GN_25_6-20 (News of Gandhinagar PDF)
બાબા રામદેવની કોરોનીલ દવાનો ભંડાફોડ આયુષ મંત્રાલય દ્વારા જાહેર થતાં મોદીનો ચહિતો બાબા રામદેવ ઉપર ગુનાહિત કૃત્ય બદલ ધરપકડ કરી જેલની સજા કરાવે.
નહીં તો મોદી પણ આની આવકમાં સંડોવાયેલ છે.તે સાબિત થાય છે.
દેશની 135 કરોડ જનસમુદાયના આરોગ્ય સાથે ચેડાં કરી લોકોનાં જીવન સાથે ખિલાવડ કર્યો છે.।
https://m.facebook.com/story.php?story_fbid=587488895505205&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=587791348808293&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=587581762162585&id=100027322995343
*🙏🙏 કળવુ સત્ય 🙏🙏*
*80 લાખની વસતી ધરાવતા ઇઝરાયલમાં 1,000 ડીફેન્સ કંપનીઓ છે..*
*_જે વર્ષે 7.5 અબજ ડોલરના શસ્ત્રોની નિકાસ કરે છે._*
*અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે.*
*1.35 અબજની વસતી ધરાવતા ભારતમાં 1,00,000 જ્ઞાતિ મંડળો છે..*
*જે એકઠા થાય ત્યારે એક બીજાની પત્તર ઠોકવા સિવાય બીજી કોઈ મહાન પ્રવૃત્તિ કરતાજ નથી…*
*અને બીજી કટૂ સત્યતા એ કે..,*
*ભારતમાં સૌથી મોટો બિઝનેસ ધર્મ, બીજો રાજનીતિ અને ત્રીજો છે દલાલી. મહત્વની વાત એ છે કે ત્રણેય ટેક્સ-ફ્રી છે. કડવું છે પણ સત્ય છે*
*ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ દેશ વિશ્ચ ગુરૂ બને ..?*
*બાળ વિભાગ*
*_શહીદની આત્મકથા_*
મારો હોદ્દો એડમિરલ, નૌકાદળ ની પ્રધાન. શહીદ તો થયી છું, પરંતુ એનો કોઈ શોક નથી! હા, હું સ્ત્રી છું, તેથી શું? સ્ત્રી દેશભક્તિ વ્યક્ત ન કરી શકે? કરી જ શકે, મેં કરી!
*ઓળખાણ કોને કહેવાય એ દુનિયાને બતાવી દેશું; નામ વિના આવ્યા ‘તા આ દુનિયામાં, દેશ માટે જાન કુરબાન કરી નામ અમે બનાવી જઇશું.*
હા, હું મારા વતન માટે લડતા મરણ પામી છું; દેશદ્રોહી બીજી બાજુથી લડવા આવતાં હતાં અને અમને મોડી ખબર પડી. હતી અમારી બેદરકારી, પણ જેવી જાણ થઈ, તેવી તૈયારી શરૂ કરી. આવ્યાં તેઓ લડવા, ત્રણ સામે એકનું સમીકરણ સમજાયું હતું, પરંતુ રગેરગમાં દેશભક્તિ વહેતી હતી, તેથી ત્રણસોનો ભય શેનો?
*”યાહોમ કરીને પડો, ફતેહ છે આગે.”*
~ _કવિ શ્રી નર્મદ._
મારી ટુકડીએ મને ગર્વની લાગણીનો અનુભવ આપ્યો; જીવ પર આવીને લડ્યા. આખરી શત્રુને બંદી બનાવતા મારી પીઠ પર પ્રહાર કરવામાં આવ્યો અને મારું પાર્થિવ શરીર જળસમાધી લે, તે પહેલાંજ લહેરાતા ત્રિરંગી ધ્વજને જોઈને મારો આ જન્મ સાર્થક થયાની અનુભૂતી થઈ.
હું ઈશ્વરને આભારી છું; તેમને હું પ્રાર્થુ છું કે, મારી નૌકાસેનાને અભેદ્ય રહે, મારાં દેશને હંમેશા સુરક્ષિત રાખે અને મારાં પરિવારને સુખ તથા શાંતિ અર્પે.
અસ્તુ!!!
✍🏻 *ઋજુ અપૂર્વ શાહ* ✍🏻
_ધોરણ –
બાળ વિભાગ
શહીદની આત્મકથા
હું સૈનિક. .મમ્મી પપ્પા નું સપનું હતુ કે હું દેશની સેવા કરું અને સૈનિક બનું .
