ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ નિર્ણાયક શ્રી ની રચનાઓ..
*વિશ્વ*
જીવનમાં દરેક ચીજ એમ આસાનીથી મળી જતી હોત તો દૂર દૂર વિચારવિનિમય થાત જ નહિ.જોને મને મળવું હતું એક પલ પેલા *વિશ્વને* પણ ન મળી શકી. વરસોના વહાણા વિતી ગયાને પડતી ચડતી આવતી રહી જીવન નાનું થતું ગયું . દર વરસગાંઠ પસાર થાયને એક વરસ મોટી થઈ માની ખુશ થતી પણ જાણે અજાણે એક વરસ ગુમાવતી રહી છુ એ ભાવનાને દબાવતી રહી.સહુ ની સાથે જીવતી રહી ને *વિશ્વને* મળવાની ઈચ્છા ભૂલવા મથામણ કરતી રહી! એક દિવસ ચાર અક્ષર લખ્યા તો થયું અરે શું આજ હતો *વિશ્વને* મળ્યાનો પહેલો દિવસ અને..રાહ જોતી રહી કે વિશ્વને પહોંચી હશે આ ચાર અક્ષરની ભાવના..પણ સમય વિત્યોને કોઈ વાવડ ન મળ્યા.સમજી ગઈ આ *વિશ્વની* ગહનતાને..!મને ન ઓળખવાના એના એ અંદાજને..!ફરી સ્વીકરી લીધું જીવન માં માંગ્યું અને ધાર્યું ન થાય..થાય તો ઉપરવાળાનું જ ધાર્યું ..!સમય વિત્યોને મે ઓળખવા માંડ્યું કાગળ ને કલમ ને .બધે જાઉ ને જોઉં કુદરતની કરામત…! ટપકાઉ ફરી ચાર અક્ષરને વિશ્વને મળ્યાની ખેવના પૂર્ણ થાય.સાચેજ વિશ્વ ને મળવાની ઈચ્છા સામે મે … નભ,ધરતી,સૂરજ,ચાંદ ,તારાઓ, નદી, સરોવરને , પહાડ,ઝરણાં,ખેતરની લહરાતી ફસલ,ને પ્રકૃતિના ગીતો,મૌસમ ને મારો આત્માની ભાળ મેળવીને કલમ થી *વિશ્વની* નજદીક સરકતી ગઈને *વિશ્વની* વિશાળ બાહો માં સમાય ગઈ..!
*જયશ્રી.પટેલ**૧૨/૮/૧૮
******†************************************
અહિંસા*
અહિંસા, માત્ર ત્રણ અક્ષરનો શબ્દ.પરંતુ અર્થ વિશાળ.અહિંસા શબ્દ બોલીએ અને ગાંધીજીને યાદ ન કરીએ, એતો નજ ચાલે.હું જ્યારે પણ અહીંસા શબ્દ સાંભળુ કે નજર સામે તરતજ આ કરમચંદ ગાંધીજીનું પ્રતિબિંબ દ્રષ્ટીગોચર થાય.મુઠ્ઠી હાડકાંનો માણસ, શરીર પર વસ્ત્રને નામે એક માત્ર પોતળી…..! અને અંગ્રેજો સામે લડવાનું શસ્ત્ર એટલે અંહિસા.મિત્રો વિચાર તો કરો કે કેટલી તાકાત હશે આ અંહિંસાના શસ્ત્રમાં.બસ્સો બસ્સો વર્ષ ભારત શાસન કરનાર ફિરંગીઓ કોઈનાથી ન હાંફ્યા, પરંતુ અહિંસાના શસ્ત્રથી હાંફી ગયા.મિત્રો આ વિચારથીજ મારા શરીરમાં એક ઝણઝણાટી આવી જાય છે કે અહિંસાના શસ્ત્રથી મનુષ્ય ધારે એ પરિણામ લાવી શકે છે. આમ જોવા જઈએ તો હિંસા અનેક પ્રકારની હોય છે. શારિરીક હાનિ પહોંચાડે એનેજ માત્ર હિંસા ન કહેવાય.આ સિવાય જેમ કે માનસિક હિંસા, દ્રષ્ટી હિંસા, વર્તન દ્વારા થતી હિંસા,સંબંધોની હિંસા વગેરે.સૌથી પહેલા આપણે વિચારીશું શાબ્દિક હિંસા એટલે શું?શાબ્દિક હિંસા એટલે સામેવાળી વ્યક્તિને મ્હેણાં મારવા,વાતવાતમાં એને ઉતારી પાડવા,અભદ્ર ભાષા બોલી ગાળગલોચ કરી વ્યક્તિનું અપમાન કરવું. આ બધી હિંસા શાબ્દિક હિંસાજ કહેવાય.આવી હિંસાઓ સમાજમાત્ર લગભગ દરેક ક્ષેત્રમાં, એટલે કે ઓફીસ , ઘર , કૉલેજ , શાળાઓમાં થતી હોય છે.