GN_11-05-21
ii
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા
ચાર ગદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : “જીત – હાર,વિજય – પરાજય” દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG :SS : 0089
પ્રકાર: ગદ્ય
વિષય: હાર જીત વિજય પરાજય
શીર્ષક: ઝમકુંડોશી
રેખા શુકલ- અમેરિકા
“હાર જીત વિજય પરાજય”
ઝમકુડોશીમાંને ત્યાં મોહન દીકરો ને જમના દીકરી હતાં.રોજ દાડીએ્ જવાનું વટથી ઉછેરે બેઉ સંતાન ને. વિલાસના દીકરાની સાથે લગ્ન કરવાનું વચન આપેલ તેથી દીકરી થાળે પડી
ને પરણાવ્યાનો સંતોષમાંની હરદ્વાર ગયા.
પાછા ફર્યા ત્યારે ખબર પડી કે જમના એ કૂવો પૂર્યો ને વિલાસના દીકરાને જેલમાં પૂર્યો છે. પત્નીનાં મોતથી બાવરો બનેલો છાતીફાટ રોતા ડોશી આગળ સાચી વાત કરી બોલ્યો
“ઘરનો વડીલ મારો બાપ… વહુ પર બળાત્કાર કર્યો ને તમારી દીકરી હું ખોઇ બેઠો ને મારો બાપ તો રાતોરાત ગામ છોડી ગયો. બા મારી બધાં આઘાત જીરવી ના શકી. ઘર આખું
ખાલી થઇ ગયું મારે રોજ મરવું જેલમાં માડી મને સજા મળી હું નથી મરી શકતો નથી જીવી શકતો. “
આ વાત જતા દાડે ભૂલાઇ ગઇ હશે માની રાજભા વર્ષે પાછો આવ્યો ત્યારે ખબર પડી બધી વહુ કૂવામાં પડી મરી ગઇ ને દીકરા પર આળ ચડ્યું ને જેલ ભેગો થયો. ને પોતે ગામ છોડી ભાગી ગયો હતો આ બધી ઘટના જીરવી ના શકી તે પણ મૃત્યું પામી. હે ભગવાન મારી ભૂલ ની સજા બધાને મળી આ
પાઠ તે મને ભણાવ્યો. રોતા રોતા બાવરો તે ડોશી આગળ માફી માટે પગે પડ્યો .. બજરનાં બંધાણી ડોશી “હા વિલાસને ખોઇ બેઠા આપણે. “ કહી છીંકણી સુંઘી બોલ્યા ચા ટાણું છે ઘૂંટડો તમે પીજો..!
ચકિત થયેલો રાજભા બેઠો કે ડોશી ભૂલી લઇ લાગે છે તે ચાને ઉકળતી જોઇ રહ્યો. ડોશી પૂછ્યું “ ઇલાયચી ફાવશેને ?” કહી ચમચી ભરી ને ચામાં નાંખી. ગાળી ને આપતા ડોશી જરા મારકણું હસી બોલી “ વાળુ કરશું ને ? પૂરો કપ ચા પી મિનિટોમાં ઠપ થઇ ઢળી પડેલો. પાછળ પરસાળમાં ખોદી રાખેલી કબરમાં દાટી દીધો. ઉપર પટારો મૂક્યો ને હાશકારો કર્યો. ડોશી ગણગણે::
માણસ પાણી પર પાણીની વાર્તા લખ પાણીથી તો તારો જય પ્રભુ
બંધનના ઋણ કહો કે ઋણનું બંધન કહો કર્મ નો સિધધાંત
સમજ માણસ તો જય તારો પ્રભુ
—- રેખા શુકલ
********************************
NOG .SS NO.0001
વિષય :– હાર –જીત , વિજય – પરાજય
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ એક પિતાની પુત્રને શીખ “
એકવાર એક ખેડૂત પિતાને એક વિચાર આવ્યો કે મારે મારા એકનાં એક દીકરાને જીવનમાં હંમેશાં ઉપયોગી બને અને ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ હાર ના માને અને જીતમાં એ છકી ના જાય એવી શીખ આપવી છે .ખેડૂત ખૂબજ ધીરજવાન અને દૂરંદેશી હતો. ઘણી ઘણી મહેનત કરીને એ આગળ આવ્યો હતો. કેટલાય વર્ષો વરસાદ વગરનાં , તો કેટલાય વર્ષોમાં અતિવૃષ્ટિ પણ ખરી ! તો ક્યારેક ભૂકંપ જેવી હોનારતે પણ એમને અડગ રાખ્યા હતાં. કદી હાર માનીને બેસી નહોતાં રહ્યાં .તો ઘણીવાર સોનાવરણી સીમ સરીખો કાચું સોનું પીરસતો મબલખ પાક પણ ઉતરતો હતો .ખેડૂતનાં સંયમ અને ધીરજે એને હાર અને જીતને પચાવતાં શીખવી દીધું હતું .બસ આજ ગુણ એનાં પુત્રમાં પણ જોવા માંગતાં પિતાએ આજે પુત્રને ઉપયોગી એવી શીખ આપવાનું નક્કી કર્યું હતું .