હુ મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવા સવારે વહેલો ઊઠીને દોડવા જતો, કસરત કરતો અને રાત્રે મોડો સુવા જતો, ત્યારે મારી ઉમ્ર સોળ વર્ષની હતી. મારા મમ્મી પપ્પા અને મારી ચાર બહેનો મારી બહેન જોઇને રાજી થતાં હું ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો.અમે ઝગડો કરતાં સાથે રમતાં હું મારી બહેનોનો લાડલો ભાઈ હતો.
હુ સતર વર્ષે સૈનિકની ટ્રેનીગમાં જોડાયો
થોડાક જ દિવસોમાં નોકરી મળી. મારા મમ્મી પાપા બહુ ખુશ હતા.
૨૭/૧/૨૦૦૫ ના ૯:૧૫ વાગે હુ બોર્ડર પર જવા હુ મારા ઘરથી નીકળો. હું બધાને સ્નેહથી જોતો રહ્યો મારી બહેનો મને એમ જોતી જાયે કે હુ પાછો નથી આવવાનો અને મમ્મી પપ્પાની નજર મારા ચહેરાથી ખસતી જ ન હતી. હુ ગાડીમાં બેઠોં, હુ રસ્તામાં વીચારતો હતો કે મારા પહેલાં પગાર મા મારી બહેનો માટે શું લઇ આવું, મમ્મી પપ્પા માટે શું….?આમ બોર્ડર પર પહોંરયા ત્યા મારા બીજા ફૌજી ભાઈઓ પણ હતા.
એક રાત્રે અચાનક ગોળીઓનું અવાજ આવ્યોં, મે જોવું કે એ અવાજ ક્યાથી આવે છે. એ પહેલા જ મારી સાથે રહેલા સૈનિકને ગોળી વાગી હું ત્યાં જાઉં તે પહેલા મને પણ પીઠ પર બે ત્રણ ગોળીયો લાગી મે પાછળ જોયું તો છાતીની ગોળી વાગી અને હું પડી ગયો મને મારી બહેનો અને મમ્મી-પપ્પાનું મોઢું દેખાતું અને મારો શરીર માતૃભૂમિના ખોળામાં છેલ્લા શ્વાસ ભરતાં આળોટવા લાગ્યું
હુ એક સૈનિક (આર્મી) થી લઇ એક શહીદ કેવાયો
સંગાર ગાયત્રી રમેશ ભાઈ (ઉઠાર)
ધોરણ:૧૦
*બાળવિભાગ*
*એક શહીદની આત્મકથા*
મારાં પપ્પા અને મારાં દાદા બંને સૈન્યમાં હતાં.તેમને જોઈને મારી પણ નાનપણથી જ સૈનિક બનવાની ઈચ્છા હતી.દેશ માટે કંઈક કરી છુટવાની તમન્ના અને દેશભકિત મારી રગેરગમાં વહેતી હતી.તેથી મારું ભણતર પૂરું થયા બાદ મેં સૈનિક બનવા માટેની તાલીમ લીધી અને થોડા દિવસોમાં લેહ-લદ્દાખની સીમા પર સૈનિક તરીકે મારી નિમણૂક થઈ.હું ખૂબ ખુશ હતો કે હું સૈનિક બની શકયો.સરહદ પર મારે અને મારાં સાથીઓએ ખૂબ સચેત રહેવું પડતું હતું.પડોસી દેશનાં સૈનિકો કયાંય આપણાં દેશમાં ઘૂસી ન જાય તેનું અમારે ધ્યાન રાખવું પડતું હતું.
એક દિવસ હું અને મારાં સાથીઓ શિયાળાની ઠંડી અને અંધારી રાતે તાપણું કરીને બેઠા હતા.ત્યાં જ અચાનક પાછળથી ગોળીબારનો અવાજ આવ્યો.હું અને મારાં સાથીઓ તરત જ અમારી બંદૂક લઈને તૈયાર થઈ ગયા.અમે પૂરી તાકાતથી પડોસી દેશનાં સૈનિકો સાથે લડયા.લડતાં-લડતાં મારાં અનેક સાથીઓ શહીદ થયા.હું પણ પૂરી રીતે ઘવાયો.તે છતાં હું અને મારાં બાકીના સૈનિક મિત્રો લડતાં રહ્યાં અને થોડીવારમાં જ જાણે ભારતમાતાએ મને બોલાવ્યો હોય તેમ જ એક ગોળી મને વાગી અને મારાં જોશ અને પ્રાણને વીંધી ગઈ.હું મારી માતૃભૂમિને અને મારાં માતા-પિતાને આખરી સલામ કરી એક બીજી જ દુનિયાનાં રસ્તે ચાલી નીકળ્યો,શહીદ થઈ ગયો.
