મોદી શાશન માં વિકાસ દુબે નામની વ્યક્તિ ને પકડી ઠાર મારવમાં આવે અને તમામ રાજકીય જશુસી કાંડ જેવા રહસ્યો ઉપર પડદો પાડી ઘી ના ઠામ માં ઘી ઢોળી દેવામાં આવ્યું…..મોદી,શાહ શાશન માં લોકશાહી નું ગળું દબાવી સરમુખત્યાર શાહી શાશન નું બદલાતું રાજાશાહી ના નવા રાજકીય રૂપ ના દર્શન આખો દેશ કરી રહ્યો છે..
……….એક IPSને સરેઆમ વીંધી નાખ્યાં છતાં દેશમાં કોઇ જાતની પ્રતિકિયા નથી માની લો કે આજ હત્યા કોઈ ત્રાસવાદીએ કરી હોત તો ઠેર ઠેર કેન્ડલ માર્ચ નીકળી હોત….એક ગામ માં ઉચ્ચ અધિકારી સહિત પોલીસ ની ટીમ પ્રવેશ કરે અને બધા વીંધાઈ જાય તો શું આઇ.બી.એલ.આઇ.બી નો કોઈ રિપોર્ટ જોયા વિના ઓપરેશન કરવા ગયા હતા?
વિરપ્પાન, ફૂલન દેવી,માધો સિંહ,ચંબલ ના ડાકુઓ.ઉગ્રવાદીઓ ને બાહોશ પોલીસ ઓપરેશન પોલીસ તખ્તો ગોઠવી પાર પાડતી હોય તો શું આમાં સમી છાતીએ વગર જો એ ઓપરેશન થાય?
આ આખી ઘટના પાછળ કોઈ રાજકીય મુરાદ વિકાસ ના ખભે કોઈ પાર પાડવા માં ભૂમિકા છે કે નહિ તેની કોઈ તપાસ નહિ?
પુરાવાઓ મિટાવવા કે એકત્ર કરવા k કોર્ટમાં મૂકી સજા સુધિ લઈ જવા અને તડીપાર કરવા કે ક્લીન ચીટ સુધી તખ્તા ગોઠવવા નું અમાનવીય કે માનવીય સેવા કૃત્ય કરવું તે સરકાર માં તાબા માં રહેલી એજન્સીઓ નક્કી કરતી હોય છે જેની ઉપર શાશક નેતાઓ નો કંટ્રોલ હોય છે જેઓ તેમની મન કી બાત પ્રમાણે ખાતાઓ ના વડાઓ બદલી પોતાના ધાર્યા કામ કરાવતા હોય છે જે મોદીજી એ જે ૭૦ વર્ષ મા ના જોયું અને થયું હોય તે કરાવી બતાવ્યું અને બધાએ જોયું કે શું પરિણામ આવ્યા….મોદી શાહ નું આં લોકશાહી માં સરમુખત્યાર શાહી નું આધુનિક રાજાશાહી નું રાજ દેશ નો વિકાસ નહિ પણ વિનાસ નોતરી રહ્યું છે…ગુજરાત ના ૧૨ વરસ. ના ભય વિના પ્રીત નહિ ના ગુજરાત ને કલંકિત શાશન કહી શકાય તેવા ઇતિહાસ ના પન્ના આં મોદી શાહ લખીને દિલ્હી રાજ ગાદીએ પ્રજાને જન સુખાકારી ની લાલચો આપી સહાનુભૂતિ ની વોટબેંકની મેળવી ગયા છે….અનેક અમાનવીય કાંડ…નકલી એન્કાઉન્ટર… રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓ ના જેલ વાસ કે જેઓ ગુજરાત ના પ્રતિષ્ઠા પાત્ર અધિકારીઓ હતા….નવ નવ વર્ષ ના જેલ વાં બાદ સંપૂર્ણ ભાજપ સત્તા ઉપર આવ્યા બાદ પુરાવા ના અભાવે ક્લીન ચીટ…તડીપાર બાદ મહાન રાજનેતા..દેશની મોટી પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બને….ચૂંટણી લડી ગૃહ મંત્રી પણ બને .. દેશના આજના પ્રધાનમંત્રી ઉપર માંડવી બીચ ઉપર માનસી સોની નામની વ્યક્તિ ની સાથે નામ જોડી પ્રેમ લીલા ના આરોપ થાય…જાસૂસી કા d રચાય..દિલ્હી ની વિધાનસભા માં તેની ઓડિયો મુકાય અને બધી તપાસ પૂર્ણ થયે કલી ચીટ બાદ રહસ્યો આજે પણ અકબંધ થાય…નલિયા સેક્સ કાંડ…ખારેક કાંડ થાય. બહુમતી ના જોરે તે પણ વિધાનસભા માં ક્લીન ચીટ બતાવાય. ..ખેર ગુજરાત ઇતિહાસ પૂર્ણ…..
