ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગીય સ્પર્ધા મા ભાગ લેવા ૩૦ જૂન સુધી મેમ્બર શીપ માત્ર ₹.૨૦૦,૩૦ જૂન પછી ૩૧/૧૨/૨૦૨૧ સુધી ના ₹ ૫૦૦..( મો.9824653076)
*******”**********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય ગ્રુપ મા આજે નિર્ણાયક અને એડમીન ટીમ ના સભ્યો ની રચનાઓ…..પ્રસ્તુત
આયોજક : પ્રદીપ રાવલ…
સંચાલક : જીજ્ઞા કપુરિયા
*******””**””””*******************
*કોરોના અને મધ્યમવર્ગ*
કોરોના….. કોરોના……કોરોના……!આખી દુનિયામાં કોરોનાના નામની રાડ ફાટી ગઈ છે.ઉચ્ચવર્ગના થી લઈને નીચલા વર્ગનો દરેક માનવી કોરોનાની અસરની ઝપટમાં આવી ગયો છે.ત્રણ ત્રણ મહીનાનું લૉકડાઉન.ઉચ્ચવર્ગને વાંધો ન આવ્યો, નીચલા વર્ગની તકલીફોનો રસ્તો કરવાની જવાબદારી અનેક નેતા કે અભિનેતા અથવા સામાજીક સંસ્થાઓએ ઉપાડી લીધી.પરંતુ મધ્યમવર્ગનો માનવી તકલીફો હોવા છતાં જતાવતો નથી.શરૂ શરૂમાંતો ગાંઠે જે હતું જેટલું હતું એમાં ચલાવ્યું.કોરોનાથી સંક્રમિત ન થવાના અનેક ઉપાયોમાં ગુંથાયેલો રહ્યો.જેણે જે ઉપાયો બતાવ્યા એને અનુસરતો રહ્યો.મહામારીની શરૂઆત હતી એટલે ખૂબ સાવચેત રહ્યો.અને એટલેજ બીજી તકલીફો તરફ એનું ધ્યાન નહોતું જતું.પરંતુ જેમ જેમ દિવસો મહીનાઓમાં પલટાતા ગયા તેમ તેમ એને મોઢાં પર બાંધેલુ માસ્ક કોઠે પડવા લાગ્યું.કારણકે માસ્ક પહેરવાથી હોઠો પર અને ચહેરા પર આવી જતી હ્રદયની વ્યથા ઢંકાઈ જાય છે.એ મધ્યમવર્ગનો માનવી વૉટસપ પર આવતા જૉક્સ, શાયરીઓ, અને કહેવતો કવિતાઓ પર પરાણે હસીને કે દાદ આપીને પોતાની તકલીફોના રૂદનને દબાવી દે છે.વૉટ્સપ પર આવતા કોરોનાથી બચવાના ઘરગથ્થુ દરેક ઉપાયો અજમાવે છે અને સંતોષ માને છે કે હાશ! મારો પરિવાર સુરક્ષિત છે.પરંતુ અંદરને અંદર ક્યાંક ડરે છે રખેને જો પરિવારમાંથી કોઈને પણ કોરોના થયું તો હૉસ્પિટલના લાખો રૂપિયાના બિલ હું કેવી રીતે ચૂકવીશ.લૉકડાઉન દરમ્યાન આજ મધ્યમવર્ગનો માનવી સામાજીક સંસ્થાઓ સાથે મળીને જરૂરિયાતવાળા લોકોને અનાજ વિતરણ જેવી સેવાઓ કરવામાં આગળ પડતો ભાગ ભજવે છે.અને ઘરે આવીને પોતાના હલકા ખિસ્સાને જોઈને પરેશાન થઈ જાય છે.ત્યારે એજ મધ્યમવર્ગીય માનવીની પત્ની એને ‘ જે હશે એમાં ચલાવી લઈશ, તમે ચિંતા ન કરો.’ કહીને એને હિંમત આપે છે.ત્યારે એ પરેશાન મધ્યમવર્ગીય માનવીમાં ફરી આ યુધ્ધ લડવા ચેતના આવી જાય છે અને ફરી એજ માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ એજ ઊકાળા, ઈલાજો અને એજ વૉટસપના જૉક્સ,શાયરી અને કવિતા કહેવતોમાં………!!! પરોવાઈ જાય છે.
