GN_03-5-20 .( ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક વાંચવા તારીખ ઉપર ક્લિક કરો)
(Gujarat Corona Report by Jayanti Ravi)
Ashvinikumar press briefing…………
VID-20200502-WA0767 (CM Vedio)
*લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોમાં અટવાયેલા
ગુજરાતના વિદ્યાર્થીઓ યાત્રિકો મુસાફરો ને પરત લાવવાનું વ્યવસ્થા તંત્ર ગોઠવાયું*
……
*લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા-અટવાઇ ગયેલા ગુજરાતના યાત્રિકો છાત્રો પ્રવાસીઓ રાજ્યમાં પરત આવવા જરૂરી મદદ માટે સ્ટેટ કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક કરી શકશે*
……
*મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વહિવટીતંત્ર દ્વારા અન્ય રાજ્યોના સંકલનમાં રહિ
અત્યાર સુધી ૩ હજાર જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લવાયા*
…….
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
*ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો સ્વખર્ચે વતન રાજ્ય જવા ઇચ્છતા હોય તેમણે જિલ્લા તંત્રના કંટ્રોલરૂમ ૧૦૭૭ પર વિગતો નોંધાવી જરૂરી પાસ-મેડીકલ ચેકઅપની સુવિધા મેળવવાની રહેશે*
*આઠ IAS આઠ IPS વરિષ્ઠ અધિકારીઓને વિવિધ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે*
*આ અધિકારીઓ અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો-લોકોની જે-તે રાજ્યમાં જવાની વ્યવસ્થામાં સંબંધિત રાજ્યના વહિવટીતંત્રના પરામર્શમાં રહિને મદદરૂપ થશે*
*અન્ય રાજ્યોના શ્રમિકોને રેલ્વે ટ્રેન દ્વારા સ્વખર્ચે વતન રાજ્ય જવાની વ્યવસ્થા કરવામાં આવી*
*સુરતથી એક ટ્રેન ઓરિસા-અમદાવાદથી બે ટ્રેન યુ.પી. જશે*
*જિલ્લા તંત્રના કંટ્રોલરૂમમાં નોંધાયેલા પરપ્રાંતિય શ્રમિકોને જ તબક્કાવાર પ્રક્રિયા દ્વારા ક્રમબદ્ધ વતન-રાજ્ય પરત મોકલવામાં આવશે*
*રાજ્યની શાળાઓના મધ્યાન્હ ભોજનનો લાભ મેળવતા ધોરણ ૧ થી ૮ ના પ૧.૭ર લાખ વિદ્યાર્થીઓને ફૂડ સિકયોરિટી એલાઉન્સનો લાભ અપાયો*
*લોકડાઉનના ૩૬ દિવસના સમય દરમિયાનનું ૧,પ૬,૬૧ર કવીન્ટલ ઘઉં અને ચોખાનું વિતરણ*
*કૂકીંગ કોસ્ટના રૂ. ૭પ.પ૯ કરોડની રકમ બાળકોના માતા-પિતા વાલીના બેન્ક ખાતામાં જમા થઇ*
*મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૩૩ જિલ્લામાં કામગીરી શરૂ*
*ર૧૧ર કામો પ્રગતિમાં ૧૩૮ કામો પૂર્ણ થયા*
*૧ લાખથી વધુ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ*
*સમગ્રતયા ૭ લાખ પ૦ હજાર ઘનમીટર જળસંચય થાય તેટલા કામો પૂર્ણ*
*૩૩ જિલ્લાના ૩૭૧૯ ગામોમાં મનરેગા અંતર્ગત ૧,રર,૦૬૨ શ્રમિકોને રોજગારી મળી*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યના વહિવટીતંત્રએ અન્ય રાજ્યો સાથે સંકલન કરીને ત્યાં લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ ગયેલા ૩ હજાર જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓને અત્યાર સુધીમાં રાજ્યમાં પરત લાવવાની કામગીરી સફળતાથી પાર પાડી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, હજુ પણ જે લોકો લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોમાં અટવાયેલા છે તેમને ગુજરાત પરત લાવવાનું વ્યવસ્થાતંત્ર મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારે ગોઠવ્યું છે.
તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ગુજરાતના આવા જે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ અન્ય રાજ્યોમાં લોકડાઉનને કારણે ફસાયેલા છે તેઓ રાજ્ય સરકારના કંટ્રોલરૂમ નંબર ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક કરીને પોતાની વિગતો આપી શકે છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં ઉમેર્યુ કે, આવા અન્ય રાજ્યોમાં ફસાયેલા-અટવાયેલા ગુજરાતી વ્યકિતઓની વિગતો મળ્યેથી રાજ્ય સરકારના જે વરિષ્ઠ આઇ.એ.એસ, આઇ.પી.એસ અધિકારીઓને જે-તે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ તે સંબંધિત રાજ્ય અને જિલ્લાના તંત્રના સંકલનમાં રહિને આવા વ્યકિતઓને પરત આવવા માટેના જરૂરી પરવાનગી પાસની વ્યવસ્થાઓમાં મદદરૂપ થશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રોજી-રોટી માટે વસેલા ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિસા સહિતના રાજ્યોના શ્રમિકો પણ વર્તમાન લોકડાઉન સ્થિતીમાં પોતાના સ્વખર્ચે વતન જવા માંગતા હોય તો તેઓ જે-તે જિલ્લા વહિવટીતંત્રના કંટ્રોલરૂમ ૧૦૭૭ પર પોતાની વિગતો નોંધાવીને જરૂરી પાસ તથા મેડીકલ ચેકઅપની સુવિધા મેળવી શકશે, તેમ પણ ઉમેર્યુ હતું.
રાજ્ય સરકારે અન્ય રાજ્યોના આવા શ્રમિકોને સ્વખર્ચે પરત જવા માટે જે-તે રાજ્યો સાથે સંકલનની જવાબદારી જેમને સોંપી છે તેવા ૮-આઇ.એ.એસ, ૮-આઇ.પી.એસ એમ ૧૬ વરિષ્ઠ અધિકારીઓ સંબંધિત રાજ્યો સાથે પરામર્શમાં રહીને આવા શ્રમિકોના પરત જવાની વ્યવસ્થામાં સહાયરૂપ થશે, તેમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આવા અન્ય પ્રદેશો-રાજ્યોના શ્રમિકો મોટા પ્રમાણમાં વસેલા છે. તેમને રાજસ્થાન, ઓરિસા, મધ્યપ્રદેશ વગેરે વતન રાજ્યમાં બસ દ્વારા મોકલવામાં આવ્યા છે.
હવે, ભારત સરકારની ગાઇડ લાઇન્સ મુજબ રેલ્વે ટ્રેન દ્વારા આવા શ્રમિકોને પરત મોકલવાની શરૂઆત કરવામાં આવી છે.
આ હેતુસર, સુરતથી એક ટ્રેન ઓરિસા માટે તેમજ અમદાવાદથી બે ટ્રેન ઉત્તરપ્રદેશ માટે પ્રત્યેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા લોકો સાથે રવાના કરવામાં આવશે.
શ્રી અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી ટ્રેનમાં મુસાફરી માટેની ટિકીટ જે-તે શ્રમિકે પોતે ખરીદવાની રહેશે. એટલું જ નહિ, માત્ર જિલ્લાતંત્રના કંટ્રોલરૂમમાં નોંધાયેલા શ્રમિકોને જ આ વ્યવસ્થા અંતર્ગત જવા દેવાશે.