મારાં પ્રાણ ગયા તેનો મને લેશમાત્ર ખેદ નથી.પરંતુ મને ખુશી એ વાતની છે કે મારી માતૃભૂમિ સલામત રહી.આજે પણ હું આકાશમાંથી મારાં દેશને જોઉં છું અને મારાં દેશનાં લોકોને હસતાં-રમતાં જોઈ એક અલગ જ આનંદ અનુભવું છું.એ સાથે જ પ્રાર્થના કરતો રહું છું કે કદી મારાં દેશ પર કોઈ સંકટ ન આવે અને મારો દેશ સદાય પ્રગતિનાં શિખરો સર કરતો રહે!
રિધ્ધી ત્રિવેદી✍🏻
Std.-10
વિભાગ: બાળ વિભાગ*
*શીર્ષક: શહીદ ની આત્મકથા*
હું મારા જીવનના અંતિમશ્વાસ સુધી નિડર અને આક્રમક બનીને લડ્યો. એપ્રિલ ૧૯૯૯ દરમ્યાન કારગિલ વિસ્તારમાં આતંકવાદી ઘૂસી આવ્યા હતા. આપણી સરહદમાંથી તેમને પાછા હાંકી કાઢવા માટે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી.હું કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવા માટે તૈયાર હતો.
કુદરતી પરિબળ, દુશ્મન દેશનું સૈન્ય અને મર્યાદિત સાધનથી આપણી માતૃભૂમિની રક્ષા કરવાની હતી. અમારી ટુકડીનો હું નાનો સિપાહી હતો. જેણે મોટા સાહેબ માટે સંદેશ વ્યવસ્થા જોવાનું અગત્યનું કામ હતું. પણ સાહેબે મને હથિયાર ચલાવવાની તાલીમ આપી હતી. મને ખબર છે કે લડાઈ વખતે જેટલો જરૂરી દારૂગોળો, સૈન્યબળ વગેરેની જરૂર હોય, તે અમારા થકી પુરી કરવામાં આવે છે. તે સમયે મારી પાસે એક રાઇફલ અને થોડીક ગોળીઓ હતી. મોટે ભાગે હું સંદેશ વ્યવ્હાર નું કામ કરતો પરંતુ તે વખતે મને હથિયાર ઉપયોગ કરવો પડ્યો હતો. અમારા દળથી વધુ આતંકવાદી માર્યા હતા. યુધ્ધ પછી મને ‘વિરચક્ર’ ના ખિતાબ આપવામાં આવ્યો.
એક રસ્સોયો જે ટુકડી માટે જમવાનું બનાવવાનું કામ કરે છે, તે જરૂર પડે તો રસોડાના મોર્ચાથી યુધ્ધના મોર્ચે પણ લડે છે. આ સમાચાર અમારા થકી જ પહોચ્યા ત્યારે અમને પણ આવો મોકો મળે તેવી અમે ભારત માતાને પ્રાર્થના કરતા. જે મોકો આજે મને મળ્યો અને મારુ સ્વપ્ન તીરંગામાં લપેટાઈ ને મારા ગામ જવાનું જે હતુ તે પુર્ણ થયું.માતૃભૂમિની રક્ષા કરવાનો અવસર મને પ્રાપ્ત થાયો.મારી વાતો સાંભળી તમારામાં પણ દેશપ્રમે જગ્યો હશે.
ધાર્મિક ક. ડોડીયા
(Std 10)
[ ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ : બાળ વિભાગ
શીર્ષક : મારું ગામ(मेरा गाँव)
मेरे गाँव का नाम वेरावल है। मेरा गाँव प्रसिद्ध ज्योतिर्लिंग सोमनाथ से ७ किलोमीटर की दूरी पर स्थित है। मैं अक्सर दिवाली की छुट्टियों में मेरे माता पिता और भाई के साथ मेरे गाँव जाता हूँ। मुझे मेरे परिवार के साथ वहाँ दिवाली मनाने मे बहुत मझा आता है।
गाँव में बहुत सारे नारियल के पेड है। गाँव के हरे-भरे खेत और क्रिकेट खेलने के लिए बडा मैदान मुझे ज़्यादा अच्छे लगते हैं। मेरे गाँव में इन्डियन रेयान की फैक्टरी भी है। फैक्टरी की बाहरी दीवारों पर स्वच्छता अभियान के सुंदर चित्र बनाए गए हैं। गाँव के ज्यादातर लोग इस फैक्टरी में काम करते है। कुछ लोग खेती करते है और समंदर नज़दीक होने के कारण मछुआरे का काम भी करते है।
गाँव में भी मेरे बहुत सारे दोस्त हैं। हम सब साथ मिलकर पूरा दिन खेलते है और वे मुझे गाँव की अलग अलग जगह दिखाने भी ले जाते है। हम जब-भी गाँव जाते है तो सोमनाथ मंदिर अवश्य जाते है। सोमनाथ मंदिर के पास ही समंदर है जिसे देखने का मझा आता है। यह मंदिर बहुत बड़ा है और उसकी कुछ ही दूरी पर भालका तीर्थ भी है जहाँ भगवान श्रीकृष्ण ने देहत्याग किया था।
मेरा गाँव प्राकृतिक सुंदरता से भरपूर है।
मुझे मेरा गाँव बहुत प्यारा है। गाँव में सब के साथ रहने में बड़ा मझा आता है।
✍️धैर्य जिग्नेश महेता
વિભાગ: બાળ વિભાગ
શિર્ષક: મારું ગામ
મારા ગામ નું નામ વિશ્રામપુર છે. મારું ગામ સમુદ્ર કિનારે આવેલું છે. મારા ગામ મા સુંદરતા, તાજગી અને શાંતિ નો મેળાપ છે.
