ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા
વિષય : NOG ગ્રુપ ના સભ્ય, પૂર્વ સંચાલક જીજ્ઞા કાપુરિયાં ના “સાહિત્ય ચોરી”વિષયક રજુવાત અને સભ્યો ના પ્રતિભાવો, એડમિન ટીમ નિર્ણય..
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO:0002
*ઈર્ષા , અદેખાઈ અને દ્વેષ*
“ઈર્ષ્યાની કળા કરે મનુષ્યને રાતાપીળા”
ઈર્ષ્યા, અદેખાઈ અને દ્વેષ આ ત્રણે આસુરી તત્ત્વો છે કે જેની આગમાં માનવી આખો જન્મારો બળતો જ રહે છે!
આ વૃત્તિનાં લોકો સ્વયંમ તો નિષ્ફળ હોય જ છે પણ સાથે બીજાની સફળતા જોઈ નથી શકતાં . તમને કેમ પાડવા એ જ એમનો ધ્યેય એને માટે ખોટાં આક્ષેપો એ પણપાયા વિહોણાં આવી રાક્ષસીવૃત્તિનાં લોકો કરતાં અચકાતા જ નથી! આ નબળા માણસની નિશાની છે .જે મનુષ્ય આધ્યાત્મિક ધર્મમાં નબળો હોય છે એ જ ઈર્ષ્યાળુ હોય છે.આવા મનુષ્ય એ સમજવા તૈયાર નથી કે નશીબથી વધારે કોઈને કાંઈ જ મળતું નથી. આવા ઈર્ષ્યાળુ તત્વ તમને ડગલે ને પગલે મળી જશે ગમે તે ક્ષેત્રમાં એ પછી સાહિત્ય ક્ષેત્ર કેમ ન હોય !
અહીં મને એક વાત યાદ આવે છે એક કઠિયારો કુહાડીથી લાકડાં કાપતો હતો ત્યારે ડાળી રડતી હતી . એને જોઈ ઝાડે પુછ્યું , “તું કેમ રડે છે?” ત્યારે ડાળીએ બહુ સરસ જવાબ આપ્યો ,”મને કપાવાનું જરાપણ દુઃખ નથી પણ મારાં પર જે પ્રહાર થાય છે એ હાથો મારા જાતભાઈનો છે!
આપણાં જ આપણી પર પ્રહાર કરે તો ફરિયાદ કોને કરવી? એટલે મારું દુઃખ ઓછું કરવા હું રડું છું”.
ખરેખર મિત્રો , આ ડાળીની જેમ આપણે પણ એ સહન નથી કરતાં આપણી સાથે રહીને આપણાં પીઠ પાછળ કોઈ વાર કરશે .
આજે મને એક સત્ય હકીકત કહેવાનું મન થાય છે અમારું એક કલમના કસબી સાહિત્ય ગ્રુપ છે જેમાં સાહિત્યની અલગ અલગ પ્રવૃતિ ચાલે એમાં એક ભાઈ એડ થયાં જેવાં એડ થયાં એટલે એમણે ગ્રુપને તોડવા માટે નાના પ્રકારનાં કાવતરાં ચાલું કર્યા પહેલાં તો અમારાં નિર્ણાયક શ્રી જયશ્રીબેન પટેલને એમના ગ્રુપમાં આવીને નિર્ણાયક બનવાનો પ્રસ્તાવ મૂકયો જેની જયશ્રીબેને ચોખ્ખી ના પાડી ત્યાં ન ફાવ્યા તો એક એક મેમ્બર્સને ફોન કરીને એમનાં ગ્રુપમાં લઈ ગયાં એટલુ ઓછું હોય તેમ એમનાં એડમિનને અમારી પ્રવૃતિ જોવા અમારા ગ્રુપમાં લાવ્યા. આટલેથી ન અટકતા અમે જે દર રવિવારે પાઠશાળા કરીએ જેમાં સાહિત્ય સાથે જોડણીનું જ્ઞાન અમે આપીએ એ પણ અમને પૂછ્યાં વગર એમનાં ગ્રુપમાં મૂકે અમારી જેમ જ સ્પર્ધા કરે અમારા જેવા જ સર્ટિફિકેટ બનાવે એનું લખાણ પણ અમારા જેવું એટલે સુધી કે નિયમો પણ અમારા જ ફકત એ એમના ગ્રુપનું નામ લખે અમને બધાં કે પણ ખરા આ ગ્રુપ તમારી કોપી કરી રહ્યુ છે તો અમે એમ જવાબ દેતાં કે હશે આ સાહિત્યની સેવા જ છે ને પણ આ ગ્રુપ એમ કયાં અટકવાનું અમે અમારા ગ્રુપની વિજેતા કૃતિઓ પેપરમાં છપાવીએ આ ત્યાં પણ પહોંચી ગયાં. આ ગ્રુપનું બંધ કરી અમને પેપરમાં સથાન આપો , આ કેવુ! એમને જયારે સવાલ કરવામાં આવે તો ઉદ્ધતાઈથી જવાબ આપે મને થયું આ કેવું એક તો “ચોરી ઉપરથી સીનાજોરી” પછી અમે કડક વલણ અપનાવીને એમને અમારા ગ્રુપમાંથી તો રીમુવ કરેલા જ હતા પણ બીજેથી પણ રીમુવ કર્યા. તો આ ભાઈ હજી ન અટકતાં ખોટાં આક્ષેપ કર્યા અને સાબિત ન કરી શકતાં હાંસીપાત્ર ઠર્યા.
