નામી ચિત્રકાર પ્રમોદભાઈ પટેલ ને જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક તેમજ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવાર.સાહિત્ય વિભાગ ગ્રુપ મેમ્બર એડનીન ટીમ વતી હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી આજે તેમાંના જન્મ દિને અર્પિત કરવામાં આવે છે.તેમના બોધ પીરસતા ચિત્રો વાચક વર્ગ સુધી પહોંચે અને આવનારી પેઢી તેમાંથી માર્ગદર્શન મેળવે તે જ અભ્યર્થના…..અમારા અખબારી આલમ નું ગૌરવ છે કે આવા ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર ની પુત્રી ” જયશ્રી પટેલ” અમારા અખબાર ના સાહિત્ય ગ્રુપ ના નિર્ણાયક તરીકે સેવાઓ આપી રહ્યા છે.
![](https://janfariyadnews.com/wp-content/uploads/2020/07/IMG-20200724-WA0689-300x300.jpg)
ગુજરાતના ભરૂચના આ કલાકારનો જન્મ સન ૧૯૨૫ ની ૨૫ જુલાઈએ મુંબઈ મુકામે એક ગર્ભ શ્રીમંત કુટુંબ માં થયો હતો.*આજે જો હયાતી હોત તો તેઓ ૯૫ વર્ષના હોત.આજ તેમના જન્મ દિવસ નિમ્મિતે તેમને સ્મરણાંજલી આપતા* ગુજરાતના એક ગણતરીઓમાં ગણાંતા ચિત્રકારને હું તેમની દીકરી જયશ્રી પટેલ સતસત પ્રણામ કરું છું ને તેમના કુટુંબ તરફથી સાદર પ્રણામ કરું છું.
ભણતર ભરૂચની પોગ્રેસીવ શાળામાં થયું .
આર્યુવેદિક નો અંતિમવરસ સુધીનો અભ્યાસ ,પછી
અચાનક જ પીંછી હાથ માં આવી ને અભ્યાસ અપૂર્ણ
રાખી પુનાથી ભરૂચ પાછાફર્યા
ગુજરાતી,મરાઠી,હિન્દી ,
સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના જાણકાર.
પીંછી અને રંગ કદાચ જન્મથી કલાકાર હોય તેને ઓળખી કાઢતા હોય છે.સફેદ કેનવાસ પર જ્યારે
સુંદર રંગો નો મેળાપ થાય અને કૃતિ જન્મે તે કલાકાર
ની સાચી કલા હોય છે.ભણતા ભણતા માંડ માંડ ડ્રોઈંગ
ની પરીક્ષા પાસ કરી.પૂના અભ્યાસ કરતા કરતા લાગતું કાંઈક ખૂટે છે ત્યારે કોરા કાગળ પર પેન્સિલ રંગો દ્વારા મન થી ચિત્ર ઉપસી આવતું .કલ્પના માં સ્ત્રી
હમેશાં માંજરી આંખો વાળી જ ચિત્રિત થતી ને ઉપરથી
બનતી જોડી મળી એવી જ આબેહૂબ પત્ની*વિજ્યા*.
જે દરેક ચિત્ર ની કલ્પના મૂર્તિ બની રહી.
સ્વપ્ન માં એક ચમત્કાર થયો ને નાસ્તિક માનવી
ને આસ્તિક બનાવા શ્રી રંગ અવધૂત નો આદેશ મળ્યો
*મને મળી જા..!*ઘણાં વિચારવિમર્સન પછી નર્મદાના તટ પર વસેલા નારેશ્વર મુકામે રંગ અવધૂતને મળવા ગયા.ત્યાં બાપજીના વિશ્વાસે *ગુરૂલિલામૃત*નો અભ્યાસ કરી તેના ૬૫ સુંદર ચિત્રો બનાવ્યા.અહિ ગુજરાતની કલાના પિતામહ પૂ શ્રી રવિશંકરરાવળ ના હસ્તકે બધા ચિત્રો ના પ્રદર્શન નાં ઉદ્દઘાટન થતા રહ્યા. નાસ્તિક માનવ આસ્તિક બની ગયો.
