અરે ઓ માનવ ના થાતો તું ઉદાસ
રાખજે કુદરત પર હરપલ વિશ્વાસ
આ વિશ્વભર ની મહામારી દૂર થાશે
રોગ મુક્ત થાતાં સુખ શાન્તિ સ્થપાશે
છે લોકડાઉન તો પરિવાર ને સમજી લે
ઘર આંગણની મીઠી છાંવ માણી લે
હોય જરીક નાસ્તિકતા દિલ મહીં તારા
પ્યારો બની પ્રભુનો ગુણ કર ગાવાના
દિલમાં હોંસલા ની જ્યોત જગાવી લે
દેર છે ભગવાન ને અંધેર નથી માની લે
ફરી સજાશે પુષ્પમાળા ભક્તના હાથમાં
લાગશે લંબી કતાર મંદિર ગુરુદ્વાર માં
થાશે શરુ દિપમાલા આરતી શંખ ધ્વનિ
હશે ચહલપહલ માનવ પશુ પંખી તણી
ઉધ્યોગ વેપાર ધમ ધમશે અવનિ મહીં
કરે 🙏 પ્રાર્થના “મન” કુદરત ને દિલથી
🍁🙏”મન”કેનેડા 🇨🇦 ૦૨-૦૫-૨૦૨૦
શબ્દવાણી તણુ ઝરણુ
મુખ ગંગા થકી વહેતુ રહે
હોય શુધ્ધ પવિત્ર એ ખરે
છે કવિતા હ્રદય ઉદ્ ગાર રે
ન લગાવો કરફ્યુ તેના પરે
પ્રસરવા દો ધારા પ્રેમની
ના રોકો લાગણી લોકડાઉથી
ભરાઇ ગયાં છે હૈયાં સહુનાં
કવિતા રુપે હળવા થાવાના
સ્વ ગૃહે થયા છે સહુ નજરકેદ
છીએ ઘણા સ્નેેહિ સગાથી દૂર
બંધન કોરોનાનું બન્યા મજબૂર
વોટ્સએપ દ્વારા લખીહાય શ્રીરામ
મજા માણીયે કરી સૌના મુખ દર્શન
“મન”મારુ સહુને મળવા ચાહે
રુબરુ મળતાં દિલ હર્ષિત થાયે
🍁કેનેડા 🇨🇦૨૫-૦૪-૨૦૨૦🌹
†
👄જીભની માયા 👄
જીભ છે નરમ મૃદુ રસાસ્વાદની જાણકાર
રહેતી મુખમહીં શાણપણ સમજી
જેના બત્રિસ દાંત છે ચોકીદાર
સ્વાદ પારખું તો કુશળ જણાય
કડવું તીખું તેને તુર્ત જ સમજાય
સુપાચ્ય હો તો સદા કરે સ્વીકાર
ઉદરકૂંડમાં તેના થકી જ હોમાય
સુયોગ્ય ખાધ્ય ને ગ્રહણ કરતી
અયોગ્ય હોય તો મુખથી ફેંકતી
ખાણી પીણીમાં રાખે સંયમ શિસ્ત
શરીરને રાખવા શુધ્ધ ને તંદુરસ્ત
થાતી કડવી વાણી ને ગાળ ઉચ્ચારે
તોડાવે દાંત શરીરનાં હાડ જ ભગાવે
મધુર વાણીથી સ્નેહીમાં સ્નેહ વધારે
કટૂ વચનના ઉદગારે કડવાશ પ્રસારે
જેથી સદા જીભ પર જો સંયમ રખાય
તન મન દુરસ્ત રહે જીવન સુખી થાય
👄મન👄કેનેડા ૦૫-૦૪-૨૦૨૦ 🍁
🎅🏻 તન થાક્યુ મન માં ઉમંગ 🎅🏻
આવી ઉભો જિંદગીના પંચોતેરમા વર્ષેે
મનોકામના ખરી સો સાલ હર્ષથી વિતે
તન કંઇક થાક્યું છે મન માં ઉમંગ વહે
ભલે શરીર ના સાથ દે જોમ સબળ છે
થઇ સર્જરી બાયપાસ ઘૂંટણ આંખની
આત્મા રહ્યો નિરોગી છેકૃપા કુદરતની
વિતાવી જિંદગી મુશ્કેલમાં ખુમારીથી
ભલે થયા રિટાયર્ડ હજુ ટાયર્ડ નથી
મળે છે પરિવાર નો પ્યાર ને સન્માન
હૂંફ જિવનસાથી ની છે સાચેજ મહાન
મારા સ્નેહિ મિત્રોને શિખ અર્પણ કરું
“મન” મજબૂત રાખશો તો રહેશે રુડુ
🙏”મન”🍁🇨🇦 ૧૩-૦૭-૨૦૨૦🇮🇳
††****
“નાટક”યાને નથી ટકવાનું જે થયુ વિશ્વમાં
કોરોના વાયરસ પણ ચાલ્યો જશે
ટૂંકમાં
બચપણ વિતાવ્યુ ભોળપણ મહીં
આવી જુવાની સ્હેજમાં
દુખના દિવસો વિતાવ્યા સહુએ
સુખ પામ્યા સહજમાં
આવતાં ઘડપણ શરીર શિથીલ થયું
અંગનાં કાર્ય નિસ્તેજ બન્યાં
હતા જે ભેરુ સગા સ્નેહી જીવનમાં
છુટ્યા રુઠ્યા કોઇ સાથ છોડી ગયા
જેમ ખિલ્યું લીલુ તરુવર વસંતમાં
ખરતાં પર્ણ સુકાયું પાનખર માં
દાદા પર દાદા એ જગ્યા કીધી
