ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના મેમ્બરો ની આજે ” વિરહ,વેદના,ચાહના” શબ્દો વિષયક આજે છેલ્લી સાત પદ્ય રચનાઓ….આવતીકાલ થી નવા વિષય ની રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે.www.janfariyadnews.com
NOG SS NO: 001વિભાગ ; પદ્ય.
શીર્ષક ; ચાહના,વિરહ,વેદના. હું ને તું નદીનાં બે કિનારા..!કર્મ સંજોગે મળ્યાંઆમને- સામને.તારી ચાહત મારી પૂજા…!તારો વિરહ મારી પીડા.તારો સ્નેહ મારો સથવારો,તારી યાદો અંતરમાં,હેમ નો ‘પ્ર- દીપ’ પ્રગટાવી બેઠો.એક નહીં થવાના,સત્યનો સ્વીકાર,વિરહની વેદના ડંખે…!તારી ચાહ, મારી ધડકન,’મૌન ‘ ચાહતનું સમજે કોણ ?વાણી ,હોય તો કહું….!શબ્દો, હોય તો સમજાવું,’સંવેદના ‘ અહીંયા સમજે છે કોણ ?ચાહત, વેદના,વિરહ,અનુભૂતિ, અંતર મનની,અહેસાસ, તારો સ્પર્શે મને.ક્યાંક તો નદીનાં કિનારા મળતાં હશે…?એજ આશમાં જીવું તને એ જિંદગી…! પ્રદીપ રાવલ.
******************************************
NOG SS No : 0027વિભાગ : પદ્ય
શીર્ષક :- *પ્રિયતમમાં પતિને ઝંખતી પ્રિયતમા*
એય…!!! તને ખબર છે….તું મારામાં કેટલો જીવ્યા કરે છે ?
ઝીણી-ઝીણી લીધેલી તારી એ કાળજી,મારામાં કૂંપળ બની ફૂટ્યાં કરે છે.મહેનતથી પડેલો તારો એ પસીનો,મારામાં રોમે-રોમ મહેકયાં કરે છે.
લટોમાં ફેરવેલી તારી એ આંગળીઓ,મારામાં નદી જેમ દોડ્યાં કરે છે.વજ્ર જેવી છાતી પર મારેલો એ મુક્કો,મારી હથેળીમાં પડઘાયા કરે છે.
ગુસ્સામાં બોલેલા તારા એ શબ્દો,મારામાં પારેવાં જેમ ફફડયાં કરે છે.બીજી પળે માંડેલી વહાલની તારી વાતો,મારામાં બાળક જેમ રમ્યાં કરે છે.
આમ,મારામાં તારું હોવું એ જ તો,મારા અસ્તિત્વને ચૂમ્યાં કરે છે.
— જ્યોતિ આચાર્ય અમદાવાદ
ગાથા નદીની દરિયાને ખબર શું પડે?
વેદના ફૂલોની અત્તરને ખબર શું પડે?
પ્રણયના દર્દની વસંતને ખબર શું પડે?
પીડા મરજીવાની મોતીને ખબર શું પડે?
વ્યથા રણની મઘમઘતા બાગને ખબર શું પડે?
ભાર દોરીનો ગગને વિહરતાં પતંગનેખબર શું પડે?
ભક્ત ભગવાનનાં સંબંધની નાસ્તિકને ખબર શું પડે?
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
**********************†******************
NOG SS No : 0075વિભાગ : પદ્યવિષય : વેદનાશીર્ષક : વેદનાની વાત
સોળમાં વર્ષની આ વાટસખી, કોને કહું વેદનાની વાત ?
રુદિયાના ખેતરને કોણે ખેડયાકોણે આ ચીતર્યા ચાસ?
વાવ્યા રે કોણે પ્રેમના અમૂલ બીજ,કોણે આ દીધાં સન્માન?
પ્રગટાવી કોણે આ કૂંપળ ચાહતની, કોણે સીંચ્યા આશાના નીર?
શ્રદ્ધા, વિશ્વાસના ખાતર ઓરીનેકોણે આ નીપજાવ્યો ફાલ?
મોંઘા રે મૂલનાં ખેતરમાં મારાકોણે કર્યું આ ભેલાણ?
સમજુ જરા હું ત્યાં ભડભડતી આગે શાને થઈ કાયા બેહાલ?
સોળમાં વર્ષની હતી વાટસખી, કોને કહું વેદનાની વાત ?
કૌમુદી સોની..સુરત
NOG SS No : 0082
વિરહ
શબ્દે શબ્દ આપના ગુંજતા વેણનજરોમાં ઘૂમે છે આંસુ ભેર
પાલવ ઓઢી નજરમાં શોધીહથેળીમાં જોઉં તુજ વદન
મન ભરીને માણતી તુજ નજરછલકાયા પ્રેમ પાણીની જેમ
સમય ને જોતાં થાકી નજરતું સંતાયો ઘડીક મુજ અંદર
રિસાઈ ગયાછે મુજ ગગનપવનમાં વસ્યા છે મુજ વચન
યાદનાં સંભારણા મને પૂછેવિરહનાં વહાણ ખૂબ ડગે
ડૉ. અનિરુદ્ધ વ્યાસ.નડિયાદ25/12/2
[1/3, 3:33 PM] Jayshree Patel. Sahityakar: એક વિનંતી છે..બધાં ને આપેલ શબ્દને અનુસાર જ રચના મૂકો.
બીજુ જો એકવાર એક સભ્ય રચના મૂકી હોય તો બીજીવાર મૂકો તો નંબર-૨ કરી મૂકો. પહેલી રચનાને જ પ્રથમ લેવાશે, જગ્યા હશે અંતે તો જ બીજી રચના મૂકી શકાશે.
૧) વિભક્તિનું ધ્યાન રાખો
જે શબ્દની સાથે જ હોય દા.ત નજરો મા❌નજરોમાં
ભરી ને❌ભરીને
૨) મા એટલે માતા
માં એટલે બાગમાં..
૩)ક્રિયાપદ વાપરો તો અનુંસ્વાર વાપરો
જોયું
રચ્યું
વાવ્યું
મારું માનવું છે આ બધાં નિયમોને ગૌણ ગણી ન શકાય માટે ધ્યાન રાખો
૪) વિરામચિહ્નનાં ઉપયોગ પણ ધ્યાનમાં રાખો…ખાસ પદ્ય ને ગદ્ય રચનામાં, વાર્તા માં..જ્યારે સંવાદ રચના કરો તો”…” ખાસ
બે વ્યક્તિનાં સંવાદને એક પછી એક લખો.
ફરી ફરી કહેવા કરતા વ્યાકરણનું પુસ્તક વસાવો, સારો શબ્દ કોશ વસાવો…મારી આટલી જ સૌને વિનંતી છે…
[1/3, 5:06 PM] Jayshree Patel. Sahityakar: જોડણીના સામાન્ય નિયમો!
સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.
આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.
1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે…
2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે…
3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ ‘ઇ’– િ ની માત્ર કરવી.
દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે…
4) ‘ઇત’ પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે….
પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ’ –િ ની માત્ર કરવી.
દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે…
૬) ‘ઈયા’ પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે…
૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.
દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે…
૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો …
સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ
(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી
(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.
(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.
(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.
(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.
(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે –
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં….
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.