આરતી અ. મરચંટ
મુંબઈ : કાંદીવલી. (સહ નિર્ણાયક)
*******************************
આત્મવંચના….
મંત્ર…..
નાનપણ મા પડોશી માસ્તરકાકા મંત્રોચાર કરે ને મન મા પ્રશ્ન ઉઠે શું બોલે છે ..??શુ ગણગણે છે??પણ બોલાય નહિ..નહિ તો મણિબા ની ડાંટ પડે .એમને કેટલો વિશ્વાસ હતો,માસ્તરકાકા પર.મને એ મંત્રો ને બદલે રસ હતો, વાડકીના પ્રસાદ મા ..જ્યા મંત્રોચાર પૂરા કે હુ બારી પર ..નાની વાડકી ના એ પ્રસાદ પર તેમના બાળકો કરતા પ્રથમ મારો હક.કેમ???
ત્યારે ગલી ભાવના નહિ પણ કુટુંબ ભાવના હતી.તેવીજ રીતે બીજું બુઝુર્ગ પતિ પત્ની નું જોડું હતું વકિલકાકા રસિકકાકા ને ભાનુકાકી ત્રણ દીકરી ના તે જમાના મા માતા પિતા હંમેશ ચિંતિત .ત્યા મંત્ર હતો ગુરૂ દેવ દત્ત નો…એના પછી મનહરકાકા ને વીણામાસી એ પણ બ્રાહ્મણ કુટુંબ શાંત સદાચારી એ ઘર મા હક્ક હતો મારો પણ મંત્ર હતો હૃદયની વિશાળતાનો પરણીને સાસરે ગઈ પણ જ્યારે જ્યારે ગલી મા પ્રવેશતી તો મળતો પહેલો આવકારો “આવી બહેન રોકાવાની છે ને??વીણામાસી નો…સામે રહેતા મંગુમાસી સદા બધાને મદદ કરવી એ મંત્ર ત્યા કોપરાને ગોળની વાડકી ભરાતી જેમાં મારો હિસ્સો રહેતો..એમના પુત્ર અશોકકાકા ને પુત્રવધૂ પુષ્પાકાકી મહેમાન હતા અમારી ગલીના,દિનેશકાકા પાસે અવનવી વાતો મળતી જીંદગી વિચારો મા વિતી ગઈ.ધનુકાકી નો દરવાજો અમારી ગલી મા પણ ક્યારેય તેઓ હિસ્સો ન બન્યા..કોઈ મંત્ર જ નહિ…કુસુમકાકી નો મંત્ર હિંચકો…પણ વાર્તા વાંચવાનો શોખ તેમના દ્વારા મળ્યો..એ મોટો પ્રસાદ હતો..દિવાળીબા.. રોજ સાંજે રમિયે ને મારા
પિટિયા નો મંત્ર ..કેમ પણ અમારા રમવા મા એમને કેમ વાંધો ..? હવે સમજાય
છે બાળપણ એમણે માણેલું જ નહિ..! ગિરજાશંકરકાકા ને કપિલાકાકી સરસ દંપતિ ક્યારેય અવાજ નહિ.પણ રોજ સવારે સફેદ કપડા મા જતા કાકા સાંજે કાળા કપડા કરી આવતા ..કોલસાનો ધંધો કરતા તેથી હમેશાં પ્રશ્ન ઉઠતો ખરેખર બ્રાહ્મણ છે?
