ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ ગદ્ય.પદ્ય વિજેતાઓ અને તેમની રચનાઓ નીચે મુજબ છે…….
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
*NG/0015*
*મેહુલ ત્રિવેદી*
*શીર્ષક-ગાંધી સત્ય તણો અવતાર*
🌹🌹🌹🌹🌹
*ગદ્ય વિભાગ*
*1)NG/0011*
*મનોજ પંચાલ*
*શીર્ષક–છત્રપતિ શિવાજી*
*2)NG/ 0043*
*મૈત્રી ઉપાધ્યાય*
*શીર્ષક -નરસિમ્હા રેડ્ડી*
*3)NG/0039*
*પ્રસન્ના પ્રફુલ્લા*
*શીર્ષક -નેતાજી સુભાષચંદ્ર બોઝ*
*4)NG/0033*
*કૃણાલ ટેલર*
*શીર્ષક-શહીદ ભગતસિંહ*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏*†***************************************NO.0015ઐતિહાસિક પાત્ર પરથી રચનાવિભાગ: પદ્ય ( ગીત)શીર્ષક: ગાંધી સત્ય તણો અવતાર
જનમ્યો પોરબંદર કેરા ધામ, ગાંધી સત્ય તણો અવતાર.એને કર્યો તો દેશ આઝાદ, ગાંધી સત્ય તણો અવતાર.
હાથમાં લીધુ અહિંસાનુ હથિયાર,ડોલી ઉઠી ગોરાની સરકાર,અન્યાય સામે એ લડનાર, ગાંધી સત્ય તણો અવતાર.
આઝાદી માટે ખૂબ લડ્યો,લઇ ને સ્વરાજ પાછો ફર્યો,કર્યો ભારતનો જયજયકાર, ગાંધી સત્ય તણો અવતાર.
રાષ્ટ્રના પિતા થઇ પૂજાણો,બાપુ નામે એ ઓળખાણો,સત્યને ઇશ્વર એ કહેનાર, ગાંધી સત્ય તણો અવતાર.
મેહુલ ત્રિવેદી.ખેરાળી
**†***************************************
N G no. 39*
*ટાસ્ક –કોઈ પણ ઐતિહાસિક પાત્ર વિશે લખો* *પાત્ર — નેતાજી સુભાષચંદ્ર બોઝ**શબ્દો – ૩૦૦*
સુભાષચંદ્ર બોઝ
ત્રેવીસ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ કટક શહેરમાં પિતા જાનકીનાથ બોઝ અને માતા પ્રભાદેવીના ઘેર એમનો જન્મ થયો હતો.ચૌદ સંતાનમાંથી એ નવમાં નંબરે હતા. ભારતીય સ્વાતંત્રસેનાના તેઓ અગ્રણી નેતા હતાં.તેઓ એક સારા રાજકારણી, ક્રાંતિકારી અને લેખક હતાં. ગાંધીજીએ એમને *નેતાઓના નેતા* નું બિરુદ આપ્યું હતું એટલે તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ કહેવાયા. તેઓ કુલ આશરે બાર મહિના કારાવાસમાં રહ્યાં. તેમના સાથી ગોપીનાથને ૧૯૨૫માં અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી એમનો અગ્નિસંસ્કાર સુભાષચંદ્રએ કર્યો એટલે એમને અનિશ્ચિત સમય માટે મ્યાનમારની જેલમાં પૂર્યા.જ્યાં એમને ટી.બી.થયો એટલે છોડવા પડ્યાં.ડેલહાઉસી ઈલાજ કરાવ્યા પછી ૧૯૩૦માં કલકત્તાના મેયર બન્યાં.૧૯૩૨માં ફરી કારાવાસ આપ્યો પણ અલમોડા જેલમાં તબિયત બગડી એટલે યુરોપ ઈલાજ માટે મોકલ્યાં. મૃત્યુશૈયા પર રહેલા પિતાને મળવા કલકત્તા પાછા આવ્યા ત્યારે એમના પિતા મૃત્યુ પામ્યાં હતાં.ફરી એમની ધરપકડ કરવામાં આવી અને યુરોપ મોકલ્યા.સુભાષબાબુએ યુરોપમાં બીમાર વિઠઠલ ભાઈ પટેલની ખૂબ સેવા કરી એટલે એમણે પોતાના વસિયતમાં બધી મિલકત સુભાષચંદ્રને આપી પણ સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટ દ્વારા એ પાછી મેળવી અને ગાંધીજીના હરિજન ફંડમાં આપી.ત્રીજી મેં ૧૯૩૯ના દિવસે કોંગ્રેસ અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામની પોતાની પાર્ટીની રચના કરી એટલે ફરી એમની ધરપકડ થઈ.