ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
પાંચ ગદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : લક્ષ્ય,ધ્યેય,માર્ગ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOG SS No : 0044
વિભાગ:- ગદ્ય
શીર્ષક:- ધ્યેય.
દીકરી હોવા છતાં મારો જન્મ થયો, મા તારા હાથમાં સ્થિર થઈ.
મોટી થતી ગઈ તેમ સ્થિરતા આવતી ગઈ અને તમે મને ઉડવાને આકાશ આપ્યું.એ ઉડાન એટલે કલેકટર બનવાનું મારું ધ્યેય. કલેકટર બની જ્યાં મારું પોસ્ટીંગ થાય ત્યાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી પ્રજાને ભ્રષ્ટાચારની નાગચૂડમાંથી છોડાવવાનું લક્ષ્ય.
શાળામાં તોતિંગ ફી ભરવા છતાં સરખું શિક્ષણ ન મળતું હોય, શાળાની ફી જેટલી જ તોતિંગ ફી ભરી મને કોંચીગ ક્લાસમાં મૂકી.
જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું ધ્યેય હતું તે જ ભ્રષ્ટાચાર ને કારણે ક્લાસમાં લાગેલી ભીષણ આગથી બચવા નીચે કૂદકો માર્યો,અમને બચાવવાની કામગીરી હશે જ એવી આશાએ,પણ આશા અમર ને બદલે ઠગારી નીવડી.આજે મારાં કેટલાં બધાં મિત્રો સાથે ધરતીમાને ખોળે, ધ્યેય પુરું કરતાં પહેલાં જ હંમેશ ને માટે પોઢી ગયાં છે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા,બિલીમોરા.✍️
*****************************************
NOG SS NO : 004
વિષય:લક્ષ્ય, ધ્યેય,અને માર્ગ
*શીર્ષક: જીવનનો રાજમાર્ગ*
જીવન લક્ષ્ય વગરનું જીવે તે પૃથ્વી પર પશુની ગણત્રીમાં જ આવે, વિના ધ્યેયનું જીવન એટલે સવારથી
રાત પડે તો પણ સમજાય નહિ કે આ માર્ગ રોજ ઘરે તો લઈ જાય છે પણ દિવસ દરમિયાન કાર્ય કર્યુ પણ કેમ?
શા માટે? કયા ઉદ્દેશ્યથી?
તો મિત્રો તમારા જીવનમાં શું ધ્યેય લઈ ફરો છો?
ઓહ! નથી ખબર! તો તમે યોગાનીં વર્ગમાં કેમ જાઓ છો? ઓહ..ફલાણાં ઢીંકણા જાય છે માટે! તો તમને યોગાનો શોખ નથી પણ તમે એમને લીધે જાઓ છો કે જેથી તમે લોકો સામે શેખી મારી શકો. તમારી રૂચી નથી!
અફસોસ ! લોકોને બતાવવા જીવવાં કરતા તમારા જ ધ્યેયને પૂર્ણ કરો..!
*લક્ષ્ય શું જિંદગીનું? *
એન્જિનિયર, ડોક્ટર,નર્સ,
ફોટોગ્રાફર, લેખક-લેખિકા કે કવિ- કવયિત્રી. કાંઈ જ નહિ ભણતર પૂરું કર્યુ પણ નોકરી ક્યાં? ઘરે બેસી રહીને
તો નોકરી હાથ નહિ જ આવે..જાણવા છતાં પણ કોઈ પ્રયત્ન નહિ. પોર્ટફોલિયો લઈ ગરમ ચા પી શેખચલ્લી બની બે ત્રણ દિવાસ્વપ્ન જોઈ ઘરે આવી ગયાં..પણ લક્ષ્ય તો રાતો રાત અમીર બનવાનું, તેથી નાની મોટી નોકરી તો અયોગ્ય જ લાગે..!
*ધ્યેય કે લક્ષ્ય જ નક્કી ન હોય તો માર્ગ કયો?*
કાંટાવાળો માર્ગ તો પહેલેથી જ ના! રહ્યો શું હવે ? માર્ગ તો ફૂલો પર ચાલી પસાર કરવો હતો પણ અરે શું કરું , તદ્ન જ મારું નસીબ જ કાણું તો ક્યા કરે પાંડું? પણ નસીબને કેમ દોષ દો? કર્મને ધ્યાનમાં રાખી કાર્ય કરો એટલે કે પુરુષાર્થ કરો!
