ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય્ રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : આપણ જીવન નો યાદગાર રમૂજ પ્રસંગ- .દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG સાહિત્ય સરિતા (૧)
NOG SS No.0059.
વિષય:’જીવનની રમૂજી ઘટના’
વિભાગ:ગદ્ય.ઘટના લેખ.
શીર્ષક “મિત્રતાની મીઠાશ.
શબ્દો: ૨૯૦.
“મિત્રતાની મીઠાશ”
==============
એક સ્કૂલ,એક ધોરણ,
મિત્ર કાન્તિ કોઠારીનું ઘર
મારા ઘરથી ફક્ત ત્રણ જ મિનીટ દૂર. વહેલી સવારના ૭.૩૦ કલાકે તેની મારાં ઘરે અચૂક હાજરી.
અમે બન્ને સાથે જ સ્કૂલમાં જઈએ. કલાસમાં તે પ્રથમ બેન્ચ ઉપર બેસે અને હું L.L.B.નો સ્ટુડન્ટ તેથી લાસ્ટ બેન્ચ ઉપર.
ગુરુવાર સવારે સાત વાગ્યે કાન્તિ પેકેટ સાથે મારાં ઘરે આવી પહોંચ્યો, મેં પુછ્યું,”ભાઈ
આજે વંહેલી પધરામણી ?”
મારાં હાથમાં, પેકેટ પકડાવતાં બોલ્યો,
“સવારે મુંબઈથી મામા આવ્યાંછે, તારાં માટે આ હલવો મોકલ્યો છે. આજે હું સ્કૂલમાં નહીં આવું.”તેમ કહી જતો રહ્યો.અમો મિત્રોનો હલવાનાં બોક્ષનો વાર્તાલાપ સાંભળી,મારી બા રસોડામાંથી બહાર આવી.બોક્ષ કબ્જામાં લઈ બોલી,” નિશાળેથી આવ્યાં બાદ ખોલવાનું છે.”સાથે મોટાં અવાજે જણાવ્યું,”બધાનાં સરખાં ભાગ પાડીને ખાવાનું છે ,શું સમજ્યો?”
બા ની વાત પણ સાચી હતી, હું બચપણથી મિઠાઈનો પ્રેમી.સંબંધમા કાન્તિના સગાં મામા, મારાં સગાં માસા થતાં હતાં.
સ્કૂલની છૂટ્ટી પડતાં જ દોડીને મારું ઘરે પહોંચવું. બાને સમજાવીને હલવાનું પેકેટ લીધું. બોક્ષ ખોલતાં જ મારી આંખે અંધારા આવ્યાં. “અરે! હલવાની
જગ્યાએ, અહીં તો તૂટેલાં અરીસાનાં કાચ છે “.
બા પણ મારી બૂમ સાંભળી દોડી આવી, દ્રશ્ય જોતાં જ તે પણ અવાક !
પરિવાર માટે એકજ વિષય ચર્ચા ચાલુ હતી ત્યાં જ કાન્તિનું આગમન.મારી પાસે આવી પૂછ્યું,”બેટમજી,હલવો એકલો ખાધોને ?” તૂટેલાં કાચના ટુકડાઓ પકડાવતાં મેં કહ્યું,”તું પણ ખા!”
કાન્તિએ મમ્મી નજીક બેસી તેનાં પપ્પાથી, અરીસો કેમ કરતાં તૂટ્યો, હાવભાવ સાથે વાત કરી. સાથે આજે પહેલી એપ્રિલ હોવાથી બેટમજીને ઝપટમાં લેવાનો પ્લાન બહેને ગોઠવી આપ્યો હતો.
એક હલવાનુ પેકેટ મમ્મીના હાથમાં સોંપ્યું . મમ્મીએ જાતેજ પેકેટ ખોલી કાન્તિના મુખમાં હલવાનો મોટો ટૂકડો મૂકી આશિષ આપ્યાં. ઘરનાં સાથે હું પણ કાન્તિને વળગીપડ્યો .નુકસાનમાં
પણ આનંદ ગોતી કાઢ્યો હતો, તેનાં ખોબલે ખોબલે અભિનંદન આપ્યાં.
હલવાની વાત થાય ત્યાંરે કાન્તિ કોઠારીની મીઠી યાદ આવેછે .