ત્યાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા. એટલે એમને કારવાસમાંથી છોડીને નજરકેદ રાખ્યાં. સોળ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ એ નજરકેદમાંથી ભાગીને પેશાવરથી કાબુલ તરફ પગપાળા ગયાં. ત્યાં ઉત્તમચંદ વેપારીને ત્યાં રહ્યાં ત્યાંથી રેલવે દ્વારા મોસ્કો જઈ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા.ઓગણત્રીસ માર્ચ ૧૯૪૨ના રોજ હિટલરને મળ્યાં. હિટલરે ભારત વિરુદ્ધ લખવા માટે માફી માંગી.આઠ માર્ચ ૧૯૪૩ના રોજ પૂર્વ એશિયાના પાબાંદ બંદર પહોંચ્યા.એકવીસ ઓક્ટોબર ૧૯૩૦ના રોજ જાપાનની સહાયથી અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે *આઝાદ હિન્દ ફોજની રચના કરી.* બીજા વિશ્વયુદ્ધ વખતે *ચલો દિલ્હી* નો નારો લગાવ્યો અને આંદામાન નિકોબારને અંગ્રેજો પાસેથી જીતી લીધાં. છ જુલાઈ ૧૯૪૪ના રોજ રેડિયો માધ્યમ દ્વારા ગાંધીજીને *રાષ્ટ્રપિતા* નું બિરુદ આપીને આશીર્વાદ માંગ્યા.અઢાર ઓગષ્ટ ૧૯૪૫ના રોજ હવાઈ જહાજથી માંચુરિયા તરફ જતાં રસ્તામાં લાપતા થઈ ગયાં.ત્રેવીસ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ જાપાનની સંસ્થાએ એમને હવાઈ જહાજ દુર્ઘટનામાં મૃત જાહેર કર્યા.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ**************************************** ન્યૂઝ ઓફ ગાંધીનગરNG NO:0043વિભાગ: ગદ્ય (લેખ)શીર્ષક: ભારતના ઐતિહાસિક પાત્રો
*”ભારત ઈતિહાસનો ખજાનો* *ઇતિહાસ વીર સપૂતોનો ખજાનો”.* ભારતનો ઇતિહાસ વિવિધતાથી ભરેલો છે.ઐતિહાસિક પાત્રોમાં કેટકેટલાય પાત્રો છે જેને આપણે ઓળખીએ છીએ. અમુક પાત્રો એવા પણ છે જેનો ઉલ્લેખ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયો છે.
આજે વાત કરીએ એવા જ એક પાત્રની જેનું નામ છે ” *”નરસિમ્હા રેડ્ડી”.* નરસિમ્હા રેડ્ડી એટલે મહાત્મા ગાંધી,મંગલ પાંડે આ પાત્રો પહેલાંનુ પાત્ર. ઉયલવાડા નરસિમ્હા રેડ્ડીનો જન્મ ૨૪ નવેમ્બર,૧૮૦૬ના રોજ રૂપાનાગુડી ગામમાં કુર્નૂલ જિલ્લામાં થયો હતો. તેમના પિતા પાલેગાડુ માલા રેડ્ડી અને માતા સીતમ્મા હતાં.નરસિમ્હા રેડ્ડી ખૂબ જ શક્તિશાળી અને બહાદુર વ્યક્તિ હતા. આ પાત્ર એટલે *”અંગ્રેજો માટે મોતના દરવાજા સમાન પાત્ર”.* અંગ્રેજોએ કુર્નૂલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપી અને નિર્દોષ પ્રજા ઉપર ખૂબ જ ભયંકર અત્યાચારો કર્યા હતા.નરસિમ્હા રેડ્ડીએ આ અંગ્રેજો વિરુદ્ધ લડત શરૂ કરી હતી. તેમણે દરેક ખેડૂતો,મજૂરોને એમનું વેતન અપાવ્યું હતું.સાથે પોતે એટલા જ દાનવીર.અંગ્રેજોના અત્યાચારને કારણે અમુક ગામમાં અનાજનો દાણો પણ વધ્યો ન હતો.ત્યારે નરસિમ્હા રેડ્ડીએ પોતાના રાજકોષમાં રહેલું બધું જ અનાજ પ્રજાને દાન આપ્યું હતું.
અંગ્રેજો તો નરસિમ્હા રેડ્ડીના નામ માત્રથી ધ્રૂજી ઉઠતા હતા. અંગ્રેજોની કપટ નરસિમ્હા રેડ્ડી પાસે જરા પણ ન ચાલી શકી. પરસ્ત્રી પર નજર બગાડનાર અંગ્રેજોનું તો શીશ કાપીને અંગ્રેજોના ગવર્નરને ભેટ મોકલાવતા હતા. અંગ્રેજોએ ખોટી રીતે જપ્ત કરેલું બધું જ ધન પાછું અપાવનાર જો કોઈ હોય તો તે હતા નરસિમ્હા રેડ્ડી.
