હાર કોને ગમે? પરાજય કોને ગમે? કોઈક જ નિરાશાવાદી જીવનની રાહ અપનાવી પૂર્ણ જીવન પોતાના
આંગણાંમાં હકારાત્મક લહેરખીને પ્રવેશવા દેતા નથી. હંમેશાં ફૂલ નહિ પણ કાંટાનો માર્ગ જ અપનાવે છે. હાર કે પરાજયને અપનાવી પ્રભુને કોશે છે!
એવાં માનવીને એટલું જ કહીશ કે*સંઘર્ષ* ને ઓળખો છો? સુંદરતા પામતા પહેલાં સૌંદર્યને પામવું પડે.કાર્યને સંઘર્ષ રૂપે સ્વીકારવું પડે.જીવનમાં બધું જ આસાનીથી પ્રાપ્ત થાય તો તેમાં હાર જીત કે જય પરાજય
રહે જ ક્યાં? મિત્રો તેથી જ માટી ખોદાઈ તેમાં બીજ રોપાય , બીજ ને પાણી સિંચાઈ ને અંકુર ફૂટે, તેની માવજત થાય ને પછી ફળ, ફૂલ કે અનાજ પ્રાપ્ત થાય તે જીત છે. સંસ્કાર બાળકમાં સિંચાઈ સંઘર્ષ ત્યારે તે સમજે કે તે ખરો અર્થ સમજે છે જીત કે જયનો.
મોટા ગ્રંથો રચાયા જેવાકે રામાયણ ને મહાભારત તેમાંથી કુરુક્ષેત્રે જન્મી ગીતા… તેમાં સમજાયા હાર જીત અને જય પરાજયનાં રહસ્ય..જો સંઘર્ષ નહોત તો અભિમન્યું આસાનીથી ચક્રવ્યુહ તોડી જીત જ મેળવી શક્યો હોત, સંધર્ષ નહોત તો સીતાને રામ વિરહની યાતના ભોગવવી જ ન પડી હોત. કશું જ આસાન નથી હોતું પણ કર્મ, કર્તવ્ય અને સંઘર્ષ જ કરવાથી જરૂર જ હકારાત્મકતા તમને જીત ને જય મેળવી આપે છે.
અનેક સફળતાની પાછળ સંઘર્ષ જ છુપાયેલો છે.અનેક જીવનની ઘટમાળ જુઓ ક્યાંક મોટી મોટી મહામારી , ક્યાંક મોટા મોટા યુધ્ધો કે ક્યાંક મોટા મોટા હિરોસિમા જેવી ઘટનાઓ તમારી સામે આવશે જ છતાં આ સંઘર્ષો
તોડી વિશ્વ ચાલ્યું છે ને માનવીએ નવી નવી શોધો કરી ને જીત મેળવી છે!
હાર માનવા કરતાં જરૂર તેવાં સંઘર્ષને અપનાવો જે તમને જીત તરફ ખેંચી જાય! જયની વરમાળા પહેરો ને પેલાં પરાજયને કે પેલી હારને સંઘર્ષમય જીવન સાથે જોડી હંમેશ સામી છાતીએ લઢનારા યોધ્ધા બનો.
મુક્તપંચિકા
હાર જીતને
પરાજય તે
કશું ન છૂપે મન
જો વિચારે તે
*હા*થકી જીત!
જયશ્રી પટેલ…તા.૭/૫/૨૧
******************************
NOG SS No.0059.
વિભાગ: ગદ્ય- લેખ.
વિષય : હાર ,જીત ,વિજય,
પરાજય.
શીર્ષક: વિજેતા કોણ ?
શબ્દો: ૧૬૫.
સમગ્ર સૃષ્ટીનાં સર્જનહારે,
સમગ્ર જીવસૃષ્ટિમાં માનવમાત્રને,
વિચારવાની અકલ્પનિય વિચાર શકતિ આપીછે તો સાથે, જીવનની હરપળે,હાર, જીત,વિજય, પરાજયનો અનુભવ કરવાની
અગણ્ય તકો આપી છે.
દરેક મનુષ્યને આ
તબક્કામાથી પાસ થવું જરૂરી
રહેછે.
હારની સામે જીતછે તો વિજયની સામે પરાજય !
હાર અને જીત, કસોટીના બે પલ્લુઓછે. પલ્લું નમાવનાર વિજેતા !
હાર- જીત તો વિશેષ કરીને ખેલકૂદની હરિફાઇ, ચૂંટણી પ્રક્રિયા તેમજ યુદ્ધ સમયે વિજેતા બનનારનું વિશેષ મહત્વ વધારી આપેછે, તો પરાજય પામનારનું
મહત્વ કોડીનું કરી નાખેછે.
આજની આ ભૌતિકવાદ તરફની
માનવદોટે,ધનની લાલસાએ દરેક ક્ષેત્રને અપવિત્ર અને અપ્રમાણિક
બનાવ્યાછે, જે સશક્ત લોકશાહી માટે ઘણાજ ખરાબ પરિણામ લાવે છે.
સિધ્ધાંત રહિત માનવ આજે માન, મોભો,ધન-દોલત, અને સત્તાનાં નસામા, સત્યને નેવે મૂકી આગળ વધી રહ્યોછે.
હા, “કાળાં વાદળને સોનેરી કિનારી” જેમ આપણી ન્યાય પધ્ધતિ ઘણીજ ઊતમછે, તેથી હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સમયે સમયે ન્યાયી પધ્ધતિથી ન્યાયને ઉજાગર કરતી રહેછે, જે આપણું સૌભાગ્ય જ ગણાય. માનવજીવનમાં જે માનવી
હાર કે જીત , વિજય કે પરાજય ને ખેલદીલી સાથે ખુશીથી જે પચાવી પાડેછે તેજ સાચો વિજેતા ગણાય !.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
******************************†
NOG SS NO : 0052
વિષય : હાર-જીત, વિજય-પરાજય
શીર્ષક : “વિજય”
પ્રકાર : ગદ્ય
“દરરોજ કહી કહીને થાકી આ સમજતો જ નથી ,બસ એની જ મનમાની કરે જાય છે ,મારી વાત હારે સહમતિ એની તો ન જ હોય.”, ચહેરા પર જુઠ્ઠા હાસ્ય સાથે મમતા બહેનને તેમનાં પતિ સાથે વાતો કરી રહ્યાં હતાં.
“અલા ઓય ચિન્ટુડીયા, કહું છું મારી વાત માન ,પિતાજીનો આટલો સરસ ધંધો ચાલે છે,બાપ-દાદાથી ચાલ્યો આવતો ધંધો બાજુ પર રાખી તું તારું નવુ કામ શોધે તે કેમ ચાલે દીકરા?”
જરા તો વિચાર કર અને મમતા તું એને ટોક નહીં, નવી પેઢી છે ,નવું લોહી છે ,એ અત્યારે એની મનમાની નહીં કરે તો કયારે કરશે ?
બેટા તને યોગ્ય લાગે તેમ કર.”, હૃદય કઠણ રાખી પરેશ ભાઈ બોલ્યા.
“હા પપ્પા..”, કહી ચિન્ટુ ઉર્ફે વિજય ચાલ્યો તેનાં નવા ધંધા પર.
પરેશભાઈનું કહ્યામાં ન રહેનારો વિજય હવે પુખ્ત વયનો હતો,તેને વધુ કહેવું પરેશ ભાઈને ઉચિત નહોતું લાગતું, કેમ કે થોડાં વર્ષો પહેલાં આવો જ કિસ્સો તેમનાં નજીકનાં મિત્ર સાથે બની ચૂકેલો, છોકરાં પર પોતાનાં નિર્ણયો થોપી દેતા, આખરે છોકરો પિતાજીના જમાવેલ ધંધાને યોગ્ય ન્યાય ન આપતા,થોડો ઠપકો શું મળ્યો તેને લાગી આવ્યું અને છોકરો આગળ પાછળનો વિચાર કર્યા વિનાં, જીવાદોરી ટૂંકાવી બેઠો.
મમતાબહેન પરેશભાઈની અંદરની વ્યથા સમજતા હતાં.પત્ની સિવાય બીજું કોણ આ દર્દ સમજી જ શકે.
પરેશભાઈની તબિયત સારી ન હોવાનું બહાનું કાઢી મમતા બહેને વચ્ચેનો રસ્તો કાઢ્યો.
“દીકરા અત્યારે તો તારા પિતાજીની તબિયત સારી નથી ,અને ઉપરથી આ લીધેલા ઓર્ડરના રૂપિયા બિમારીમાં જશે?થોડાં સમય પૂરતો આ ધંધો તું જોઈ લે તો?”