બ્રાહ્મણો ની વચ્ચે અમે બેપટેલકુટુંબ,નટવરકાકા નો મંત્ર આખી ખડકીને શિસ્ત મા રાખવી..કાકી પ્રેમાળ..ભાઈ ને ભાભી ની ઠંડા પાણીના માટલા પર મારો હક્ક ,ઘરમાં કદી પાણી પીધું નથી..મારા ધરમાં “ઓમ નમો ભગવંતે વાસુદેવાયનો મંત્ર”ગલી મા જેટલા બધા ને ત્યા હુ હક જમાવતી તે બધા ના બાળ
બચ્ચા નો મારા ઘરમાં હક્કમારા
દાદી સર્વ ના ગુર,પિતા અલગારી પણ નરસિંહ મહેતા ને કાકા કાકી ગલી ના મહેમાન… મારી” મમ્મી”આખી ગલી ની “મા” ગરમ ચોપડા અથાણું ..મુઠિયા ને પિકનિક ના જલસા ,ગરબા જીવી ત્યા સુધી ગલીમાં ગવાયા ને…
આજે મારા ઘરના પગથિયા ચઢુ છુ તો મુંબઈમાં લાગે છે “એકલતાનો”મંત્ર..પાડોશી છ મહિનાથી રહેવા આવ્યા છે પણ મોઢું નથી જોયું .આમ તો સામાન્ય જ વાત છે ભર્યા ભર્યા આંગણા ના આ આત્માને આ “મંત્ર” કઠે છે મિત્રો ક્યારેય આ ભાવના જન્મશે એ પ્રશ્ન “મંત્ર” બની ઘૂમે છે…????
જયશ્રી પટેલ (નિર્ણાયક શ્રી)
********************************
*અથાણું*
કાશીબા સિઝન બહું ચીવટથી જાતે જ ભરતા. તેમના અથાણાં, મુરબ્બાની ખ્યાતિ આખા ગામમાં ફેલાયેલી. કોઈ તેમના કામમાં વચ્ચે આવવાની હિંમત પણ ન કરતું. આજે સવારથી તેઓ અથાણાંની તૈયારી કરતા હતાં. નાની ટીનુ તેમની હિલચાલ તાકીને જોઈ રહો હતી.
તેઓ એક મોટી થાળીમાં મસાલાની નાની નાની ઢગલી કરી અંદાજ કાઢતા હતા ત્યારે “બગડે તો આખું વર્ષ બગડે”, તેમના અડધા બોલાયેલા વાક્યને ટીનુએ બરાબર ઝડપી લીધું.
“શું બગડે તો આખું વર્ષ બગડે બા.”
“આ મરચું, એટલે કે તારા દાદા, તીખા તમતમતા!” બોખા મોંઢે હાસ્ય ગજબનું લાગતું હતું.
ટીનુને બાની વાતમાં મજા પડી.
“બા આ કોણ છે.” મેથીની ઢગલી તરફ આંગળી ચીંધી તેણે પૂછ્યું.
“આ તો હું, કડવી પણ ગુણકારી.” ફરી ખડખડાટ હસી પડ્યા.
હવે એમને ટીનુના બધા સવાલ ખબર હોય એમ આગળ ચલાવ્યું,” આ હળદળ એ તારી ફોઈ. કામ ઓછું ને રૂપ-રંગની માથાકૂટ વધારે. આ હિંગ એ તારા કાકા. ઘરમાં ન હોય ત્યારે ગેરહાજરી ન વર્તાય પણ તેના વગર મજા ન આવે.”
મીઠા-મેથીની ઢગલી કરી બધા મસાલા ઉમેરી બાએ સરસ સંભાર તૈયાર કરી દીધો.
ત્યાં જ પરસાળમાં ભઈલાનો રડવાનો અવાજ આવ્યો. ઘરના બધા તે ભણી દોડી ગયા. આળોટતા પલંગ પરથી પડતા થોડું વાગ્યું હતું. છાનો રાખવાની કોશિશ કરતા બધાં તેને વીંટળાઈ ગયા.
ભઈલો રડતો શાંત થઈ ગયો એટલે કાશીબા પાછા તેમના કામે વળગ્યા. ટીનુ તેમની પાછળ ખેંચાઈ આવી.
કાશીબા ટીનુની ચતુરાઈને વંદી રહ્યા. ટીનુના જીવનનું કોઈ વર્ષ નહીં બગડે એ વાતની તેમને ખાતરી થઈ ગઈ.
