નવી દિલ્હીઃ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના નિર્ણયને પડકારતી એક જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી છે. આ પડકાર અલ્હાબાદ હેરિટેજ સોસાયટીએ સરકાર સામે પડકાર ફેંક્યો છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારને રેલવે સ્ટેશન, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નામ બદલવાનો અધિકાર નથી. આ અધિકાર કેન્દ્ર પાસે છે. વર્ષ 2019 માં જ ઉત્તર પ્રદેશ કેબિનેટે અલ્હાબાદનું નામ બદલવાની જાહેરાત કરી હતી
********
*