વિજયે કચવાતા હા પાડી.બાપ દાદાનો વર્ષોથી ચાલી આવતા ધંધાને નજીકથી તેમજ લોકો સાથે પેઢીઓથી જે વ્યવહાર ચાલ્યો આવતો હતો.જે વિશ્વાસ, લોકો સાથે ઘરોબો કેળવાય ચૂક્યો હતો તે જોઈ વિજયને આશ્ચર્ય સાથે આનંદ થયો ,તેનું મન હવે આ ધંધા તરફ વળી ચૂકયું હતું.
એક દિવસ વિજય મમતાબહેન અને પરેશભાઈને સામેથી કહેવા આવ્યો, “હવેથી પપ્પાને તમને આરામ,ધંધો હું સંભાળી લઈશ.”
“પાકુને બેટા?”,પરેશભાઈએ પોતાની ખુશી અંદર દબાવી ધીમાં અવાજે પૂછયું.
“હા પપ્પા, હા…”
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા
*******************************
NOG SS No. 0076
વિષય :- હાર-જીત
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :- હાર કે જીત?
આમ તો દરેક જગ્યાએ કોઈ હારે તો સામે કોઈ જીતતું જ હોય છે, પણ પ્રાપ્તિને એ જ નથી સમજાયું કે જીત્યું કોણ?
પોતાને ભાઈ- બહેન કોઈ ન હોવામાં પણ એનો વાંક ગણીને નાનપણથી જ ઉપેક્ષાનો ભોગ બનતી આવી, અને આ ન કરેલા ગુનાની સજા રૂપે સરખું ભણી પણ ન શકી, અને આ ઓછું હોય એમ એની મરજી વિરુદ્ધ એના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા.
સૌ કહે છે લગ્ન બાદ એક નવા જીવનની શરૂઆત થાય છે, પોતાનું પણ જીવન હવે બદલાશે એવી આશામાં પ્રાપ્તિ પિયુ ઘરે આવી, પણ અહીં પણ આશા તો ઠગારી જ નીકળી, તેના પતિના આ લગ્ન તો સમાજનું ધ્યાન ભાભીનાં મોહપાશમાં સર્જાયેલી પાપલીલાને ઢાકવાનું માત્ર ષડયંત્ર હતું.
પિતૃગૃહે સતત ઉપેક્ષા અને ઓછા ભણતરનાં કારણો પ્રાપ્તિ માટે બીજે ન જવા માટે કે પ્રપંચનો ન સહેવાય કે ન રહેવાયની સ્થિતિમાં પડ્યું પાનું નિભાવવા માટે પૂરતા હતાં. લગ્નથી પ્રાપ્તિનાં દેહને મન ફાવે ત્યારે ભોગવી લેવાના ભોગવટાનાં હકનાં ફળ સ્વરુપે પ્રાપ્તિ પહેલાં દીકરા અને પછી દીકરીની માતા બની.
ભાઈ ભગવાને આપ્યો નહીં, પતિ પહેલેથી બીજાનો હતો, પણ હવે દીકરો છે ને…! એના સહારે જિંદગી જીવી જવાશે ની આશામાં પ્રાપ્તિ દિવસો પસાર કરવા લાગી. બેમાંથી એકેય બાળકની જવાબદારી પ્રાપ્તિનાં પતિએ લીધી નહીં અને સિલાઈકામ કરીને પ્રાપ્તિએ બંને બાળકોનો ઉછેર કર્યો, બંને બાળકોને માસ્ટર ડિગ્રી સુધી ભણાવ્યા.
દીકરો 18/20 વર્ષનો થયો ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, પણ પછી દીકરાના જીવનમાં એક યુવતીનો પ્રવેશ થયો, અને બધું બદલવા લાગ્યું, દીકરો હવે મા થી દૂર થઈ રહ્યો હતો.
5/6 વર્ષ મિત્રતામાં રહ્યા બાદ યુવતી સાથે લગ્નનાં બંધનમાં બંધાવાનું પણ નક્કી કર્યું જે બાબત સહર્ષ સ્વિકારવામાં પ્રાપ્તિને ક્યા ખબર હતી કે હજી ઘણી હાર બાકી છે. પણ પછી ન જાણે શું થયું કે દીકરો અને તેની મિત્ર જુદા થયાં, અને પેલી યુવતીએ જુદા થવાના કારણમાં પ્રાપ્તિનું નામ લીધું, જયારે હકીકતમાં પ્રાપ્તિ ક્યાં વચ્ચે હતી જ…!