*અરે મિત્રો ઓળખો છોને પુરુષાર્થ ને..?*
હા, બાવડાની તાકાતથી જગ જીતો..તો તમારા આલક્ષ્ય, ધ્યેય અને માર્ગને નક્કી જ જીતાડનાર કોણ..છે
જાણી ગયાને? એકમાત્ર *પુરુષાર્થ* પકડો તેની આંગળી જુઓ પ્રારબ્ધને પણ હારવું જ પડશે ને..લક્ષ્ય,ધ્યેય અને માર્ગની પટરી પર ગાડી દોડવા લાગશે..તો કરો પુરુષાર્થ જન્મની ઘડીએ જ લખાયેલા વિધાતાના લેખ પર પુરુષાર્થની મહોર લગાવી દો ને સિધ્ધિ પ્રાપ્ત કરો.🙏
જયશ્રી પટેલ
૨૬/૨/૨૧
*****************************************
NOG SS No – 0080
વિષય – લક્ષ, ધ્યેય
શીર્ષક – ધ્યેય (ગદ્ય )
જીવનમાં કાંઈક પામવાની તમન્ના હોય તો જીવન જીવવાની મજા કાંઈક ઓર જ હોય. પછી ભલે એ વિદ્યાર્થી અવસ્થા હોય કે યુવાવસ્થા કે કોઈપણ અવસ્થા.. દરેકને કાંઈ ને કાંઈ સપના આંખમાં અંજાયેલા હોય છે.
દરેક વ્યક્તિનાં જીવનમાં કાંઈ ને કાંઈ લક્ષ હોવું જોઈએ. લક્ષ કે ધ્યેય વગરનું જીવન પાયા વગરની ઈમારત જેવું છે. મહાસિદ્ધિની ઝંખના રાખવી એ સારો વિચાર છે. પણ એ મહાસિદ્ધિ માટે અડગ દિલથી ખંતથી મથવું જોઈએ, તો જ આપણે આપણા નક્કી કરેલા લક્ષને, ધ્યેયને પામી શકીએ
ઉચ્ચ આદર્શને પરિપૂર્ણ કરવા માટે મક્કમતા પૂર્વક અંત સુધી સતત મથતા રહેવાની શીખ તો આપવામાં આવે જ છે.
ઉચ્ચ ધ્યેયને પામવા માટે સખત મહેનત જરૂરી છે. મહાસિદ્ધિની અપેક્ષા રાખનારા વ્યક્તિને થોડીક પણ નિષ્ફ્ળતા મળતા એ નિરાશ થઈ જાય તો તેને મહાસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આવી વ્યક્તિએ કરોળિયાનું ઉદાહરણ નજર સામે રાખી ધ્યેય સિદ્ધિને વળગી રહેવું જોઈએ. વિજ્ઞાનીઓને કોઈપણ સિદ્ધિ સરળતાથી મળી જતી નથી. હજારો વખત નિષ્ફ્ળ ગયા પછી પણ તેઓ અડગતાથી મથતા રહીને સફળતા હાંસિલ કરીને જ રહે છે.. જે વિદ્યાર્થીઓ ડગ્યા વગર ધીરજ અને ખંતથી સતત મહેનત કરતા રહે છે. તે સફળતાને વરે જ છે. કહેવાયું છે કે,
સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય.
* વર્ષા જાની*
ભાવનગર
*****************************************
*NOG SS No : 0081*
*પ્રકાર : ગદ્ય*
*વિષય: લક્ષ્ય, ધ્યેય,માર્ગ*
*શીર્ષક: ધ્યેય પૂર્તિ*
ધ્યેય શબ્દ કોઈ ને કોઈ સ્વરૂપે આપણાં જીવનમાં વણાઈ જાય છે.બચપણમાં ક્યારેક લખોટીઓ જીતવાની જીદ ,તો ક્યારેક દોડમાં પ્રથમ આવવાનો નિશ્ચય…પહેલો નંબર લાવવાનું ધ્યેય પણ જાણે અજાણે શૈક્ષણિક તવારીખમાં અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી મોખરે જ હોય.આ પછીની દડમથલ પણ ચાલુ જ રહે છે.
ધ્યેય સાથે સમય મર્યાદા અને માપ પણ નક્કી રાખવું જોઈએ.
મોટાં ભાગનાં લોકો સામાન્ય રીતે નોકરી કરતાં હોય છે.નોકરી કરીને આગળ વધવાની મહેચ્છા અને મહેનત ન કરી લે તો પદોન્નતિ કે વધુ કમાવાની તક ઊભી જ ન થાય.
કોઈ પાર્ટટાઈમ નોકરી કરે, કોઈ ટ્યૂશન કરે , શેરબજારમાં નફો કરે ..આમ વધુ પૈસા મેળવી સંતાનોને સારું શિક્ષણ આપવાનાં તેમનાં ધ્યેયને
પૂરી લગનથી વળગી રહે છે ,જે તેમનાં સંતાનો કે આગળની પેઢી માટે પ્રેરણા બની રહે છે.
નસીબ જેવાં અદૃશ્ય પાસાંને મહત્વ આપી ધ્યેયને પાંગળું ન કરી શકાય,એક ધ્યેય ભલે તે સંજોગો અનુસાર ફેરફાર પામે પણ દરેકનાં આયખાની મહત્વની કડી હોય છે.ઉદા.એક છોકરીએ ડોક્ટર થવાનું ધ્યેય રાખી,અમાપ મહેનત કરી પણ અસફળ રહી ત્યારે એ જ જ્ઞાન કે મહેનત એણે જરૂરતમંદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સાર્થક કરી .આગળ એણે પી.એચ.ડી. કરી ડિગ્રી મેળવી ડોક્ટરેટની.
