*આત્મનિર્ભરતા* “પડે તેવી દેવાશે” રૂપાણી જી અખતરા રૂપી ઝુમલા સરકાર.ભાગ – ૯ : પ્રદીપ રાવલ
૬ વર્ષ મા બહુ રૂપ ધારણ કરી મોદીજી એ તમામ રાજ્ય મા તમામ લોકો ની વચ્ચે રહેવાનો પ્રયત્ન કર્યો..લખલૂટ ખર્ચ પણ કર્યો.
ભારત દેશના મજુર પણ સમજુ અને આત્મનિર્ભર છે, સરકાર કે કોઇની પણ મદદની રાહ જોયા વગર પગપાળા ઘરે જવા માટે નિકળી ગયા હતા……. *લોકો પુછે છે કે સરકાર સ્વયં કેટલી આત્મનિર્ભર છે?* પ્રજાના પૈસે મોટા પગારો લઈ દલાંતરવાડી નીતિ અપનાવી સરકારી ગાડીઓ માં આંમ તેમ ભટકી પોતે સરકાર નિર્ભર પ્રજા ને સલાહ આપે છે. પછી આં નલિયા સંસ્કૃતિ વાળા નફ્ફટ લોકો ના રાજમાં વૃધ્ધ આશ્રમો ઉભરાય નહિ તો બીજું શું થાય..હજુ તો આં મહામારી માં લોક સહાય કરવા ની જગ્યાએ 50 દિવસ તેમની બેદરકારી ના લીધે પ્રજા ને પૂરી હવે પાછા ભગવાન ભરોસે અખતરો કરવા લોન આપવાના નાટક કરી અર્થતંત્ર બેઠું કરવાના વાઇબ્રન્ટ જેવા ટાયફાં કરે છે..મોટા ભાગની સહકારી સંસ્થાઓ.બેન્કો માં ભગવા કારણ કર્યું. ડિપોઝિટ નો ભરાવો થઈ ગયો એટલે સરકાર સાથે રહી તેમના ભુવા જેવા અમિત ભાઈ એ બનાવેલ ચેર મેન ભાઈઓ ને ધા ધો આપવા આં લોન નું ગતકડું કાઢ્યું એટલે કે ચૂંટણી આવે ત્યારે મોટાભાગની વોટબેંક દેવાદાર હોય….
આવી નફ્ફટ રાજનીતિ ની પોલામ પોલ હવે ખુલ્લી પડી ગઈ છે. આરોગ્ય મંત્રી નું કોઈ સ્ટેટમેન્ટ kenkoi કામગીરી ક્યાંય દેખાતી નથી..તગડા પગારે એંસી માં બેસી પોતાની અશિક્ષિત વાતો કરી અધિકારીઓ પાસે રિપોર્ટ મેળવી દુભાષિયા પાસે લખાવી પાછા પ્રેસ ને મેટર મોકલે છે..અમદાવાદ માં કોર્પોરેશન ની હોસ્પિટલ માં પોઝિટિવ દર્દી ને મોત ના મુખ માં ધકેલવા આપ તેમ રિપોર્ટ સાચા ખોટા કાઢી રઝળવવા માં આવી રહ્યા છે.સરકારી ગંભીર બેદરકારી નો ભોગ લોકો બની રહ્યા છે..લાશ બસ સ્ટેન્ડ માં થી મળે અને દર્દી ચોપડે નોંધાયેલા હોય…અંતિમ સંસ્કાર થઈ ગયા પછી ફોન આવે કે તમારા સ્વજન ની લાશ આવીને લઈ જશો…શનિવારે રાજપુર.ગોમતીપુર ધાબા ચોકસી ની ચાલી ના એક વ્યક્તિ રમેશભાઈ ઈશ્વરભાઈ મેકવાન શારીરિક તકલીફ થતા શારદા બાઈ હોસ્પિટલ ગયા..ત્યાં રિપોર્ટ કઢાવ્યો તો પોઝિટિવ આવ્યો એટલે તે એસ.બી પી ગયા તો ત્યાં ઝાંપા માં જ અવસાન પામ્યા..