જે છોકરી વહુ બનીને આવવાની હતી એની માફી માંગવાની , એને નમવાની દીકરાએ ફરજ પાડી, અને દીકરાની ખુશી માટે પ્રાપ્તિએ એ પણ કર્યું, જેના બદલામાં અસહ્ય કડવા વેણ અને અપમાન કોઈ જ વાંક વગર સહન કર્યા.
એ યુવતી તો પાછી ન આવી, અને બીજે પણ પ્રેમલગ્ન જ કર્યા, પણ દીકરો સમજી ન શક્યો કે બીજે પણ પ્રેમલગ્ન કર્યા તો પોતાની સાથે એનો સંબંધ શું હતો? દીકરો હવે પ્રાપ્તિથી દૂર થવા લાગ્યો, જે દીકરાના સહારે બાકીની જિંદગી ગુજરવાનું પ્રાપ્તિ સપનું જોતી હતી એ સ્વપ્ન સાવ તૂટી ગયું.
જિંદગીની આ રમતમાં પ્રાપ્તિ સતત હારી, એને એ જ નથી સમજાતું કે ખરેખર જીત કોની થઈ?
✍🏻પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર
***””””**”********************
NOG SS No :0042
વિષય-હાર-જીત,વિજય-,પરાજય
વિભાગ-ગદ્ય
પ્રકાર-લઘુકથા
શીર્ષક-માતૃત્વની હાર
મનોજે ગામડે રહેતી માને ફોન કરતા કહ્યું,”મા, મારા દીકરાને ગામડાંની સંસ્કૃતિ વિશે પ્રોજેકટ કરવાનો છે,એટલે અમે કાલે ગામડે આવીશું.”
મોંઘીબાને તો જાણે સોનાનો સૂરજ ઊગ્યો. એતો બાજુમાં રહેતી જમનીની છોરીને બોલાવી તૈયારી કરવા લાગ્યા કારણકે ઉંમરનાં હિસાબે પોતે કેટલું કરી શકે!
પુત્રનો પરિવાર આવતાં મોંઘીબાને સાતે કોઠે જાણે દિવા થયાં.સુખનાં સોનેરી દિવસો તો ઝડપથી દોડતાં હરણની જેમ ઝડપથી પૂરાં થઈ ગયા! બે દિવસ પછી પાછું ઘર ખાલી! મનમાં દુઃખ થતું પણ દેખાવા ન દેતાં.
સાંજે ખાટલો ઢાળી બધાં બેઠાં હતાં ત્યાં ગામનાં મુખી આવ્યા. રામ રામ કરી વાતો એ વળગ્યા,”તારા બાપને ગયે ઘણાં વર્ષો થયા. હવે મોંઘીબાને એકલા રાખવા હિતાવહ નથી. દિવસે બધાં ખબર રાખે પણ રાતનું કેમનું? હવે જા ત્યારે તારી હાયરે ઈને પણ લઈ જાજે.”
મુખીબાપાની વાત ટાળવી મનોજ માટે શક્ય નહોતી. કચવાતા મને મોંઘીબાને શહેર તો લઈ આવ્યા પણ મુવી જોવા જવું, મોલમાં,રેસ્ટોરન્ટમાં જવું, એવા બધાં મોજશોખ બંધ થઈ ગયા, કારણકે શહેરની મોંઘવારીનાં રોદણાં રડ્યા હતાં હવે કેમ જવાય!
થોડાં મહિના પછી એક સવારે મોંઘીબા માળા કરતાં હતાં અને દીકરો-વહુ હિસાબ કરતાં હતાં,”શહેરમાં મોંઘવારી બહુ નડે,જો એક વ્યક્તિ પણ વધારે હોય તો ખર્ચ કાઢવો વસમો પડે હોં.”
“પેટે પાટા બાંધીને એકના એક દીકરાનો ઉછેર કર્યો ને એ દીકરો આજ આમ બોલે?” માળા કરતાં મોંઘીબાનાં હાથ આકાશ તરફ ઊઠ્યા ને અચાનક કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો.
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર
*********************†*********
NOG SS NO..0073
વિષય..માતૃ દિવસ નિમિત્તે,
શીર્ષક..મા
વિષય..ગદ્ય.