પ્રખ્યાત લેખક, ગાયક, ક્રિકેટર, હીરો-હિરોઈન, સંગીતકાર, વૈજ્ઞાનિક, આઈટી નિષ્ણાત વગેરે પણ આપણાં જેવાં માણસો જ છે ને? પણ તેઓએ જીંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યું, એ ધ્યેય પ્રાપ્ત કરવાની આવડત મેળવી, સખત મહેનતથી સ્થાન મેળવ્યું.આપણે એમનાં જેવાં જ બનવાનું છે, એમ નથી, પણ આપણને જે પસંદ હોય તે ક્ષેત્રમાં જવાનું. અસફળતા દરેક સંઘર્ષનો ભાગ છે એ સ્વીકારી તનતોડ મહેનત કરવી.
આ રીતે મેળવેલી સિદ્ધિ અનન્ય આત્મસંતોષ અને સુખ આપે છે.
આમ જીવનમાં ધ્યેય નક્કી કરવું ખૂબ જરૂરી છે. નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત કરવાની તાકાત આપણી પોતાની પાસે જ છે.એને ફક્ત અજમાવવાની છે ..
*રુક જાના નહીં તૂ હાર કે*,
*કાંટોપે ચલકે મિલેંગે સાયે બહાર કે!*
ધ્યેય માટે ઝઝૂમતા માનવને જોઈ…..
*સૂરજ દેખ રુક ગયા હૈ,*
*તેરે આગે ઝૂક ગયા હૈ*!
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
****************************************
NOG SS No : 022
વિષય : લક્ષ્ય, ધ્યેય
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : કાળિયો ભુજંગ
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામ. તેમાં રહેતો કાળિયો ભુજંગ. આમ તો નામ કાળીદાસ પટેલ પણ તેના રંગ, ખોરાક અને સ્વભાવને લીધે તેનું નામ કાળિયો ભુજંગ પડી ગયેલું. તેનો રંગ એશિયન પેન્ટને પણ શરમાવે એવો કાળો હતો. જમવા બેસે એટલે ખોરાક સાથે વેર વાળતો હોય તેમ જમતો. જેટલું રાંધી રાખ્યું હોય બધું જ પતાવું એ ન્યાયે તેનો ખોરાક પાંચ જણ જેટલો હતો.
સામે ખોરાકને પણ તેની સાથે વેર હોય તેમ તેના શરીરે અડતો નહોતો. સાવ સુકલકડી શરીરનાં સ્વામી એવા કાળીદાસને જોઈને કોઈ તેના ખોરાકનો અંદાજો લગાવી ન શકે. ખોરાકની જેમ બુદ્ધિએ પણ તેનાથી બાર ગાઉનું છેટું રાખ્યું હતું. ન તો ભણતર ચડ્યું હતું ન તો ગણતર.
આ જ કારણસર ત્રીસ વર્ષનો થયો હોવા છતાં બધાં કાળિયો કહેતાં.
માતાપિતા તો કાળિયો નાનો હતો ત્યારે જ પરલોક સિધાવી ગયા હતા. કાકા પાસે ઉછરેલો કાળિયો ફક્ત મજૂરી કરી જાણતો. કાકાએ તેનાં લગ્ન માટે બહુ પ્રયત્નો કર્યા પણ ક્યાંય મેળ ન પડ્યો. જે તેને જોવા આવતાં તે ગામના ગોંદરેથી પાછા ફરી જતાં અને જો ભૂલેચૂકે ઘરે આવી જાય તે કાળિયા સાથે વાત કર્યા પછી ફરી મોઢું ન દેખાડતાં.
આવા કાળીદાસને પરણાવવાનું બીડું ગામના સરપંચ ઘનાભાએ ઝડપ્યું. તેમના ખેતરમાં કાળી મજૂરી કરતા કાળુ પ્રત્યે તેમને બહુ પ્રેમ હતો. તેમણે કાળિયાના કાકાને કહ્યું,”લગન નો શું થાય? હું કઉ ઈમ કર તો અઠવાડિયામોં થઈ જાય. એક સોકરી જોઈ સ ઈના હંગાથ ગોઠવઈ જશે.”
તેમણે કાળીદાસના કાનમાં ફૂંક મારી. છોકરીવાળા આવવાના હતા તે દિવસે સવારે નહાઈને સરપંચે આવેલાં જીન્સ અને ટીશર્ટ પહેર્યાં. ઘનાભાએ કહ્યું હતું એમ તે એકદમ મુંગો મંતર થઈને છોકરીનાં માબાપ સામે બેસી રહ્યો.
થોડીવાર પછી ન રહેવાયું એટલે તેણે કાકાના કાનમાં કહ્યું,”સોકરી તો ગમી સ મન.”
“મુંગો મર, એ સોકરીની મા સ. સોકરી અમણ આવશે.”
છોકરી આવી ત્યારે તેને જ જોઈ રહ્યો. છોકરી માને બદલે કાળા બાપ ઉપર ગઈ હતી. રંગે તેના જેવી જ અને કાળી કાબરીનાં નામથી પ્રખ્યાત પૂનમ સાથે કાળિયાનું ગોઠવાઈ ગયું.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા.