https://m.facebook.com/story.php?story_fbid=595976481323113&id=100027322995343
પડે તેવી દેવાશે… મન કી બાત..મન ઘડત રીતે ચાલતી કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો ના રાજ રંગ..ભગુભાઈ નો વંડો…ફાવે તેમ મંડો…મળ્યું છે કે મળવાનુ છે….હોય તે પૂરું થાય એટલે વિપક્ષ માંથી ખેચી લાવી પણ શાશક સરકાર ટકાવી ભગવી રાજનીતિ માં સુધારા વધારા કરી ગમે તેમ કરીને રાજ કરો….નીતિ નિયમો.કાયદા કાનૂન પરંપરા.ધર્મ સંસ્કૃતિ કી એસી કી તેસી….ચુસ્ત.અન્યાય સામે અવાજ ઉઠાવતા સાધુ સંતો.પૂજારીઓ ની નિર્મમ હત્યા…ભાજપ ના વિકાસ ડૂબે જેવા ની ગુંડાગર્દી થી ખોફનાક વાતાવરણ…કે. જેના ઉપર અસંખ્ય ગુનાઓ ની હારમાળા હોય અને સાત જેવા પોલીસ કર્મી અધિકારીઓ ને ઠાર કરાવે…..લોકસભા.રાજ્યસભા,વિધાનસભાઓ,નગર પાલિકાઓ ના નગર સેવકો માં સૌથી વધારે ગુનેગારોનું પ્રમાણ હોવા છતાં રાજકીય આશ્રાલયો માં સ્થાન પૂરું પાડી સાચવી લઈ સત્તાઓ ટકાવી રાખવામાં આવે…
ચેલા ગુરુ ને જેલવાસ કરાવે,રાજકીય ગુરુઓ ના સ્વર્ગવાસ ના થાય ત્યાં સુધી નજરકેદ સમાન અભેદ સિક્યોરિટી માં રખાય,જિનપિંગ સાથે ૧૮ વખત મુલાકાત કરી અમદાવાદ શાહી ઠાઠ થી મહેમાનગતિ કરાવાય,પૂર્વ સરકાર માં ચીન ના માત્ર ૩૫૮ કરોડ ના ભારત રોકાણ માં વધારો કરી સાડા પાંચ હજાર કરોડ ના રોકાણ વધારાય..એકાએક ચીન સાથે કોરોના વિશ્વ મા ફેલાયેલી મહામારી ના બહાને સરહદ પણ તણાવ ઉત્પન્ન થાય..ભારત ની નેપાળ,ચીન,કાશ્મીર,બાંગ્લાદેશ જમીન,દરિયાઈ સીમાઓ ઉપર ચીન.ભૂતાન.નેપાળ.પાકિસ્તાન વિરોધી તરીકે ભારત ની સુરક્ષા ને પડકાર આપે, ચીન દ્વારા ૨૦ બિહારી સૈનિકો ને ગીલેબાન ઘાટી માં શહીદ બનાવાય,,ચીન અને ભારત ના સૈનિકો ની હાથાપાઈ ના વિડિઓ વાયરલ થાય..વિશ્વ વિખ્યાત જુઠ્ઠાણાં ઓ માં એક વધુ જુઠ્ઠાણું ઉમેરાય કે ચીન આપણા માં ઘૂસ્યું નથી..(તો બંદી સનિકો ને કોને છોડ્યા?૨૦ સનીકો કેવી રીતે માર્યા?)ભારતે ચીન પાસે ખરીદેલા લાખો લેપટોપ ની રાજ્યો ના જિલ્લા કક્ષાની શાળાઓ માં લેપટોપ ની અત્યારે જ વહેચણી થાય,ચીન સાથે મેટ્રો રેલ ના કરેલા પ્રોજેક્ટ પ્રમાણે કામ પણ અત્યારે જ શરૂ કરવામાં આવે…ફાર્મા ના બલ્ડ્રગ્સ નો વેપાર સુવ્યવસ્થિત બેરોકટોક ચાલે…સરકારે કરેલા ચીન સાથે ના વ્યાપારી સોદા માં કોઈ આંચ ના આવે તેમ વેપાર ચાલે..(પહેલા ભાષણ માં તડકા.ભડાકા,છું છું કે ઘર મે ઘૂસ કે મારેંગે ના ભાષણો ભુલાઈ એક પણ શબ્દ જિનપિંગ માટે કે છું માટે બોલાય નહિ અને સંતાઈ રાજકારણ રમવામાં આવે….પીએમ કેર ફંડ માં ૧૦૦ કરોડ થી વધારે ફંડ ચીન ની ભારત મા કામ કરતી કંપનીઓ પાસે દાન લેવાય…વિપક્ષી ચીન સ્વીકારેલ દાં નો પાછો વિરોધ થાય…. પ્રાઇવેટ પબ્લિક સેકટર માં પથરાયેલ તેમજ આખા ભારત ના મેટ્રો મહાનગરો માં કરોડો રૂપિયાના ભાડા ની ઓફિસો અને ભારતીય આઇ. ટી યુવાઓ તજજ્ઞો થી ચાલતી ૫૯ જેવી ચાયના એપ….એકાએક બંધ કરી ભારતીય આધુનિક વિદેશી વ્યવસાય કારો ની હરોળ ની જીવનશૈલી માં જીવતા ને એકાએક વગર વિચારે બેરોજગાર બનાવાય…..અને હવે છેલ્લે નવી વાત કે જાણે મિર માર્યો હોય તેમ જાહેરાત કરે કે મારી લેહ મુલાકાત બાદ ચીન ભારતીય સુરક્ષા થી ફફડી દોઢ કિલોમીટર ગિલેબાન ઘાટી માં પાછળ હટી ગયું…..
.જિનપિંગ, એબે,વ્લાદિમીર પુતિન જેવા સરમુખત્યાર શાહી વિચારશીલ શાસકો ની નીતિ (ભય વિના પ્રીત નહિ)…શંકા ઉપજાવે છે કે કદાચ મોદીજી આવા શાસકો ની નીતિરીતિ ભારત દેશ ઉપર રાજકીય રીતે અજમાઈ રહ્યા હોય અને તે બહાને ભાજપ ની સત્તાઓ તમામ ક્ષેત્રે ટકી રહી પ્રજાને તેમના કહ્યા પ્રમાણે જીવન જીવવા મજબૂર કરે. (ટૂંકા સમય માં ભાજપ ને આર્થિક રીતે રાતોરાત સદ્ધર કરી કાલાધન,રામ મંદિર,આતંકવાદ, નોટ બંધી, જીએસ્ટી…વિદેશ નીતિ માં એકાએક સુધાર..ભાજપ ના રાજ નેતાઓ રાતોરાત આર્થિક સદ્ધરતા પામે…વિદેશો માં પણ ભાજપ ના રાજનેતાઓ ની મિલકતો માં વધારો થાય,વિરોધ પક્ષ ના રાજનેતાઓ સામે કાનૂની જંગ થી તેમને વિરોધ કરતા પાછા પાડવા સરકારની તમામ સત્તાઓ નો ઉપયોગ કરાય..દેશ ની સર્વોચ્ચ સરકારી સંસ્થાઓ ના નરેતવુત્વા પોતાના કહ્યાગરા લોકો ને ગોઠવી બદલવામાં આવે..આવા સમયે માં ભાજપ ના બાજપાઈ,જેટલી, શુષ્માજી,અનંતકુમાર,મુંડે,મહાજન જેવા ભાજપ ની ધરોહર જેવા નેતાઓ ના સ્વર્ગવાસ થાય…વિપક્ષી કદાવર નેતાઓ ને પક્ષ પલટા કરી સત્તામાં ગોઠવી એક ચક્રી શાશન ચલાવાય….. .વર્ષોથી દેશ માટે બલિદાન આપેલ રાજનેતાઓ ના એકડા કાઢી નાખવાની યોજનાઓ ના નામકરણ નવા કરાવાય….અભ્યાસ ક્રમ મા આખા ઇતિહાસ બદલી નાખવા ની ફૂટ રાજકીય નીતિથી દેશ ના ભાવિ યુવાઓ સાથે રાજકીય ચેડાં થાય….આખેઆખું મોદી શાશન લોકશાહી માંથી સરમુખત્યાર શાહી શાશન ચાલતું હોય તેવી પ્રત્યેક પ્રબુદ્ધ નાગરિક.સેવક ને પ્રતીતિ થાય તેવું શંકાશીલ શાશન એટલે મોદી રાજ….
દેશ ના સાધુ.સંતો.ધર્માધિકારી.કથાકારો.સમાજ સેવકો ની બદલાતી રાજકીય સ્થિતિ ગંભીર સમસ્યા ઊભી કરશે..
