https://m.facebook.com/story.php?story_fbid=571116623809099&id=100027322995343
મોદી સાહેબ અને વિશ્વ નિં સૌથી મોટી પાર્ટી ભાજપ એકલુજ શરીફ છે. તો PM કેર ફન્ડ ની કોઈ પણ જાણકારી આપવાની ના શામાટે પાડે છે.
ભાજપ ના મોદીજી સામે દેશ ની જનતા વતી કાળા નાણાં કરતા પણ મોટા ફ્રોડ નીરૂનીઆશંકા આં પી.એમ કેર ફંડ નો ફંડો છે..કોઈપણ હિસાબ કોઈ પણ માંગી ના શકે કે કોઈ ને બતાવી પણ ના શકે તેવા કૌભાંડ રૂપી ફંડ ની રચના જો મોદી પી એમ ખુરશી ઉપર બેસી ને કરે તો તે વિદેશી કાળા નાણાં કરતા પણ મોટી ઉચાપત જેવું દેશ વ્યાપી નહિ પણ વિશ્વ વ્યાપી કૌભાંડ કહેવાય. દેશ ની જનતા ને જાણવાનો હક છે કે આં ખુરસી ઉપર બેઠા પછી આં ફંડ કેમ બનાવવું પડ્યું..તે ફંડ માં લોકો પાસે થી કેવી રીતે.કયા બહાને ફંડ ઉઘરાવાય છે તેની ચોખવટ કરવી પદે.પી.એમ ખુરસી ઉપર બેસી ને લોકો ને શું ડરાવી.ધમકાવી કે કોઈ સરકારી કામો ની આડસ માં તો પૈસા ઉઘરાવવામાં આવતા નથી.અનેક પ્રશ્નો આં બાબતે દેશ ની જનતા અને સર્વ કોઈ રાજકીય. બિન રાજકીય લોકો ના વણ ઉકેલ્યા ચર્ચા નો મુદ્દો બનેલા છે.. હવે પછી ના રાષ્ટ્રીય કે આંતર રાજ્ય કોઈપણ ચૂંટણી પૂર્વે ભાજપ પોપટ પ્રવક્તા દ્વારા આં બાબતે નો ખુલાસો કરવો જરૂરી બનશે.
RTI દ્વારા માંગણી કરાતા જવાબ આવ્યો કે. પી એમ કેર્સ ફન્ડ કોઈ પબ્લિક ઓથોરિટી નથી. માટે તે RTI ના ડાયરા માં આવતી નથી. મતલબ કે આ ફન્ડ ઉપર સરકાર નો અંકુશ નથી..
તો કોનો અંકુશ છે. તે પણ જવાબ આપવામાં આવતો નથી. કમસે કમ આ ટ્રસ્ટ ડીડ ની કોપી આપવા પણ કોઈ રાજી નથી. અને આ ટ્રસ્ટ નોન ઓડીટેબલે છે. આથી આ નાણા કોણે વાપર્યા.? ક્યાં વાપર્યા.? તેનો હિસાબ કોણ આપશે…? વગેરે બાબતે જનતા ને જાણવાનો અધિકાર પણ નથી…..
જોઈલો અંધ ભક્તો આ તમારા વફાદાર pm ના કારસ્તાન . હવેતો સુધરો આ વ્યક્તિ પર કેમ તમને ભરોસો આવે છે. માત્ર લડવામાં શુરા હોવું એ કોઈ લાયકાત નથી pm બનવાની. એમતો ટપોરી ઓ અને ગુંડાઓ પણ લડવામાં ઉસ્તાદ હોય છે . આ વ્યક્તિ પાસે એકજ લાયકાત છે. જુઠ બોલવું, જોરથી બોલવું, હિન્દૂ /મુસલમાન કરી ને હિન્દૂ મસીહા બની ને હિંદુઓ ના વોટ મેળવી રાજ કરવું..
બાકી રાજા બનવા માટે પ્રજા પ્રત્યે જે જવાબદારીઓ હોય તેમાંની એક પણ લક્ષણ આ ભાઈ માં નથી.