લેખક મિત્રો ઉપયોગી માહિતી…. આગળ શેર કરજો એમ નથી.. કહેતો પણ પેસ્ટ કરી પોતાની દિવાલે લટકાવી મને ટેગ કરજો….(અનંત…^)
[1/3, 5:07 PM] Jayshree Patel. Sahityakar: # પુર્ણવિરામ(.)
(૧) વાકયને અંતે પૂર્ણવિરામ મૂકાય છે.
ગાંધીનગર ગુજરાતની રાજધાની છે.
(ર) ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે
૧. નદી ર. પર્વત ૩. સમુદ્ર ૪. જંગલ
ક. ગુજરાતી ખ. હિન્દી ગ. અંગ્રેજી સંશીપ્ત ઘ. સંસ્કૃત
(૩) સંશીપ્ત રૂપોમાં
ચિ. (ચિરંજીવી), લિ. (લિખિતંગ)
તા. ક. (તાજા કલમ)
જો કે પ્રચલિત બનેલાં ટૂંકા રૂપો જેવા કે સેમી (સેન્ટીમીટર) ચોમી (ચોરસ મીટર), કિમી (કિલોમીટર), ચોકિમી (ચોરસ કિલોમીટર) વગેરેમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
(૪) પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
સત્યના પ્રયોગો. (અશુદ્ઘ) સત્યના પ્રયોગો (શુદ્ધ)
અલ્પવિરામ(,)
જયાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે.
(૧) જયારે એકીસાથે ઘણાં નામ, વિશેષણો કે ક્રિયાપદ આપેલ હોય ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ આવે છે.
સુધીર, સુરેશ, સુકેતુ અને સુદર્શન બધા પાસ થયા.
રમવું, રડવું, કૂદવું અને અનુકરણ કરવું એ બાળકનો સ્વભાવ છે.
(ર) સંબોધન પછી અલ્પવિરામ આવે,
માલતી, છાપું લાવ.
(૩) પત્રલેખનમાં સંબોધન અને વિદાયવચન પછી અલ્પવિરામ આવે.
પૂજય બાપુજી, આપનો સહદયી,
(૪) કારણ કે, કેમ કે, ની પહેલાં અલ્પવિરામ આવે.
પાક સૂકાઈ રહ્યો છે, કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે.
(પ) અલબત્ત, ટૂંકમાં, જેમકે, એટલે કે શબ્દો પછી.
ટૂંકમાં, તમે પોલીસને જાણ કરી હતી.
(૬) અવતરણચિહ્ન વાપરતાં પહેલાં અલ્પવિરામ આવે છે.
રાધાએ કહ્યું, ”શ્યામ વિના હુ જીવી નહીં શકું”
(૭) કેમ, બેશક, હા, ના, વગેરે શબ્દો પછી અલ્પવિરામ આવે.
ના, હું ત્યાં નહીં આવું.
બેશક, અમારો ઉમેદવાર ચૂંટણી જરૂર જીતશે.
(૮) આજ્ઞાર્થ પછી જો કોઈ ઉપવાકય આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પવિરામ આવે.
જુઓ, છોકરાઓ તોફાન કરે છે.
સાંભળો, કોઈક રડી રહ્યું છે.
અર્ધવિરામ(;)
અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણવિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે. વાકય લાંબુ હોય ત્યારે તેમાં આવતાં સ્વતંત્ર ઉપવાકયોને અંતે અર્ધવિરામ આવે છે.
રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો; તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો.
ગુરુવિરામ(:)
(૧) ગણતરી કરવા ગુરુવિરામ ચિહ્ન આવે છે.
પુરુષાર્થ ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષા
(ર)અવતરણ માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ગાંધીજીએ કહ્યું : ”ખરાબ અક્ષારો અધૂરી કેળવણીની નિશાની છે”
(૩) મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે – ભારત : ભૂપૃષ્ઠ અને રાજકીય.
પ્રશ્નાર્થચિહ્ન (?)
જયાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાકયને અંતે પ્રશ્નાર્થચિહ્ન આવે છે.
સાબરમતી કયાંથી નીકળે છે ?
મિશ્ર વાકય અને મુખ્યવાકયમાં પ્રશ્ન હોય તોપણ પ્રશ્નચિહ્ન વાકયને અંતે મૂકાય છે.
મને કંઈ ખબર હતી કે તમે અહીં જ હશો ?
સંયોજકથી જોડાયેલાં બે ઉપવાકયોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્નચિહ્ન આવતું નથી.
તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર છે.
#આશ્ચર્યચિહ્ન(!)
ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર, પ્રશંસા, દુ:ખ, આનંદ જેવી લાગણીઓ દર્શાવવા માટે આશ્ચર્યચિહ્ન આવે છે.
વાહ ! કેટલું સરસ !
ધન્ય છે તારી જનેતાને !
# અવતરણચિહ્ન
(અ) એકવડું અવતરણચિહ્ન ( ‘ ‘ )
(બ) બેવડું અવતરણચિહ્ન (” “)
- કોઈના બોલેલા શબ્દો દર્શાવવા અવતરણચિહ્ન વપરાય છે.
ગાંધીજીએ કહ્યું : “સત્યનો સદા જય થાય છે.” - પુસ્તકનું પ્રકરણ, ગ્રંથનામ કે શબ્દ પર ભાર મૂકવા અવતરણચિહ્ન વપરાય છે.
‘ગ્રામ્યમાતા’ એક ખંડકાવ્ય છે. - એકવડું અવતરવિહ્ન કે બેવડું અવતરણચિહ્ન વાપરવું તે સંબંધી કોઈ ચોક્કસ નિયમો નથી. પરંતુ બધી જગ્યાએ કાંતો એકવડું અથવા બેવડું અવતરણચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ.
લઘુરેખા(-)
સામાસિક શબ્દોમાં જયાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા આવે છે. જેમ કે, રાજા-પ્રધાન, ઊંચ-નીચ.
ગુરુરેખા(_)
વાકયમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા ગુરુરેખા આવે છે.
રાકેશભાઈ – આપણા ગણિત શિક્ષક – આજે આવવાના નથી.
લોપચિહ્ન ( ‘ )
લોપચિહ્ન અલ્પવિરામ જેવું છે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં લખાય છે; લોપચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં ઉપરના ભાગમાં લખાય છે. શબ્દમાં કોઈ અક્ષારનો લોપ થયો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે. જેમ કે, હરેશ ધ્યાનથી ભણતો ન’તો. (નતો ‘ ન હતો)
કાકપદચિહ્ન..(^)
લેખનમાં રહી ગયેલું ઉમેરવા કાકપદચિહ્ન વપરાય છે. આને કાકપદ ઘોડી પણ કહે છે.
પ્રેમમાં અને યુદ્ઘમાં બંધુય ^ ચાલે.
[1/3, 5:07 PM] Jayshree Patel. Sahityakar: આ માહિતી મારા જેવા નવીન લેખકોને….. ઉદ્દગારચિહ્ન (!)