એક બાજુ ભારત ની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો કોઈ ચોક્કસ. બિન અભ્યાસી અખતરા વાળી વ્યવસ્થા નો ભોગ બની દિવસે દિવસે કોરોના મહામારી વધતી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મા ભારતીય ને ચેરમેન નું સ્થાન આપ્યા બાદ પણ જુદા જુદા સ્ટેટમેન્ટ,લોભામણી જાહેરાતો થી અવિશ્વાસ નું વાતાવરણ બન્યું…રાજ્ય મુખ્યમંત્રીઓ અખતરા કરી સરકાર ની સુવિધાઓ ની મન ફાવે તેમ કોરોના રોકવાના બહાને લહાણી કરતા જુઠ્ઠા સૂત્રો ફેલાવે જેવા કે “કોરોના હારશે.ગુજરાત જીતશે”લાખો ની વિજ્ઞાપનો પાછળ.ની અંધ સ્પર્ધાઓ પાછળ લખલૂટ ખર્ચ કરે..ચોથી જાગીર જુઠ્ઠાણાં પકડી મુખ્યમંત્રી ને પ્રશ્નો પૂછે તો ઉડાઉ જુઠ્ઠા જવાબો આપવામાં આવે….૩૫૦ આસપાસ કોરોના કેસ હતા ત્યારે આખું ગુજરાત બંધ કરવામાં આવે…શેખચલ્લી શાશન નીતિથી તાળીઓ,ઘંટડીઓ.થાળીઓ વગાડી સહાનુભૂતિ ના રાજકારણ રમાય….ધર્મ ની પરંપરાઓ નીતિ રીતિ સંસ્કૃતિ સાથે ચેડાં ઊભા કરી સુરક્ષા ,સલામતી ના બહાને ધર્મ સ્થાનો જાહેર બંધ કરવામાં આવે. દીવાઓ.મીણબત્તીઓ દેશ ની જનતા પાસે કરાવાય…..પરિણામે આજે દેશ વિશ્વ મા કોરોના સ્થિતિ મા ત્રીજા નંબરે આવી ગયો..આજે ગુજરાત માં ૭૩૫ થી વધારે કેસ વધવા લાગ્યા ત્યારે રાજકીય ચૂંટણીઓ માં શાશક સરકાર.તેના નેતાઓ અને સહાયક સરકારી સનદી અધિકારીઓ ની અદલા બદલી ના દોર શરૂ થયાં….આવા સમયે માં જ્યારે કેન્દ્ર અને ગુજરાત,એમ.પી માં ભાજપ છે ત્યારે માત્ર સત્તા ટકાવી રાખવા ચૂંટણી લડતા વિનાના ૧૮ વિપક્ષી ફોડલા.પક્ષ પલટો કરેલા ને સરકાર એમ.પી સરકાર માં મંત્રી બનાવાય..ગુજરાત માં પાંચ કોંગ્રેસ ના ધારાસભ્યો ને રાજકીય પ્રલોભન.આર્થિક લાલચથી રાજીનામા અપાવી ભાજપ પ્રવેશ કરાવી આં મહામારી ના સમય માં peta ચૂંટણી ના માહોલ બનાવી પ્રજાને પડ્યા ઉપર પાટુ મારવાના અમાનવીય ખેલ રચાય…. મન ફાવે તેમ નીતિ નિયમો નેવે મૂકી પ્રજા ને પ્રલોભનો આપતી જાહેરાતો કરી માત્ર ગરીબો ના ખભે રાજકારણ રમાય….માધ્યમ વર્ગ ની જ્યારે ચાર મહિના મા આર્થિક કમર તૂટી ગઈ છે ત્યારે બેંકોની લોન અને આત્મ નિર્ભર જેવી યોજનાઓ જાહેર કરી પ્રજા સાથે આર્થિક અમાનવીય વ્યવહાર કરી દેવાદાર અને વધુ મોર્ગેજ કરાવી મિલકતો સિક્યોરિટી માં મુકાવા ના કારસા રચાય…….અને અંતે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક કહ્યાગરા.સરકાર નો યોજના બદ્ધ પ્રચાર.પ્રસાર કરતા ને સરકાર અને કમલમ માં રેડ કાર્પેટ,સરભરા થી ગોદી મીડિયા ની સેવાઓ આપી લખલૂટ ખર્ચ કરી જાહેરાતો આપી સાચવી લેવામાં આવે …..જ્યારે તટસ્થ મીડિયા,સમાજ સેવકો,સંસ્થાઓ, ના લોકો ને સરકારી આર્થિક સેવાઓ ઉપર રોક લગાવાય,…આર. ટી.આઇ. એક્ટિવિસ્ટ ની રાજકીય હત્યાઓ.પત્રકારો ઉપર દબંગ ધારાસભ્યો,નગર સેવકો ના હુમલાઓ થાય…
આ બધીજ ૨૦૧૪ પછી( મન કી બાત)અશિક્ષિત શાશન… લોકશાહી ના બહાને ચાલતી સરમુખત્યાર શાહી જેવી શાશન પ્રણાલી થી દેશ રાજકીય,સામાજિક,આર્થિક કેટલો પાછળ ધકેલાઈ ગયો કે હવે કુદરત પણ નાના મોટા ઝટકા આપી નારાજ થઈ નાજોયેલું જોવામાં આવતા છકી ગયેલા સરમુખત્યાર સ્વભાવ ના શાસકો ને કદાચ સુધારવા ના મોકા આપતી હોય તેવું લાગે છે……એક હિ આગ જન ફરિયાદ… પ્રજાહીત સર્વોપરી. સત્ય ની પડખે સદા. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક…..સંપાદક..પ્રદીપ રાવલ