મારો એક સવાલ છે તમે સાહિત્યની સેવા કરો પણ બીજાનું ગ્રુપ બંધ કરાવી એને પછાળીને આગળ આવવાથી તમને સરસ્વતી વરસે આ ગ્રુપમાં એવાં ઘણા ગુગલે આઝમો અને ઉઠાંતરી કરવાવાળા જે અમે જાકારો આપેલો એ એમનાં ગ્રુપમાં ભરાણાં ગમે તેનું ઉઠાંતરી કરીને પહેલો ક્રમાંક પણ મેળવે આવાં ઉઠાંતરી કરવાવાળા ગ્રુપની સાહિત્યમાં શું જરુર?
મને તો એ ગ્રુપનાં સભ્યો ને એક સવાલ આવા ગ્રુપમાં રહેવા કરતાં એમને ખુલ્લા પાડશો તો સાહિત્યની એક સેવા જ હશે પણ અફસોસ આપણે certificateની ચાહમાં આંખ આડા કાન કરીએ છીએ કદાચિત એટલે જ આવા ચોરી કરનારા ફાવી ગયાં છે .
હું તો એમનાં એડમિનને અને સભ્યોને ફકત એટલું જ કહીશ આમ ખોટાનો સાથ આપી તમે કર્મ જ બાંધી રહ્યા છો.
જરા એટલો વિચાર કરજો જે ગ્રુપ ઉઠાંતરી કરીને આગળ આવતું હોય એ આપને શું મદદ કરશે ?લખો અને સાહિત્યને નામે નામ કમાવું એ અયોગ્ય જ કહેવાય!
ગ્રુપ ભાવના કેળવો નામ ભાવના નહિ.
(કલમના કસબી એડમિન પેનલ)
જીજ્ઞા કપુરિયા “નિયતી”
જયશ્રી પટેલ
*******************************
NOG SS No. 0039
કોઈની રચનાની ચોરી કરવી, કોપી કરીને પોતાના નામે ફરતી કરવી એ વિશે જિજ્ઞાબેનની પોસ્ટ મેં પણ વાંચી હતી.પ્રદીપભાઈની પોસ્ટ સાથે હું સંમત છું. જિજ્ઞાબેનનો ગુસ્સો વ્યાજબી છે.
વાંચો બધાનું. સાહિત્યના રસિકને બધું વાંચવું ગમે, એનો આનંદ લેવો, એમાંથી કંઈક શીખવું, કંઈક રચનાત્મક વિચારવું, એમાંથી જે ગમ્યું હોય એના વખાણ કરવા, લેખકને પ્રોત્સાહન આપવું એ સાચા સાહિત્યના ચાહકના ગુણો છે. પણ એ રચનાને પોતાના નામે ચઢાવી દેવી એ ગુનો તો છે જ પણ એ લેખકનું બહુ મોટું અપમાન છે.
એ લખો જે તમારા મનનાં ઉગે, વિસ્તરે અને મ્હેંકે. કોઈ પણ વસ્તુની ચોરી એ ગુનો છે પણ રચનાની ચોરી એ લેખકની લાગણી, એના વિચારો, એના આલેખનનું અપમાન છે પણ ચોરી કરીને પોતાનું નામ મૂકીને રચના ફરતી કરવી એ ઘોર ગુનો છે, એ વ્યક્તિનું વ્યક્તિત્વ બહુ નબળું અને નિંદનીય ગણાય.
આવી ભૂલ વ્યક્તિને ક્યાંયની નથી રહેવા દેતી.
પ્રફુલ્લા “પ્રસન્ના”
************†********†*********
NOG SS No..0019
લખું તો મૌલિક લખું.. કદી નકલ નથી કરી, કરીશ પણ નહીં. શમને ઉઠાંતરી કરે છે લોકો, એ ખબર પણ હમણાં પડી.હું કોઈ સિદ્ધહસ્ત કવિ નથી. આવડે એવું લખું. ઘણા ગૃપમાં છું. પણ સર્ટિફિકેટ કે નંબર કે પેપરમાં આવે એવો મોહ જ નથી. લખાય તો લખું… પરાણે લખતી પણ નથી.
ઘણા ગૃપો ચાલે છે, કોપી પણ થાય છે. દૂષણ ખરાબ છે. સાચો સાહિત્યક કદી નકલ ન કરે.સત્યને સાથ આપે. કોઇને દુખ થાય એવું વર્તન ન કરીએ.લખવાનો આનંદ લઈએ. જીગ્નાબેને જે ગુસ્સો કર્યો એ એમની રીતે યોગ્ય છે.
આવા વિવાદો ન થવા જોઈએ.
કલ્પનાબેન ત્રિવેદી
સુરેન્દ્રનગર
********************************
NOG SS NO :- 0090
સમાચારોમાં કોપી પેસ્ટ ની ઉઠાંતરી /દીપક જગતાપ
…………………………
આજકલ ઉઠાંતરી શબ્દ સામાન્ય થઈ પડ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં ઓછી મહેનતે તૈયાર ભાણું મળી જાય એવું લોકો ઈચ્છે છે. પણ આજકાલ સાહિત્યમા, પત્રકારત્વ મા ખાસ કરીને સોસીયલ મીડિયામાં કોપી પેસ્ટ સમાચારોની ઉઠાંતરી ખુબ ચાલે છે. દૈનિક અખબારો મા સમાચાર બીજા દિવસે આવે છે સોશિયલ મીડિયામા પોર્ટલ વેબ ન્યૂઝ બહુ ફાસ્ટ ચાલે છે. સમાચાર માહિતી તરત વાઇરલ થઈ જાય છે. ઘણા લોકો એની કોપી પેસ્ટ કરીને બીજાનું નામ કાઢીને પોતાનું નામ લખી દે છે. સમાચારો તો મોટે ભાગે કોપી પેસ્ટ થઈ જાય છે. કેટલાક એમાં થોડોક ફેરફાર કરીને ટાઇટલ બદલીને ન્યૂઝ ચડી જાય છે. જોકે એ માટે તો મૂળ લેખકે પત્રકારે જાગૃત રહેવું પડશે. જોકે અનુભવી લોકો આવી માહિતી જોઈને ઓળખી પણ લે છે. એટલે આ બદી થી દૂર રહેવું જોઈએ. મૌલિક સર્જન જેવું ઉત્તમ બીજું એકેય નથી. એમાં આપની મહેનત અને ટેલેન્ટ ના દર્શન થાય છે
*****”””””””””””””*******************
NOG SS No/022
વિષય : ઉઠાંતરી
આજનો ચર્ચાના ચકડોળે ચડેલો વિષય છે ‘ઉઠાંતરી’. જો કે માણસની ચોરી કરવાની વૃત્તિ નવી નથી. પરાપૂર્વથી આ થતું આવ્યું છે. મનુષ્ય અનેક અવગુણોથી ભરેલો છે. કોઈ વ્યક્તિ બહુ મહેનત કરીને કમાય છે અને ચોરવૃત્તિની વ્યક્તિ તેની સંપત્તિ ચોરી કરીને રાતોરાત પ્રસિદ્ધ થઈ જાય છે.