તેમના ચિત્રો માં ચિત્રકારીની છાપ બંગાળીશૈલી તેમજ ઈટલી ના શિલ્પી બર્નીની હતી.
“કુમાર” ધર્મયુગ અને ગુરૂલીલામૃત માં ચિત્રો છપાયા.
કુમાર અને ધર્મયુગના મુખ પૃષ્ઠ પર તેમના ચિત્રો એ
સ્થાન મેળવ્યું .*ગંગા અવતરણ* અને *શિવ પાર્વતી*
તેમના પ્રિય ચિત્રો હતા.ઉમાશંકર જોષી ના *ગંગોત્રી*
પુસ્તક પર નું મુખપૃષ્ઠ જયારે છપાયું ત્યારે ગુજરાતના ઘરે ઘરે નામ પહોંચ્યું.અન્ય કલાકારોમાં
નંદબોઝ નું કલાન્ત શિવ એમનું પ્રિય ચિત્ર હતું .મીરાં તેમની કલાકૃતિમાં નું સુંદર ચિત્ર છે.ક્ષિતિજ..સાગર ને
સરિતા ..જેવા ચિત્રો મા એમણે જાન પાથરી દીધી હતી.વાસુદેવાનંદ સરસ્વતી અને રંગઅવધૂત ની સુંદર મૂર્તિ હરદ્વારના ભારતમાતા મંદિર માં સંત મંદિરમાં બિરાજમાન છે.નરસોબાની વાડી માં પણ આ મૂર્તિ ઓ ને ચિત્રો છે.નારેશ્વરમાં પણ બાપજી ની મૂર્તિ પાછળ સુંદર વાસુદેવાનંદનું ચિત્ર બિરાજમાન છે.
ભરૂચમાં બે સંસ્થાના પ્રમુખ તરીકે દસ વર્ષ સેવા આપી હતી.કલામંડળ ને કલાનીકેતન એમના આ મંડળો એ ભરૂચને કલાવંતુ બનાવ્યું હતું .નરસિહ મહેતા જેવા વૈરાગી કલાકાર હતા.
ગુજરાત સરકારે ૨૦૧૮ ગુજરાતનો ૫૮મો ગૌરવ દિવસ ઉજવ્યો ને ભરૂચના કલાકાર તરીકે એમની પૌત્રી શૈલીના હાથમાં એવોર્ડ અર્પી યાદ કર્યા
એ એમનું સૌથી મોટું સન્માન.
નવેમ્બર ની ૧૩, ૧૯૮૮ ના દિવસે આ કલાકારનું ટૂંકી માંદગી થી અવસાન થયું .
તેઓ અમારા પિતાશ્રી હતા..પણ એક સારા કલાકાર હતા…ને આજે પણ લોકો ના હૈયા માં જીવંત
છે..નારેશ્વરની મુલાકાતે જનારને જરૂર તેમના ૬૫ ચિત્રો જોવા મળશે.
વંદન આવા કલાકારને જેણે કલાને ક્યારેય કમાણી નહોતી બનાવી.🙏
*મોટી દીકરી નિલાક્ષીની સ્મરણાંજલી*🌹🙏
મારા પાપા મારા પિતા તો હતા પણ વઘારે મારા અંગત મિત્ર અને માર્ગદર્શક હતા .એવા મારા પાપાને સત્ સત્ વંદન .❤️🌹🙏🏽
નીલુ
*પુત્રવધૂ છંદા મુંજાલ પટેલની સ્મરણાંજલી🌹🙏*
પૂ.પપ્પા ના જન્મદિને સતસત પ્રણામ🙏
તેઓ સંબંધે મારા સસરા હતા પણ મારા પિતા તુલ્ય હતા.સાચા માર્ગદર્શક ને મિત્રની જેમ રસ્તો બતાવનાર.