©️જયકાન્ત ઘેલાણી. ‘પ્યારે’
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
NOG SS No ; 0001
વિષય :– યાદગાર રમૂજી પ્રસંગ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :- “ હર એક પળ આનંદનો ઉત્સવ “
જીવન એ એક ખરેખર આનંદનો ઉત્સવ છે. જીવન એક મહોત્સવ છે. આપણાં જીવનમાં ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જે રમૂજી હોય છે અથવા કહોકે અનાયાસે બની જતી એવી કોઈપણ ઘટના રમૂજી પ્રસંગ બની જાય છે.
જેમકે હું અને મારી પત્ની સ્કૂટર પર બજારમાં ગયા અને રસ્તામાં બે આખલાનાં યુદ્ધને કારણે મેં સ્કૂટર ઉભું રાખ્યું અને મારી પત્ની સ્કૂટર પરથી ક્યારે ઊતરીને રોડની સાઈડમાં જઈને ઊભી રહી એની મને ખબર જ ના રહી અને
મેં તો સ્કૂટર મારી મૂક્યું. મોલ પાસે જઇને ઊભો રહીને પત્નીને સૂચના આપવા લાગ્યો ને પાછું વળીને જોયું ત્યારે ખબર પડી કે સીટ ઉપર તો એ હતી જ નહીં !
આવાં તો ઘણાં પ્રસંગો જીવનમાં બને અને બનતાં જ રહેતાં હોય છે. પણ જીવનનો જો સાચો આનંદ માણવો હોય તો જીવનને જ એક ઉત્સવની જેમ જુઓ અને માણો.જો એને કામની જેમ ગણીશું તો એ એક બોજ બની જશે અને આખી જિંદગી ઉચાટ, ચિંતા અને તાણમાં જ જીવીશું. કામ કરવું જરૂરી છે પણ કામને બોજના બદલે એક ઉત્સવની જેમ ઉજવીશું તો દરેક પળ એક ઉત્સવ બનીને જીવન પુલકિત બની જશે.
કામ કરતાં કરતાં ખુશ થાઓ તો ગીતો ગાઓ કે નાચો ઝુમો અને પછી જુઓ એ પળ તમારા માટે કેટલી સુવર્ણ પળ બની જશે ! ફૂલ રોજ ખીલે છે, એ હારમાં પરોવાય છે, માથાની વેણી બને છે, ચરણોમાં પણ ફૂલ ચડાવાય છે અને માનવની અંતિમયાત્રામાં પણ એનાં નશ્વર દેહ ઉપર હાર પહેરાવાય છે. પણ આ બધાનાં અંતે તો એનું કરમાઈ જવું ને પછી એનું સ્થાન કચરાપેટીમાં કે ગટરની ગંદકીમાં વહી જવું….! છતાંય ફૂલ સદાય ખીલે છે હસે છે અને મહેંક પણ આપે છે. દરેક સવાર એની માટે ઉત્સવ જ છે. કુદરતે બનાવેલ પશુ, પંખી , વનસ્પતિ કે પછી ચાંદો, સૂરજ, તારા કે હવા, પાણી. આ બધાંજ બીજાં માટે જ સજીવ રહે છે. જેમ દીવો બળી ને બીજાંને તેજ આપે.(तेन त्यक्त्येन भुन्जीथा).તેમ છતાંયે એક ઉત્સવભર્યા જીવનની જેમ છે જ સદાય ખુશખુશાલ !
બસ આપણે પણ મીરાં કે નરસિંહ મહેતાની જેમ દરેક પળને કૃષ્ણમય બનાવીને ઉત્સવ માનીને જીવીશું તો હરપળ ખુશહાલ રહીશું. સંગીતમય , કૃષ્ણમય, નૃત્યસભર જીવવાની ટેવ કેળવીશું તો જીવનને પણ અલૌકિક આનંદથી સુશોભિત કરી દઈશું. બિનજરૂરી કામનાં ભારણનાં ઊંડાણમાં એટલાં ના ડૂબીએ કે જીવન જ એક બોજારૂપ લાગે. જો વધુ આનંદમગ્ન , પ્રફુલ્લિત , અને ઉલ્લાસભરી જિંદગી જીવીશું તો દરેક સમસ્યા , ચિંતા જતી રહેશે. એટલેજ હું મારા જીવનમાં અનેક કામનાં ભારણ વચ્ચે પણ મારાં આ સાહિત્ય પરિવારની સાથે હર એક પળ ઉત્સવની જેમ જીવું છું. એટલે જ હું હંમેશાં આપ સૌની સાથે છું. બસ ,આ જ મારાં જીવનનાં યાદગાર આનંદનાં ઉત્સવ સમું જીવન છે. જે આપ સૌની સાથે છે.જાણે ,
“ હર એક પળ આનંદનો ઉત્સવ “.