‘બીજાનું લઈ લેવું’ એનાથી હીન કશું જ નથી. એમાં પણ બૌદ્ધિક સંપદા ચોરી લેવી એ તો મહાઅપરાધ શ્રેણીનો છે. જ્યારે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું અસ્તિત્વ નહોતું ત્યારે અનેક સંગીતકારો વિદેશી ધૂન ઉઠાવીને તેનું ભારતીયકરણ કરીને હિંદી ફિલ્મોમાં ઠપકારી દેતાં. ગુગલ પર હવે સર્ચ કરીએ તો એવા સંગીતકારોનાં નામ મળી જશે જેના વિશે આપણે સ્વપ્નમાં પણ વિચારી ન શકીએ કે આ સંગીતકારે પણ ચોરી કરી.
સોશિયલ નેટવર્ક સાઈટો આવ્યા પછી જેમ નવા સાહિત્યકારોને નવું જોમ મળ્યું એવું જ ઉઠાંતરી કરનારને પણ મોકળું મેદાન મળી ગયું. જો કે મને ઘણીવાર આશ્ચર્ય થાય કે આમાંથી તે કંઈ કમાવાના નથી તો શા માટે આવું કરતાં હશે! કયો સુષુપ્ત અહંકાર સંતોષવો હશે! ઓનલાઇન પોર્ટલ ઉપર એવા ઘણા લેખકોને જોયા છે જે બીજાની રચના પોતાના નામે મુકી દે છે. મારા ધ્યાનમાં ઘણા કિસ્સા આવ્યા અને મેં રીતસર ફરિયાદ પણ કરી છે. તેમાંથી સૌથી આશ્ચર્યજનક કિસ્સો હેરી પોટર નવલકથાનો છે. એક વ્યક્તિએ તેનું ગુજરાતી વર્ઝન પ્રતિલિપિ ઉપર પોતાના નામથી મુકી દીધું અને તેમાં પાછા કોમેન્ટ કરનારા પણ મળી આવ્યા “બહેન, સરસ લખો છો. આવું જ લખતાં રહો.” મેં ફરિયાદ કર્યા પછી તે હટાવવામાં આવી.
હમણાં એક કિસ્સો ધ્યાનમાં આવ્યો કે એખ વ્યક્તિએ કલમના કસબી ગ્રુપમાંથી માણસો તોડીને નવું ગ્રુપ બનાવ્યું જ્યાં અહીંની દરેક બાબત ચોરી કરી. ગ્રુપ બનાવવું એ અપરાધ નથી. જો સાહિત્યની સેવા કરવી હોય તો પોતે સાહિત્યના જાણકાર બનો અને પોતાની રીતે બધું કરો. અહીંની જાણકારી ત્યાં રજામંદી વગર શેર કરો એ ચોરી જ છે. આવા ચોર લોકોના ગ્રુપમાં રહેવું એટલે હાથે કરીને પોતાની તિજોરીની ચાવી તેમના હાથમાં આપવા જેવું છે. આવતીકાલે તમે જ લખેલી વાર્તા કે કવિતા તે વ્યક્તિના નામે ફરતી હશે.
હું આવા ચોરોથી સતર્ક રહું છું અને ચોરી દેખાય તો જે તે લેખકના ધ્યાનમાં લાવું છું. કારણ જો અત્યારે બીજાના ઘરમાં ચોરી થતી હોય તો કાલે મારા ઘરમાં પણ થઈ શકે.
*****************†**************
[NOG SS No: 0097
પ્રતિભાવ:
મિત્રો
મને પણ આવો ઉઠાંતરી નો અનુભવ થયો છે
મારું ૨૦૧૦ માં પ્રકાશિત પુસ્તક “ખાંયણા અને હાલરડાં” ૩૩પાનાનું આખું પુસ્તક એમના ૧૫૦ પાનાના પુસ્તકમાં પ્રસ્તાવના, પુસ્તક પરિચય,ઋણ સ્વીકાર સહિત સીફતથી સમાવિષ્ટ કરી દીધું.એ બેન ઉંમરમાં મારાથી ૨૦ વર્ષ મોટા.આવીઉઠાંતરીને શું કહેવાય?
એટલે ચોક્કસ જ યોગ્ય પગલાં લેવાવા જ જોઈએ એવું મારું મંતવ્ય છે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
******************************
NOG SS No.0059
વિષય: “સાહિત્ય ક્ષેત્રે”, ‘ડકેતી’.
મિત્રો,
ધન-દોલતની ચોરી કરનાર કોઈ વખત,સમય-સંજોગોને આધીન ચોરી કરેછે, ત્યારે તેનો અંતર આત્મા તેને જરૂર ડંખતોજ હશે, પરંતું આ સાહિત્યના ડકેતોને અંતર આત્મા હશેજ નહીં, કારણ આ ડકેતો,ભણેલાં-ગણેલા હોયછે અને સારા સારા પરિવારના નબીરા હોયછે.