ગુજરાતમાં અને સમગ્ર ભારતની અંદર આજે ત્રણ મહિના પૂરા થયા. કોરોના મહામારી ને રોકવામાં ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ અમારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સદંતર નિષ્ફળ ગયા.૩.મહિના પહેલા માત્ર 35 ,37 કેસ એમાંથી આજે સોળ હજાર ઉપર કોરોના કેસો થઈ ગયા. 1000 ઉપર લોકોના મૃત્યુ થયા છે પહેલા બે મહિના સુધી રૂપાણી સરકારે સરકારના ચાર અધિકારીઓ ઉપર અખતરો કરીને શાસન કર્યું અને મોદી સાહેબના જે આદેશો દિલ્હીથી મળે તે મુજબ એમણે સાડા છ કરોડની જનતા ઉપર જાતજાતના અખતરા કર્યા તે બધા જ નિષ્ફળ ગયા અને એક બાજુ cm ફંડ અને પીએમ ફંડ ની અંદર નાણાંની કોથળીઓ લોકો મૂકી ગયા અને વિકાસ pm.cm.ફંડનો થયો. વિકાસ ભારતીય જનતા પાર્ટીના લોકોનો થયો અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ કેમકે આખી ભાજપ સરકાર સરકાર નિર્ભર છે જ્યારે પ્રજાને આત્મ નિર્ભર ની સલાહ અપાય છે. ગરીબો ઉપર રાજકારણ રમી ને બસ રાસન બે માસનો આપ્યું. તેમને અત્યાર સુધી ની અંદર જેનાથી લઘુતમ વેતન ધારો જેને કહેવામાં આવે તે રકમ પણ દેશના ગરીબોને મળી નહીં. શ્રમીકોને પોતાના વતન જવા બાબત ની અંદર પણ રાજકારણ રમાયું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમાં પણ ટિકિટ કૌભાંડમાં પકડાયા હવે હદ થઈ ગઈ. નરેન્દ્ર મોદી સાહેબ અમારા ગુજરાતને હવે આનાથી વધારે બદનામ કરવામાં તમે કંઈ બાકી રાખ્યું નથી. પહેલા આપ ગુજરાતમાં ૧૨ વર્ષનો કલંકિત શાસન છોડીને ગયા જેની અંદર રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓ ને પણ આપે જેલવાસ કરાવ્યા બાદ માં બધાને તમે પુરાવાના અભાવે મુક્તિ નિવૃત્તિ સુધી તેમને ઘેર પણ મૂકી દીધા અને આપ પણ ક્લીનચિટ લઈને સી એમ માંથી પીએમ બનીને દિલ્હી બિરાજમાન થયા. સાથે સાથે અમિતભાઈ ને પણ હાઇકોર્ટે કરેલા તડીપાર માંથી પણ મુક્તિ અપાવીને આપ આપની સાથે રાખ્યા અને તેઓ પણ દેશના અત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે બિરાજમાન છે. .જનતાએ તમારામાં જે સ્વપ્નો જોયા હતા તેમાં તમે સદંતર ખોટા પડ્યા છો તમે ખોટી ખોટી વાતો તમારા તમામ ભૂતકાળના 10 વર્ષ પહેલાના પ્રવચનની અંદર કરીને માત્ર ગુજરાત નહિ પણ દેશની જનતાને ઉલ્લુ બનાવ્યા સિવાય કશું કર્યું નથી. નબળા વિરોધ પક્ષનો તમે પેટ ભરીને ફાયદો લીધો છે અને વિરોધ પક્ષની પણ ભૂલ છે કે તે પોતે પણ પ્રજાને જનસુખાકારી આપવા બાબતે કયા મુદ્દાઓ સરકાર સામે ન્યાયિક રીતે મુકવા જોઈએ તે મૂકી નથી શક્યા. દેશના રાષ્ટ્રપતિ હોય , તમામ રાજ્યોના ગવર્નર હોય કે આરબીઆઇ હોય કે સીબીઆઇ હોય, આવી સરકારી તમામ સંસ્થાઓને આપે પોતાના શાસન ની અંદર બંધારણથી વિરુદ્ધ દુરુપયોગ કરીને શાસન કરીને દેશની જનતાને તમારી જો હુકમી તમે બતાવી છે. અમને શરમ આવે છે કે ગુજરાતના નરેન્દ્ર દામોદરદાસ મોદી કહેતા હવે તો અમારી જીભ કચવાય છે. હજુ પણ શરમ લાજ જેવું જો કાંઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું હોય તો ગુજરાતના આ રૂપાણી શાસનમાં બદલાવ કરીને ગુજરાતની સાડા છ કરોડની જનતાને ન્યાય આપો.અને સ્ટેમ્પ શાશન માથી ગુજરાત ને બચાવો.અસંખ્ય ભૂલ ભરેલા શાશન માં ગુજરાત નો તમામ વર્ગ પીસાઈ રહ્યો છે..તમામ ક્ષેત્રે રૂપાણી ફેલ થઈ ચૂક્યા છે જેની ગુજરાત ની જનતા ને ખબર પડી ગઈ છે.હાલમાં કોરોના બાબતે પણ વાઇબ્રન્ટ ના આંકડાકીય જાળ ની જેમ ખોટા આંકડાઓ બતાવાય છે.પ્રાઇવેટ હોસ્પિટલ ના લોકો બેફામ પૈસા ઉઘરાવે છે..સરકારી હોસ્પિટલ ઉપર સરકાર નિયંત્રણ ગુમાવી ચૂકી છે..લોકો બે મોત મરે છે..શાશક માનવતા ભૂલી ગયો છે..સેવાભાવી લોકો પણ સેવા કરી હવે ખાલી થઈ ગયા છે..આં તમામ પરિસ્થિતિ થી આપ વાકેફ હોવા છતાં આપ કયા ભવ નો મધ્યમ વર્ગ નો બદલો જાણે લઈ રહ્યા હોય તેવું લાગે છે. આપણા અનેક વૈભવી પ્રોજેક્ટ ગુજરાત માં અધૂરા પડ્યા છે. .ગુજરાત સરકાર ની તિજોરી આપ અઢી લાખ કરોડ ના દેવા વાળી મૂકી ને ગયા તેમાં વધારો થયો છે ઘટાડો નહિ..બસ હવે ભગવાન ભરોસે આપે જે લોક ડાઉન ૫ મૂક્યું તેમાં માનવતા ખાતર યોગ્ય નિર્ણય લેશો તેવી અપેક્ષા સહ…એક હિ આગ…જન ફરિયાદ સાપ્તાહિક..news of Gandhinagar daily editor Pradip Raval Gandhinagar
3 મહિના વીતી ચુક્યા છે પણ મહામારી માં કોઈ સફળતા નથી મળી ! અથવા પ્રશાસન આ મહામારી પર અંકુશ + નિયંત્રણ લગાવવામાં નિરંતર નિષ્ફળ સાબિત થઇ છે . કોરોના મહામારી કેટલા મહિના સક્રિય રહેશે તેનું અનુમાન કરવું તે પહેલેથીજ અશક્ય હતું. તો શું લોકડાઉન 1 થી 4 ખોટું હતું ? અત્યારે એમ કહેવામાં આવે છે કે ક્યાં શુંધી ધંધા + રોજગાર + ઉદ્યોગો બંધ રાખી શું ? અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ ગઈ છે ! પહેલા કેમ બ્રહ્મજ્ઞાન ન થયું ? અર્થવ્યવસ્થા ની ચિંતા હતી તો લોકડાઉન 1 થી 4 શું કામ કરવામાં આવ્યું ? અને જે વિસ્તાર સંક્રમણ થી દૂર હતો તેને પણ લોકડાઉન ના નેજા હેઠળ ધકેલી દીધો ! લોકડાઉન 1 થી 4 માં દવા + દૂધ + કરીયાણા+ શાકભાજી- ફળની + ઘંટી જેવી આવશ્યક દુકાનો ચાલુ રાખી ને પ્રજાને ફરવાનો + સંક્રમણ ફેલાવા નો રસ્તો ખુલો રાખ્યો પરિણામે પહેલા જમાતિઓ સે મારા શહેરને સંક્રમિત કર્યું અને પછે શાકભાજી + ભટકતા લોકોને કહેર મચાવ્યો . આજ તો પ્રશાસન ની ઘોર લાપરવાહી હતી . નિયમો તો બનાવ્યા પણ તેનું કઠોરતા + નિષ્ઠા પૂર્વક પાલન ન કરાવાયું ! આજની તારીખ માં ગરીબો પાસે પૈસા નથી સરકારે અનાજ તો આપયું પણ મસાલા તેલ વગર કેવીરીતે રસોઈ બનાવી શકાય ? જે લોકો પાસે ભોજન નથી તે માટે સરકારે એક નંબર ની સુવિધા કરી હતી પણ તે કેટલો સમય ચાલી ? આજે તે સુવિધા કામ કરે છે ? ગરીબ ની ભુખમરી ની જાણકારી મુખ્યમંત્રી પાસે છે ?