પ્રદિપ રાવલ ‘ સંચાલક ‘.
****************************************
NOG SS NO. 0055
વિષય : યાદગાર રમૂજી પ્રસંગ
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ” ઓક્સીજન કેટલો…? ”
****************
સમગ્ર દુનિયાની આયુર્વેદિક ઔષધિ અને વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા તમામ રોગોનો ઈલાજ જાણતાં અમારી સોસાયટીના કરશનકાકા જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે ઘરે ઘરે એક જ ચર્ચા ચર્ચાઈ રહી હતી, કે કરશન કાકા જેવા વ્યક્તિને જો કોરોના થાય તો આપણી શી ઓકાત ??
અંતે શાહી સવારી હોસ્પિટલ પહોંચી, અતિ ઉત્સાહી એવા ઘણાં જુવાનિયાઓ ગેલેરીમાંથી વિડિયો લેવા લાગ્યાં. દુનિયાની તમામ બિમારી ફકત અને ફકત પિત્ત પ્રકોપથી થાય છે એવું માનતાં કાકા કોરોનાથી હવે ખરેખર ડરી ગયા .
એમણે એમની રીતે એક માહિતી મેળવી લીધી હતી કે ઓક્સીજન લેવલ જો બરાબર તો જ બચી શકાય એટલે કે ૯૫ ની આજુબાજુ રહે તો બહુ સારું કહેવાય અને બચી પણ જવાય.
હવે મધરાતે વોર્ડમાં લગભગ બધાં સૂઈ ગયાં ત્યારે એમણે પોતાનો ઓક્સીજન જાતે જ માપવાનું નક્કી કર્યું, પે ‘ લું..ઓક્સીજન માપવાનું નાનું એવું મશીન છોકરાએ હોસ્પિટલ જતાં સમયે હાથમાં પકડાવ્યું હતું.
બરાબર રાતના બે વાગ્યા અને કરશન કાકા એ કાળી ચીસ પાડી, ” ઓય …માડી, હવે તો હું ગયો …” બધાં જાગી ગયાં અને આંખો ફાડીને તેમની સામે જુએ, વોર્ડ બોય પણ દોડતો આવ્યો અને કહે ” થયું શું કાકા? ” કાકા કહે , ” મારું ઓક્સિજેન તો 69 થઈ ગયું , હવે હું નો ‘ બચું” કહેતાં જાણે પોક મૂકી.
વોર્ડ બોય કહે ” કાકા, આ 69 નથી પણ 96 છે, આમાં સામેવાળી વ્યક્તિને વાંચવાનું હોય, છાનાં માનાં સૂઈ જાવ,કાલે તમને રજા આપવાની છે.”
કરશન કાકાને જબરી હાશ થઈ અને અમે બધાંએ જાણ્યું ત્યારે સૌ હસી હસીને બેવડ વળ્યાં…
આજે એ ય ને કાકા સહીસલામત પાછાં આવ્યાં અને મળે ત્યારે સૌ પૂછે, ” કાકા, ઓક્સીજન કેટલો ? ” કાકા કહે ” જીવતાં રહીએ એટલો….”
શ્રદ્ધા ભટ્ટ
વાપી
******************************************
NOG: NOG SS :- 0038
પ્રકાર – ગદ્ય
શીર્ષક :- કંસાર
મારાં લગ્નની તારીખ નક્કી થતાં જ મમ્મી કહે,”આપણા સમાજમાં રિવાજ છે કે વહુ ઘરમાં આવે એટલે બીજે દિવસે એ રસોડામાં કંસાર અથવા ફાળા લાપસી બનાવે ,ભગવાનનો થાળ થાય. ચાલ બેટા તને શીખવું.”
મારે તો પરીક્ષા પૂરી થયે હજુ બે દિવસ થયેલા ને મમ્મી રસોડામાં લઈ ગઈ, મગજ તો સહેલીઓ સાથે ફિલ્મ જોવા જવાનું હતું એમાં હતું.મમ્મી તો ખુશ કે ,મારા દિકાને
આવડી ગયું કંસાર ને ફાળા લાપસી..