વિરામચિહ્નો પણ વાંચવાના હોય છે પણ એ વાંચતાં ન આવડતું હોવાથી તેમનાં વિષે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. મને એક જેવું યાદ છે કે પ્રાથમિકમાં અમને અમારા ગુજરાતીના પીપરાણીસાહેબ વર્ગમાં દરેક વિદ્યાર્થીને વારાફરતી ઊભા કરીને પાઠમાંથી એક એક ફકરો મોટેથી વંચાવતા. બાકીના બધાએ ચોપડીમાં આંગળી મૂકીને વાંચનારને અનુસરવાનું રહેતું. આ વાંચનકળા શીખવવાની અસરકારક રીત હતી. વિધાનવાક્ય, ઉદ્દગારવાકય કે પ્રશ્નવાક્યને જો વિદ્યાર્થી યોગ્ય લહેકામાં ન વાંચે તો સાહેબ તરત ટોકતા. ફરી વંચાવતા. અત્યારે લાખો રૂપિયા ફી લેનારી શાળાઓ બાળકોને ભાષા ને વિરામચિહ્નો વાંચતાં શીખવે છે ખરી? કદાચ આખી એક પેઢીને (અમુક અપવાદ બાદ કરતાં) સાચું ગુજરાતી શીખવા જ નથી મળ્યું એટલે એ જેવુ લખે અને વાંચે એવું જ એમના પછીની પેઢી અનુસરવાની છે. જ્યારે કોઈ સુધારો સૂચવે ત્યારે તેની ખરાઈ કરી જરૂરથી સ્વીકારવો જોઈએ. આપ આ ઉમદા કાર્ય કરતા રહો જેથી અમે શીખતા રહીએ.
આ નિયમ નથી પણ રીત છે. આ ભાષાશિષ્ટતા છે. તમારે ડાબા હાથે ખાવું છે તો ખાઓ. એ તમારી કુટેવ ગણાશે. કેમ કે, જમણા હાથે ખાવું એવો કોઈ નિયમ નથી પરંતુ સર્વમાન્ય શિષ્ટતા છે. તમે એમ નહિ કરો તો એ તમારી મુનસફી છે અને એ સામાજિક શિષ્ટતાની વિરુદ્ધ જ ગણાશે. જમણા હાથે ખાવાનો નિયમ કોણે બનાવ્યો એવો બાળક જેમ પ્રશ્ન ન પૂછાય. અહીં, પ્રશ્ન શિષ્ટ રીત અપનાવવી છે કે નહીં એ છે. બાકી, તમારે પગથી ખાવું હોય તો કોણ ના પાડે છે? ખાઓ.
એમ, કોઈ પણ ભાષા કોઈ નિયમના આધારે બની નથી. ભાષાનું જેમ જેમ સર્જન સર્વમાન્ય રીતે લોકમુખે થતું ગયું તેમ તેમ અભ્યાસુઓ દ્વારા નિયમો તારવવામાં આવ્યા છે. ભાષાના આ નિયમો હકીકતમાં ભાષાની રીતભાત છે, એની શોભા છે જે સૌએ જાણ્યેઅજાણ્યે સ્વીકારી છે અને વ્યવહારમાં અપનાવી છે. હું મારી ક્ષમતા પ્રમાણેના અભ્યાસ પરથી એનું માત્ર નિદર્શન કરી રહ્યો છું.
ગમે તેમ પણ, કૉમેન્ટ્સ દ્વારા મારો ઉત્સાહ જાળવી રાખવા માટે સૌનો આભારી છું.
ઉદ્દગારચિહ્ન (!)
પહેલા આપણે એ જોઈએ કે ઉદ્દગારચિહ્ન ક્યાં વપરાય છે.
1) જયારે વાક્યમાં દુઃખ, દયા, આનંદ, આશ્ચર્ય વગેરે જેવો કોઈ વિશેષ ભાવદર્શક શબ્દ આવ્યો હોય ત્યારે. એટલે કે, એવો કોઈ ભાવદર્શક શબ્દ ન હોય અને ઉદ્દગારચિહ્ન મૂકો તો એ ખોટું છે. ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાં વિશેષ ભાવ નથી ઉમેરાતો પરંતુ વાક્યમાં વિશેષ ભાવ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય.
જેમકે,
એ બિચારો નવાં કપડાં પણ લાવ્યો!
આ જબરું કહેવાય!
ધારોકે, ઉપરનાં બંને વાક્યોને અંતે પૂર્ણવિરામ મૂકીએ તો? તો એ વિધાનવાક્ય રહેશે. ઉદ્દગારચિહ્ન ન લખીને લેખક એ વાક્યમાંના ભાવદર્શક શબ્દ પર ભાર મૂકતો નથી એવો અર્થ થાય. એનો અર્થ એ થાય કે ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાંના ભાવદર્શક શબ્દને ધ્યાનમાં લેવાનો છે. જો વાક્યમાં આવો કોઈ શબ્દ જ ન હોય તો કેવળ ઉદ્દગારચિહ્નથી કયો ભાવ નીપજે?
2) જયારે વાક્યમાં વિશેષ ભાવદર્શક કેવળપ્રયોગી (filler) લખેલ હોય ત્યારે એ શબ્દને જ ઉદ્દગારચિહ્ન લાગે, આખાં વાક્યને નહીં.
અરે! આની પાસે તો બિસ્કિટ લેવાના પણ પૈસા નથી.
ફટ રે મૂઈ! આવડી થઈ તોય બેડું નથી ઊંચકાતું.
(પણ (1) પ્રમાણે: ફટ રે મૂઈ! આવડી મોટી થઈ તોય બેડું નથી ઊંચકાતું!)
હાય! હવે તો પગ દુખે છે. ક્યાંક થોડીક વાર બેસીએ.
3) ‘શું : વાક્યની શરૂઆતમાં, કેવું + વિશેષણ, કેટલું + ક્રિયાવિશેષણ, કયાં + ક્રિયાપદ આ રીતે પ્રશ્નસૂચક શબ્દો વાપરીને તે દ્વારા વિશેષ ભાવ દર્શાવવાનો હોય ત્યારે ઉદ્દગારચિહ્ન વપરાય. ક્રમશઃ જેમકે,
= શું વજન છે તમારી વાતમાં! વાહ! (પણ, તમારી વાતમાં શું વજન છે?’ એમ પ્રશ્ન થઈ જશે.)
= આ તરસ કેવી વરવી કે ભલભલાને પાણી પીવડાવે!
(પણ, ‘આ કેવી તરસ કે ભલભલાને પાણી પીવડાવે?’ હવે, વિશેષણ નથી, ભાવ નથી એટલે પ્રશ્ન ‘કેવી’ દ્વારા થઈ ગયો. ત્યાં અંતે ઉદ્દગારચિહ્ન લખવાથી ભાવ નથી ઉમેરાઈ જતો. આવા વિધાનાત્મક પ્રશ્નો વિષે અલગથી વાત કરીશ)
= મારાં બા મારી કેટલી આતુરતાથી રાહ જોતાં! (પણ, ‘મારાં બા મારી કેટલી રાહ જોતાં?’ અહીં, ક્રિયાવિશેષણ નથી, ભાવ નથી એટલે ‘કેટલી’ દ્વારા પ્રશ્ન થઈ ગયો.)
= આવો માણસ તો ક્યાં મળે, ભાઈ! (પણ, ‘આવો માણસ ક્યાં મળે?’ એ પ્રશ્ન થશે. ‘તો’ની ગેરહાજરીથી ભાવની ગેરહાજરી સ્પષ્ટ વર્તાય છેને?)