જેમની ચોરી વ્યવસ્થિત અને ગણત્રી સાથે હોયછે,જેમાં તેને
બીજાની મહેનતે ફકત ને ફકત ખોટી નામના,ફોટો-સર્ટીફીકેટ કે
કોઈ વખત Best લેખકની ટ્રોફી ની લાલસા આટલુ હીન કામ તેજછે, ડકેતોની ડકેતી.
હાં આવાં ડકેતોને પણ પ્રોત્સાહન આપનાર લેભાગુઓ,
ગૃપો ખોલી પોતાના નામની ખોટી લાલસાને પોષેછે.
કોઈની રચનાની ચોરી એટલે તેનાં
સર્જનની ચોરી.સર્જક માટે તે સર્જન, સંતાન સમાનજ હોયછે.
આવા સાહિત્ય ક્ષેત્રના ડકેતોને પકડવાનું એક જોરદાર અભિયાન ચલાવી તેઓને,
” ન ઘરનાં ન ઘાટના” કરી, દરેકને ગૃપ વગરના બનાવી તેની શાન ઠેકાણે લાવવા માટે બધાં આગળ આવી આપણી ફરજ બજાવીએ.
©️ જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
************††*****************
NOG SS No-0011
*સાહિત્ય સરિતા*
શીર્ષક:- સાહિત્યમાં ઉઠાંતરી…..????
સાહિત્યમાં ઉઠાંતરી એટલે કોઈપણ રચનાને કોપી કરી તેમાં નામ અથવા થોડા-ઘણા સુધારા સાથે રચનાને રજૂ કરવી તેને ઉઠાંતરી કહેવાય.
કોઈ પણ ફિલ્મી ગીતમાં રાગ મુજબ શબ્દો લગાડીને ગીત બનાવવું એ પણ એક જાતની ઉઠાંતરી કહેવાય. ઘણી વખત સાહિત્યજગતમાં લોકો ગીત, કથાવસ્તુમાં કાપકૂપ કરીને વાર્તાઓને મસાલા સાથે રજૂ કરતા હોય છે. સિનેમાજગતમાં પણ અન્ય ભાષાનાં ગીતોને ફિલ્મી ભાષાનાં ગીત મુજબ આવરી લેવામાં આવે છે. કથાવસ્તુને પણ થોડા મરી-મસાલા સાથે રજૂ કરવામાં આવે છે.
ઘણી વખત કવિઓ ,વાર્તાકારો, ગઝલોકારો માટે ચર્ચાનો વિષય છે કે તેઓની રચનાની, શબ્દોની ઉઠાંતરી.
સાહિત્યમાં ઉઠાંતરી કરવી એ ઉઠાંતરી કરનાર માટે ક્ષોભજનક છે.
કવિ કેટલાય દિવસોની મથામણ પછી પોતાની લાગણીઓને શબ્દોમાં તોલી તોલીને એ શબ્દોને શણગારતો હોય છે. એક એક શબ્દની પાછળ કલાકોની જહેમત હોય છે. એ જ રચનાની ઉઠાંતરી કરનાર નામ કે થોડાક સમાનાર્થી શબ્દો લગાવીને પોતાના નામે કરે છે.
શા માટે આવી રીતે સાહિત્યમાં કવિતા, ગઝલ, વાર્તા ની ઉઠાંતરી થાય છે? -એક જાહોજલાલી માટે, નામ મેળવવા માટે ,સર્ટિફિકેટ માટે, સમાજમાં એક આગવું સ્થાન મેળવવા, એવોર્ડ મેળવવા.. વિગેરે.
માતૃભાષા મા સમાન છે. માતૃભાષાનું સંવર્ધન ને જતન કરવી આપણી ફરજ છે. તેની શોભા જાળવવી તથા માન સન્માન જાળવવું જોઈએ.
ચાલો, આપણે સૌ ભેગા થઈ માતૃભાષા અભિયાન કરીએ. સાહિત્યમાંથી ઉઠાંતરીને અટકાવીએ. કવિઓ , લેખકો, વાર્તાકારો,સાહિત્યકારોને માન સન્માન આપીએ.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
******************************””
NOG SS No : 0048
મૌલિકતા એ લેખકનું આભૂષણ છે. એ મૌલિકતા વિચારોની હોય કે અભિવ્યક્તિની. લેખક એની વિશિષ્ટ લેખનશૈલીથી ઓળખાય છે અને વાચકોમાં આગવુ સ્થાન ધરાવે છે.
ઉઠાંતરી એ સાહિત્યનાં ઉપાસક માટે કલંક સમાન છે, વિદ્યાની દેવી સરસ્વતીનું અપમાન છે.
સાહિત્યનાં અનેક ગૃપ હોઈ શકે, કદાચ એવું બને કે નિયમો અને સ્પર્ધામાં થોડી સમાનતા હોય, પણ એક ગૃપનું બીજા ગૃપમાં બેઠું ઉઠાવી લેવું એ ન ચલાવી લેવાય.
આપણે જેટલા પણ ગૃપમાં હોઈએ, મુખ્ય હેતુ શીખવાનો અને જે-તે ગૃપ પ્રત્યે વફાદારીનો રાખવો.
પ્રકૃતિ ‘પ્રીત’
**********†*********************
[મારી દ્રષ્ટિએ…..
જીજ્ઞાબેન, આપ શ્રી આપની રીતે બિલકુલ સાચા છો. છો, અને હંમેશા રહેશો.પણ દરેક મનુષ્યમાં સાહિત્ય ક્ષેત્રે ઉંચી અને આગવી સમજ હોય જ તો કોઈ ગ્રુપની કે કોઈની રચના ઉઠાંતરી કરવાનો સમય આવે જ નહી. બરાબરને …. જીજ્ઞાબેન,આપની રચનાઓની ભૂતકાળમાં ઘણી ઉંઠાતરી થઈ છે. અને અણસમજ માણસો હજુ પણ સમય જતા ઉઠાંતરી કરશે જ. કારણકે કહેવત છે ને કે કૂતરાંને પૂંછડી વાંકી. અમુક માણસોની આદત હોય છે કે એ એવું ના કરે તો, એમને ખાધેલું કદાચ પચતું નથી…હું કોઈ ગ્રુપમાં કંઈ જ બોલતી નથી…. પણ સમય આવે સાચુ જ કહીશ… હું પણ શબ્દ વાવેતરમાં છુ. પણ મારી સાથે ક્યારેય કઈ તકલીફ થઈ નથી કોઈ મગજમારી નથી.માન પણ જળવાઈ રહ્યું છે. નિજાનંદ માટે લખીએ… બધાની રચનાઓ
વાંચીએ… એક લાઈબ્રેરી મળી રહે છે બધા જ ગ્રુપમાં સારુ વાંચન મળી રહેછે . નિવૃત છુ..માટે
સમયને સારો સાથ વાંચવાનો મળી રહે છે.
જીજ્ઞાબેન એક સારી વ્યક્તિ, સારા વક્તા છે.
નિખાલસ દિલના છે….અને ગ્રુપ માટે ખુબ
જવાબદાર વ્યક્તિ છે.🙏
ફરી એકવાર મારી દ્રષ્ટિએ કહીશ કે સાહિત્ય
ક્ષેત્રે જીજ્ઞાબેન, જયશ્રીબેન, વિભૂતિ બેનની
ઊંચી ઉડાન છે..એમની પાસેથી ઘણુ શીખવા
મળ્યુ છે. સાથે કલમના કસબી ગ્રુપના
પ્રણવભાઇ , મનીષભાઈ, આરતીબેનનો પણ મુખ્ય ફાળો છે. ટૂંકમાં કહું તો અત્યારના બધાજ
ગ્રુપમાં *કલમના કસબી* અવ્વલ નંબર પર છે.
કારણકે આ ગ્રુપ જાણે સમયના કાંટે કામ કરી રહ્યુ છે.. બીજુ શ્રી પ્રદીપભાઈ રાવલ મોટી હસ્તી
છે અને ગાંધીનગર ગ્રુપમાં સક્રિય ફાળો છે.
એમનો સ્વભાવ પણ ઉમદા છે…
મીના માંગરોલીયા મીનુ
********************************
[NOG SS No. 0088
વિષય.. *સાહિત્યની ચોરી અંગે પ્રતિભાવ*
*****************************
જિજ્ઞાબેનનો લેખ વાંચ્યો. તેમનો સાહિત્ય સર્જનની ચોરી અંગેનો આક્રોશ સર્વંથા યોગ્ય જ છે. આજના ટેકનોલોજીના યુગમાં કોપી- પેસ્ટ ખૂબ સરળ બની ગયું છે. સાહિત્યક્ષેત્રે વ્યાપેલું આ ચોરીનું દૂષણ શિક્ષણમાં સંશોધનક્ષેત્રે પણ લૂણો લગાડી રહ્યું છે.. કોઈના થીસિસ કે ડિઝર્ટેશનની સીધી જ ઊઠાંતરી કરી તેનું માત્ર શીર્ષક બદલી લેવું ને વાત પૂરી. પણ હવે આ દૂષણ નાથવા માટે કેટલાંક સુપર સોફ્ટવેર વિકસિત થયાં છે જે ક્યાં, કેટલાં ટકા અને કોનામાંથી સીધી કોપી થઈ છે તે કહી શકે છે અને આવાં સોફ્ટવેર ભારતની ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંસ્થાનોમાં વસાવવામાં આવ્યાં છે. જોકે તે હજું કેટલીક ભાષાઓ પૂરતાં મર્યાદિત છે.. હવે એ દિવસો પણ દૂર નથી કે સાહિત્ય ક્ષેત્રે પણ આ નિયમનો આવી જાય.. અને આ ચોરી અંકુશિત બને.
આમ પણ સાહિત્ય ક્ષેત્ર અપાર છે.. જેટલાં તેમાં ઊંડાં ઊતરો એક અલૌકિક આનંદ લૂંટી શકો. સ્વના હસ્તગતનો આનંદ.. પોતાની કલ્પના ને પોતીકું સર્જનનો આનંદ.. આમ પણ ચીંથરાની ચોરી સાળે ચઢી રેશમી-પટ્ટ કે પટોળું કદી ન બની શકે.
*ડો. મનીષા વ્યાસ*✍️
*અમદાવાદ*
********************************
NOG SS No :-010
પ્રતિભાવ
સત્યમેવ જયતે
ઘણાં ગ્રુપમાં લખું છું.ભગવાનની કૃપાથી હજુ સુધી આવું કંઈ જોયું જાણ્યું નથી. હંમણાથી ઉઠાંતરી માટેની ચર્ચા ખૂબ વંચાતા કંઈક ખોટું થયું હશે જ. નહીંતર જિજ્ઞાબેન આટલો વિરોધ ના કરે. હું એ ગ્રુપમાં હતી જ નહીં એટલે બહુ ખબર નથી. હું જે ગ્રુપમાં છું ત્યાં સાચે જ ખૂબ તટસ્થ અને ખોટું ચલાવી નહીં લેવાય ના મત ધરાવે છે જાણીને ખૂબ ગર્વ થયો. સાહિત્ય ચોરી માટે જ્યારે જ્યારે વાંચ્યું ઘણાં પ્રશ્નો ઉદભવતા હતાં. એમનાં માટે બધાનાં સાથ સહકારથી વિરોધ કરવો જોઈએ. એમાં હું સત્યનો સાથ આપીશ પણ એનાં માટે મારે એક વાત અહીં જણાવવી જરુરી છે એ જણાવું છું.
