*વાલીઓનું સતાધિશોને એલાન*
*બંધારણની કલમ ૧૪,૨૧-ક, ૪૫ મુજબ રાજયના વિદ્યાર્થીઓની મફત શિક્ષણ વ્યવસ્થા કરે અથવા સત્વરે રાજીનામું આપે*
*ખાનગી શિક્ષણ ઉદ્યોગ સંપુર્ણ નાબુદ કરો અથવા સતાધીશો રાજીનામા આપો*
જગ જાહેર છે કે ગુજરાત ના તમામ જિલ્લામાં રાજકારણીઓ ના પરિવાર અને હવે તો ઉચ્ચ અધિકારીઓ ,સરકારી અધિકારીઓના ટ્રસ્ટ ની શૈક્ષણિક સંસ્થાઓ વિદેશી સંસ્થાઓ ના કોલોબ્રેશન સાથે અસ્તિત્વ મા છે.વાલીઓ ને રાજકીય પક્ષો વોટબેંક ના બહાને સરકાર ક્યારેય આં શિક્ષણ ના ધિક્તા ધંધા ને બંધ કરી શકવાની નથી..ભૂતકાળ મા પીટીસી નકલી માર્કશીટ કૌભાંડ ના શિક્ષકો આજે નિવૃત્ત થઈ ગયા તો પણ સાચો ન્યાય મળી શક્યો નહિ અને સત્તાધીશો એ જે તે સમયે વેપાર કરી લીધો.માનવ અધિકાર પંચ ના નીતિ નિયમો ને પણ ઘોળી ને પી ગયા..જેલવાસ ભોગવીને બહાર આવેલા વિધાયકો ની મોટા મોટા બિલ્ડિંગો બનાવી શૈક્ષણિક સંસ્થાઓ અલગ અલગ જિલ્લા માં હોસ્ટેલ સહિત ચાલે છે. મોટાભાગે પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ અગ્રેસર ની ભૂમિકા માં વિદ્યા દાન ના બહાને છે.
*એક વર્ષ બાળકો ભણશે નહીં તો મરી જવાના નથી*
*કોરોના નિયંત્રણમાં નથી એટલે બાળકોને જોખમમાં મુકી શકાય નહીં*
*સરકાર ખાનગી સ્કુલોના ધંધા માટે સતાધિશો બાળકોને બલી ચડાવવા જેવી હલકી ક્રુર માનસિકતા રાખે છે*
*લોક આઉટ પછી વ્યાપક ફેલાતા કોરોના મહામારીમાં લાખો બાળકોને બલી ચડાવવાનો શિક્ષણનો ધંધો બંધ કરાવવા ગુજરાતના વાલીઓ ઉભા થાશે નહી તો ભયાનક પરીણામ ભોગવવા પડશે*
શિક્ષણ કાર્ય બંધ હોવાથી કોઇ વાલી કે વિદ્યાર્થીઓએ ફી આપવાની હોતી નથી…મફતની ફી શા માટે આપવાની ? સરકાર અને ટ્રસ્ટી સંચાલકો ખુલ્લેઆમ ગુજરાતને લૂંટવાનો ધંધો માંડી બેઠા છે.
દુનિયાના બધા દેશોએ શિક્ષણ કાર્ય અને સમુહ પ્રવૃત્તિ પ્રતિબંધ રાખેલ છે, ત્યારે સ્કૂલ ચાલુ કરવી જરૂરી નથી. ..બીજા દેશોમાં સ્કુલ કોલેજો સંદતર બંધ છે આપણી લુંટણીયા સરકાર અને આંતકખોર સંચાલકો બાળકોની જીંદગી જોખમમાં મુકીને એના ખપ્પર ભરવા સરકારની મદદથી લુંટમાર મચાવવા ધમપછાડા કરે છે..
૧૯૮૩ થી શિક્ષણ ઉદ્યોગ ચાલે અબજો રૂપિયા કમાયા છે…કોરોના જેવો મોતનો કોરડો વિંઝાય રહ્યો છે ત્યારે ધંધો કરવા લાખો બાળકોની જીંદગી ઉપર મોતનો ખેલ ચાલુ કરવા દેવો એ દરેક વાલીઓ સામેથી સંતાનોને બલી ચડાવવા જેવુ સાબિત થશે….
આવી સ્કુલો સામે ગુજરાત ભરના વાલીઓએ એક સાથે અભિયાન ચલાવવુ પડશે..ખાનગી સ્કુલો મર્યાદા બહાર વાલીઓને લુંટી રહ્યા છે..હાલની આર્થિક મંદીમાં હવે બે રૂપિયા પણ ખોટા ખર્ચી શકાય તેમ નથી…રાજયમાં ૧ કરોડ ૨૩ લાખ વાલીઓ છે..સામે ૨૯૦૦૦ થી વધુ ખાનગી સ્કુલો વર્ષે ૪,૦૦,૦૦૦ કરોડથી વધુનો ધંધો કરે છે…અમે માર્ચ-૨૦૧૮ માં આંદોલન કરેલુ…ફરી ફાઇટ ટુ ફીનીશ શરુ કરવુ પડશે…
સંચાલકો, ટ્રસ્ટીઓ ફી લે છે અને ફી લેવાનો કાયદો છે તે બંધારણની કલમ ૧૪, ૨૧ ક, ૪૪, ૪૫ પ્રમાણે ગેરબંધારણીય છે..
બીજુ સાર્વજનીક ટ્રસ્ટ અધિનિયમ પ્રમાણે ટ્રસ્ટ સંચાલિત શાળાઓની ફી અને ડોનેશન સંચાલકો અંગત સંપતિ તરીકે ઉપયોગ કરી વેપાર કરે છે તે ૧૨૦ બી, ૪૬૫, ૪૭૧, ૧૧૪, મુજબ ફોજદારી ગુનો છે..ખાનગી શાળાઓ વર્ષોથી કરોડો કમાય છે તે સાર્વજનીક સંપતિ છે..એટલે ટ્રસ્ટીઓ, સંચાલકો અને સરકાર બધા ભેગા મળીને ગેરબંધારણીય પ્રવૃત્તિ ચલાવે છે..
૨૮ વર્ષથી નવી સરકારી શાળાઓ ચાલુ કરી નથી એટલે લાખો શિક્ષિતોને નોકરી મળી નથી..નવી ૪૨૦૦૦ સરકારી સ્કુલોની રાજયને જરૂર છે જો સરકારે વસતી પ્રમાણે સરકારી શાળાઓ બનાવી હોત તો ખાનગી શાળામાં નોકરી કરવાની કોઇને જરૂર ના પડી હોત..
ખાનગી શાળાના શિક્ષકો પોતાનુ શોષણ સ્વિકારે છે અને વાલીઓ પાસેથી ફી લેવાની વાતો કરે છે પણ ૯ ધોરણ સુધી મફત શિક્ષણ આપવાની જવાબદારી રાજય સરકારની છે
ગુજરાતમાં ૨૮ વર્ષથી સાચી રીતે શાળાઓ ચાલુ કરી નથી..શૈક્ષણિક ક્ષેત્રના ચાર લાખ ગ્રેજયુએટોને ખાનગી સ્કુલોમાં મજબુરીથી નોકરીની ગુલામી કરાવે છે..ખાનગીશાળાના શિક્ષકો પોતે શોષણનો ભોગ બનેલા છે..
સરકારી શિક્ષકનો પગાર ૩૯૦૦૦ થી ૫૬૦૦૦ જેટલો છે..પેન્શન મળશે..અનેક બીજા લાભો છે તો એમની સમકક્ષ હોય તેવા શિક્ષિતોને પણબંધારણીય નાગરીક સમાનતાથી એટલી તક મળવી જોઇએ…સરકારે શિક્ષણ ક્ષેત્રે ગેરબંધારણીય કાયદાઓ પેદા કરીને લાખો શિક્ષિતોને લાચાર બનાવી દિધા છે…
ખાનગી શાળાના શિક્ષકો એટલું વિચારો કે તમને શા માટે સરકારી શાળામાં નોકરી નથી મળી ?
સરકારે બદઇરાદાથી નવી સરકારી શાળાઓ ઉભી કરી નથી…અને નવા નવા અધિનિયમ બનાવી શિક્ષણના વેપારને આગળ વધાર્યો છે..
ખાનગીશાળાના શિક્ષકો અને વાલીઓ ભારતના નાગરીક છે ટ્રસ્ટ અધિનિયમ પ્રમાણે ટ્રસ્ટીઓ શાળા શરુ કરી ત્યારથી કેટલી ફી લીધી, કેટલુ ડોનેશન લીધુ, કેટલો પગાર આપ્યો.. વગેરે આર.ટી.આઇ. થી બધી માહિતી માંગો અને જો માહિતી ના આપે તો વાલીઓ અને ખાનગીશાળાના શિક્ષકો એક બનીને ટ્રસ્ટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી શકો છો..