લગ્ન કરીને ગઈ તો સવારે મારા ઊઠવાની રાહ જોતાં મારાં સાસુમા બોલ્યાં ,”બેટા, જલ્દી નાહીને તૈયાર થઈ જા. આજે તારે તારાં હાથે કંસાર બનાવવાનો છે.”મને તો પરસેવો
છૂટવા લાગ્યો ઘર આખું મહેમાનોથી ભરેલું ને જો નહીં આવડે તો મારી શું હાલત થશે.હું તો ફટાફટ તૈયાર થઈ ગઈ ને ઘરના પાછળના ભાગમાં દોડી…કારણ કે, મને સાસુમા જોઈ ના જાય .
મેં એક છોકરાને કીધું ,”જા તારા ભાઈને બોલાવી લાવ કહેજે, ભાભી બોલાવે.” મારા પતિદેવનું નામ જયેશ એ સંદેશો મળતાં તરત આવ્યાં. હું તરત બોલી, ” જયેશ તમને કંસાર આવડે? ” એ તો નવાઈ પામતાં બોલ્યાં”,તું અત્યારે આ પ્રશ્ન કેમ પૂછે ? જો મને માત્ર રસોડે પાણી પીવા સિવાય કંઈજ નથી આવડતું.”
મેં મારી આપવીતી કહી સંભળાવી તો જયેશ હસવા લાગ્યાં. મારે માટે તો એ ઘરમાં જયેશ જ દોસ્ત હતાં કારણ અમે એક સ્કૂલમાં ભણેલા એટલે મને એમની આગળ ખરાબ લાગશે એવો ભય નહોતો.
જયેશ કહે, જો હું કહું એમ કર, દાદીને હમણાં જ તૈયાર કરી વાડીએ બેસાડ્યાં છે જો સામેજ.તું દાદીને પગે લાગી એટલુંજ બોલજે દાદી,હું કંસાર બનાવી હમણાં આવું.પછી તું જોજે દાદી બધું જ એમની મેળે કહી દેશે.”
હું ગઈ દાદીને પગે લાગી કહ્યું,” દાદી ,કંસાર બનાવી પછી આવું હો.” દાદી કહે ,”બેટા, સાંભળ! મુઠ્ઠી જ કંસાર બનાવજે…આ તો ભગવાનના થાળ માં મૂકવા. બાકી બધાંની રસોઈ ત્યાં મોટા રસોડે બને છે.એક નાનો ગ્લાસ પાણી મૂકજે… ઊકળે એટલે સકનનો ગોળ નાંખવાનું ના ભૂલતી અને હા, બેટા થોડું તેલ બરાબર નાંખજે સરસ છુટ્ટો થઈ જાય.પછી ઘી ને ખાંડ તો છેલ્લે નંખાશે.”
મનમાં વિચાર આવ્યો, આ લોટ શેનો લેવાનો હશે ?મેં કહ્યું,” દાદી ,લોટ…”તો દાદી બોલ્યા ,”ઘઉંનો જાડો લોટ ત્યાંજ હશે કબાટમાં…”હું તો માથું હલાવી ભાગી..રેસિપી ભૂલી જાઉં એ પહેલાં કંસાર બનાઈ દીધો.સાસુમા આવ્યાં ને પાછળ જયેશ પણ આવ્યાં…સાસુમા કહે,”અરે બેટા! તે તો સરસ કંસાર બનાવી દીધો .હું વિચારતી હતી તું તૈયાર થાય એટલામાં હું આવું, તને બતાવું બધું…તું ભણતાં ભણતાં આવી છતાં સરસ બનાવ્યો.”
હું ને જયેશ એકબીજાની સામું જોઈ હસી પડ્યાં.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
******************************************
*NOG SS No-0011*
*સાહિત્ય સરિતા*
*વિભાગ- ગદ્ય*
*પ્રકાર:- વાર્તા*
*શબ્દ/ વિષય:- યાદગાર રમૂજી પ્રસંગ*
*શીર્ષક:- મામાને ઘેર…*
અમદાવાદની શાળાઓમાં વેકેશન પડતાં ધવલ,રેશના ને સારાંશ મામાનાં ઘેર પહોંચ્યાં.
તેઓનાં પહોંચતાં જ કોલાહલ ને શોરબકોરથી આખું ગામ ગાજવા લાગ્યું.