એક વાત હંમેશાં મને ખટકી રહે છે એ આ સમયે જણાવી દેવું યોગ્ય રહેશે. બે એક વર્ષ પહેલાં જિજ્ઞાબેનની મારું ગોદડું કોઈ ગ્રુપમાં નામ ઠામ વગર વાંચ્યું ત્યારે એટલું મઠારેલુ નહોતું પણ ભાવ ખૂબ સરસ આપણે લેખકોને ભાવ ગમી જાય એટલે ખૂબ ગમે. મેં એ લખનાર કોણ છે તપાસ કરી. ત્યારે હું જિજ્ઞાબેનને ઓળખતી પણ નહોતી. ઘણાંને પૂછ્યું કંઈ ખબર ના પડી. કોઈએ મને કહ્યું તમને ગમે છે તો તમે પોસ્ટ કરો . નામ ખબર પડી જશે. એમની મજાક હું સમજી નહીં. હું સીધી સાદી ભાષા સમજું. મેં પોસ્ટ કરી જોવા કેવી રીતે લખનાર મળશે. અને સાચે થોડાં સમયમાં જ મને કોઈએ કહ્યું તમે આ પોસ્ટ ડીલીટ કરો. એ જિજ્ઞાબેનની છે. એ તમારા ઉપર કેસ કરવાનું કહે છે. એમની પાસેથી જિજ્ઞાબેન વિશે વિગતવાર જાણ્યું. મેં એ પોસ્ટ કરવાનું કારણ પણ જણાવ્યું. એમણે મને સમજાવ્યું કે કોપીરાઇટ શું છે. અને એમણે જિજ્ઞાબેનને પણ કંઈ જ નહીં કરવા સમજાવ્યું . મેં તો પોસ્ટ ડીલીટ કરી. પછી કોપીરાઇટ માટે ઘણી જાણકારી મેળવી. આ એક વાત ઘણી વખત ખૂંચતી હતી જે અત્યારે યોગ્ય સમયે જણાવી દીધી જેથી હું સત્યનો સાથ આપી શકું. મને મારા છોકરાએ પણ કોપીરાઇટ માટે ખૂબ ઊંડું માર્ગદર્શન આપ્યું. ઘણી વખત આ વાત યાદ આવે હસું પણ આવે. અજાણતાં જ બહું મોટો અખતરો કરવા ગઈ હતી. ત્યારથી જે દિલમાં ભાવ આવે એ પોતાનું લખું છું. સમય ઓછો મળે ઓછું લખાય પણ લખવાનું પોતાનું..
જિજ્ઞાબેનને યાદ આવી ગઈ હશે. તમારી ઓળખાણ તો હું ક્યારેય નહીં ભૂલી શકું…
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
*********************†**********
NOG SS No/0044
પ્રતિભાવ
શીર્ષક:- સત્યનો સાથ.
જીજ્ઞાબેનનો લેખ વાંચી દુઃખ થયું.ચોરી તો જાણે લોહીમાં વણાયેલી હોય એમ કલમના કસબી ગૃપ માં સભ્ય બનીને આવ્યાં અને નિયમો તેમજ બધી જ કામની વિગતો ચોરીને ભાગ્યાં.નવું ગૃપ બનાવી દીધું.
શિસ્તબધ્ધ રીતે ચાલતાં ક.ક.ગૃ.માં કેટકેટલું શીખવવામાં આવે છે. વ્યવસ્થાપકોની કેટલી મહેનત છે.આવો મહેનતનો તૈયાર રોટલો ઉઠાવી જાય એટલે દુઃખ થાય જ.જીજ્ઞાબેનનો આક્રોશ બરાબર જ છે. યુવાનો રાતોરાત પૈસાદાર થવાનાં મોહમાં ઉંધા રસ્તા, ટુંકા રસ્તા અપનાવી ખાડામાં પડે તેવું સાહિત્ય ક્ષેત્રે રાતોરાત પ્રસિધ્ધ થવા આવી ઉઠાંતરી કરે એ શરમજનક ઘટના છે.જીજ્ઞાબેને નામ સહિત જાહેર કર્યું એ યોગ્ય જ છે.આ જોઈને આવી રીતે ભોગ બનેલાંને જાહેર કરવાની હિંમત આવશે અને ઉઠાંતરી કરનાર આવા ગોરખધંધા બંધ કરશે.
હું પણ એ ગૃપમાં સભ્ય હતી, પરંતુ ક.ક.ગૃ.માં જીજ્ઞાબેનનો લેખ વાંચ્યા પછી આજે મેં એ ગૃપ છોડી દીધું છે, સત્યને સાથ આપવા.
જીજ્ઞાબેને આ રીતે સાહિત્ય ની સેવા કરી છે. અભિનંદન.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
********************************
NOG SS No. 0075
વિષય : સાહિત્યમાં ઉઠાંતરી અંગે પ્રતિભાવ
સાહિત્યમાં ઉઠાંતરી
આજે સાહિત્યમાં બીજાની રચનાઓ પોતાને નામે ચડાવી પ્રસિદ્ધિ મેળવવાની આસાન રીત કેટલાક કહેવાતાં લેખકોને ખૂબ રાસ આવી ગઈ છે. જ્યારે જ્યારે આ વાત મુળ લેખકો બહાર લાવે ત્યારે ઉહાપોહ થાય, માફી મંગાય અને ફરી પાછું એજ રગશીયું ગાડું ચાલુ થઈ જાય. મા સરસ્વતીના ઉપાસકોમાં આવું મુલ્યધોવાણ કયી રીતે ચાલી શકે ? કોઈની લીટી નાની કરી મોટા થવાનો ખ્યાલ જ ખોટો છે. જો ભાષાને બચાવવી હોય તો સાહિત્ય ક્ષેત્રે ખેડાણ થવું જ જોઈએ પણ કોઈની મહેનતનું શ્રેય ખોટી રીતે પોતે લઈ તમે કઈ જાતની સાહિત્યસેવા કરો છો ?