એક કાગળ લઈને એમાં લખવા બેઠા . “ દીકરા તને હું અનેક રીતે મારો ગુરુ પણ માનું છું , પણ એક પિતા તરીકે આજે થોડી શીખ આપું છું જે જીવનમાં ઉતારજે .”
ક્યારેય તંદુરસ્તી એની જાતે જ જળવાયેલી રહેશે એમ માનતો નહીં .
તું તારા કુટુંબને ચાહે છે એનો અહેસાસ એમને તારા વાણી, વિચાર , અને વર્તનથી કરાવતો રહેજે .
જરૂર જણાય ત્યારેજ અને ત્યાંજ બોલવું ઉચિત સમજજે . ક્યાં અને ક્યારે મુંગા રહેવું જોઈએ એ પણ યાદ રાખજે .
કોઈપણ કામ નાનું નથી હોતું માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈપણ કામ કરતાં નાનામાં નાનાં માણસને પણ સન્માન આપજે .
કોણ સાચું છે ? એની પાછળ સમય અને મગજ ના બગાડતો પણ શું સાચું છે એ વિચારજે અને એજ જીવનમાં અપનાવજે.
તારા બાળકો સાથે પણ સમય વિતાવજે અને એમને પ્રોત્સાહિત કરવા માટે એમને નવી નવી વાતો કહેજે, ગીતો ગાઈને ખુશ કરજે , અને રોજ એક નવો પ્રેરકપ્રસંગ કહેજે .
ગમે તેટલો વ્યસ્ત હોય પણ પરિવાર માટે સમય ફાળવજે અને હંમેશાં આગળ વધવા માટે તને મળેલાં કલાકોનો સદ્ઉપયોગ કરજે. દરેકને ભગવાને દિવસનાં ચોવીસ કલાક જ આપ્યા છે એટલું યાદ રાખજે .
જ્યારે પુત્રનાં હાથમાં આ પત્ર આવે છે ને એ વાંચે છે ત્યારે એની નીચે જ એ લખે છે કે ,
“ આજે મને મારા પિતા તરફથી મારા જીવનની ઉત્તમ ભેટ મળી છે . હું જરૂર એનું પાલન કરીશ .” રોજ એમાં એક વાતનો ઉમેરો કરીને મારાં બાળકોને પણ એ ભેટમાં આપીશ .
આ હતી એક ખેડૂત પિતાની જીત !
આટલી શીખ પોતાનાં જીવનમાં ઉતારનારને જીતનો નશો ચડતો નથી અને હારનો ભય રહેતો નથી. આ હતી એક પિતાએ પોતાનાં પુત્રને આપેલી હાર – જીતને પચાવવાની શીખ.
પ્રદિપ રાવલ . સંચાલક .તંત્રી
********************************
*NOG SS No ; 0077*
*વિભાગ:ગદ્ય-લેખ*
*શબ્દ સંખ્યા:295*
*શીર્ષક: હાર-જીત*
હાર અને જીત માણસ જન્મે ત્યારે લલાટે લખાવીને લાવે છે.જે ક્ષણે તમે માનવ તરીકે ધરતી પર પગ મૂક્યો એ સાથે હાર-જીતની અદ્રશ્ય જુગલબંધી ચાલુ…!
આપણું ધાર્યું થાય તો જીત અને ના થાય તો હાર…!
મનુષ્યને ક્યાંય પણ લગીરેક હાર બર્દાસ્ત નથી..!
હાર-જીત એક સિક્કાની બે બાજુઓ છે.
તમારા માટે કોઈક હારવા તૈયાર બેઠું હોય તો તમે જીતી શકો..!
હાર -જીત માટે સ્પર્ધાત્મક મન બહુ મોટો ભાગ ભજવે છે…!
હકારાત્મક અભિગમથી તમે મદદરૂપ થવાની ભાવનાથી સ્પર્ધાથી જીતો તો એમાં ઈશ્વરનાં અદ્રશ્ય આશીર્વાદ હોય છે.
બહુજ પ્રસિધ્ધ અને લોકપ્રિય સંવાદ છે…
*किसी भी चीज़ को आप शिद्दत से चाहो तो पूरी कायनात उसे मिलाने की कोशिश में जुड़ जाती है।*
બસ, ભાવના સારી હોવી જોઈએ પછી તમારી જીત નિશ્ચિત છે,એમાં કોઈ બેમત નથી.
છળકપટ,કાવાદાવા,
ખરાબ વ્યૂહરચનાઓ બનાવી પછાડવાની વૃત્તિથી, સામ,દામ,દંડ અને ભેદથી જીત મળવી એ નરી નાલેશી છે આવી જીતનો નશો બહુ લાંબો ટકતો નથી .
ઈતિહાસ સાક્ષી છે કે જોહુકમી, છેતરપિંડીથી જીતાયેલ યુધ્ધો પણ બહુ જ લાંબી રીતે જીતની ખુશી ભોગવી શક્યાં નથી…!
બીજી બાજુ,
હાર પણ કાયમી નથી તમારી મનસા જો સારી હશે તો એ તમે નાસીપાસ થશો નહીં …!
એમાં તમારી ભાવના, હકારાત્મક અભિગમ અને મજબૂત મનોબળ મદદરૂપ થાય છે.
*મન કે માને હાર-મન કે માને જીત..!*
હાર-જીતને જોવાનો દ્રષ્ટિકોણ તમારું વ્યક્તિત્વ ઘડે છે…!
સકારાત્મકતા અને સુદ્રઢ મનોબળથી બાકીની જિંદગી અને આખું ભવિષ્ય ઘડાય છે..!
અંતમાં એટલું જરૂરથી કહીશ કે હાર-જીતને બહુ મન પર ના લેવી આપણી ભાવના શુધ્ધ હશે, કર્મો સારા હશે તો કુદરત અને સમય એનાં સાક્ષી બની તમારા માટે સારા નિર્ણયો લેશે.
એટલે
સરળતાથી જીવો,
સ્પષ્ટતાથી બોલો,
સચ્ચાઈથી બોલો,
દ્રઢતા કેળવો .
આ બધાથી હાર પચાવાનો આત્મવિશ્વાસ આપોઆપ આવશે. જીતવાની ક્ષમતા આપણી અંદર હોય છે . સામેવાળાનાં દ્રષ્ટિકોણથી વિચારીને
સારી ભાવનાથી
વ્યુહરચના ઘડશો તો જીત પાક્કી છે…!
બસ,
જીતનું જશન અને હારનો હર્ષ મનાવતા આવડી જાય તો ગંગા નહાયા..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************†***********
NOG . SS. NO .0095
વિષય :– હાર – જીત
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ મક્કમ મનોબળ ને
મોતની હાર “.
આ શીર્ષક જ ઘણું બધું કહી જાય છે કે જીવનમાં માનવીનું મનોબળ જો મક્કમ હોય તો મોતને પણ હરાવી શકાય છે. અહીં વાત છે મારી પોતાની જ દીકરીની ! જેણે જીવનમાં ડેન્ગ્યુ , કેન્સર અને હાલમાં જ કોરોના જેવા રોગને પણ પોતાનાં અડગ મનથી અને સકારાત્મક વિચારોથી હરાવ્યા છે.