બીજાં દિવસે ધવલ ભેંસને જોઈ ખુશ થતો ઘાસ ખવડાવવા લાગ્યો. ભેંસ ઓળખતી હોય તેમ માથું ડોલાવતી ઘાસ ખાતી ને ભાંભરવા લાગી.
ધવલ મ્યુઝિક વગાડીને ડિસ્કો સાથે ભેંસને ઘાસ ખવડાવવા લાગ્યો. અચાનક જ હાથમાં પહેરેલું સ્ટીલનું કડું ભેંસનાં વાંકડિયા શીંગડાંમાં ભરાઈ ગયું.
ધવલનું કડું શીંગડાંમાં ફસાતાં હાથ જોરજોરથી પોતાની તરફ ખેંચવા લાગ્યો. આજુબાજુ ઊભેલાં મામાનાં છોકરાંઓને ડિસ્કો કરતો હોય તેવું લાગ્યું. ભેંસ કડું કાઢવાં ને ઘાસ ખાતાં ડિસ્કો કરતાંનું દ્રશ્ય જોઈને તાલી પાડીને ખડખડાટ હસવા લાગ્યાં.
અંતે ધવલ રડવા લાગ્યો.
એટલામાં મામા- મામી ઘેર આવતાં ભેંસનાં માથે હાથ ફેરવીને ધવલનું ફસાયેલું કડું બહાર કાઢ્યું.
તે દિવસે સાંજે રેશના મામાની છોકરી કૃપા તેની બહેનપણીઓ સાથે વાડામાં ઘઉંનાં ઘાસનાં પૂળાનાં ઢગલા પાસે રમતી હતી.
એ સમયે રેશનાને હોળીની રમત રમવાનું મન થયું. તેણે કૃપાને કહ્યું,” હું પ્રહ્લાદ બનું ને તું હોલિકા. ઘરમાં જઈને દીવાસળી લાવ.”
કૃપા દોડતી દીવાસળીનું ખોખું લેવાં દોડી. કૃપાએ દીવાસળીની ખૂબ શોધખોળ કરી પણ દીવાસળી ન મળી.
તે નિરાશા ચહેરે પાછી ફરતાં જુએ છે કે રેશના પૂળાનાં ઢગલાં પર બેઠી હતી.
(કૃપાને જોઈ) રેશના કહે,” જલ્દી આવ, હોલિકા બની જા.”
કોલાહલ સાંભળીને આજુબાજુવાળા દોડી આવ્યાં ને આગ ન લાગે એ રીતે તેઓને બહાર કાઢે છે.
બીજા દિવસે સારાંશ મામા- મામી સાથે ખેતરમાં ફરવા ગયો.
ખેતરની પાળે ચાલતાં ચાલતાં સારાંશ બે વખત લપસી ગયો.
મામા કહે,” સારાંશ ક્યાં ગયો?”
સારાંશ ખેતરની પાળ પર જાણે દોરડાં પર ચાલતો હોય તેમ ચાલતો હતો. આ જોઈને મામા- મામી ખૂબ હસવા લાગ્યાં.
વળતાં ઘેર તેઓને બળદગાડામાં બેસીને જવાનું હતું.
વાંકા-ચૂકા ને ઉબડખાબડ પથરાળ રસ્તા પર બળદગાડું હાલકડોલક થતાં મજા આવી ગઈ. તે મામાની પાસેથી ઊભો થઈ છેક પાછળ જતો રહ્યો.
ત્યાં જતાં જ વધારે હાલકડોલક થવા લાગ્યો. એની મસ્તીથી મામા મામી ને સારાંશ ખડખડાટ હસવા લાગ્યા.
એટલામાં તેને ચક્કર આવ્યાં.
મામાને થયું,” તેને મજા આવી એટલે આવું કરે છે.”
થોડીવારમાં તે નીચે ગબડતો ગબડતો સીધો મામાની આગળથી બળદની આગળ આવી ગયો. તરત મામાએ બળદની નાથ ખેંચતાં જ બળદ ઊભાં રહ્યાં.
ત્યારથી સારાંશે નાટક કરવાનું છોડી દીધું.
મામા- મામીએ ઘેર આવીને ભાણીયાઓની કરતૂત તેઓનાં મમ્મી ને પપ્પાને કહેતાં બધાં હસવા લાગ્યાં.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર