GN_30_6-20(News of Gandhinagar PDF File)
https://m.facebook.com/story.php?story_fbid=591424311778330&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=591100978477330&id=100027322995343( E – certificate link)
https://m.facebook.com/story.php?story_fbid=591099025144192&id=100027322995343 ( last day to get membership)
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ સ્પર્ધા ની આજે વિજેતા સુભાષિત કૃતિઓ નીચે મુજબ છે.
*કાજલ તજે ન શ્યામતા,*
*મુક્તા તજે ન શ્વેત.*
*દુર્જન તજે ન કુટિલતા,*
*સજ્જન તજે ન હેત.*
ઉપરોક્ત સુભાષિતમાં દુર્જન માણસને કાજલ સાથે સરખવ્યો છે. જેમ કાજલને કંકુ સાથે રાખો તોય એનો રંગ છોડતું નથી એમ સ્વભાવથી જ દુર્જન મનુષ્યને ગમે તેવા સજ્જન લોકો સાથે રાખવામાં આવે તોય દુર્જનો એમની દુર્જનતા છોડી શકતાં નથી. આપણે વીંછી અને એક સજ્જનની વાર્તા સાંભળેલી છે કે, એક નદીમાં વીંછી તણાતો હોય છે અને સજ્જન એને બચાવે છે તોય બહાર આવી વીંછી એમને ડંખ માર્યા વગર રહી શકતો નથી. આમ, દુર્જન,દુષ્ટ માણસોને કાજલ સાથે સરખાવીને કહ્યું છે કે દુર્જન તેની કુટિલતા છોડી નથી શકતો.
એવી જ રીતે સજ્જન માણસને મોતી સાથે સરખાવતા કહ્યું છે કે,જેમ મોતી એની ચમક અને શ્વેતતા છોડતું નથી એમ સજ્જનો પણ એમનો પ્રેમ અને નમ્રતા છોડતાં નથી. સજ્જનો આપણી કહેવતને ધ્યાનમાં રાખતાં કહે છે કે, “કૂતરું બચકું ભરે તો સામે કૂતરાને બચકું ભરવા ના જવાય.” આપણાં વૃદ્ધો પણ કહે છે, ‘નબરા સામે નબરુ ના થવાય.” આમ, સજ્જનને મોતી સાથે સરખાવીને કહ્યું છે કે, જેમ મોતી એની કિંમત અને ચમક ગુમાવતું નથી તેમ સજ્જન પણ તેની સજ્જનતા ગુમાવતાં નથી.
આમ, આ સુભાષિત દર્શાવે છે કે, માણસના પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. માટે માણસ જ્યારથી સમજણો થાય ત્યારથી જ જાતનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. જેથી દુર્જનતા તરફ વળી ના જવાય.
— જ્યોતિ આચાર્ય.NG : 0027.અમદાવાદ
****************************** ************
*સ્પર્ધા નં ૮*
કાજલ તજે ન શ્યામતા,
મુક્તા તજે ન શ્વેત.
દુર્જન તજે ન કુટિલતા,
સજ્જન તજે ન હેત
*અર્થ* : કાજલ તેનો કાળો રંગ, મોતી તેનો સફેદ રંગ, ખરાબ વ્યક્તિ દુર્જનતા અને સારી વ્યક્તિ સજ્જનતા ક્યારેય છોડતા નથી.
*વિસ્તાર* : આ સુભાષિતમાં સ્વભાવ અને ગુણની વાત કરી છે.વ્યકિત કે વસ્તુ ક્યારેય પણ પોતાનો સાચો સ્વભાવ કે ગુણ છોડી શકતા નથી.
પ્રથમ બે પંક્તિઓમાં વસ્તુ અને તેના ગુણની વાત કરી છે. કાજલ જે પોતાના કાળા રંગથી આંખને કામણગારી બનાવે છે. તે પોતાના શ્યામ રંગથી જ જાણીતું છે. તે રીતે મોતીની ઓળખ છે તેનો શ્વેત રંગ.સફેદ મોતીની માળા અલગ નિખાર લાવે છે વ્યક્તિત્વમાં.”મોતી જેટલા શ્વેત તેટલા સુંદર”.