4) રે, હે, જી સાથે વિશેષ ભાવ ઉમેરીને સંબોધન કરેલ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય અન્યથા અલ્પવિરામ જ આવે. જેમકે,
દરિયાજી! મારા હૂતાને હટ પાસો વાળ્ય. હજુ કેટલી અંધારી રાત્યું જોણી સે!
હે દાદા! હંધાયનાં દુખ હળવા કર્ય.
ભથવારી રે! કેવું મીઠું ભાતું તારું! હાઇલ, તારા હાથે જ ખવડાય.
ટૂંકમાં, વાક્યમાં ભાવદર્શન શબ્દો વગર ઉદ્દગારચિહ્ન ન આવે. યાદ રાખો : ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાં વિશેષ ભાવ નથી ઉમેરાતો પરંતુ વાક્યમાં વિશેષ ભાવ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય.
હવે વાત કરીએ આજકાલ આમાં જોવા મળતી કુટેવોની અથવા ગેરસમજોની:
== ઘણા એમ માને છે કે કવિતાની પંક્તિને અંતે હંમેશા ઉદ્દગારચિહ્ન આવે.
ના, ઉપર પ્રમાણે ભાવદર્શક શબ્દ હોય તો આવે. જોકે, કવિતામાં આવા ભાવદર્શક શબ્દોનું પ્રમાણ ગદ્ય કરતાં વધારે રહેતું હોય છે. પણ એનો અર્થ એ નથી કે દરેક પંક્તિને અંતે ઉદ્દગારચિહ્ન આવે.
== બેત્રણ ઉદ્દગારચિહ્ન કરી દેવા. !!!
આ ખોટી ટેવ છે. ઉદ્દગારચિહ્ન હંમેશા એક જ લખાય છે. વધારે લખવાનું પ્રયોજન મને કદી સમજાયું નથી.
== કેવું, કેટલું જેવા પ્રશ્નસૂચક શબ્દો હોય અને સમજ ન પડે તો ઉદ્દગારચિહ્ન અને પ્રશ્નચિહ્ન સાથે કરી દેવા.
આ પણ ખોટું છે. વાક્યમાં વપરાયેલા શબ્દો પરથી સ્પષ્ટ થવું જ જોઈએ કે એ ઉદ્દગાર છે કે પ્રશ્ન. અને એ પ્રમાણે બેમાંથી એક જ ચિહ્ન લખવાનું રહે. ઉપર ઉદાહરણમાં છે તેમ. છતાં બીજું આપું:
તમે કેવાં મોંઘાં કપડાં લાવ્યાં છો!
તમે કેટલાં મોઘાં કપડાં લાવ્યા છો? (ઘણાં મોંઘાં, ચાર હજારની જોડી.)
અને છેલ્લે:
ઉદ્દગારચિહ્ન કે પ્રશ્નચિહન (કોઈપણ વિરામચિન્હ) છેલ્લા શબ્દની સાથે-અડીને લખાય. છૂટ્ટો ન લખાય. આખી પોસ્ટમાં જોઈ લો.
[1/3, 5:10 PM] Jayshree Patel. Sahityakar: ભેગું શું લખવું અને છૂટું શું લખવું
ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો લખવામાં દ્વિધા પ્રવર્તે છે. એમાં ‘ભેગું શું લખવું અને છૂટું શું લખવું ‘એ મુખ્ય છે. અહીં તે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનો અભ્યાસ કરવાથી ઘણી મુંઝવણનો અંત આવશે.
(૧) જ છૂટો જ લખવો. દા.ત. મારે જ .
(૨) ય – યે ભેગા લખવા. દા.ત. મારેય.
(૩)વિભક્તિના પ્રત્યય ભેગા લખવા. દા.ત. પાતાળમાં, ઘરમાં, બાળકોનો
(૪) દ્વિરુક્તિવાળા શબ્દો ભેગા લખવા. દા.ત.જુદાજુદા, ધીમેધીમે, થોડુંથોડું, જાતજાતના
(૫) નામયોગી છૂટા લખવા. દા.ત. ઝાડ ઉપર, મંદિર નજીક, ઘર પાસે,
(૬) ‘તોપણ’ અને ‘જોકે’ ભેગા લખવા.
(૭) ‘કે’ છૂટો લખવો દા.ત. જાણે કે, કેમ કે, જેમ કે.
(૮) ‘પૂર્વક’ અને ‘માત્ર ’ ભેગાં લખવાં. દા.ત. શાંતિપૂર્વક, લેશમાત્ર
(૯) સહાયકારક ક્રિયાપદો છૂટાં લખવાં. દા.ત. કહે છે, બોલ્યું હશે.
(૧૦) સંયુક્ત ક્રિયાપદમાં દરેક ક્રિયાપદ છૂટું લખવું. દા.ત. કહી નાખ્યું, જતો રહ્યો, જવા દો.
(૧૧) સમાસમાં પદ જોડીને લખવાં
[1/3, 3:33 PM] Jayshree Patel. Sahityakar: એક વિનંતી છે..બધાં ને આપેલ શબ્દને અનુસાર જ રચના મૂકો.
બીજુ જો એકવાર એક સભ્ય રચના મૂકી હોય તો બીજીવાર મૂકો તો નંબર-૨ કરી મૂકો. પહેલી રચનાને જ પ્રથમ લેવાશે, જગ્યા હશે અંતે તો જ બીજી રચના મૂકી શકાશે.
૧) વિભક્તિનું ધ્યાન રાખો
જે શબ્દની સાથે જ હોય દા.ત નજરો મા❌નજરોમાં
ભરી ને❌ભરીને
૨) મા એટલે માતા
માં એટલે બાગમાં..
૩)ક્રિયાપદ વાપરો તો અનુંસ્વાર વાપરો
જોયું
રચ્યું
વાવ્યું
મારું માનવું છે આ બધાં નિયમોને ગૌણ ગણી ન શકાય માટે ધ્યાન રાખો
૪) વિરામચિહ્નનાં ઉપયોગ પણ ધ્યાનમાં રાખો…ખાસ પદ્ય ને ગદ્ય રચનામાં, વાર્તા માં..જ્યારે સંવાદ રચના કરો તો”…” ખાસ
બે વ્યક્તિનાં સંવાદને એક પછી એક લખો.
ફરી ફરી કહેવા કરતા વ્યાકરણનું પુસ્તક વસાવો, સારો શબ્દ કોશ વસાવો…મારી આટલી જ સૌને વિનંતી છે…
[1/3, 5:06 PM] Jayshree Patel. Sahityakar: જોડણીના સામાન્ય નિયમો!
સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.
આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.
1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે…
2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે…
3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ ‘ઇ’– િ ની માત્ર કરવી.
દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે…
4) ‘ઇત’ પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે….
પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ’ –િ ની માત્ર કરવી.
દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે…
૬) ‘ઈયા’ પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે…
૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.
દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે…
૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો …
સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ
(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી
(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.
(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.
(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.
(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.
(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે –
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં….
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.
લેખક મિત્રો ઉપયોગી માહિતી…. આગળ શેર કરજો એમ નથી.. કહેતો પણ પેસ્ટ કરી પોતાની દિવાલે લટકાવી મને ટેગ કરજો….(અનંત…^)
[1/3, 5:07 PM] Jayshree Patel. Sahityakar: # પુર્ણવિરામ(.)