ઈ.સ. ૧૮૪૬ માં નરસિમ્હા રેડ્ડીએ અંગ્રેજો વિરુદ્ધ ચળવળ શરૂ કરી હતી. જે એક વર્ષ સુધી ચાલી હતી. પોતાની બહાદુરીથી છેલ્લા શ્વાસ સુધી નીડરતાથી લડનાર આ નરસિમ્હા રેડ્ડીએ ભારતને એક અભૂતપૂર્વ ઐતિહાસિક આપ્યો. છેલ્લે પોતાના જ સાથીદારોની દગાખોરીથી તેમને અંગ્રેજોએ પકડી લીધા અને ફાંસી આપી.
અંગ્રેજોએ તેમને ફાંસી આપી તેમનું મસ્તક ધડથી અલગ કરી દીધું.તેમ છતાં આ શૂરવીરે અંત સુધી લડીને અંગ્રેજોને મોતને ઘાટ ઉતારી દીધા.
૨૨ ફેબ્રુઆરી,૧૮૪૭ ના દિવસે આ મહાન વીર પોતાની રાષ્ટ્ર ભૂમિમાં સમર્પિત થઈ ગયા.
આવા શૂરવીરને કોણ ભૂલી શકે? જેની પ્રેરણા લઈને ઝાંસીની રાણીલક્ષ્મીબાઈ અને બીજા કેટલાક યોદ્ધાઓએ ભારત માટે પોતાનું બલિદાન આપ્યું.
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ****************************************
ન્યુઝ ઑફ ગાંધીનગરNG 0033વિષય : ઐતિહાસિક પાત્રપાત્ર : શહીદ ભગતસિંહ
ભગતસિંહનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા. ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એ પછી એમનામાં કાંતિકારી બનવાનો ઉદય થયો. ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા. ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા.
૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા. અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. સાંડર્સના આવતાં જ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી. એ પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા.એ પહેલા એમણે ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.જય હિન્દ
ટેલર કૃણાલ શાંતિલાલ#ktસુરત
***************************************** *
ન્યુઝ ઑફ ગાંધીનગર**NG: 0011**પ્રકાર: ગદ્ય**વિષય: ભારતનાં ઐતિહાસિક પાત્રો**શીર્ષક: છત્રપતિ શિવાજી* છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક અને વીર પુરુષ ગણાય છે. શિવાજીનાં જન્મ સમય માટે ઘણાં વાદવિવાદ છે. ૧૯ ફેબ્રુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખેલ હોવાથી તેમના પુત્રનું નામ ‘શિવા’ રાખ્યું હતુ. શિવાજીનાં જન્મ સમયે ઘણાં મરાઠા સુબેદાર સલ્તનતનાં તાબામાં કામ કરતાં હતાં. આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશનાં હતા . લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીનાં લગ્ન થયાં હતાં. પિતા શહાજી અને માતા જીજાબાઇએ મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતાં. શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યું હતુ કે ,” શહાજીનાં પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજનાં ચંદ્રની માફક વધશે.” આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીનાં મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું શરૂ કર્યુ. ઇનાયતખાન આદિલ શાહનો સુબેદાર હતો. શિવાજીએ રાયેશ્વર મંદિર પર તોરના કિલ્લામાં રહેલાં તોરનાદેવીને મુક્ત કરવાની પ્રતીજ્ઞા લીધી. શિવાજીએ બહુરુપી જોડે જઇને ઇનાયતખાનને મારીને તોરના કિલ્લામાં તોરનાદેવીના મંદિરમાં નવરાત્રિ મનાવી લોકોને ઇનાયત ખાનનાં અત્યાચારમાંથી મુક્ત કર્યા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. શિવાજીની શાઈસ્ત ખાનની લડાઇમાં કોંકણનો કિલ્લો જીત્યો હતો, પણ શિવાજીના સેનાપતિ અને મિત્ર તાનાજીનું મુત્યુ થયું હતું. એમનાં મુત્યુનાં સમાચાર સાંભળતા શિવાજીએ કહયું હતું કે, “ગઢ આલા પણ સિંહ ગેલા” (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. જૂન ૬ ,૧૬૭૪ ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો. ૪ એપ્રિલ, ૧૬૮૦ નાં રોજ શિવાજીનું દેહાંત થયું.✍️ ‘મન’ ©મનોજકુમાર પંચાલ,,પાલનપુર*****************************************
એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી,* સંચાલક – જીજ્ઞા કપુરિયા,
સહ સંચાલક : મનીષ વોરા
Email : prdpraval42@gmail.com
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