બીજી બે પંક્તિઓમાં દુર્જન અને સજ્જન વ્યક્તિની વાત કરી છે. “પ્રકૃતિ અને પ્રાણ મનુષ્ય સાથે જ જાય”.મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો અસલ સ્વભાવ છોડી શકતો નથી. દુર્જન વ્યક્તિ ભલે ગમે તેટલા સજ્જનનો સંગ કરે,પરંતુ તે પોતાની દુર્જનતા ક્યાંક , કોઈક સ્વરૂપમાં બહાર લાવી દે છે.ઘણીવાર આવી વ્યક્તિ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે. તે રીતે સજ્જન વ્યક્તિ કોઈ પણ ખરાબ વ્યક્તિની સંગતમાં કેમ ન રહે તે પોતાની સજ્જનતાને ત્યજતો નથી. કોઈ પણ સારી -ખરાબ પરિસ્થિતિમાં તે પોતાની નમ્રતાથી જ કામ કરે છે.
જેનું ઉત્તમ ઉદાહરણ છે “સાપ અને ચંદન”. સાપ ચંદનના વૃક્ષ પર રહેવા છતાં પોતાના ઝેરીલા સ્વભાવને છોડતો નથી, જ્યારે ચંદનનું વૃક્ષ પોતાની મીઠી સુવાસ છોડી ઝેર ગ્રહણ કરતું નથી.
“માણસ ઓળખાય તેના સ્વભાવથી,
વસ્તુ પરખાય તેના ગુણથી”.
“સજ્જનનો સંગ ભલો,
દુર્જનથી અંતર ભલુ”.
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ✍️
****************************** ************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
સ્પર્ધા નંબર : ૮
સુભાષિત :
કાજળ તજે ન શ્યામતા,
મુક્તા તજે ન શ્વેત,
દુર્જન તજે ન કુટિલતા,
સજ્જન તજે ન હેત.
આ સુભાષિતમાં કહે છે કે દરેક વસ્તુનો મૂળ સ્વભાવ હોય છે . જેમ કાજલનો સ્વભાવ છે શ્યામલતા અને મોતીનો શ્વેતપણુ. કાજલને તને ગમે તેટલું કરો એ સફેદ નહીં થાય. અને મોતી કાળુ નહીં થાય. કોઈપણ વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ છોડી શક્તી નથી.કહેવત છે કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો પણ વાંકી તે વાંકી.એટલે તમે ગમે તે કરો દરેક પોતાનો મૂળ સ્વભાવ છોડી શકતા નથી
આપણે જાણીએ છીએ કે કૂતરો એક વફાદાર પ્રાણી છે તમે એની પાસેથી બેવફાઈની કલ્પના પણ ના કરી શકો . તમે એક દિવસ એને વહાલથી બોલાવશો તો બીજા દિવસથી તમારી પાસે દોડીને આવશે.
સર્પ ફૂંફાડો કે ડંખ ના મારે એવી આશા શું તમે રાખી શકશો???એ એનો મૂળ સ્વભાવ છે.
મહાભારતમાં શકૂની કપટનો સ્વભાવ નથી છોડી શકતો અને યુધિષ્ઠિર કપટ નથી કરી શકતો.કર્ણનો સ્વભાવ દાનવીર નો છે જે દાનમાં કવચ અને કુંડળ પણ ઉતારીને આપી. દે છે. એ પોતાનો દાનવીરનો સ્વભાવ નથી છોડી શકતો.મંથરા કાનભંભેરણી ના છોડી શકે. રામ કર્તવ્ય પરાયણતા ના છોડી શકે.
સજ્જન પાસે કુટિલતાની
અને દુર્જન પાસે સજ્જનતાની આશા ના રાખી શકાય.
કોલસાને ગમે તેટલું ધોશો ઊજળો નહીં થાય.અને સોનાને ગમે એટલું અગ્નિમાં તપાવશો એમ એ વધુ નિખરી ઊઠશે એમ
કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ છોડી શક્તી નથી.આપણે ત્યાં કહેવત છે ને કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં.