(૧) વાકયને અંતે પૂર્ણવિરામ મૂકાય છે.
ગાંધીનગર ગુજરાતની રાજધાની છે.
(ર) ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે
૧. નદી ર. પર્વત ૩. સમુદ્ર ૪. જંગલ
ક. ગુજરાતી ખ. હિન્દી ગ. અંગ્રેજી સંશીપ્ત ઘ. સંસ્કૃત
(૩) સંશીપ્ત રૂપોમાં
ચિ. (ચિરંજીવી), લિ. (લિખિતંગ)
તા. ક. (તાજા કલમ)
જો કે પ્રચલિત બનેલાં ટૂંકા રૂપો જેવા કે સેમી (સેન્ટીમીટર) ચોમી (ચોરસ મીટર), કિમી (કિલોમીટર), ચોકિમી (ચોરસ કિલોમીટર) વગેરેમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
(૪) પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
સત્યના પ્રયોગો. (અશુદ્ઘ) સત્યના પ્રયોગો (શુદ્ધ)
અલ્પવિરામ(,)
જયાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે.
(૧) જયારે એકીસાથે ઘણાં નામ, વિશેષણો કે ક્રિયાપદ આપેલ હોય ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ આવે છે.
સુધીર, સુરેશ, સુકેતુ અને સુદર્શન બધા પાસ થયા.
રમવું, રડવું, કૂદવું અને અનુકરણ કરવું એ બાળકનો સ્વભાવ છે.
(ર) સંબોધન પછી અલ્પવિરામ આવે,
માલતી, છાપું લાવ.
(૩) પત્રલેખનમાં સંબોધન અને વિદાયવચન પછી અલ્પવિરામ આવે.
પૂજય બાપુજી, આપનો સહદયી,
(૪) કારણ કે, કેમ કે, ની પહેલાં અલ્પવિરામ આવે.
પાક સૂકાઈ રહ્યો છે, કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે.
(પ) અલબત્ત, ટૂંકમાં, જેમકે, એટલે કે શબ્દો પછી.
ટૂંકમાં, તમે પોલીસને જાણ કરી હતી.
(૬) અવતરણચિહ્ન વાપરતાં પહેલાં અલ્પવિરામ આવે છે.
રાધાએ કહ્યું, ”શ્યામ વિના હુ જીવી નહીં શકું”
(૭) કેમ, બેશક, હા, ના, વગેરે શબ્દો પછી અલ્પવિરામ આવે.
ના, હું ત્યાં નહીં આવું.
બેશક, અમારો ઉમેદવાર ચૂંટણી જરૂર જીતશે.
(૮) આજ્ઞાર્થ પછી જો કોઈ ઉપવાકય આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પવિરામ આવે.
જુઓ, છોકરાઓ તોફાન કરે છે.
સાંભળો, કોઈક રડી રહ્યું છે.
અર્ધવિરામ(;)
અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણવિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે. વાકય લાંબુ હોય ત્યારે તેમાં આવતાં સ્વતંત્ર ઉપવાકયોને અંતે અર્ધવિરામ આવે છે.
રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો; તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો.
ગુરુવિરામ(:)
(૧) ગણતરી કરવા ગુરુવિરામ ચિહ્ન આવે છે.
પુરુષાર્થ ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષા
(ર)અવતરણ માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ગાંધીજીએ કહ્યું : ”ખરાબ અક્ષારો પર્ કેળવણીની નિશાની છે”
(૩) મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે – ભારત : ભૂપૃષ્ઠ અને રાજકીય.
પ્રશ્નાર્થચિહ્ન (?)
જયાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાકયને અંતે પ્રશ્નાર્થચિહ્ન આવે છે.
સાબરમતી કયાંથી નીકળે છે ?
મિશ્ર વાકય અને મુખ્યવાકયમાં પ્રશ્ન હોય તોપણ પ્રશ્નચિહ્ન વાકયને અંતે મૂકાય છે.
મને કંઈ ખબર હતી કે તમે અહીં જ હશો ?
સંયોજકથી જોડાયેલાં બે ઉપવાકયોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્નચિહ્ન આવતું નથી.
તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર છે.
#આશ્ચર્યચિહ્ન(!)
ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર, પ્રશંસા, દુ:ખ, આનંદ જેવી લાગણીઓ દર્શાવવા માટે આશ્ચર્યચિહ્ન આવે છે.
વાહ ! કેટલું સરસ !
ધન્ય છે તારી જનેતાને !
# અવતરણચિહ્ન
(અ) એકવડું અવતરણચિહ્ન ( ‘ ‘ )
(બ) બેવડું અવતરણચિહ્ન (” “)
- કોઈના બોલેલા શબ્દો દર્શાવવા અવતરણચિહ્ન વપરાય છે.
ગાંધીજીએ કહ્યું : “સત્યનો સદા જય થાય છે.” - પુસ્તકનું પ્રકરણ, ગ્રંથનામ કે શબ્દ પર ભાર મૂકવા અવતરણચિહ્ન વપરાય છે.
‘ગ્રામ્યમાતા’ એક ખંડકાવ્ય છે. - એકવડું અવતરવિહ્ન કે બેવડું અવતરણચિહ્ન વાપરવું તે સંબંધી કોઈ ચોક્કસ નિયમો નથી. પરંતુ બધી જગ્યાએ કાંતો એકવડું અથવા બેવડું અવતરણચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ.
લઘુરેખા(-)
સામાસિક શબ્દોમાં જયાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા આવે છે. જેમ કે, રાજા-પ્રધાન, ઊંચ-નીચ.
ગુરુરેખા(_)
વાકયમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા ગુરુરેખા આવે છે.
રાકેશભાઈ – આપણા ગણિત શિક્ષક – આજે આવવાના નથી.
લોપચિહ્ન ( ‘ )
લોપચિહ્ન અલ્પવિરામ જેવું છે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં લખાય છે; લોપચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં ઉપરના ભાગમાં લખાય છે. શબ્દમાં કોઈ અક્ષારનો લોપ થયો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે. જેમ કે, હરેશ ધ્યાનથી ભણતો ન’તો. (નતો ‘ ન હતો)
કાકપદચિહ્ન..(^)
લેખનમાં રહી ગયેલું ઉમેરવા કાકપદચિહ્ન વપરાય છે. આને કાકપદ ઘોડી પણ કહે છે.
પ્રેમમાં અને યુદ્ઘમાં બંધુય ^ ચાલે.
[1/3, 5:07 PM] Jayshree Patel. Sahityakar: આ માહિતી મારા જેવા નવીન લેખકોને….. ઉદ્દગારચિહ્ન (!)