વંદના વાણી ( નિર્ણાયક શ્રી)
**********************†********
*શીર્ષક:- કોફીની ચુસ્કીએ….*
કોફીની ચુસ્કીએ હવે તને યાદ કરું,
કોની પાસે જઈ બધી ફરિયાદ કરું?
મારી રોમેરોમમાં તું જ તો સમાયો છે,
કેવી રીતે મારામાંથી તને બાદ કરું?
કસર નથી રાખી દિલ તોડવામાં તે,
ક્યાં જઈ મારો પ્રેમ હવે આબાદ કરું?
માન્યું, નથી ફાવટ તને પ્રેમની જરા,
કેમ મારી જીંદગી હું બરબાદ કરું?
ખોવાયો છે તું દુનિયાની ભીડમાં ક્યાંક,
કઈ ચોખટે જઈ તને હું સાદ કરું?
આરતી રામાણી “એન્જલ”…. જેતપુર
********************************
તો તો પછી જોવા જેવી થાય,
જો સુદામો સ્ટાર થઈ જાય.
હવે કોણ આ કૃષ્ણ ?
ને કેવી દ્વારિકા..?
એને યાદ હવે થોડું કરાય ?
ગામ જો જાણે તો આપણી આબરૂ શું ?
નામ આપણું હવે નીચું ન થઈ જાય ?
જો સુદામો સ્ટાર થઈ જાય.
ચપટીક તાંદુલ નો હવે ભાવ કોણ પૂછે ?
હવે ચિકન બિરયાની ખવાય…
ને બિરયાની એકલી તો ફાવે નહિ એટલે..
રોજ સાંજે બોટલ ખોલાય..
જો સુદામો સ્ટાર થઈ જાય.સગા સંબંધીઓ ને આવવા ન દેતા.
એવી દ્વારપાળ ને સૂચના અપાય.
એપોઇન્ટમેન્ટ વિના આવવું નહિ
એવું મસમોટું બોર્ડ મુકાય.
વિશ્વામિત્ર આવે કે આવે વશિષ્ઠ.
ને સાંદિપની ને તો ફરકવા ન દેતા..
વજનદાર તાળા મરાય..
અંદરખાને એક નાનેરું ભોંયરૂ..ને ભોંયરામાં..
અપ્સરા ની મહેફિલ મંડાય..
જો સુદામો સ્ટાર થઈ જાય.
તો તો જોવા જેવી થાય…
જો સુદામો સ્ટાર થઈ જાય.
કિશોર સચદે.
#natakwala
**********†*******†************
‘તું’કારો
તમને તું કારે બોલાવનારું કોઈ ના હોય તો માનજો કે તમે સાચે જ એકલા છો અને સાવ નિષ્ફળ છો,સાવ ગરીબ છો……
ઘન દોલત,માન સન્માન,હોદ્દો,ઈજ્જત આબરુ……
આ બધું ય એક તું કાર આગળ મૂલ્યવિહીન છે.
એક બાજુ વાલબાઈની વાળી અને એક બાજુ સિદ્ધયોગીની જીંદગીભરની તપસ્યાના પુણ્યની જેમ.
જેમ વાલબાઈની વાળી જ ભારે રહી…..
એમ એક બાજુ એક તું કાર અને એકબાજુ જીંદગી ભરનાં માન અકરામ….
માની લો કે
તમને અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો,તમે બચી પણ ગયા….
તમારી ખબર પૂછવા માટે માણસોની લાઈન લાગી છે….પણ ખરેખર તમારી ખબર પૂછવા કેટલા આવ્યા છે? એ તમે જાતે જ નક્કી કરજો.
મોટા ભાગના તો તમારા હોદ્દાની અને તમારી દોલતની ખબર પૂછવા આવ્યા હોય છે.
“સાહેબ !!!…કેમ છે હવે તબિયત?
અરે,આ ડૉકટરની હોસ્પિટલ માં રહેવાતું હશે?
તમારી પાસે ક્યાં રુપિયાની કમી છે…
મોટી હોસ્પિટલમાં જવું જોઈએ ને!
આ તો ‘ગરીબો’ની હોસ્પિટલ છે.