તેમની છત્રછાયામાં મે મારી જિંદગીના સુખદુખને વિસરી
કાર્ય કર્યુ.પુત્ર થી વધુ મને પુત્રવધૂ તરીકે ગણી ત્રીજી દીકરીનું સ્થાન અર્પ્યું.તેઓના ઉર્મિસભર શબ્દો આજે પણ જીવન જીવવા પ્રેરણા દાયક છે.
*છંદા પટેલ*
*ભરૂચના કવિ લેખક શ્રી રમણીક અગ્રાવતના શબ્દોમાં
સ્મરણાંજલી..*🌹🙏
*એક શાંત કલાધરની અણથક રંગછોળ ∆ *રમણીકઅગ્રાવત
શ્રી પ્રમોદભાઈ પટેલ એમના જીવનના અંતિમ દશકમાં હતા ત્યારે એમને મળવાનું બનેલું. એમની પહેલા હું બે ‘પ્રમોદ’ને જાણતો હતો. એક વિવેચક પ્રમોદકુમાર પટેલ અને બીજા કટાક્ષચિત્રકાર પ્રમોદ પટેલ. ચિત્રકાર પ્રમોદભાઈ પટેલનાં અનેક ચિત્રોએ કળાસામયિક ‘કુમાર’નાં આવરણોને શોભાવ્યાં છે. રંગોની ભરપૂરતા અને સૌમ્યતા એમનાં ચિત્રોનો વિશેષ હતો. શાંત અને સરળ સ્વભાવના આ માણસને ચિત્રકાર કહેવો કે કવિ ગણવો કે નરવો ફિલસૂફ એવી મીઠી મૂંઝવણ સંપર્કમાં આવનારને થાય. હકારાત્મકતાથી છલોછલ ભરેલો કોઈ માણસ કેવો હોય તે તેમને જોઈને સમજાય. દમ(અસ્થમા)નો રોગ એમને પીડતો. પરંતુ એમના રોજબરોજના વર્તાવ કે વ્યવહાર કે એમની કળાને આ રોગ કશું કરી શકતો નહીં. માણસના વ્યવહારો કેટલી હદ સુધી નડી શકે તેની એમને પૂરી જાણ, પણ તેઓ નરી સરળતાથી સૌને પ્રેમ કરી શકે. ક્યાંય પણ મારું લખાયેલું નજરે ચઢે તો તરત લિખિત પ્રતિભાવ આપે. સ્પષ્ટ અને સોંસરી વાત. કશું સંતાડવું એમના સ્વભાવમાં નહીં. પોતાને શું ગમ્યું તે રળિયામણા હસ્તાક્ષરમાં ઘૂંટીને લખે. કેટલાય પોસ્ટકાર્ડમાં એક તરફ સુંદર ચિત્ર અને બીજી તરફ નીતરી અભિવ્યક્તિ. એક જ દિવસમાં ત્રણ-ત્રણ પોસ્ટકાર્ડ મેળવ્યાનું મને સ્મરણ છે. ક્યારેક એક પોસ્ટકાર્ડમાં વાત બાકી રહી જાય તો અનુસંધાનમાં બીજો પોસ્ટકાર્ડ હાજર. કમનસીબે આ પત્રો સાચવી શક્યો નથી તેનો ક્ષોભ પીડે છે. એમણે લગભગ વીસ વરસોનાં ’કુમાર’નાં અંકો ૧૯૮૫માં આપેલા. એ બધા અંકોની વરસવાર ફાઈલો બંધાવી જીએનએફસી નર્મદાનગરની લાઈબ્રેરીમાં મૂકાવેલી. એ અરસામાં જીએનએફસી કોમ્યુનિટી સાયંસ સેંટરના ઉપક્રમે એમનાં ચિત્રોનું પ્રદર્શન આયોજિત થઈ શકેલું એ ધન્યતા મનને પ્રસન્ન કરે છે. માંડ સાતેક વરસોનું એમનું સાન્નિધ્ય એક સ્મરણમૂડી જેમ મનમાં સચવાયું છે.
(જયશ્રી પટેલ…..૨૫/૭/૨૦૨૦)