– રૂપલ શાહ..ગાંધીનગર..૨૭/૦૬/૨૦
*****†************************ ************
*સ્પર્ધા નં ૮*
========
*કાજલ તજે ન શ્યામતા,*
*મુક્તા તજે ન શ્વેત.*
*દુર્જન તજે ન કુટિલતા,*
*સજ્જન તજે ન હેત.*
*ભાવાર્થ*
======
કાજળ એનું શ્યામ રંગ, મોતી એનું શ્વેત રંગ નથી ત્યજતા. દુર્જુન એમની કુટિલતા તથા સજ્જન એમનું હેત નથી ત્યજતા.
*અર્થવિસ્તાર*
=========
ઉપરોક્ત સુભાષિત દ્વારા કવિ વ્યક્તિના અનન્ય ગુણની દૃઢતાની વાત કહી છે. કાજળ અને મુક્તકના ઉદાહરણમાં સજીવારોપણ (માનવીયકરણ) અલંકારનો ઉપયોગ કરી વાતને ખુબ સચોટ રીતે વ્યક્ત કરી છે.
જેમ કાજળ ને ગમે એટલું ધોઈએ પણ એ શ્યામ રંગ છોડતો નથી. ઉપરાંત, શ્યામ રંગ કાજળની ઓળખાણ છે. તેમ મોતી અનેક વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનો શ્વેત રંગ છોડતો નથી. કોઈ કુસંગ મોતીના ઉજ્વળ રૂપને મલીન કરી શકતો નથી. અથૈવ, દુર્જન વ્યક્તિ પોતાની દુષ્ટતા અને કુટિલતા ક્યારેય છોડી શકતી નથી. ડગલે ને પગલે એની કુટિલતા એમના ઈરાદા પર છવાયેલી રહે છે. એમને ધૃષ્ટ કૃત્ય માટે પ્રેરિત કરતી રહે છે. જ્યારે સદ્ભાવના, સ્નેહ,કલ્યાણ, શાંતિ એ સજ્જન વ્યક્તિઓનો સ્વભાવ છે. દુર્જન પુરુષો એમની સજ્જનતાને કદી પ્રભાવિત કરી શકતા નથી.
અકબરના દરબારના નવરત્નોમાંના એક શ્રી રહીમદાસજીએ એમના એક દુહામાં સાચું જ કહ્યું છે:
“जो रहीम उत्तम प्रकृति, का करी सकत कुसंग।
चंदन विष व्यापत नहीं, लिपटे रहत भुजंग।।”
આ દુહામાં રહીમદાસજી કહે છે કે વ્યક્તિ પોતાની મૂળ પ્રકૃતિ ક્યારેય ત્યજતો નથી. કવિ કહે છે કે કોઈ કુસંગ અર્થાત્ ખરાબ સંગત, શ્રેષ્ઠ સ્વભાવ ધરાવતી વ્યક્તિની સજ્જનતાને ડગાવી શકતા નથી. આ વાતને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરતાં ચંદન અને સર્પનો ઉદાહરણ પ્રસ્તુત કર્યો છે.
શીતળાતા અને શુદ્ધતા એ ચંદનનો મૂળ ગુણધર્મ છે. ઝેર અને ક્રોધ એ સર્પનો સ્વભાવ. શીતળતા અને સુગંધથી પ્રભાવિત સર્પો ચંદનના વૃક્ષને સતત વીંટળાયેલા રહે છે. ઉપરાંત, સતત ફુંકાર્યા કરે છે. પરંતુ ચંદનનું વૃક્ષ કયારેય ઝેરી થઈ જતું નથી.
અર્થાત્, What you are, you are. None can change you.
————
—-પલ્લવી ગુપ્તા 🌷
****************************** ************
*ગ્રુપ સંચાલક શ્રી : જીજ્ઞા કપુરીયા,* નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી,કિશોર ઠક્કર * સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી * સહ સંચાલક શ્રી: પ્રણવ ઝાંખર,મનીષ વોરા
ગ્રાફિક્સ,ડીઝાઇન : પ્રણવ ઝાંખર