પુત્ર પરિવાર કેરી વ્યવસ્થામાં
હતું એકચક્રી શાસન કોંગ્રેસ નું
સત્તા ચલાવી એન્ટોનિયાએ ભારતમાં
ચ્હા ની કિટલી ફેરવતો એક જુવાન
નરેન્દ્ર વડાપ્રધાન વર્ચસ્વ છે વિશ્વમાં
છે નિયમ કુદરત તણો ખિલ્યુ તે કરમાય
ના ટકે જે સદાય તેને “નાટક” કહેવાય
🍁”મન”🇨🇦 કેનેડા ૦૧-૦૫-૨૦૨૦🇵🇾
**††*
👉ચોખવટ🚨
સેવાકીય કાર્યકર પોપટભાઈ ફોઉન્ડેશન દ્વારા ઘણા સારા કાર્ય કરવામા આવે છે, તેમાંથી જે એક નદી કાંઠે ઝૂંપડું બાંધી ને રહેતા વૃદ્ધ માજી નો વિડિઓ સોશ્યિલ મીડિયા મારફતે ફરતો થયો છે, તેનાથી માજીને સહાય મળી રહેશે જે ખૂબ સારું કાર્ય છે કે આવા નિઃસહાય વૃદ્ધ માજી ને ટેકો કર્યો..🙏🏽
🚨 પરંતું………
જયારે વાત એમના દીકરા ઓ કે દીકરીઓ ની આવે તો તે વિડિઓ માં તદ્દન ખોટુ છે કે એમના પરિવાર એમની મદદ નથી કરતા..; પરિવારે ઘણી આજીજી કરી પણ માજી એક ના બે નથી થતા.; એમના દીકરા તરફ થી પણ ખુબ આગ્રહ છે પરંતુ માજી ના સ્વભાવ ના કારણે આવી પરિસ્થિતી ઉભી થઇ છે.
આ વાત ભાવનગર માં રહેતા વ્યક્તિ તથા એમનુ આખું ગરાળ ગામ જાણે છે કે માજી ના સ્વભાવ ના લીધે આ પરિસ્થિતિ ઉભી થઇ છે. તથા માજી દ્વારા એમના પરિવાર ને ખૂબ હેરાન કર્યા છે તથા વૃધ્ધાઅવસ્થા ને લીધે માનસિક હાલતે વારંવાર ગાળો આપે છે, માજી ને બહું બધી વાર ઘરે પણ લાવેલા છે પરંતુ માજી નથી રહેતા એમના માટે અલગ રૂમ પણ આપે છે છતા માજી પરિવાર સાથે જગડો કર્યા કરે છે.
બીજી ઘણી બાબત છે જે અહીં વર્ણવી ના શકાય એવી હદે હેરાન કરવામાં આવ્યા છે.; છતાં દીકરા તથા વહુ ના સારા સ્વભાવ ના કારણે માજી ને સપોર્ટ કરતા રહ્યા છે.
માજી એ જમીન વહેંચી દીધી પણ 1 રૂપિયો દીકરા ને નથી આપ્યો અને દીકરા ઓએ એમની આશા નથી રાખી. દીકરાઓ ને વારંવાર સેવા કર્યા નો અબજસ મળ્યો છે છતાં પણ માજી ને ઘરે સાથે રાખવા પ્રયત્ન કરતા રહ્યા છે.
👉માજી નો પરિવાર પણ પોપટભાઈ સાથે સંપર્ક કર્યો એટલે એમણે પણ સ્વીકાર્યું છે કે માજી ના સ્વભાવ ના લીધે આ પરિસ્થિતિ નું નિર્માણ પામ્યું છે. અને વિડિઓ પણ સોશ્યિલ મીડિયા ઉપર થી દૂર કરવામાં આવ્યો છે.
આપ બધા ની જેમ હું પણ આ બધું વિચારતો રહી ગયો પણ જયારે બધું હકીકત જાણી ત્યારે ખબર પડી કે વાસ્તવિકતા કાઈક અલગજ છે…
👉🙏આપ સૌ ની લાગણી 100% સાચી પણ હકીકત કૈક અલગ જ છે. તો આપ સૌ ને વિનંતી કે વિડિઓ આગળ ના મોકલો. આ લખાણ પાછળ મારુ એજ કહેવાનું છે કે જે દેખાઈ એ સાચું નથી હોતું એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
તથા પરિવાર એકદમ નિર્દોષ છે.✅🙏
લી……..
જયપાલસિંહ રાઠોડ -ગરાળ
9638196196
જયપાલસિંહ ઝાલા- ભાવનગર
9898985033
ઉપરોક્ત મેસેજ સેવાકીય કાર્ય ને સ્વીકારી અને પોતાના કિંમતી સમય નો ભોગ આપી સફળ બનાવવા ભાવનગર ક્ષત્રિય સમાજ, ભાવનગર જીલ્લા કરણી સેના, યુવા ક્ષત્રિય ગ્રૂપ વરતેજ નો ખુબ ખુબ આભાર… 🙏🏻
*******†**********†************