અરે,સાહેબ…
અમે નગુણા નથી..તમે ગઈ વખતે અમારી ‘મદદ’ કરી હતી એટલે….
તમારી ખબર પૂછવા તો આવવું જ જોઈએ ને.”
આ બધી ભીડની વચ્ચે તમારી નજર એક એવા માણસને ગોતતી હોય છે કે જે….
તમારા ખાટલે આવીને તમને ધબ્બો મારીને કહે…
અલ્યા,તું ભડ જેવો થઈને આમ ઢીલો કેમ થઈ ગયો છે…
હું આવી ગયો છું હવે….
આ હુમલા-બુમલાને આપણે ગાંઠવાનો જ નથી.
લે હેંડ હવે જલ્દી સાજો થઈ જા એટલે વળી ફાફડા જલેબી ખાવા જઈએ….
તારા વગર મેં પણ ફાફડા જલેબી ખાવાના બંધ કરી દીધા છે.
અને
ચોથા દિવસે તો એ બધા મિત્રો સાથે મળીને વટથી ફાફડા જલેબી ઉડાવતા હોય ને..
એ છે તું કારની તાકાત.
કચ્છી ભાષામાં અમુક જ્ઞાતિ માં બાપને પણ તું કહીને જ બોલાવે છે.
મોટો અધિકારી કે ડૉકટર ….કલેકટર…બધાને એ લોકો તું જ કહે.
ઘણાનું કહેવું છે કે એ થોડી તોછડાઈ કહેવાય. શરુવાત માં હું પણ એમ જ માનતો હતો પણ એનો બોલવાનો લહેકો સાંભળ્યા પછી લાગે કે એ તું કારમાં જે પ્રેમ છે એ બીજે ક્યાં?…
અને આમ જોવા જઈએ તો એ તું કારમાં જે આદર હોય છે.,એ તું કારમાં જે લાગણી છે એ માનવાચક શબ્દોમાં ક્યાંથી?
બસ,તમે કોણ છે એનાથી એને બહુ મતલબ નથી પણ તું મારો મિત્ર છે ને મારું કામ તમે કરશો જ …નકરો એવો જ ભાવ ભર્યો હોય છે એમાં.
ગરીબ માણસ મરી જાય પછી એની સ્મશાનયાત્રામાં જો એને લાગણીથી તું કારો દેનારા બે-ચાર જણા હાજર હોયને તો હું નથી માનતો કે એ માણસ નિર્ધન હતો અને એનો આ દુનિયા પરનો ફેરો ફોગટ ગયો.
અને કરોડપતિની સ્મશાનયાત્રા માં બધા એમ જ કહેનારા હોય કે…’શેઠ સારા હતા’….
તો એના જેવો કોઈ ગરીબ મર્યો નથી એમ સમજવું.
હા,પણ એ તું કારો ત્યારે જ સારો લાગે કે જયારે એ તું કારો દિલને હોય, આત્માને હોય….
માણસની સ્થિતિ કે એના હોદ્દાને નહી.
નાણા વગરનો નાથિયાને નાણે નાથાલાલની જેમ નહી…
બાકી તો મોટા મોટા રાજા-મહારાજાઓ અને જાગીરદારો અને શ્રીમંતો પણ માનના ભાર પાછળ હીજરાઈ હીજરાઈને મરી ગયા છે.
સાલું,આ દિલ કોની જોડે ખોલવું ? કોક તો જોઈએ ને!
એ દિલના દરવાજાની ચાવી એની પાસે જ હોય,એ એની પાસે જ ખૂલે જેને તમે તું કહીને બોલાવી શકતા હોય.
અને જેનું દિલ મિત્રો જોડે ખૂલ્યું ના હોય એને પછી આજના જમાનામાં ઓપરેશન થિયેટરમાં જઈને ખોલાવવું પડે છે.
એટલે જ કહું છું કે.. .
વધારે નહી તો એકાદ મિત્ર તો એવો રાખજો જ જે તમને તુંકારે બોલાવી શકે અને તમે તેની જોડે કોઈ પણ જાતના સંકોચ વગર બધી જ વાત કરી શકો.