હોસ્પિટલે હાથ ઊંચા કરી નાખ્યાં તો સ્વજન પોતાના ખર્ચે લાશ એમ જ મૂકી લાશ લઈ જવાની કીટ ખરીદી ને લઈ જઈ અંતિમ સંસ્કાર કર્યા. થોડો ચાલી માં હોવાપો થયો એટલે શારદા બાઈ હોસ્પિટલ માં લોકો ઘર ઉપર આવી કોરે ન્ટિ ન લાલ બોર્ડ મારી.દવા છાંટી અને આખું સ્ટેટમેન્ટ બદલી નાખી હાઈ બ્લડ પ્રેશર નું લખાવી ને જતા રહ્યા…ઘર ના લોકો એટલા ગભરાઈ ગયા કે કાઈ મીડિયા ને કહેવા તૈયાર નથી…આવી ગંભીર બેદરકારી માં નકલી ભગવા કાર્યકરો કે જે વોટબેંક ને ચવાણું.પૈસાના પેકેટ વહેચી ચાલીઓ માં ભટકતા હતા તે પણ એક પણ ડોકાયો નહિ.અને આં સોશ્યલ મીડિયા માં મોદીજી અને રૂપાણી ની સેવાઓ નો પ્રચાર કરવામાં થાકતા નથી..કોઈ ધારાસભ્ય કે સાંસદ આવી આરોગ્ય ની બેદરકારી ની નોધ નથી લીધી..છાસ વારે મેયર અને કોરપો રેશન ના ચેરમેન લોકો મોદીજી અને રૂપાણી ના અતિથિઓ ની પાછળ કોર્પોરેશન ના બજેટ થી લખલૂટ ખર્ચ કરે છે તે પણ કાઈ બોલવા તૈયાર નથી.. આખા ભારત માં અમદાવાદ કોરોના માં પહેલા નંબરે છે..રાજ્ય મા ગુજરાત બીજા નંબરે છે કેમકે ભાજપ નું કોરોના બાબતે પાપ નું મૂળ અમદાવાદ છે.. ફેબ્રઆરી ના અંત મા એક માત્ર મોદીજી ને ખુશ કરવા અમેરિકા ના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ ની મહેમાનગતિ સાચવવા પ્રજામાં પૈસા નો ધુમાડો કોર્પોરેશન ના નામે કર્યો અને કોરોના ની બધી ખબર હોવા છતાં મોદીજી અને તેમના વાદે રૂપાણી તેમજ અધિકારીઓ એ જે દરકાર લેવાની હતી તકેદારી દાખવવાનો સમય ખુશામત માં કાઢ્યો..સરકારી બસ.. પ્રાઇવેટ લક્ઝરી બસો ભરી પૈસા વહેચી સ્ટેડિયમ ભરી નકલી દેખાવો વાળી રાજનીતિ કરી..ટ્રમ્પ ના કાફલા નું પણ કોઈ ચેકીંગ થયું નહિ..ઉદ્યોગ પતિઓ પણ ગાંડા થયા અને તમામ ધારાસભ્ય.સાંસદ..આખે આખું ભાજપ જાણે રાજા નો સ્વયંવર હોય તેમ ઉમટ્યું..ખંભાતમાં ચાલુ પ્રોગ્રામ તોફાન ફાટી નીકળ્યા તો પણ ને દિવસ પછી રૂપાણી ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળું મારવા ઉચ્ચ પોલીસ મોકલ્યા..અનેક મિલકતો સળગી ગઈ. માનવ હત્યા થઈ.સ્થાનિક ધારાસભ્ય સર્વસ્વ જાણતા હોવા છતાં ભગવો ઢાંક પિછોડો કરવામાં આવ્યો. તેજ હાલત દિલ્હી મા થઈ..ટ્રમ્પ હતા ત્યાં સુધી તોફાનો થવા દીધા..કેન્દ્ર સરકાર ની જવાબદારી હોવા છતાં કેજરીવાલ ઉપર દોષ નો ટોપલો નાખવા ગયા પણ ઊંઘ મા ઝડપાઈ ગયા…આં કેન્દ્ર સરકાર દ્વારા મોદીજી ની જીદ માં જાણી જોઈ ને આવી ગંદી રાજનીતિ ના કારણે કોરોના નો પ્રવેશ સંક્રમણ દ્વારા થયો..