સાહિત્ય માનવમનની માટીની સુગંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ ક્ષેત્રને પવિત્ર રાખવું તે તમામની નૈતિક ફરજ છે. આવાં તત્વોને ખુલ્લા પાડવા અને યોગ્ય પાઠ ભણાવવો તે પણ સાહિત્યની મોટી સેવા લેખાશે.
કૌમુદી સોની
********************************
NOG SS No: 0042
પ્રતિભાવ-
જિજ્ઞાબેનની વાત સાથે સહમત છું. સાહિત્યની ચોરી ચલાવી ન લેવાય ચોરી કરીને લખવા કરતાં મહેનત કરી શીખીને લખવું ઉત્તમ હું એવું માનું છું.
પૂજા(અલકા)કાનાણી
**************†***************
NOG SS NO – 0037
પ્રતિભાવ
નમસ્કાર બહેન,આપના મત અનુસાર આપની રચનાની ઉઠાંતરી થઈ છે.ખૂબ દુઃખની વાત કહેવાય.સાહિત્યના ઉપાસકો આવું પણ કરી શકે…? જ્ઞાન આપવાથી,મેળવવાથી વધે, ચોરીથી નહીં. બીજી સાઈડ વિચારીએ તો ચોરી કિંમતી વસ્તુની જ થાય.આપની રચના ચોક્કસ લાજવાબ હશે.
કલમના કસબી ગૃપમાં આવું બન્યું છે,આપે બધાં ને જાણ કરી એ સારી બાબત કહેવાય,પરંતુ આપ એડમીન હોય,રચના પણ આપની હોય, તો પછી પહેલો,અને અંતિમ નિર્ણય પણ આપનોજ હોવો જોઈએ.
આ ગૃપના પ્રતિભાવથી શું કરવા જઈ રહ્યાં છો,એ ન સમજાયું.મને ખ્યાલ છે,અહીંયા છે,એમાંથી ઘણાં ત્યાં પણ એડ છે જ.આપ અનુભવી છો, વળી આપની સાથે દાદીસા,પ્રદીપભાઈ,જેવા વડીલોનો સહકાર પણ ચોક્કસ હોય.માટે આપના સાથે સહમત.🙏
હેમલતા દિવેચા.
**********†*********************
NOG. SS NO. 60
સાહિત્ય ચોરી અંગે પ્રતિભાવ.
જિજ્ઞાબેન પાસેથી વાત જાણીને ઘણું જ દુઃખ થયું. સાહિત્યની રચના એટલે મા સરસ્વતીની ઉપાસના. ઉપાસનામાં ઉઠાંતરી?? એ તો આપણી સંસ્કૃતિ જ નથી!
આપણાં બાળકોને આપણે પરીક્ષામાં ચોરી કરવાની ના પાડીએ છીએ ને પછી આપણે વયસ્ક અને સમજુ થઈને એ જ કામ કરીએ છીએ?
ચોરી કરીને આપણે બીજાને બદલે પોતાની જાતને જ છેતરીએ છીએ.
કહે છે ને કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે તેમ નથી લાગતું, મિત્રો?
ભગવતી પંચમતીયા. ‘રોશની’
********************************
NOG.NO. 0095
સાહિત્ય જગતમાં થતી આવી ચોરીની ઘટના શરમજનક છે. હું પણ એક લેખિકા છું .સાહિત્ય જગતમાં થોડા સમયથી જ જોડાયેલી છું . પોતાની સ્વરચિત જ રચના મૂકતી આવી છું .કદી કોઈની રચનાને પોતાનાં નામે કરીને મૂકવી એતો મોટો અપરાધ છે. હું પણ એની વિરોધી છું .માટે આપણાં ગૃપમાં જે કોઇ નિર્ણય લેવાયો હશે એમાં હું સંપૂર્ણ પણે સહમત છું .
દીપિકા ચાવડા
**************************†****
NOG SS NO : 0026
ચોરી કરવી, ઉઠાંતરી કરવી એ કોઈ સાહિત્ય સર્જકનું કામ હોઈ જ ન શકે.. બધાંના વિચારો અને શબ્દો અલગ હોય છે. તો શા માટે કોઈ સાથે સરખામણી કરી, એમની રચના કે લેખ ચોરી કરવા? આપણને આવડે એ પ્રમાણે લખવું. એ જ મારું મંતવ્ય છે!
🙏🙏🙏
અંજના ગાંધી ‘મોનું’
*******************************
[/ NOG SS No: 052
વિષય.. *સાહિત્યની ચોરી અંગે પ્રતિભાવ*
*****************************
જિજ્ઞાબેનનો લેખ મારા વાંચવામાં આવ્યો, જે રીતે તેમને શબ્દો થકી સમજાણ વ્યકત કરી છે , રોષ વ્યકત કર્યો છે તે યથાયોગ્ય જ કહેવાય. હું કાંઈ લખી ન શકતો હોવ તો તેનો મતલબ એમ નથી કે હું કોઈની ઉઠાંતરી કરીને નીચે મારું નામ ચીપકાવી દવ , એ કેટલાં અંશે વાજબી લેખાશે ? અને આમ તમે કરી કરીને કેટલે સુધી અને ક્યા સુધી બીજાનાં શબ્દો થકી સાહિત્યની સાથે સાથે પોતાની જાતને ,સરસ્વતીને છેતરતા રહેવાનાં? મને તો એ જ નથી સમજણમા આવતુ. એના કરતા જે લોકો આ લેખન ક્ષેત્રમાં પોતાની વિચારસરણીને આધારિત નાનું,મોટું, સાચું, ખોટું,વ્યાકરણ દોષ, જોડણી દોષ, સાથે જે પણ લખે છે કમસેકમ પોતાનું તો લખે છે.એ લોકો સારા છે ,કેમ કે તે કોઈને કનડગત તો નથી કરતા.ક્યા સુધી બીજાનાં ખભે બંદૂક ચલાવવી સાહેબ , ચોરી કરી કરીને તમે કદાચ પ્રસિધ્ધિ પામી પણ લો ,પણ જ્યારે આ વાતની તમારાં વાંચકોને, સાહિત્ય જગતમાં જાણ થાય તે સમયે તમે કયાંય કરતા કયાંય ના નહી રહો. મોડાં વહેલાં આ નકાબ , તમારો અસલી ચહેરો દુનિયા સામે આવવાનો જ છે. ગુનો એ ગુનો છે પછી તે નાનો હોય કે મોટો હોય…. સાચો લેખક ક્યારેય કોઈની કોપી કરવાનો વિચાર શુદ્ધા કરી જ શકે નહી ,તેનાં મનનો ,તેનાં હૃદયનો
અવાજ કાયમ તેને આવું ખોટું કામ કરવા હા પાડશે જ નહી..જો સમાજને સારું, મનોરંજન યુક્ત, સમજવા લાયક લખાણ પીરસવામાં આવે તો આપોઆપ તમે લોકચાહના થકી લોકોનાં હૃદયમાં તમારા ગયા પછી પણ યાદ રહેશો જેમ કે ઝવેર ચંદ મેઘાણી, આ તો એક નામ છે ,સાહિત્ય ક્ષેત્રમાં આવાં અગણિત નામી અનામી લેખકો,કવિઓ આજે પણ કાયમ યાદ કરાય છે ,તેમને આદર્શ બનાવી લોકો આગળ વધે છે.તો એવું કાંઈક કરો કે તમે સારી રીતે યાદ રહો ,ન કે બદનામ થયને….. ચોઈસ ઈઝ યોરસ… અંતે એટલું જ કહેવું છે કે આ કોપી કરનારા તત્વો સાહિત્ય માટે એક ઝેર સમાન છે ,આ ઝેર વધુ પ્રસરે તે પહેલાં તેનો જડમૂળથી નાશ કરવો એટલે જ અનિવાર્ય બને છે. આપણે સહુ સંકલ્પ કરીએ આવા તત્વોને ઉઘાડા પાડીએ , આવો સાથે મળી એકજૂથ બની આ લડતને આગળ વધારી નવી દિશા પ્રદાન કરીએ..
સંજય તરબદા “સાંજ”✍વડોદરા
********************************
NOG SS No : 0082
સાહિત્ય અને એમાં પાછી ચોરી?
કેટલી બધી માનસની નબળાઈ?
સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિ
નિર્મળ હોય છે,
તેને ક્યારેય ડાઘ ન પડવા દેવાય.
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
********************************
NOG સાહિત્ય સરિતા ગ્રુપ એડમિન ટીમ વતી મુખ્ય નિર્ણાયક સભ્ય તરીકે ” સાહિત્ય ની ચોરી ‘ પ્રશ્ન અનેગે નો નિર્ણય
NOG SS NO : 0004 (જયશ્રી પટેલ)
મિત્રો,
જીજ્ઞાબેન કપુરિયાએ ચલાવેલ અભિયાન સાહિત્ય ને તેની ઉંઠાતરી ખરેખર સહયોગ આપવા યોગ્ય જ હતું. સૌ સૌના મનત્વ્ય સૌએ આપ્યા તેથી મને અને સર્વે એડમીન સભ્યોને ખૂબ જ હર્ષ છે..આવા કામ કરવા તેના કરતા સાચે જ ઠાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું યોગ્ય,સાહિત્યની ઉપેક્ષા કરી અપમાન જનક કાર્યો શોભતા નથી. મેં જોયું ઘણાંને આ અનુભવો થયાં છે. લેખક કે લેખિકા બનવું કે તેને રૂચિકર બનવું કે તેને મનોભાવ દ્વારા શબ્દોમાં વ્યક્ત કરવું એ નિજાનંદનો ભાગ છે.
બધાંની નિર્દોષ કબૂલાત પણ ગમી. આજે સવારે જાણ્યું કે સામે પક્ષે મૌખિક માફી આવી ગઈ છે, તો ચાલો સર્વે તેમને ક્ષમા પાત્ર ગણી લઈએ. ગ્રુપ ચલાવે તો આનંદ જ છે, પણ તેનું સંચાલન મૌલિક પણે કરે. બીજાની પર ન જ કરે.. એ ગમશે.
સર્વે નવા જૂના સભ્યોનો આભાર ને પ્રદીપભાઈનો પણ આભાર કે સત્ય જાહેર કર્યુ.
કલમના કસબીની પણ અને NOG ની હું બન્ને પક્ષે નિપક્ષ નિર્ણાયક છું તમારો પ્રેમ હશે ત્યાં સુધી રહીશ. પણ તટસ્થતા મારો સ્વભાવ છે ને સત્ય પથ પર ચાલું છું માટે બસ વિનંતી કરું છું *મૌલિકતા પર લક્ષ* રાખશો.આપણી પાઠશાળાનું *ઉંચ્ચ લક્ષ જાળવશો*
NOG ની એડમીન પેનલ ને બધાંજ સરખા સહૃદયી સભ્યોમાંની એક.
જયશ્રી પટેલ
*દાદીશા*