વિરામચિહ્નો પણ વાંચવાના હોય છે પણ એ વાંચતાં ન આવડતું હોવાથી તેમનાં વિષે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. મને એક જેવું યાદ છે કે પ્રાથમિકમાં અમને અમારા ગુજરાતીના પીપરાણીસાહેબ વર્ગમાં દરેક વિદ્યાર્થીને વારાફરતી ઊભા કરીને પાઠમાંથી એક એક ફકરો મોટેથી વંચાવતા. બાકીના બધાએ ચોપડીમાં આંગળી મૂકીને વાંચનારને અનુસરવાનું રહેતું. આ વાંચનકળા શીખવવાની અસરકારક રીત હતી. વિધાનવાક્ય, ઉદ્દગારવાકય કે પ્રશ્નવાક્યને જો વિદ્યાર્થી યોગ્ય લહેકામાં ન વાંચે તો સાહેબ તરત ટોકતા. ફરી વંચાવતા. અત્યારે લાખો રૂપિયા ફી લેનારી શાળાઓ બાળકોને ભાષા ને વિરામચિહ્નો વાંચતાં શીખવે છે ખરી? કદાચ આખી એક પેઢીને (અમુક અપવાદ બાદ કરતાં) સાચું ગુજરાતી શીખવા જ નથી મળ્યું એટલે એ જેવુ લખે અને વાંચે એવું જ એમના પછીની પેઢી અનુસરવાની છે. જ્યારે કોઈ સુધારો સૂચવે ત્યારે તેની ખરાઈ કરી જરૂરથી સ્વીકારવો જોઈએ. આપ આ ઉમદા કાર્ય કરતા રહો જેથી અમે શીખતા રહીએ.
આ નિયમ નથી પણ રીત છે. આ ભાષાશિષ્ટતા છે. તમારે ડાબા હાથે ખાવું છે તો ખાઓ. એ તમારી કુટેવ ગણાશે. કેમ કે, જમણા હાથે ખાવું એવો કોઈ નિયમ નથી પરંતુ સર્વમાન્ય શિષ્ટતા છે. તમે એમ નહિ કરો તો એ તમારી મુનસફી છે અને એ સામાજિક શિષ્ટતાની વિરુદ્ધ જ ગણાશે. જમણા હાથે ખાવાનો નિયમ કોણે બનાવ્યો એવો બાળક જેમ પ્રશ્ન ન પૂછાય. અહીં, પ્રશ્ન શિષ્ટ રીત અપનાવવી છે કે નહીં એ છે. બાકી, તમારે પગથી ખાવું હોય તો કોણ ના પાડે છે? ખાઓ.
એમ, કોઈ પણ ભાષા કોઈ નિયમના આધારે બની નથી. ભાષાનું જેમ જેમ સર્જન સર્વમાન્ય રીતે લોકમુખે થતું ગયું તેમ તેમ અભ્યાસુઓ દ્વારા નિયમો તારવવામાં આવ્યા છે. ભાષાના આ નિયમો હકીકતમાં ભાષાની રીતભાત છે, એની શોભા છે જે સૌએ જાણ્યેઅજાણ્યે સ્વીકારી છે અને વ્યવહારમાં અપનાવી છે. હું મારી ક્ષમતા પ્રમાણેના અભ્યાસ પરથી એનું માત્ર નિદર્શન કરી રહ્યો છું.
ગમે તેમ પણ, કૉમેન્ટ્સ દ્વારા મારો ઉત્સાહ જાળવી રાખવા માટે સૌનો આભારી છું.
ઉદ્દગારચિહ્ન (!)
પહેલા આપણે એ જોઈએ કે ઉદ્દગારચિહ્ન ક્યાં વપરાય છે.
1) જયારે વાક્યમાં દુઃખ, દયા, આનંદ, આશ્ચર્ય વગેરે જેવો કોઈ વિશેષ ભાવદર્શક શબ્દ આવ્યો હોય ત્યારે. એટલે કે, એવો કોઈ ભાવદર્શક શબ્દ ન હોય અને ઉદ્દગારચિહ્ન મૂકો તો એ ખોટું છે. ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાં વિશેષ ભાવ નથી ઉમેરાતો પરંતુ વાક્યમાં વિશેષ ભાવ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય.
જેમકે,
એ બિચારો નવાં કપડાં પણ લાવ્યો!
આ જબરું કહેવાય!
ધારોકે, ઉપરનાં બંને વાક્યોને અંતે પૂર્ણવિરામ મૂકીએ તો? તો એ વિધાનવાક્ય રહેશે. ઉદ્દગારચિહ્ન ન લખીને લેખક એ વાક્યમાંના ભાવદર્શક શબ્દ પર ભાર મૂકતો નથી એવો અર્થ થાય. એનો અર્થ એ થાય કે ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાંના ભાવદર્શક શબ્દને ધ્યાનમાં લેવાનો છે. જો વાક્યમાં આવો કોઈ શબ્દ જ ન હોય તો કેવળ ઉદ્દગારચિહ્નથી કયો ભાવ નીપજે?
2) જયારે વાક્યમાં વિશેષ ભાવદર્શક કેવળપ્રયોગી (filler) લખેલ હોય ત્યારે એ શબ્દને જ ઉદ્દગારચિહ્ન લાગે, આખાં વાક્યને નહીં.
અરે! આની પાસે તો બિસ્કિટ લેવાના પણ પૈસા નથી.
ફટ રે મૂઈ! આવડી થઈ તોય બેડું નથી ઊંચકાતું.
(પણ (1) પ્રમાણે: ફટ રે મૂઈ! આવડી મોટી થઈ તોય બેડું નથી ઊંચકાતું!)
હાય! હવે તો પગ દુખે છે. ક્યાંક થોડીક વાર બેસીએ.
3) ‘શું : વાક્યની શરૂઆતમાં, કેવું + વિશેષણ, કેટલું + ક્રિયાવિશેષણ, કયાં + ક્રિયાપદ આ રીતે પ્રશ્નસૂચક શબ્દો વાપરીને તે દ્વારા વિશેષ ભાવ દર્શાવવાનો હોય ત્યારે ઉદ્દગારચિહ્ન વપરાય. ક્રમશઃ જેમકે,
= શું વજન છે તમારી વાતમાં! વાહ! (પણ, તમારી વાતમાં શું વજન છે?’ એમ પ્રશ્ન થઈ જશે.)
= આ તરસ કેવી વરવી કે ભલભલાને પાણી પીવડાવે!
(પણ, ‘આ કેવી તરસ કે ભલભલાને પાણી પીવડાવે?’ હવે, વિશેષણ નથી, ભાવ નથી એટલે પ્રશ્ન ‘કેવી’ દ્વારા થઈ ગયો. ત્યાં અંતે ઉદ્દગારચિહ્ન લખવાથી ભાવ નથી ઉમેરાઈ જતો. આવા વિધાનાત્મક પ્રશ્નો વિષે અલગથી વાત કરીશ)
= મારાં બા મારી કેટલી આતુરતાથી રાહ જોતાં! (પણ, ‘મારાં બા મારી કેટલી રાહ જોતાં?’ અહીં, ક્રિયાવિશેષણ નથી, ભાવ નથી એટલે ‘કેટલી’ દ્વારા પ્રશ્ન થઈ ગયો.)
= આવો માણસ તો ક્યાં મળે, ભાઈ! (પણ, ‘આવો માણસ ક્યાં મળે?’ એ પ્રશ્ન થશે. ‘તો’ની ગેરહાજરીથી ભાવની ગેરહાજરી સ્પષ્ટ વર્તાય છેને?)
4) રે, હે, જી સાથે વિશેષ ભાવ ઉમેરીને સંબોધન કરેલ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય અન્યથા અલ્પવિરામ જ આવે. જેમકે,
દરિયાજી! મારા હૂતાને હટ પાસો વાળ્ય. હજુ કેટલી અંધારી રાત્યું જોણી સે!