અરે મોટી મોટી કંપનીઓ માં કર્માચારીઓનો અડધો પગાર કાપી લઈધો છે ! ઘણા લોકો ને નોકરી માંથી છુટા પણ કર્યા છે ! આત્મનિર્ભર બનવા માટે એક લાખ રૂપિયાં ની લોન મળશે કે કેમ અને ક્યાં મહિનાની કઈ તારીખે મળશે તે કશું નિશ્ચિત નથી તેવામાં બેરોજગાર શું કરશે ?
આજે લોકડાઉન નો છલ્લો દિવસ છે કાલથી અનલોક શરુ થશે ! પણ શું વ્યાપર ધંધા ની ગાડી પાટે ચઢી જશે ? ના , હજુ પાટે ચઢતા બે થી ત્રણ મહિના જશે ! તેમાંપણ જો કોઈ અડચણ + વિઘ્ન ન આવે તો……
લોકડાઉન 1 થી 4 કરતા અત્યારે સંક્ર્મણ વિસફોટક આંક્ડાઓ સાથે આગળ વધી રહ્યું છે તેવામાં પ્રજાને સંક્રમણ ના સાગરમાં નિસહાય છોડી દેવાનું વલણ કેટલા ઔંશે સાચું છે ? આજે રાજ્યમાં કોરોનાના કુલ 438 પોઝિટિવ કેસ નોઁધાયા હતા. જ્યારે 31 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20 + પંચમહાલમાં 3 + પોરબંદર અને સુરતમાં 2-2 + અમરેલી,અરવલ્લી + જામનગર અને રાજકોટમાં એક એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી 1038 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત થયા છે. પ્રતિ દિવસ અમદાવાદ માં સરેરાશ 25 વ્યક્તિ ના આ સંક્રમણ થી મૌત થાય છે. અને સરકાર કહેછે કે હવે મહામારી સાથે જીવતા શીખી લો ! અરે માન્ય મુખ્યમંત્રી જી જો આ વાયરસ ની સામે પ્રજાને નિસહાય છોડી મુકવાના જ હતા તો લોકડાઉન 1 થી 4 માં ધંધા + રોજગાર + ઉદ્યોગો તાળા કેમ લગાવડાયા હતા ? લોકડાઉન 1 થી 4 માં જે પ્રજાએ આપના હુકમનું પાલન કરી ને ધંધા + રોજગાર + ઉદ્યોગો બંધ રાખ્યા તે ગુના હતો ? લોકો ની નોકરી ગઈ + બેંકબેલેન્સ તળિયે આવી ગયું + ગરીબો ભુખા રહીને આપના હુકમનું પાલન કર્યું અને આજે આ પ્રજાને 60 દિવસ પછી આર્થિક સંકટ ની સાથે મહામારી ફ્રી સરકાર આપી રહી છે !
કેવળ એટલુંજ નહિ હવે તો સંક્રમણ ના આંકડા પણ વાસ્તવિકતા થી વિપરીત હોય છે ! આ બધું કેમ કરવામાં આવે છે ? શું હિન્દુસ્થાન માં કયો રાજ્ય આ મહામારી માં શ્રેષ્ઠ કાર્ય કરે છે તેની હોડમાં પ્રથમ રહેવા ગુજરાત ની પ્રજાએ અંધારામાં રાખવામાં આવેછે તે સ્પષ્ટ દેખાઈ + સમજાઈ રહ્યું છે . જે વ્યક્તિ સંક્રમિત છે + મોત થયું છે તે પાડોશી ને ખબર છે સ્થાનિક કોર્પોરેટર ને ખબર છે પણ આધિકારિક સુચી માં આ વ્યક્તિ નું નામ બે કે ત્રણ દિવસ પછી આવે છે તે સાબિત કરે છે કે આંકાડા ની ઘાલમેલ થઇ રહી છે . વાસ્ત્વયિકતા છુપાવવામાં આવે છે. આ કૃત્યથી સરકાર પરથી જનતાનો વિશ્વાસ ઓછો થતો ગયો છે .
હવે આજે અનલોક 1 દરમિયાન અમદાવાદમાં દુકાનો – બજારો માઈક્રો- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સવારે 8થી સાંજે 7 ચાલુ રહેશે + ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે. + કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 7થી સાંજે 7 સુધી દવા દૂધ કરીયાણા + શાકભાજી- ફળની દુકાનો ચાલુ રહેશે. ઉપરાંત પૂર્વં ને પશ્ચિમ ને જોડાતા તમામ બ્રિજ સોમવારથી શરૂ કરી દેવામાં આવશે વાહનો અવરજવર કરી શકશે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી જે કોઈ પણ વ્યક્તિ ને બહાર નીકળવું હોય તેના માટે ઘણા રસ્તા અને નુસખા ઉપલબ્ધ છે . તેને કોઈ રોકી નહિ શકે . એનો સીધો અર્થ એ થયો કે હવે હોટસ્પોટ ગણાતો પૂર્વનો વિસ્તરા હવે પશ્ચિમ વિસ્તારને સંક્રમિત કરશે અને આ સત્ય સાબિત થશે તો તેનો જવાબદાર કોણ ?
ભાજપા ના નેતાગણ + કાર્યકર્તા કેમ ચૂપ છે ? શું આ મહામારી તેમના માટે સંકટ નથી ? કેમ આ મહામારી નો ભોગ બનવા માંગે છે ? પ્રશાસન ની લાપરવાહી ની વિરુદ્ધ કેમ બધા ચૂપ છે ? શું ભાજપામાં કલંકિત કોંગ્રેસ ને જેમ દરબારી પ્રથા શરૂથઈ ગઈ છે ? જેમ કલંકિત કોંગ્રેસ ના નેતાગણ + કાર્યકર્તા ઓને ગાંધી રાજઘરાના ની વિરુદ્ધ બોલવાનો કોઈ અધિકાર નથી બધા દરબારી છે તેવું હવે ભાજપામાં પણ થવા લાગ્યું છે કે શું ? જો નિષ્ફળતા ના માપદંડ રૂપે ભૂતપૂર્વ અમ.મ્યુ.કમિશ્નર શ્રીમાન વિજય નેહરા જી ની પદે થી હટાવી શકાય , ભૂતકાળ માં મુખ્યમંત્રી શ્રી મતિ આનંદીબહેન પટેલ ને પણ બદલી શકાયા હતા તો વર્તમાન માં કોરોના ની મહામારી માં નિષ્ફળ થનારા આરોગ્યમંત્રી + મુખ્યમંત્રી ને કેમ ન બદલી શકાય ? ન્યાય પક્ષપાતી ન હોવો જોઈએ.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણી જી એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી માન યોગી આદિત્યનાથ જી ની કાર્યપ્રણાય થી પ્રેરણા લેવી જોઈએ .
ગુજરાત ની જનસંખ્યા લગભગ 6.5 કરોડ છે , જ્યારે ઉત્તર પ્રદેશ ની જનસંખ્યા લગભગ 23 કરોડ છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક + ઔદ્યોગિક + રોજગાર + શહેરી વિસ્તાર + સમૃદ્ધિ + સંસાધનો ની તુલનામાં ઉત્તર પ્રદેશ કરતા ઘણો આગળ + સમૃદ્ધ છે પણ રાજકીય નિર્ણ્ય શક્તિ + સંચાલન + કઠોરતા + વિપરીત ચળવળો પર અંકુશ ની કાર્યકુશળતા જે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી માન યોગી આદિત્યનાથ જી ની પાસે છે તે ગુજરાતા ના મુખ્યમંત્રી માં બિલકુલ નથી. તે સાબિત થઇ ગયું છે .
હવે તો ચીન સાથે ના મહાયુદ્ધના ડાબલા સંભળાય છેવાવાજોડું પણ સામે જ છે અને અતિવૃષ્ટિ ને એંધાણ પણ આવેલા છે ! પાછળ નવરાત્રી + દિવાળી આવી જશે ! તેવામાં ગુજરાત સરકાર શું કરશે ?
હે ભગવાન સોમનાથ + હે દ્વારકાધીશ મારા ગુજરાત + હિન્દુસ્થાન ની રક્ષા કરજો …….
જય શ્રી કૃષ્ણ …..
જય જય ગરવી ગુજરાત ……
ભારત માતા કી જય……
વંદે માતરમ ……