આખું વર્ષ અહીં ફળ ફુલ પુષ્કળ પ્રમાણમાં ઊગે છે.અહીં ઊગેલુ અનાજ શુધ્ધ સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે. મારુ ગામ લગભગ ૨૦૦૦ લોકો ની વસ્તી ધરાવતું નાનકડુ ગામ છે . મુખ્યત્વે
ખેતી અને પશુપાલન અમારા ગામ નો મુખ્ય વ્યવસાય છે. અમારા ગામ માં એક મોટું તળાવ છે જેથી લોકો ને પીવા માટે પાણી ની તકલીફ પડતી નથી .તળાવના કિનારે સુંદર ઝાડો છોડવા અને લીલોતરી ખુબજ છે .અને ભગવાન શ્રી કૃષ્ણ નું એક સુંદર મંદિર પણ આવેલું છે. સવાર સાંજ ત્યા આરતી થાય તે સમયે બધા જ ગામ વાસી ભેગા મળે છે. અને ભક્તિભાવ થી પુજા કરે છે.
મારા ગામ માં બાળકો માટે એક સરકારી શાળા છે.મારા ગામ માં એક દવાખાનુ અને એક બેંક પણ છે.મારા ગામ ના લોકો સાધારણ જીવન જીવે છે પણ સહુ એકબીજા સાથે ભાઈચારા અને આત્મીયતા થી રહે છે.
શહેરમાં લોકો સુખ સુવિધા ની પાછળ દોટ મુકી ખરું જીવન જીવવાનું જ ભુલી ગયા છે.
પણ જયારે જયારે હું મારા ગામ માં જાવ છું ત્યારે હું જોઉં છું કે ખરો આનંદ ખરું જીવન અને જીવવાની શાંતિ અને સુખ તો આપણા ગામડાંઓ મા જ છે.
મને મારા ગામ પ્રત્યે ખુબજ પ્રેમ અને આત્મીયતા છે.
✍🏻જાન્હવી રાજેશ ચુડાસમા
ધોરણ .૬
મલાડ (મુંબઈ)
ન્યૂઝ ઑફ ગાંધીનગર*
*બાળવિભાગ*
*શીષૅક – ગોકુળિયું ગામ*
સુંદર મજાનું મારૂં ગામ,
રૂડું રૂપાળું મારૂં ગામ.
પ્રભાતે પંખીઓનો કલરવ,
સંધ્યાટાણે આરતીનો ઘંટારવ.
કૂવે પાણી ભરતી પનિહારીઓ,
તળાવે લૂગડાં છબછબાવતી નારીઓ.
ખુલ્લાં ખેતરોમાં ફરતી ભેરૂઓની ટોળી,
વડના ઓટલે બેસે ઘરડાંઓની મંડળી.
મુખી અને સરપંચ છે ગામના અગ્રણી,
ગ્રામપંચાયતની ઓફિસે વિકાસના કામોની શ્રેણી.
ચોવીસ કલાક વીજળી અને સ્વચ્છ રસ્તાઓ,
શાળા, પુસ્તકાલય અને દાકતરી સેવાઓ.
રહે સૌ હળીમળીને એકસાથ.
આ છે મારૂં ગોકુળિયું ગામ.
*પ્રિયાંશી શાહ “પાખી”*
*ધોરણ – ૭*
****************************************
આયોજક : પ્રદીપ રાવલ.(9824653073)♥
સંચાલક : જીજ્ઞા કપુરીયા નિર્ણાયક શ્રી: જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠક્કર સહ સંચાલક : પ્રણવ ઝાંખર,મનીષ વોરા સહ નિર્ણાયક : આરતી મરચંટ,આરતી રામાણી
*ન્યુઝ ઓફ ગાંધીનગર બાળવિભાગ*