ઘરમાં દેરાણી જેઠાણી,નણંદ ભોજાઈ, સાસુ વહુ, ભાઈ બહેન , કે પછી ભાઈ ભાઈ વચ્ચે જોવા મળે છે.માતા પિતા પોતાના બાળકોની બીજા બાળકો સાથે તુલના કરીને બાળકના માનસપટ પર એક પ્રકારની હિંસાજ આચરે છે.અરે ઘણીવાર તો પતિ બીજી સ્ત્રીના વખાણ કરીને કે પત્ની બીજા પુરુષના વખાણ કરીને એકબીજાને ઉતારી પાડવાના પ્રયત્નો કરે છે.જે એક રીતે હિંસાજ કહેવાય.જેના પરિણામ સ્વરૂપ સંબંધોમાં કડવાશ અને તિરાડો ઊભી થાય છે.માટે આરીતની હિંસા ન કરવી એપણ એક અહિંસાનોજ ભાગ છે.પછી આવે દ્રષ્ટિ દ્વારા કરાતી હિંસા. મિત્રો દ્રષ્ટિ હિંસા એટલે બ્હેનો દિકરીઓને કુદ્રષ્ટિએ જોવું,રસતે આવતી જતી છોકરીઓને લોલુપ નજરે જોયા કરવું. આ પણ એક હિંસાજ કહેવાય.દિકરો નાનો હોય ત્યારથીજ એને સ્ત્રી પ્રત્યે આદર,સન્માન આપતા શીખવવું જોઈએ.એને સમજાવવું જોઈએ કે સ્ત્રી એ ઉપભોગતાનું સાધન નથી.જો આ રીતે દરેક માતાપિતા પોતાના દિકરાને શીખ આપશે તો ભવિષ્યમાં ફરી કોઈ છોકરીને નિર્ભયા નામ ન આપવું પડે.©️
(હિંસાઓના બીજા પ્રકાર આવતા અઠવાડીયે.)
લેખિકા : આરતી મર્ચંટમુંબઈ : કાંદીવલી.
*****************************************
ગણપતિ બાપ્પા મોર્યા 🙏
ગણપતિ ચોથ આવવાના બે દિવસ પહેલા મનાકાકા પૌત્ર દેવને લઈને ખેતરે પહોંચી જાય! કાળી માટીને પાણી નાખીને શીરા જેવી બનાવે, પછી દેવને ગણપતિ બનાવવા કહે. દેવ સમજતો થયો ત્યારથી આ ક્રમ! ઘરના બધાં મનાકાકાને સમજાવતાં પાંચસો રૂપિયામાં સરસ મૂર્તિ મળી જાય છે, શું કામ શરીરને આટલું કષ્ટ આપો છો? પણ મનાકાકા એવું દ્રઢપણે માનતા કે પ્રકૃતિને આપણે સાચવીશું તો તે આપણને સાચવશે. પીઓપીની મૂર્તિ તો નહીં જ! “દાદા જુઓ હવે ગણપતિ બાપ્પા બરાબર બન્યા છે?” “ના સૂંઢ બરાબર નથી.” “ઓહો સૂંઢ બરાબર નથી ચોંટતી. મારે આખી મૂર્તિ ફરી બનાવવી પડશે.” દેવે ફરી મૂર્તિ બનાવી પણ દાદાને સંતોષ ન થયો. “હવે હું નહીં બનાવી શકું દાદા, સૂંઢ તૂટી જ જાય છે”, દેવે નિસાસો નાંખ્યો. “હું જોઉ છું માટીની મૂર્તિ અને માણસ બંને તૂટ્યાં. હાર કેમ માની લીધી દીકરા. માટીમાંથી જ માણસ અને મૂર્તિ બને, અને અંતે માટીમાં ભળે! બસ “બને અને ભળે” વચ્ચે જીવાય એટલું જીવી લઈએ.” મનાકાકા બોલતાં રહ્યાં. મનાકાકાને સંકોચ થયો આટલાં નાના છોકરાને આ વાતને કેમ કરીને સમજાવું, જ્યાં મોટા સમજી નથી શકતા. પણ દેવ તો મૂર્તિ બનાવવામાં મશગુલ હતો તે જોઈ ખુશ થતાં બોલ્યા “ગણપતિ બાપ્પા મોર્યા”.
—વંદના વાણી
*****************************************
એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક)
(M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી* સંચાલક – જીજ્ઞા કપુરિયા* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