*સાવધાન! અમદાવાદ…*
*જબરદસ્ત ગોલમાલ ચાલી રહી છે અમદાવાદમાં.*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નેહરાએ આડકતરી રીતે ચેતવવાની ખૂબ કોશિશ કરી હતી. 31મી મે સુધી 8 લાખ કેસ આવશે એવું કહ્યું હતું.
સરકારએ જાણીજોઈને સિવિ અને બીજા હોસ્પિટલનું નામ બગડે એવું થવા દીધું. અને તરત જ ઘેર બેઠા ટ્રીટમેન્ટ લઈ શકો તેમ જાહેર કરી દીધું. એક મહિના પહેલા જે કોરોના ના ડર થી આખો દેશ ઘેર બેસાડી દીધો તેની જ સાથે હવે જીવતા શીખવું પડશે એવું જ આત્મજ્ઞાન ક્યાંથી લાવ્યા? અમદાવાદ ના પૂર્વ કમિશ્નર ની વધુ ટેસ્ટ, ટ્રેસિંગ અને આયસોલેશન ની સ્ટ્રેટેજી ને ખાડે ધકેલવાની શુ જરૂર હતી? આવા ઘણા સવાલ છે. એક વાત સૌ એ જાણવા જેવી છે. જે હું આજે અહીં મુકીશ.
વિજય નેહરા ની ઇમેજ સરકારી તંત્ર માં સાફ સુથરી હતી. નેહરા ની બદલી નું મૂળ કારણ બીજું કોઈ નહીં પણ અમદાવાદ ના નબળા મેયર બીજલ બેન હોવાનું મનાય છે. છેલ્લા 1 વર્ષ થી કોર્પોરેશન ના ભાજપ ના હોદ્દેદારો અને સરકારી ઓફિસરો વચ્ચે ખુબજ મોટાપાયે ખેંચતાણ ચાલતી હતી એનું કારણ વિજય નેહરા નું અમદાવાદ માટે નું ફોકસ કરેલું કામ હતું જેમકે સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ, પીરાણા સોલિડ વેસ્ટ સેગ્રીગશન, સી જી રોડ ને મોડલ બનાવવો, સાબરમતી ની સફાઈ, ગણપતિ કે બીજા કોઈ પણ તહેવાર માં મૂર્તિઓ ને સાબરમતી માં પધરાતી રોકવી, પીરાણા ના કચરા ના ઢગલા ની સફાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન ના સરકારી દવાખાના ની ગુણવત્તા માં સુધાર, મ્યુનિસિપલ શાળા ઓ નું નવીનીકરણ, અમદાવાદ કોર્પોરેશન ના વિભાગો નું ડીજીટલકરણ, વગેરે.. આ બધા કામો મહદ અંશે પ્રજાનો ફાયદો વધારે અને ભાજપ ના હોદ્દેદારો ને નફો ઓછો કરાવી રહ્યા હતા. આથી રાજ્ય સરકાર નો એક મોટો પ્રોજેક્ટ જેની અમદાવાદ ને બિલકુલ જરૂરિયાત નહતી પણ નેતાઓ ના ખિસ્સા ભરાય શકે એમ હતા એટલે શાસક પક્ષે એ એડી ચોંટી નું જોર લગાવી ને એ પ્રોજેક્ટ પાસ કરવા પ્રયત્ન કર્યા પણ નેહરા તેમાં વિરોધ માં હતા એટલે એનું કાઈ થયું નહીં. આવા ઘણા કિસ્સાઓ એ ભાજપમાં નેહરા પ્રત્યે ગુસ્સો વધાર્યો. મેયર અને બીજા નેતાઓ એ ઘણી વાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને નેહરા ની ફરિયાદ પણ કરી. કોરોના ની જે મુખ્ય લડાઈ કોર્પોરેશન લડી રહ્યું હતું, લોકડાઉન માં લોકો ધંધો રોજગાર છોડી ઘેર રહ્યા, કોરોના વોરીયર્સ પોતાના જીવ ના જોખમે લડી રહ્યા હતા ત્યારે નેહરા અને કોર્પોરેશન ને મદદ માં આવવાના બદલે શાશક પક્ષ ના નમાલા નેતાઓ એ રાજકીય દ્વેષ રાખી ને નિમ્નકક્ષા ની રાજનીતિ ચાલુ રાખી. અમદાવાદ માં વધતા કેસ ના લીધે કેન્દ્ર થી રૂપાણી સરકાર પર આવેલા પ્રેશર માં સરકારી નાકામીઓ નું ઠીકરું નેહરા પર ફોડવા માં આવ્યું અને એમના સ્થાને તાત્કાલિક અસર થી મુકેશ કુમાર ને મુકવા મા આવ્યા. મુકેશ કુમાર ને પદ સોંપાતા બીજલબેન એકદમ થી હરકત મા આવ્યા અને આવનારી ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ કરી દીધી. કોરોના ના આ કપરા કાળ માં પણ આ જાડી ચામડી ના નેતા ઓ એ રાજનીતિ ના મૂકી અને એક મેહનતું ઓફિસર ને શિકાર બનાવી દીધો.
નેહરા ને હટાવી ને મુકેશ કુમાર ને મુકવા પછી જે રીતે ટેસ્ટિંગ ઘટાડવા માં આવ્યું, ટ્રેસિંગ બંધ કરવા મા આવ્યું, અને કોરોના પોઝિટિવ લોકો ને પણ ડિસ્ચાર્જ કરવા માં આવ્યા એ જોતાં લાગે છે કે આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવણ કરેલ છે. રોજે રોજ આવતા કેસો માં એક વસ્તુ તો ક્લીયર છે કે પહેલા કોર્પોરેશન ટેસ્ટિંગ કરવા જતું હતું અને હવે કોર્પોરેશન પાસે લોકો ટેસ્ટ કરાવવા આવે છે. પહેલા 80% કેસો લક્ષણ વગર ના હતા જ્યારે હવે લક્ષણ વગર ટેસ્ટ નથી થયી રહ્યા. આ બધું વાંચી ને હવે 1 મહિના પછી ના અમદાવાદ ની કલ્પના કરી જુઓ. નફરત થશે, ગુસ્સો આવશે અને ખબર પડશે કે મૂર્ખ બની રહ્યા છે અમદાવાદીઓ.
મેં લખેલી બધી જ વાતો સમાચાર પત્રો માં જગજાહેર છે. અને ધ્યાનથી વાંચશો તો બધા કનેક્શન ક્લીયર દેખાશે.
*#આત્મનિર્ભરઅમદાવાદ