તંત્ર એ કોઈજ કામગીરી કરવાની કરી નહિ..રૂપાણી જી નું અખતરા રાજ શરૂ થયું. અને ” પડે તેવી દેવાશે” તેમ અધિકારીઓ ના ખભે કોઈ જ ચોક્કસ આરોગ્ય નીભાઇડ લાઈન વિના આખો દિવસ પ્રેસ મીટ બોલાવી પ્રજા ને ગુમરાહ કરવાનું શરૂ થયું.. જેમ જેમ પો એમ હાઉસ થી આદેશ છૂટે તેમ રૂપાણી રાજનીતિ ના રંગ બદલાય..પ્રજા જોયા કરે….લોક ડાઉન ૪ બાબતે પણ હજુ કોઈ ચોક્કસ પરિણામ લક્ષી કામગીરી નથી..કેસ વધ્યાંજ કરે છે..કોઈ કંટ્રોલ નથી..પ્રાઇવેટ હોસ્પિટલ ના ભાવ હજુ ગઇકાલે નક્કી કરવામાં આવ્યા..એટલે કહી શકાય કે આખે આખું રાજ અખતરા થી ચલાવવામાં આવે છે. પોઠિયા રૂપી કાર્યકરો રોજ તેમના આકાઓ ની પોસ્ટ જોઈ સુધારા વધારા કરી પોપટ પ્રવક્તા દ્વારા પ્રજામાં સરકારી કામગીરી બતાવી રહ્યા છે.મીડિયા ને ચારે બાજુ થી વોરિયર્સ માંથી બાકાત રાખી સત્ય માહિતી છૂપાવવા માટે મજબૂર કરાય છે..ગોદી મીડિયા રૂપી સરકારી પ્રચાર માહિતી ખાતાના ખભે રૂપાણી કરી રહ્યા છે. હવે તો લોકો મીડિયા ને કહે છે કે કાલે ૩૪૦ આસપાસ પોઝિટિવ હશે અને મૃત્યુ ૨૦ આસપાસ હશે.. આવી મજાક થાય છે. જાણે કે મ્યુનિસીપલ કમિશનર મુખ્યમંત્રી. જયંતિ રવી આરોગ્ય મંત્રી અને ડીજીપી શિવાનંદ ઝા કે જેઓ મોદીજી ના વખાણ થી જ પ્રેસ શરૂ કરે તે ગૃહ મંત્રી ના રોલ માં હોય . તેમજ સીએમ ઓ અશ્વિનીકુમાર જાણે અન્ન નાગરિક પુરવઠા મંત્રી હોય અને રૂપાણી વતી બધા નિર્ણય જાહેર કરી રોજ એકજ કેસેટ વાગે..ગરીબો ને રાશન…બી.પી એલ, એ. પી. એલ. ૬૬ લાખ આજુબાજુ લોકો ને વિતરણ કરી કરોડો રૂપિયા નો ખર્ચ રાજ્ય સરકારે કર્યો. બોલો આવી રાજનીતિ માં કોરોના ક્યાંથી જાય. નવરાત્રી અને દિવાળી પણ જોઈ ને જ જશે. ક્યાં મોદી ક્યાં કોરોના…..નક્કી….
લોકોના પૈસે તાગડધિન્ના કરતી સરકાર ને ખુદને આત્મનિર્ભર બનવાની જરૂર છે….કોઇપણ પ્રકારની મહામારી ના સમયે લોકો પાસેથી ફંડફાળા ના ઉઘરાવવા પડે તેમજ લોકોને ઘરમાં ના પુરી દેવા પડે તેનું આગોતરું આયોજન કરવું જોઈએ, મજુરોને ૧ મહીનો ગોંધી રાખ્યા પછી ઘરે જવા માટે વ્યવસ્થા કરવાને બદલે લોકડાઉન પહેલાં એ આયોજન કરવાની જરૂર હતી, કીટ માટે હજુ પણ ચીન ઉપર આધારિત રહેવુ પડે એ કેવી પરવશતા કહેવાય?
મહામારીના ટાઇમે એ.સી. ચેમ્બરમાં બેઠા બેઠા મોટી મોટી હાંકવા કરતા ધરતી ઉપર લોકોની વચ્ચે જવું જોઈએ,..
કપરા સમયે સાંસદો કે ધારાસભ્યોએ ગાયબ થઈ જવા કરતાં લોકો ની પીડા સમજ તેના ઉપાયો કરવા જોઈએ, પ્રધાનમંત્રીએ લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપવાના બદલે પોતાના સાંસદો અને ધારાસભ્યોને લેશન આપવાની જરૂર છે, વિરોધ પક્ષના ધારાસભ્યો ને ઇધર-ઉધર કરીને પોતાના પક્ષની સરકાર બનાવી લેવી એ આત્મનિર્ભરતા નથી..
જેની સ્વયંની નિર્ભરતા લોકો ઉપર છે એવી પરતંત્ર સરકાર,
લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપે છે,
સેવક સ્વામીને સલાહ આપે છે.
બીજા રાજ્યો ની જેમ હવે ચોથા લોક ડાઉન માં પણ ૩૧ મે સુધી સંપૂર્ણ બંધ ની વાત કરી સગવડતા પ્રમાણે છૂટ છાટ આપશે….સરકાર દ્વારા જાહેર જનતા માટે કોઈ જ આર્થિક કે ચીજ વસ્તુઓ માટે કોઈ રાહત આપી નથી કે જે જનતા કાયમ સરકાર ને ટેક્ષ રૂપી આવક આપી રહી છે જ્યારે આવી મહામારી માં પણ સરકાર પ્રજા નું ધ્યાન રાખી શકાતી નથી..માત્ર ગરીબો અને એપી. એલ કાર્ડ ધારકો ના ખભે રાજનીતિ તમે છે.જ્યારે રોજ મજૂરી કરી રોજ કમાતા.નાની મોટી મિલકતો ભાડે રાખી પ્રજા આધારિત આંતરિક વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા મધ્યમ લોકો માટે સરકાર નો કોઈ પ્રોજેક્ટ નથી..માત્ર લોન નિં લોલીપોપ આપી ક્રૂર અમાનવીય મજાક કરી છે…શાકભાજી વાળા.ટ્રાન્સપોર્ટ વાળા.ટ્રાવેલ્સ ના રોજ ના રૂટ ઉપર ચાલતા લોકો.. સલૂન…..પાર્લર..ટેકનિકલ સેવાઓ રૂપી વ્યવસાય…ઉદ્યોગો માં રોજ ઉપર જતા લોકો તેમજ મધ્યમ ઉદ્યોગ વાળાઓ કે જેઓ ને કર્મચારી ના પગારો.બેંક ની લોન ના હપ્તા..આવશ્યક સેવાઓ ના બીલો…તેમજ ઘર ના રાશન બાબતે સરકારે કાઈ વિચાર્યું નથી જેથી લોકો અકળાઈ ને હવે લોક ડાઉન નો વિરોધ કરી રહ્યા છે. તેમજ આરોગ્ય નીનપં મોંઘી દાટ સેવાઓ પણ સરકાર પ્રાપ્ય નથી..દરેક બાબતે સરકાર પ્રજા સાથે ધંધો જ કરી રહી છે..
સરકારી સી.એમ ફંડ…પી.એમ ફન્ડ શું માત્ર ગરીબો ના કાર્ડ ધારકો માટે જ છે?..શાસકો પેઢી ની જેમ વર્તન કરે તો તેનું પરિણામ શું આવે અને પહેલા કોણે ભોગવવું પડે તે સૌંકોઈ સારી રીતે જાણે છે….
એક હિ આગ.જન ફરિયાદ..ન્યુઝ ઓફ ગાંધીનગર..તંત્રી : પ્રદીપ રાવલ