પોતાના બાળકો માટે મા છેલ્લી ઘડી સુધી ઝઝૂમે છે,ડોક્ટર હાર માની જાય
ત્યારે એ ઈશ્વરને બોલાવે છે, એની દુવાની અસર તો જુવો ઉપરવાળો
કોઈને કોઈ સ્વરૂપે નીચે આવે છે.
મા કયાં? હાર માને છે.
આજે સત્ય ઘટનાની વાત કરીશું.
મારા પતિને એક માસ અગાઉ એટેક
આવ્યો એમનું એન્જોપ્લાસ્ટી કરવું પડ્યું એમને એક સ્ટેન્ટ મૂકવું પડ્યું.
એ વાતને એક માસ થયો ત્યાંજ મારા પતિને કોરોના થયો એમની તબિયત સારી હતી એટલે હોસ્પિટલ એડમિટ ના કરવા પડ્યાને ઘરેજ સારવાર કરી.
જેવી મારી મા ને ખબર પડી કે મારા પતિને કોરોના થયો છે ,એટલે એણે
ભગવાનની પ્રાથના ચાલુ કરી ,દિવસમાં
અડધો અડધો કલાકે ફોન કરે કેવું છે
પૂછવા એક દિવસ મારા પતિને વોમેટિંગ થઈ મેં વાત કરી કે એમને આજે વોમેટિંગ થઈ છે હું ડોક્ટર પાસે લઈ જાવ છું, બસ પછી તો પૂછવાનું શું?
એણે મને કહ્યું તું ચિંતા ના કરતી
નરેશ કુમારને કાઈ નહીં થાય મેં બહુજ બધી બધા રાખી છે, કોઈના ઘરે મરણકે પ્રસંગે કોઈની ખબર જોવા નહીં જવાનું ગમતી ખાવાનીવસ્તુ છોડી દેવાની ને જ્યાં અમારા કુળદેવી છે ત્યાં પગે લાગવા જવાનું નરસિહ ભગવાનનો પાઠ કરાવાનો,આટલી બધી બાધા લીધા પછી પણ ઈશ્વર પાસે આજીજી તો ખરીજ …
જ્યારે અગિયારમાં દિવસે મારા પતિનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો ત્યારે એના જીવમાં જીવ આવ્યો,એની ભગવાન પ્રત્યેની આસ્થા વધુ મજબૂત બની .
મા એ મા જ હોય એના માટે તો પોતાના દીકરા દીકરીઓ સુખી તો પોતે સુખી એને જમાઈ કે વહુની ચિંતા એટલે થાય છે કે એના બાળકોની ખુશી એમની સાથે જોડાયેલી છે.
ઈશ્વરે પણ “મા “બનાવી પોતાનું સ્વરૂપ ધરતી પર આપી દીધું મને નહીં પૂજે તો ચાલશે મારા સ્વરૂપને પૂજજે
સાચેજ ભગવાનનું સ્વરૂપ હોયછે *મા*.
નયના પટેલ
વડોદરા.
******************************
NOG.SS.NO. 0060
માતૃદિવસ પ્રસંગે…
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ઋુણ સ્વીકાર.
મા વિશે જેટલું લખીએ તેટલું ઓછું.
સાત સાગરની શાહી બનાવીને લખીએ તો પણ માતાનાં ગુણો, તેનાં ઉપકારો, તેનું ઋુણ ન ઉતારી શકીએ. ‘ગીરા અનયન, નયન બીનું વાણી.’
મતલબ કે જે નયનો મા નું દર્શન કરે છે, માનાં ગુણોને જુએ છે તે નયનોને વાણી નથી એટલે તે વર્ણન કરવા અસમર્થ છે. જે જિહ્વા માનાં ગુણોનું વર્ણન કરે તેની પાસે દ્રષ્ટિ નથી કે તે જોઈ શકે. માટે તે પણ માનાં ગુણોને વર્ણવી શકે તેમ નથી.
પ્રભુને પણ અવતાર લેવા માટે માતાનો સહારો લેવો પડે છે. રામ હોય કે કૃષ્ણ, ભગવાન પણ માતાનું માન અને મન જાળવતાં હોય છે. માનાં ચરણોમાં સ્વર્ગ રહેલું છે તે વાત જ માતા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરે છે.
અંતે હું એટલું જ કહીશ…
મા
ન વર્ણવી શકે,
તને કોઈ જ ઉપમા.
ભગવતી પંચમતીયા. ‘રોશની’