ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા NOG ગ્રુપ.આયોજક : સંચાલક :પ્રદીપ રાવલ..whats up calling : 9824653073
*ગદ્ય લેખ*NG : 055વિષય : સમયના વહેણવિભાગ : ગદ્યપ્રકાર: લેખ
સમયની ગતિ કરતા પણ વધુ ઝડપથી ગતિ કરતા રહેલાં સમયચક્ર ને કોણ માપી શક્યું છે? સમયની સાથે પ્રત્યેક ક્ષણે બદલાય રહ્યો છે માનવી અને માનવીય મૂલ્યો..મૂલ્યોને મૂલવવાની દોડથી થાકતા, ભાગતા અને લક્ષ્ય હીન ગતિ કરતા આ માનવની દોટ ક્યાં જઈને અટકશે તે તો સમય જ બતાવશે, પરંતુ સમયની સરાણ પર એક પ્રશ્ન ચોક્કસ થાય કે આ કાળા માથાની માનવજાત સમયનું આટલું મહત્વ કરે તેના કરતાં સમયને પામવા પ્રયત્ન કેમ નથી કરતો? સમય બાંધી નથી શકાતો પણ પામી તો શકાય ને? સમયનું વહેણ ભલે બદલી ન શકાય પણ તેમાં તરી તો શકાય ને?
આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ આપ્યો અને દુનિયા જાણે ન્યાલ થઈ ગઈ, તેને સમયનું પરિમાણ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ સનાતન સત્ય એ છે કે ” સમય બડા બલવાન નહી મનુજ બલવાન કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ, વહી બાણ.”
શ્રદ્ધા ભટ્ટવાપી….29/11/2020
*****************************************
NOG NO: 004વિભાગ: ગદ્ય(લેખ)શબ્દ: સમયના વહેણશીર્ષક: સમયની ઓળખ
સમય સમયનું કામ કરે છે. ઈતિહાસ તો જ રચાય છે. જીવનમાં સમયનું મહત્વ જો સમજાય જાય તો કાર્યોનું કામ સરળ રીતે પાર પડેને ક્યારેય *પસ્તાવાનો* વારો જ ન આવે. સાબરમતીને કિનારે આશ્રમ બાંધી બાપુએ આઝાદીને નવી રાહ આપી. સુભાષચંદ્ર બોઝે ખૂનમાંગ્યું ને બદલામાં આઝાદી મળવાની વાત કરી. સરદારે રાજ્યોને એકઠા કરી સંગઠિત ભારતની ઈચ્છા કરી. એવી આઝાદી પછીનાં આપણે આઝાદ માનવોએ સમય સાથે ચાલવાનું સ્વીકારી આધુનિક ભારતની રચના કરી. આજે છતાં આપણે ખમીર વેંચીને બેઠા છીએ.એવું લાગી રહી છું. ભારત મારું સ્વપ્ન છે. તેથી કે ગમે તે હોય પણ પરદેશ રહેતા ભારતીય લોકો જ્યારે કહે છે કે અમે અમારા ભારતને નથી ભૂલી શકતા ત્યારે મને વિશ્વ જીતવા નીકળેલા નેપોલિયનની યાદ આવી જાય છે! ભારતમાં શું નથી હિમાલયથી લઈ કન્યાકુમારી સુધીની સંસ્કૃતિ આપણને સમય સાથે ને સમયના વહેણમાં જ ખેંચી જાય છે. આધુનિક આઈ.ટી ઉદ્યોગનાં ઉચ્ચ સ્તરે આજે ભારતનું નામ રખાય છે.ભારતે સમયનાં વહેણને ઓળખ્યું છે, પણ ભારતના લોકો રામનાં સમયનાં ધોબી જેવા છે, કારણ પોતાના દેશની કોઈપણ પ્રગતિને કે વિકાસને ખરેખર જ શંકા અને અવિશ્વાસના ધોરણે તોલે છે. મંદિરોમાં ભગવાન શોધે છે અને તેને શણગારે છે.ચારે દિશામાં કરોડોના ભગવાન છે, પણ ભારતના વિકાસમાટે કરોડો નહિ ટેક્સ રૂપી કોડી પણ ખર્ચતા નથી. ૧૦૦રૂપિયાનો ટેક્સ વધી જાય તો મોર્યા કાઢે છે.પણ અંધ શ્રદ્ધાનાં પૂજાપાઠમાં પાંચસો રૂપિયા ખર્ચી મનોબળ વધું નબળું કરે છે. સમયના વહેણને સ્વીકારો, આંખ ખોલો. ભારત જ જન્મભૂમિ છે.કર્મ ભૂમિ બનાવો.રોજ એક રૂપિયો દેશને નામ જમા કરો જેટલી વસ્તી છે ભારતની એટલા કરોડ જમા થશે ને જરૂર વિકાસ થશે.*સમયની ઓળખ * સાથે ભારતની ઓળખ પણ કરો, કરાવો.
જયશ્રી પટેલ…..૨૯/૧૧/૨૦૨૦
*********†********************************
NOG No:009 વિભાગ :ગદ્ય (લેખ)શબ્દ: સમયના વહેણશીર્ષક:સમયનું વહેણ:
અચાનક વરસો પછી આજે ગામડે જવાનું થયું. જેમ જેમ ગામનું પાદર નજીક આવતું ગયું એમ એમ મારી ગાડીની ગતિ ધીમી પડતી ગઈ.યાદોનાં ટોળેટોળાં જાણે સામા પવને આવીને મને અથડાવા લાગ્યાં. પાદર પહોંચીને ગાડી થંભી ગઈ.ગામના પ્રવેશદ્વારે જ આવેલી મારી નિશાળે પણ નવો અવતાર ધારણ કરી લીધો હતો. જૂના બિલ્ડીંગની જગ્યાએ એક નવો જ ઢાંચો,સુંદર હોવા છતાં મનને ખટકવા લાગ્યો.નિશાળના દરવાજે પહોંચતા સુધીમાં તો એ લીમડા,ખીજડા અને જાળાની આજુબાજુ દોડતો ગઈકાલનો કનિયો જ આંખોની સામે હતો.આ કનિયો એટલે જ હું,આજનો ડૉ.કિશોર ઠક્કર. હિંમત કરીને સ્કૂલમાં ગયો,નવા વર્ગખંડ, નવી પાટલીઓ અને નવા શિક્ષકો.. બધું અડવું અડવું લાગતું હતું. ફરતો ફરતો છેવટે હું છેલ્લે આવેલા ભંગારરૂમમાં પહોંચ્યો.મને જોઈને ત્યાં જીર્ણ અવસ્થામાં રહેલી પાટલીઓમાંથી એક પાટલીએ સહેજ ડોકું બહાર કાઢ્યું, “અરે આ તો મારી જ પાટલી….” હું જઈને એને ભેટી પડ્યો. હજુ પણ ત્યાં એ પાટલી પર મારું નામ એમ જ કોતરાયેલું હતું, અકબંધ…. ‘પાટલીની એ ઈન્તજાર કથા જોઈને મારી આંખમાંથી પણ બે આંસુ સરી પડ્યાં, નિશાળની બહાર આવીને તરત જ મારી નજર એ તળાવની પાળના વડલા પર ગઈ…. મારો વડલો ક્યાં? મેં તળાવ બાજુ દોટ મૂકી,એ પાળ પર વડલાની જગ્યાએ એક મોટો ખાડો,ફરી મારી આંખમાંથી બે આંસુ સરી પડ્યાં.મેં બાજુમાંથી મુઠ્ઠીભર માટી લઈને એ ખાડામાં પધરાવી. અને મારા મનમાં તત્કાળ બે પંક્તિઓ આકાર પામી, ‘હવે એ તળાવની પાળ પરનો વડલો નથી રહ્યો, ક્યાં ફંફોસું કિશોર હવે હું મારું એ બાળપણ’
આખરે ગામને પાદર આવેલા અને પડું પડું થઈ રહેલા એ વરસો જૂના ચબૂતરાના ઓટે જઈને હળવેથી બેઠો. ત્યાં તો મારા જ વાસનો એક સાત આઠ વરસનો છોકરો ત્યાંથી નીકળ્યો, મને જોઈને બોલ્યો,તમે જ ‘કનુ’કાકાને… અને એ ‘કનુકાકા આવ્યા,કનુકાકા આવ્યા’ એમ બોલતો બોલતો મારા ઘર તરફ ભાગ્યો. મારી નજર એ ભાગતા છોકરાએ પહેરેલી વાદળી ચડ્ડીને દૂર જતાં જોઈ જ રહી…. જોઈ જ રહી.
ડૉ.કિશોર ઠક્કર ગાંધીધામ.કચ્છ.’કિશન વઢિયારી
‘***********†*#***************†**********
NG no.-0050વિષય – સમયના વહેણ……… ………………સમય ને સાદી ભાષામાં કહીએ વખત, કાળ ,અવસર, સંજોગ,સંકેત. સમય માં સેંકેન્ડ, કલાક, મિનીટ ,વષૅ, મહિનો , જગ્યા પરનું અંતર કયારેક સમયના વહેણ સાથે બદલાઈ જાય છે.
રામાયણમાં કહયું છે ,”કાળ અનંત બ્રહ્માંડોને ગળી જનારેા છે.”
સેંકડે કલ્પ વિતતા અસ્ત ને ઉદય નથી થતા , સ્વગૅ ને નરકના ચક્રવ્યુહનાં ફેરા ફરે છે વહેણ બદલાય સમય સાથે. હવે તો સમયને પણ કેદ કર્યો છે મોંઘાદાટ મોબાઈલના સક્રીન પર મોંઘા ઘડીયાળ ખરીદી લઈએ રૂપિયા ખર્ચતા પણ સમયને લાવી નથી શકતા પાછેા. સમય ને ઓળખો,પારખો વહેણ બદલાતા કુદરતની પડશે થપાટ મુખ પર. સમયને સાંધશું તો સમય આપણને સાચવશે. કઈ દિશામાં છે વહેણ તેનેા રંગ રૂપ આપણી મનોદશા પર આધાર રાખે છે.
બાળપણ થી જુવાની ને પછી ઘડપણ કેવો સમય કયારે વહેણ બદલી હરણફાળ ભરશે જિંદગીને ખબર નહીં પડે.સમય નથી જોતો નિર્ધન કે તવંગરને, રાજા કે રંકને, માણવા જેવો કે જીવવા જેવો આપણી પર આધાર રાખે છે.
ઘડિયાળ તો માનવે બનાવી છે પણ સમય તો કુદરતે આપેલી અણમોલ ભેટ છે.નથી કાનો કે માત્ર સમય ને પણ તાકાત ઘણી છે.એક પલકમાં કરોડપતિ ને રોડપતિ બનાવી દે…!
દરેક રોગની દવા છે ,ઈલાજ છે ઘા ભરવા તો મલમ છે. સમયને સાધનાર ઈશ છે એટલે કહીએ છીએ “સમય મારો સાધ જે વહાલા ,કરું હું તો કાલાવાલા.” કોઈની રાહ નથી જોતો સમય. અષ્ટવક્ર ગીતામાં કહયું છે,”જન્મ -મૃત્યુ,સફળતા – અસફળતા, સંપતિ- વિપતિ, ગરીબી- અમીરી બધું સમય સાથે બદલાય છે. નસીબમાં સમયથી પહેલા કયારેય કશું મળતું નથી. યાચક યુધિષ્ઠિર પાસે કંઈક માંગે છે.ત્યારે કાલે બોલાવે છે .ભીમે કહ્યું ,”મહારાજે કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે. કાલે જીવતા હશું કોને ખબર છે માટે જે કરવું હોય તે આજે જ કરજો.”
શ્રી કૃષ્ણ કહે છે ,”સમય છે તે હું છું. દુ:ખ ને સુખ મારા વહેતા પ્રવાહ છે.”
ભાગ્યની રેખા પાસે કોઈનું કાંઈ ચાલે નહિ ,કરેલા કમૅ પ્રમાણે મળે ફળ મળે.માનવ કઠપુતળી બની જીવનના રંગમંચ પર ઈશનો મહોરો બનીને નાચે છે.સમય પુરો થતા પૃથ્વી પરથી ચાલતો થાય છે,જિંદગીનાં શ્વાસો પૂર્ણ થતા ના એક વધારે કે એક ઓછો શ્વાસ લઈ શકે છે.માયા સંકેલી લેવી પડે છે.સ્વનો અહંમ જ સ્વ ને પછાડે છે. તણાવા કરતા વહેવું વહેણમાં વધુ સારું છે.સમય મહાન છે માટે તો “સમયના વહેણને ઓળખી ,પહેલા જાગી જવું જોઈએ…!”
રાગીની શુકલ”રાગ”(મુંબઈ ,કાંદિવલી)