*૨૯૦૦૦ થી વધુ ખાનગી સ્કૂલોવાળા ગુનાહિત રીતે ૪૦,૦૦૦૦, કરોડ (ચાલીસ લાખ કરોડ)થી કમાયા છે કરોડોપતિ બની ચુકયા છે હવે ખાનગી શિક્ષણનો ઉદ્યોગ કાયમી બંધ થાય પછી શિક્ષણ શરુ કરીએ..*
*સરકારના સતાધિશો બંધારણિય રીતે સરકારી શિક્ષણની વ્યવસ્થા કરે અથવા સરકાર રાજીનામું આપે*
*વાલીઓ આ વાત જાણી લે જેથી બધાને બંધારણીય અધિકારોનુ સત્ય જાણવા મળશે*
બંધારણની કલમોનો ભંગ થતો હોય તેવા અધિનિયમો, નિયમો, જોગવાઈઓ કે ઠરાવો કરવાનો રાજય સરકાર અને વિધાનસભાને અધિકાર નથી, બંધારણ અને સંસદની ઉપલવટ કાયદો નિર્ધારિત કરવાની રાજય સરકારને સતા નથી, બંધારણથી ઉપરવટ કરેલ કાયદો ગેરબંધારણીય અને બંધારણના અપમાન અને રાષ્ટ્રદ્રોહ સમાન ગુનો ગણી શકાય છે, બંધારણની કલમ ૧૪ સમાનતાથી નાગરીક અધિકાર આપે છે ૨૧ ક અને ૪૫ શૂન્યથી ૧૪ વરસની વયના નાગરીકોને શિક્ષણની જવાબદારી રાજય સરકારની જવાબદારી છે, કલમ ૪૪ નાગરીક દિવાની સમાનતા છે..ધર્મ, સંપ્રદાય, જાત કોમ અમીર ગરીબ દરેકને સમાનતાથી મફત શિક્ષણ આપવાની જવાબદારી રાજય સરકારની છે, ફી નિર્ધારણનો કાયદો બંધારણથી ઉપરવટનો કાયદો છે, શૂન્ય થી ૧૪ વર્ષની વયના બાળકોની ફી લેવાનો સમાવશે કરતો અને સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમનો ભંગ કરતી ટ્રસ્ટની શાળાઓ માટે જાહેર જનતાના વિરોધમાં કાયદો કરનારા સતાધિશો રાજદ્રોહી અને રાષ્ટ્રદ્રોહી બને છે જયારે જયારે ગેરબંધારણીય કાયદાઓ બનાવવા અને અમલમા લાવવા સમયે હિન્દુ મુસલમાન પાકિસ્તાન રામમંદિર આંતકવાદ જેવા મુદાઓ ઉપર જનતાને વારંવાર મુર્ખ બનાવે છે જનતા નાતજાત કોમવાદ છોડી દો નહીં તો વધુ પીડાશો..સરકાર મફત શિક્ષણની વ્યવસ્થા ના કરે તો ગેરબંધારણીય સતા કબ્જે કરીને જનતા ઉપર દમન કરતી રહેશે જેથી મફત શિક્ષણ વ્યવસ્થા ના થાય તો સતાધિશો રાજીનામા આપે એ સિવાય બીજો વિકલ્પ નથી આજે વાલીઓ ગુ લામી સ્વિકારી લેશે તો તેના સંતાનોને નવી પેઢીના નેતાઓ પણ કાયમી વેઠીયા ગુલામ બનાવશે..
*_સ્કુલ ફી નિયંત્રણ સમિતી બનાવી સંચાલકો વાલીઓ પાસેથી ફી કઢાવવા નવા નવા પ્રંપચો રચે છે*
*એક રૂપિયો ફી કોઇએ ભરવાની નથી તો ફી નિયંત્રણ સમિતિના નામે આ સંચાલક મંડળનો વાલીઓને એકઠા કરી ગેરમાર્ગે દોરવાનો પ્રપંચ છે..બધા ભેગા થવાનો અર્થ નથી..ભેગા થાય પછી ચર્ચા કરી છુટા પડે..એટલે થોડા દિવસોમાં એવું થાય કે લાખો વાલીઓ છે પણ મિટિંગમાં આવતા નથી વાલીઓને ફી નાબુદીમા રસ નથી..વાલીઓની માનસિક હાર પેદા કરવાની સાયકોલોજી ચલાવે છે..કોઇએ મિટિંગો કરવાની જરુર નથી..એક મુદો, એક નિર્ણય.. કોઇ વાલી ફી ભરશે નહી..સરકાર મફત શિક્ષણની વ્યવસ્થા ના કરે તો આ કોરોના કહેર વચ્ચે એક વર્ષ માર્ચ ૨૦૨૧ સુધી બાળકો મા બાપ પાસે સલામત રહેશે વાલીઓ ગુલામી નહી કરે..મફત શિક્ષણ ના આપી શકે તો સતાધશો રાજીનામા આપે, વાલીઓ ડીઝીટલ આંદોલન ચલાવશે,વાલીઓ ફી નહી ભરે એ સૌ પ્રતિજ્ઞા કરીએ છીએ*.
*વાલીઓની પ્રતિજ્ઞા છે ફી નથી ભરવાની તે નથી ભરવાની એક વર્ષ છોકરા મોડા જન્મ્યા હતા એવુ માની લો અને માર્ચ ૨૦૨૧ સુધી શિક્ષણ કાર્ય બંધ રાખી કોમ્યુનિટી વાયરલ થઈ રહેવા કોરોના ચેપથી બાળકોને બચાવી સુરક્ષિત રાખો*