..દેશ વિદેશના મહાનુભાવો ને મન ઘડત રીતે ગુજરાત ને એક રિસોર્ટ સમજી આમંત્રણ આપી કરોડો રૂપિયા ના ખોટી આર્થિક માયાજાળ રચી પ્રલોભનો આપી વાઇબ્રન્ટ ના નામે ગુજરાત ને અઢી લાખ કરોડ ના દેવા નીચે ધકેલનાર……. કાલા ધન,રામ મંદિર,૩૭૦ નાબૂદ,ભય.ભૂખ.ભ્રષ્ટાચાર મિટાવવા..દેશ ને નવી દિશા વિકાસ બતાવવો…બેરોજગારી વાયબ્રન્ટ પ્રોગ્રામ થી દુર કરવી. વગેરે નુસ્ખાઓ પ્રજા ને સરકારી ખભે બતાવી કેવળ ભારતીય જનતા પાર્ટી નો વિશ્વ મા મોટી ધનાઢય પાર્ટી તરીકે વિકાસ કરી ભાજપ ના રાજનેતાઓ ને આર્થિક સદ્ધર કર્યા સિવાય કોઈ વિકાસ ક્યાંય દેખાયો નહિ કે કોઈ આપેલ વચનો માં પણ ન્યાય જનતાને મળ્યો નથી. વિરોધ પક્ષ ના લોકો અને સામે પડતાં ઉધોગપતિઓ સામે સરકારી એજન્સીઓ દ્વારા રેડ પડવી ભય ના ઓથાર હેઠળ જીવતા રાજનેતાઓ અને વેપારીઓ.ઉધોગપતિઓ આજે પણ બેહાલ બનેલા છે….
ભાજપ ના હિન્દુ શાશન ના પાયા ની વ્યક્તિઓ ને પક્ષ માંથી જો હુકમી બતાવી દૂર કરી….સત્તા ટકાવી રાખવા ખાતર વિપક્ષી લોકો ને પક્ષ પલટા લાલચો આપી કરાવી શાશન ચલાવાય છે..પ્રજા માં રહેલા ચોથી જાગીર,તટસ્થ,સામાજિક.રાજકીય સેવાભાવી લોકો ને સરકારી તંત્ર દ્વારા ભય કાયદો બતાવી ડરાવી ધમકાવી સત્તા ના સૂત્રો ભાજપ ચલાવી રહ્યું છે. જેમાં ભાજપ ના. કુશળ શાશક કર્તાઓ ના દેહાંત થતાં હાલમાં વિપક્ષી ને ફોડી સત્તા હાચકી લઈ મંત્રીઓ બનાવી શાશન સંભાળાય છે……કુદરત આવા અમાનવીય શાશન ને ઠેકાણે લાવવા આફતો રૂપી સજા કરતી હોવા છતાં આખું ભાજપ સરકાર નિર્ભર અનેપ્રજા આત્મ નિર્ભર…..તમામ વર્ગ ના લોકો આજે પણ આર્થિક ભીશ અનુભવી રહ્યા છે તેમ છતાં સત્તા ટકાવી રાખવા ભાજપ આજે પણ રાજકીય તોડફોડ કરી પ્રજાની કોઈ પરવાહ કર્યા વિના રાજકીય ખેલ ખેલી રરહ્યું છે..કોરોના જેવી મહામારી માં ૩૫૦ ની આસપાસ જ્યારે ગુજરાત માં કેસ થાય અને આખું ગુજરાત બંધ કરવામાં આવે.દીવાઓ ,મીણબત્તીઓ કરાવી.તાળીઓ,થાળીઓ વગાડવાના ટાયફા દેશ ના પ્રધાન મંત્રી પ્રજા પાસે કરાવે.કોઈ દિશા કે દશા સુધરે નહિ…કેવળ અખતરા સાબિત થાય……અશિક્ષિત સ્ટેમ્પ શાશક ખોટા સૂત્રો થી શાશન ચલાવી જો હુકમી બતાવે અને કહે કે “હારશે કોરોના,જીતશે ગુજરાત” જે તદ્દન જુઠ સાબિત થતાં હાલમાં ૮૫૦ થી વધારે કેસ છે જ્યારે પ્રજાને પોતાના હવાલે છોડી દીધી….સેનેતાઇઝર,માસ્ક અને હવે બાકી હતું તો મેડીસીન ના કૌભાંડો પણ થઈ ગયા….સતત પ્રજા સાથે છેતરપિંડી કરતી આં શાશક સરકાર ને હવે કુદરત પહોંચે….બાકી હતું તો કરોડો ની લોન પ્રોપર્ટી ગીરવે મૂકી ને વિદેશ ભણવા ગયેલ વિદ્યાર્થીઓ ના માબાપ લીધેલ લોન સામે આજે અમેરિકા ના વિઝા ના નિર્ણય ને લીધે નવું ટેન્શન ઉભૂ થયેલ છે…. ભાજપ સરકાર માં યુવા બેરોજગાર થી લઇ તમામ સ્તરે ગળે ટૂંપો આપી સરકાર શાશન કરી રહી છે જેના આં તાજા પુરાવાઓ છે….જન હિત માં એક હિ આગ….જન ફરિયાદ… ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક….તંત્રી : પ્રદીપ રાવલ..