GN_04-5-20 (ન્યુઝ ઓફ ગાંધીનગર દૈૈનીક) ગંંંંંં
સરકાર ની આજની કોરોના ગતિવિધિ અંગે cmo અશ્વિનીકુમાર,ડીજીપી શ્રી શિવાનંદ ઝા તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી મેડમ ની પ્રેસ રિલીઝ નીચે મુજબ છે.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે યુનિવર્સિટી કક્ષાએ
¤ “ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” આ વિષય પર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ ડીજીટલ મોડમાં યોજાશે
¤ સ્પર્ધામાં ભાગ લેવા તમામ યુનિવર્સિટીઓ માટેની અંતિમ તારીખ ૧૦-૦૫-૨૦૨૦ રહેશે.
***********
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન ૧લી મે ના રોજ ઉજવાય છે તેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. આજે ગુજરાત આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યું છે, તથા વિકાસમાં બધા રાજયોમાં ગુજરાતનું નામ સૌથી આગળ આવે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ક્રાંતિ છે. લોકોમાં એકતા છે. તમામ પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ અને હિંમત ગુજરાતની પ્રજા ધરાવે છે.
ગુજરાત સ્થાપના અને ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ વર્ષે કોરોના વાઈરસ સામે લડત આપતા વોરિયર્સ – યોધ્ધાઓ કે જેઓ પ્રજાના રક્ષણ માટે રાત-દિવસ કામગીરી બજાવી રહ્યા છે તેઓની કામગીરીને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે તમામ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કક્ષાની વિવિધ ડીજીટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
“ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” આ વિષય પર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ ડીજીટલ મોડમાં યોજાશે. વિદ્યાર્થીઓ આ માટેની જરૂરી માહિતી જે તે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મેળવી શકશે અને તેમાં ભાગ લઇ શકશે. આ તમામ સ્પર્ધાઓ ઓનલાઈન-ડીજીટલ મોડમાં યોજવામાં આવનાર છે. આ માટેના નિયમો, ઇનામ વિતરણ, કક્ષા, તથા અન્ય માહિતી માટે જે તે યુનિવર્સિટીના રજીસ્ટ્રારનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા તમામ યુનિવર્સિટીઓ માટેની અંતિમ તારીખ ૧૦-૦૫-૨૦૨૦ રહેશે.
કવિ નર્મદની “જય જય ગરવી ગુજરાત” પંક્તિ સાથે તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે અને મુખ્યમંત્રીશ્રીની ઈચ્છા પ્રમાણે વોરીયર્સ- યોધ્ધાઓને આ સ્પર્ધામાં ભાગ લઇ અભિનંદિત કરે તેવી નમ્ર અપીલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
*******
[5/3, 9:18 PM] Hiren Bhatt. Mahiti:
DGP shivanand jha press release
કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે તે જરૂરી – રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા
કન્ટેન્ટમેન્ટ વિસ્તારો અને સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ અવરજવર રોકવા કડક બંદોબસ્ત
લૅાકડાઉન દરમિયાન રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ
પબ્લિક એડ્રેસના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ કરાશે
******
રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવેલ છે તેમજ કોરોના વાયરસ ફેલાવતા સુપર સ્પ્રેડર્સના લીધે સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવવાની શક્યતાવાળા શાકમાર્કેટ સહિતના જાહેર સ્થળોને પણ કોર્ડન કરી લોકોની અવરજવર રોકવામાં આવશે તેમ શ્રી ઝાએ વધુમાં જણાવ્યું હતું.
લૅાકડાઉનના અમલ દરમિયાન રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોકોને કોઈપણ જાતની અવરજવર ન કરવાની તાકિદ કરતા શ્રી ઝાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બિનજરૂરી અવરજવર કરતા લોકો પકડાશે તો તેમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથેસાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે તેમ શ્રી ઝાએ ઉમેર્યુ હતુ.
લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમ જણાવી શ્રીઝાએ લોકોને આવા સ્થળોએ યોગ્ય અંતર જાળવવા અને ભીડ ન કરવા અનુરોધ કર્યો હતો.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્ય સરકાર દ્વારા અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી શ્રી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, પોરબંદર જિલ્લામાં નવીબંદર ખાતે તા. ૩૦ એપ્રિલના રોજ પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કરી દેવાયો છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૧ ગુના નોંધી ૪૭ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શ્રી ઝાએ ઉમેર્યું કે વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૨ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૯૬૮ ગુના દાખલ કરીને ૨૦,૮૫૦ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૨૬ ગુના નોંધીને ૧૪૩ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૩૬૪ ગુના નોંધી ૩,૪૪૩ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૩ ગુનામાં ૪૫ લોકોની અટકાયત જ્યારે આજસુધીમાં ૪૯૩ ગુનાઓ દાખલ કરીને ૭૬૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૧૫ અને અત્યારસુધીમાં કુલ ૬૨૩ ગુના દાખલ કરીને ૧,૩૦૨ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૩ એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ ૫૭૫ એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૦૭ જ્યારે કુલ ૨,૧૦૯ અને ૬૩ જ્યારે કુલ ૯૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૬૫ તેમજ કુલ ૭૦૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં શ્રી ઝાએ જણાવ્યું હતું કે, તા.૦૨/૦૫/૨૦૨૦થી આજ સુધીમાં કુલ ૨,૪૬૦ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૯૯૨ તથા ૫૧૬ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૩,૯૬૮ ગુનાઓમાં કુલ ૪,૮૫૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૭,૨૨૩ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ ૧,૨૩,૫૮૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૭,૬૯૦ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૬૪,૬૩૨ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
*******
[5/3, 9:18 PM] Hiren Bhatt. Mahiti: કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી
માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે
– મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર
…..
:: મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો ::
• રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં વધારાની કોઈ છૂટછાટ નહીં
• ઓરેન્જ ઝોનમાં આવતા રાજકોટ મહાનગરમાં પણ કોઈ છૂટછાટ નહીં
• રેડઝોનના બોપલ, બોટાદ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈ છૂટછાટ વિના લૉકડાઉનનો કડક અમલ કરાશે
• રાજ્યના તમામ ઝોનમાં આગામી બે સપ્તાહ સુધી તમાકુ, પાન-મસાલા, બીડી અને વેચાણ પરવાનો ધરાવતી લિકર શોપ ખોલી શકાશે નહીં
• ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે • રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમા બહાર અવરજવર કરવા દેવાશે નહીં
• અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી માન્ય-રીન્યુ કરવાની જરૂર નથી.
• જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની 156 નગરપાલિકાઓમા ક્રમબદ્ધ છૂટછાટો અપાશે : નિયમોનું પાલન કરીને ઉદ્યોગો શરૂ કરી શકાશે
• મુસ્લિમ ભાઈઓએ પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીની અપીલ
……
કોવિડ-19ના સંક્રમણને રોકી કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા ભારત સરકાર ના દિશા નિર્દેશો ને પગલે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે . કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર વગેરેએ ઉપસ્થિત રહી લૉકડાઉન લંબાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલ લૉકડાઉન 3.0નો સમયગાળો તારીખ ૧૭મી મે ૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનના કડક અમલ સંદર્ભે આ બેઠકમાં લેવાયેલ નિર્ણયોની છણાવટ સાથે વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્યના રેડઝોનમાં આવેલા પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. ઓરેન્જ ઝોનમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાને પણ કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી ન હોઇ લોકો રેડઝોનની જેમ જ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર આપે.
આ ઉપરાંત રેડઝોનમાં આવેલા બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ એ છ નગરપાલિકા વિસ્તારોમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી કે કોઇ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. આ જાહેર કરાયેલા રેડઝોન વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યવસાય, ખાનગી કચેરીઓ શરૂ કરી શકશે નહીં એમ જણાવી શ્રી અશ્વિનીકુમારે આ વિસ્તારોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, ફ્રૂટ, અને દવા સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનુ કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે તેમ પણ જણાવ્યું હતું
રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી જેમાં મોટા પ્રમાણમાં શ્રમિકો હાલમાં રોજગારી મેળવી રહ્યાં છે. તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. ઉદ્યોગોના માલિકોએ કામે આવતા કર્મચારીઓ – શ્રમિકોને કામના સ્થળે આવવા-જવાની વ્યવસ્થા, માસ્કનો ફરજિયાત ઉપયોગ, થર્મલ સ્ક્રિનીંગથી તાવ-ટેમ્પરેચરની તપાસ, શરદી, તાવ, ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે તો, નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવાની વ્યવસ્થા સાથે આ કર્મચારી-લેબરોનો લંચ ટાઈમ, કામના અલગ-અલગ સમય સ્ટ્રેગરિંગ તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોની બીનજરૂરી અવરજવર અને ભીડને રોકવા માટે તમામ ઝોનમાં એટલે કે સમગ્ર ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાની દૂકાનો અને વેચાણ પરવાનો ધરાવતી દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમ સચિવશ્રીએ જણાવ્યું હતુ.
રાજ્યના ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ અને ચા-કોફીની દુકાન ચાલુ કરી શકાશે. પરંતુ ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.તેમ ઉમેર્યું હતું.
ગ્રીનઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતાં પકડાશે તો ડ્રાઈવર અને કંડકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
ઓરેન્જ અને ગ્રીનઝોન વિસ્તારોમાં ટેક્સી કે કેબમાં ડ્રાઇવર અને તેની સાથે અન્ય બે જ લોકો મુસાફરી કરી શકશે. રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમાં બહાર અવરજવર કરવા દેવાશે નહીં. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે. અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સચિવશ્રીએ કહ્યું હતુ કે, અગાઉ ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ તહેવારો હિંદુ ભાઈ-બહેનોઓએ ઘરમાં રહીને જ ઊજવ્યા તેમ મુસ્લિમ ભાઈઓને પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીએ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ કરી હતી તેમ તેમણે ઉમેર્યું હતુ.
.. .. .. .. ..
[5/3, 9:18 PM] Hiren Bhatt. Mahiti: ¤ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા : અગ્ર સચિવ ડો. જયંતી રવિ
¤રાજ્યમાં આજે કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ –
અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ
*******
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૪૨ લોકો કોરોના સામે જંગ લડીને સાજા થઈને ઘરે ગયા છે. આજે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૨૮ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે જે પૈકીના ૪૦૬૫ દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે ૩૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે આજે સાંજે ૫.૦૦ વાગે પુરો થતા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કુલ ૩૭૪ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડોક્ટર જયંતી રવિએ આજે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૮ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે પૈકીના ૨૪ વ્યક્તિઓને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારીઓ પણ હતી જ્યારે માત્ર ચાર વ્યક્તિઓ એવી છે જેમના દુઃખદ અવસાન માત્ર કોરોનાને કારણે થયા છે
ડો. રવિએ ઉમેર્યું કે, આજથી ૧૬ દિવસ પહેલાં ગત તારીખ ૧૭ એપ્રિલે કોરોનાનાં ૧,૦૯૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે ૧૬ દિવસ બાદ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓની સંખ્યા ૧,૦૪૨ એ પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ૭૧ અને સુરતના ૫૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ડો. રવિએ ઉમેર્યું કે રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ કુલ ૨૮ મૃત્યુમાં વિવિધ બિમારીઓ જેવી કે ફેફસાની બીમારી, અસ્થમા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, લીવરની બીમારી, પથરીની તકલીફ તથા માનસિક બીમારી જેવી અન્ય બીમારીઓ ધરાવતા કુલ ૨૪ દર્દીઓનો સમાવેશ થાય છે.
ડો. રવિએ આજના નવા પોઝિટિવ કેસની વિગતો આપતા જણાવ્યું કે, આજે રાજ્યમાં નવા ૩૭૪ કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫,૪૨૮ થઇ છે. તે પૈકી ૪,૦૬૫ દર્દીઓ સારવાર હેઠળ સ્ટેબલ છે, ૩૧ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, જ્યારે ૧,૦૪૨ દર્દીઓએ ડિસ્ચાર્જ લીધેલ છે અને કુલ ૨૯૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના ૮૦,૦૬૦ કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે ૫,૯૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
*********Press Brief 03.05.2020 Gujarat 17.00 hrs (Gujarat Corona latest report by Jayanti Ravi medam)