હે દાદા! હંધાયનાં દુખ હળવા કર્ય.
ભથવારી રે! કેવું મીઠું ભાતું તારું! હાઇલ, તારા હાથે જ ખવડાય.
ટૂંકમાં, વાક્યમાં ભાવદર્શન શબ્દો વગર ઉદ્દગારચિહ્ન ન આવે. યાદ રાખો : ઉદ્દગારચિહ્ન લખવાથી વાક્યમાં વિશેષ ભાવ નથી ઉમેરાતો પરંતુ વાક્યમાં વિશેષ ભાવ હોય તો ઉદ્દગારચિહ્ન લખાય.
હવે વાત કરીએ આજકાલ આમાં જોવા મળતી કુટેવોની અથવા ગેરસમજોની:
== ઘણા એમ માને છે કે કવિતાની પંક્તિને અંતે હંમેશા ઉદ્દગારચિહ્ન આવે.
ના, ઉપર પ્રમાણે ભાવદર્શક શબ્દ હોય તો આવે. જોકે, કવિતામાં આવા ભાવદર્શક શબ્દોનું પ્રમાણ ગદ્ય કરતાં વધારે રહેતું હોય છે. પણ એનો અર્થ એ નથી કે દરેક પંક્તિને અંતે ઉદ્દગારચિહ્ન આવે.
== બેત્રણ ઉદ્દગારચિહ્ન કરી દેવા. !!!
આ ખોટી ટેવ છે. ઉદ્દગારચિહ્ન હંમેશા એક જ લખાય છે. વધારે લખવાનું પ્રયોજન મને કદી સમજાયું નથી.
== કેવું, કેટલું જેવા પ્રશ્નસૂચક શબ્દો હોય અને સમજ ન પડે તો ઉદ્દગારચિહ્ન અને પ્રશ્નચિહ્ન સાથે કરી દેવા.
આ પણ ખોટું છે. વાક્યમાં વપરાયેલા શબ્દો પરથી સ્પષ્ટ થવું જ જોઈએ કે એ ઉદ્દગાર છે કે પ્રશ્ન. અને એ પ્રમાણે બેમાંથી એક જ ચિહ્ન લખવાનું રહે. ઉપર ઉદાહરણમાં છે તેમ. છતાં બીજું આપું:
તમે કેવાં મોંઘાં કપડાં લાવ્યાં છો!
તમે કેટલાં મોઘાં કપડાં લાવ્યા છો? (ઘણાં મોંઘાં, ચાર હજારની જોડી.)
અને છેલ્લે:
ઉદ્દગારચિહ્ન કે પ્રશ્નચિહન (કોઈપણ વિરામચિન્હ) છેલ્લા શબ્દની સાથે-અડીને લખાય. છૂટ્ટો ન લખાય. આખી પોસ્ટમાં જોઈ લો.
[1/3, 5:10 PM] Jayshree Patel. Sahityakar: ભેગું શું લખવું અને છૂટું શું લખવું
ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો લખવામાં દ્વિધા પ્રવર્તે છે. એમાં ‘ભેગું શું લખવું અને છૂટું શું લખવું ‘એ મુખ્ય છે. અહીં તે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનો અભ્યાસ કરવાથી ઘણી મુંઝવણનો અંત આવશે.
(૧) જ છૂટો જ લખવો. દા.ત. મારે જ .
(૨) ય – યે ભેગા લખવા. દા.ત. મારેય.
(૩)વિભક્તિના પ્રત્યય ભેગા લખવા. દા.ત. પાતાળમાં, ઘરમાં, બાળકોનો
(૪) દ્વિરુક્તિવાળા શબ્દો ભેગા લખવા. દા.ત.જુદાજુદા, ધીમેધીમે, થોડુંથોડું, જાતજાતના
(૫) નામયોગી છૂટા લખવા. દા.ત. ઝાડ ઉપર, મંદિર નજીક, ઘર પાસે,
(૬) ‘તોપણ’ અને ‘જોકે’ ભેગા લખવા.
(૭) ‘કે’ છૂટો લખવો દા.ત. જાણે કે, કેમ કે, જેમ કે.
(૮) ‘પૂર્વક’ અને ‘માત્ર ’ ભેગાં લખવાં. દા.ત. શાંતિપૂર્વક, લેશમાત્ર
(૯) સહાયકારક ક્રિયાપદો છૂટાં લખવાં. દા.ત. કહે છે, બોલ્યું હશે.
(૧૦) સંયુક્ત ક્રિયાપદમાં દરેક ક્રિયાપદ છૂટું લખવું. દા.ત. કહી નાખ્યું, જતો રહ્યો, જવા દો.
(૧૧) સમાસમાં પદ જોડીને લખવાં.દા.ત. માબાપ, બેપાંચ, નાનામોટા
*(વચ્ચે નાની લીટી કરીને જુદાં પણ લખાય. જેમ કે : ખાત-મુહૂર્ત, પૂર-નિરીક્ષણ, જન્મ-શતાબ્દી )
સાભાર
[1/3, 10:34 PM] Pradip Raval: 🍎ઘનશ્યામ વ્યાસ (ગદ્ય) ઋતુંભરા વિશ્વજીત(ગદ્ય)કલ્પનાબેન ત્રિવેદી (ગદ્ય)શીલા પટેલ (ગદ્ય)વિભૂતિ દેસાઈ(ગદ્ય)અનિરુદ્ધ વ્યાસ(ગદ્ય)છાયા શાહ(પદ્ય)અંજના ગાંધી(પદ્ય)શ્વેતા તલાટી(પદ્ય) વર્ષા જાની(પદ્ય)માયા દેસાઈ(ગદ્ય)નયના પટેલ (ગદ્ય)જ્યોતીન્દ્ર મહેતા(ગદ્ય)હેમલતા દિવેચા (પદ્ય)મેઘલ ઉપાધ્યાય (ગદ્ય) જયકાંત ઘેલાણી(ગદ્ય)પ્રવિણા કડકિયા(માઇક્રો ફિક્શન) પ્રફુલ્લ પ્રસન્ના(પદ્ય. અછંદાશ)જ્યોતિ આચાર્ય(પદ્ય)જયશ્રી પટેલ(ગદ્ય)ચાંદની નાથબાવા(પદ્ય) રીટા ભાયાણી(ગદ્ય)સપના શાહ(પદ્ય)સંજય તરબદા(ગદ્ય)દિપ્તી પટેલ(પદ્ય)આરતી મરચંટ (ગદ્ય)શ્રદ્ધા ભટ્ટ(ગદ્ય)ઉર્વશી મહેતા(પદ્ય)જ્યોતિ પરમાર(પદ્ય)અંજના ગાંધી(પદ્ય) મહેન્દ્ર પંચાલ(લેખ)પ્રફુલ્લ પ્રસન્ના(ગદ્ય)પ્રદીપ રાવલ(ગદ્ય)લીના વછરાજની(ગદ્ય)અરુણા ત્રિવેદી(ગદ્ય)પ્રદીપ રાવલ(પદ્ય)હર્ષા શાહ(પદ્ય)રાગિણી શુક્લ (લેખ)વૈશાલી મહેતા (પદ્ય)વંદના દયાળ(ગદ્ય) સાથે ૪૦ રચનાઓ પ્રાપ્ત થઈ છે
અત્યાર સુધી ઉપરોક્ત સભ્યો ની ગત રવિવારે આપેલ વિષય મુજબ રચનાઓ મળેલી છે…
[1/3, 10:49 PM] Pradip Raval: વીતેલા વર્ષ ની યાદો,સમય સંજોગ,સંજોગવશાત્ વિષય અંતર્ગત ગ્રુપ ના મેમ્બરો એ ઘણી સત્ય ઘટના,,અવનવા અનુભવ,સ્વ વેદના,વાસ્તવિકતા,કોરોના કહર ..પોતપોતાના ભાવ વિચારો પદ્ય.ગદ્ય.લેખ રૂપી શબ્દો થકી કર્યા છે..ખુબજ સુંદર રચનાઓ છે સૌ લેખક સાથીઓ ને ખૂબ ખૂબ અભિનંદન…નવા જોડાયેલ વંદના દયાળ,પ્રવિણા કડકિયા,વર્ષા જાની, ડો.અનિરુદ્ધ ભાઈ વ્યાસ,જ્યોતિ પરમાર..પણ પોતાની રચનાઓ ગ્રુપ માં સુંદર દેખાવ કરી ગ્રુપ ના પોતીકા બન્યા છે..જયશ્રી પટેલ(દાદી શા પણ મેમ્બરો ની રચનાઓ ને ચેક કરી સ્વચ્છ રીતે લેખકો ના ફોટોગ્રાફ સાથે ભૂલ વિનાના સભ્યો ને ગુલાબ અર્પણ કરી શબ્દ કોષ વિષયક સુંદર માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર .
હવે…સભ્યો ની સુંદર ગત વર્ષ ની યાદો સાથેની કલમ માટેનો નવો વિષય છે ” ૨૦૨૧ નું નવું વર્ષ” “પ્રેમભાવ” “બદલાતી જીવનશૈલી”
તારીખ ૧૦/૧/૨૧ રવિવાર રાત ૧૦ વાગ્યા સુધી પદ્ય.ગદ્ય.ટૂંકી વાર્તા.લેખ ૩૦૦ શબ્દો સુધી લખવાનો સમય આપવામાં આવે છે જેને ફોર્મેટ.ફોટા સાથે,આપના NOG SS No સાથે સ્વચ્છ શબ્દ કોશ પ્રમાણે ગ્રુપ માં મૂકો. આયોજક.પ્રદીપ રાવલ
દા.ત. માબાપ, બેપાંચ, નાનામોટા
*(વચ્ચે નાની લીટી કરીને જુદાં પણ લખાય. જેમ કે : ખાત-મુહૂર્ત, પૂર-નિરીક્ષણ, જન્મ-શતાબ્દી )
સાભાર
[1/3, 10:34 PM] Pradip Raval: 🍎ઘનશ્યામ વ્યાસ (ગદ્ય) ઋતુંભરા વિશ્વજીત(ગદ્ય)કલ્પનાબેન ત્રિવેદી (ગદ્ય)શીલા પટેલ (ગદ્ય)વિભૂતિ દેસાઈ(ગદ્ય)અનિરુદ્ધ વ્યાસ(ગદ્ય)છાયા શાહ(પદ્ય)અંજના ગાંધી(પદ્ય)શ્વેતા તલાટી(પદ્ય) વર્ષા જાની(પદ્ય)માયા દેસાઈ(ગદ્ય)નયના પટેલ (ગદ્ય)જ્યોતીન્દ્ર મહેતા(ગદ્ય)હેમલતા દિવેચા (પદ્ય)મેઘલ ઉપાધ્યાય (ગદ્ય) જયકાંત ઘેલાણી(ગદ્ય)પ્રવિણા કડકિયા(માઇક્રો ફિક્શન) પ્રફુલ્લ પ્રસન્ના(પદ્ય. અછંદાશ)જ્યોતિ આચાર્ય(પદ્ય)જયશ્રી પટેલ(ગદ્ય)ચાંદની નાથબાવા(પદ્ય) રીટા ભાયાણી(ગદ્ય)સપના શાહ(પદ્ય)સંજય તરબદા(ગદ્ય)દિપ્તી પટેલ(પદ્ય)આરતી મરચંટ (ગદ્ય)શ્રદ્ધા ભટ્ટ(ગદ્ય)ઉર્વશી મહેતા(પદ્ય)જ્યોતિ પરમાર(પદ્ય)અંજના ગાંધી(પદ્ય) મહેન્દ્ર પંચાલ(લેખ)પ્રફુલ્લ પ્રસન્ના(ગદ્ય)પ્રદીપ રાવલ(ગદ્ય)લીના વછરાજની(ગદ્ય)અરુણા ત્રિવેદી(ગદ્ય)પ્રદીપ રાવલ(પદ્ય)હર્ષા શાહ(પદ્ય)રાગિણી શુક્લ (લેખ)વૈશાલી મહેતા (પદ્ય)વંદના દયાળ(ગદ્ય) સાથે ૪૦ રચનાઓ પ્રાપ્ત થઈ છે
અત્યાર સુધી ઉપરોક્ત સભ્યો ની ગત રવિવારે આપેલ વિષય મુજબ રચનાઓ મળેલી છે…
[1/3, 10:49 PM] Pradip Raval: વીતેલા વર્ષ ની યાદો,સમય સંજોગ,સંજોગવશાત્ વિષય અંતર્ગત ગ્રુપ ના મેમ્બરો એ ઘણી સત્ય ઘટના,,અવનવા અનુભવ,સ્વ વેદના,વાસ્તવિકતા,કોરોના કહર ..પોતપોતાના ભાવ વિચારો પદ્ય.ગદ્ય.લેખ રૂપી શબ્દો થકી કર્યા છે..ખુબજ સુંદર રચનાઓ છે સૌ લેખક સાથીઓ ને ખૂબ ખૂબ અભિનંદન…નવા જોડાયેલ વંદના દયાળ,પ્રવિણા કડકિયા,વર્ષા જાની, ડો.અનિરુદ્ધ ભાઈ વ્યાસ,જ્યોતિ પરમાર..પણ પોતાની રચનાઓ ગ્રુપ માં સુંદર દેખાવ કરી ગ્રુપ ના પોતીકા બન્યા છે..જયશ્રી પટેલ(દાદી શા પણ મેમ્બરો ની રચનાઓ ને ચેક કરી સ્વચ્છ રીતે લેખકો ના ફોટોગ્રાફ સાથે ભૂલ વિનાના સભ્યો ને ગુલાબ અર્પણ કરી શબ્દ કોષ વિષયક સુંદર માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર .
હવે…સભ્યો ની સુંદર ગત વર્ષ ની યાદો સાથેની કલમ માટેનો નવો વિષય છે ” ૨૦૨૧ નું નવું વર્ષ” “પ્રેમભાવ” “બદલાતી જીવનશૈલી”
તારીખ ૧૦/૧/૨૧ રવિવાર રાત ૧૦ વાગ્યા સુધી પદ્ય.ગદ્ય.ટૂંકી વાર્તા.લેખ ૩૦૦ શબ્દો સુધી લખવાનો સમય આપવામાં આવે છે જેને ફોર્મેટ.ફોટા સાથે,આપના NOG SS No સાથે સ્વચ્છ શબ્દ કોશ પ્રમાણે ગ્રુપ માં મૂકો. આયોજક.પ્રદીપ રાવલ