નિવીઆ મારી દીકરી . લગ્નનાં બે જ વર્ષમાં એની ઉપર જાણે મોટી આફત આવી . એને ડેન્ગ્યુ થયો હતો. એ સમયે ડેન્ગ્યુ અને સ્વાઈનફ્લુ નામનાં રોગે પણ પોતાનાં ભરડામાં પ્રજાને લઇ લીધી હતી. એ સમયે નિવીઆને છ માસની દીકરી .એને મેં મારા ઘરે સાચવી અને નિવીઆને દવાખાનામાં દાખલ કરી . એનાં સાસુ એની પાસે રહે . ચાર દિવસ પછી તેની તબિયત વધારે બગડી , અને રાત્રે બે વાગે એકાએકજ એનાં નાક અને ગળામાંથી લોહી નીકળવા લાગ્યું .તરતજ બધાં ટેસ્ટ કર્યા. શ્વેતકણો ખૂબજ ઘટી ગયા હતાં. જો તાત્કાલિક એ ના મળે તો જીવનું જોખમ હતું. બ્લડબેંકમાંથી બે બોટલ લાવ્યા ને ચડાવી. બીજા દિવસે સાંજ પછી થોડું સારું લાગ્યું. પણ રજા મળે એવી હાલત નહોતી. પંદર દિવસ પછી એને રજા આપી. મારે ઘરે જ સીધી લાવી .કેમકે એની નાની ‘ ખનક ‘ મારી પાસે જ હતી.
એક બાજુ દીકરીની બિમારી, નાની એવી ખનક ને મારી નોકરી ! બધું સંભાળતાં પણ હું હારી નહીં ને દીકરીને હિંમત આપતી રહી. એવામાં એક દિવસ નિવીઆને ગળાનાં ભાગે ગાંઠ જેવું લાગ્યું. તરતજ રિપોર્ટ કરાવ્યો. બાયોપ્સી કરાવી . રિપોર્ટ આવ્યો ‘ કેન્સર ‘ ! સાંભળીને જ હું ભાંગી પડી. નિવીઆને કીધું નહીં. જમાઈને બોલાવીને એમને વાત કરી. એ આવીને નિવીઆને તેડી ગયા. ત્યાં ગયા પછી એમણે ફરીથી પંદર દિવસે રિપોર્ટ કરાવ્યો. ને કેન્સરનું નિદાન પાક્કું હતું . હવે ? દીકરીને પણ હવે જાણ થઇ ગઇ હતી. પણ એ મક્કમ હતી .એણે જ અમને બધાંને હિંમત આપી. બસ એને ચિંતા હતી તો એની નાની દીકરીની ! પણ એની દીકરીને મેં સાચવી લીધી ને મારી દીકરીને એનાં સાસુએ !
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી. કેમોથેરાપી, અને રેડિયેશન ની અત્યંત પીડાદાયક સારવાર પણ એ સહન કરી ગઈ .એનાં વાળ જતાં રહ્યાં તો જમાઈએ પણ પોતાનાં વાળ કઢાવીને એને હિંમત આપી .છ મહિના સુધી સતત ભાવનગરથી અમદાવાદ આ સારવાર અર્થે આવ જા કરતાં રહ્યાં. નાની દીકરીને લીધે દાખલ નહોતી કરી. પણ નિવીઆનાં મક્કમ મનોબળે જીવન મરણની વચ્ચે ઝોલાં ખાતી વિકટ પરિસ્થિતિને પણ હરાવી દીધી હતી.
જીત મેળવીને કેન્સરને હરાવી દીધું અને સાથે સાથે અમને બધાંને પણ હારવા ના દીધાં અને આ કપરી પરિસ્થિતિમાં પણ જીતની ખુશી આપી.આજે એ સંપૂર્ણ સ્વસ્થ છે ને એની દીકરી પણ દશ વર્ષની થઈ ગઈ છે.
આમ જો મન મજબૂત હોય તો જીત નક્કી જ છે.
દીપિકા ચાવડા ‘ તાપસી ‘