આ આખીયે પ્રક્રિયા સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરીને ક્રમબદ્ધ પૂર્ણ કરવામાં આવશે જેથી કોઇ જ પરપ્રાંતિય શ્રમિક કંટ્રોલ રૂમમાં નોંધણી બાદ વતન રાજ્ય જવા માટે ભીડભાડ ન કરે કે ઉતાવળ ન કરે તે આવશ્યક છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મધ્યાન્હ ભોજન યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ તથા ગ્રામીણ શ્રમિકોના હિતમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કરેલા નિર્ણયોની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
આ અંગે તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉનમાં રાજ્યની શાળાઓ પણ બંધ છે ત્યારે આવી શાળાઓમાં અભ્યાસ કરતા અને મધ્યાન્હ ભોજન યોજનાનો લાભ મેળવતા ધોરણ ૧ થી ૮ ના પ૧ લાખ ૭ર હજાર વિદ્યાર્થીઓને ફૂડ સિકયુરિટી એલાઉન્સ આપવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
તદ્દઅનુસાર, લોકડાઉન સમયના ૩૬ દિવસો દરમ્યાનના સમય માટે ધોરણ ૧ થી પ ના ૩ર લાખ ૧પ હજાર બાળકો અને ધોરણ ૬ થી ૮ ના ૧૯ લાખ પ૬ હજાર એમ કુલ પ૧ લાખ ૭ર હજાર વિદ્યાર્થીઓને ફૂડ સિકયુરિટી એલાઉન્સ અન્વયે આવરી લેવાયા છે.
આવા વિદ્યાર્થીઓને ૭૮,૩૦૬ કવીન્ટલ ઘઉ અને ૭૮,૩૦૬ કવીન્ટલ ચોખા મળીને કુલ ૧,પ૬,૬૧૨ કવીન્ટલ અનાજ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે કૂકીંગ કોસ્ટના કુલ ૭પ.પ૯ કરોડ રૂપિયા પણ આ બાળકોના માતા-પિતા કે વાલીના બેંક ખાતામાં જમા કરાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે સાથોસાથ જળસંચયના કામોથી જળસંગ્રહ ક્ષમતા પણ વધારી શકાય તેવા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા.ર૦મી એપ્રિલથી તા. ૧૦ જૂન સુધી યોજવા રાજ્યના વહિવટીતંત્રને પ્રેરિત કરેલું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે આ અભિયાનની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, આ અભિયાન અન્વયે કુલ ૧૪,૬૯૪ કામોના નિર્ધારીત લક્ષ્યાંક સામે ૩૩ જિલ્લાઓમાં ર૧૧ર કામો શરૂ થઇ ગયા છે અને ૧૩૮ પૂર્ણ થયા છે. ૪૫૧૧ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રર જેટલી સંસ્થાઓ આ અભિયાનની કામગીરીમાં જોડાઇ છે.
આ કામગીરી અન્વયે સમગ્ર રાજ્યમાં ૧,૦૦,ર૩૯ માનવદિન રોજગારી ઉત્પન્ન થયેલી છે તેમજ આ કામોના પરિણામે કુલ ૭,પ૦,ર૮૬ ઘનમીટર જળસંચય થાય એટલું કાર્ય પૂર્ણ થયું છે.
શ્રી અશ્વિનીકુમારે ૩૩ જિલ્લાઓમાં મનરેગાના હાથ ધરાઇ રહેલા કામો અને તેમાં શ્રમિકોને મળતી રોજગારીની પણ વિગતો આપી હતી.
તેમણે આ વિષયે કહ્યું કે, ૩૭૧૯ ગામોમાં ચાલી રહેલા મનરેગાના કામોમાં ૧ લાખ રર હજાર ૦૬ર શ્રમિકોને રોજી પ્રાપ્ત થઇ રહી છે.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/2, 8:59 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ અભિગમ*
*લોક ડાઉન લંબાવાં ની સ્થિતિમાં
રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેવી સંવેદના સાથે મહત્વપૂર્ણ નિર્ણયો*
…………………..
• *કોરોના વાયરસના સંક્રમણની હાલ ની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-અગ્રતા ધરાવતા ગરીબ પરિવારોના ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને સતત બીજીવાર મે મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે*
• *૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ*
• *૧૭મી મેથી અનાજ વિતરણનો પ્રારંભ*
• *પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે પણ મે મહિનામાં ઘઉં, ચોખા અને ચણાદાળનું વિતરણ કરાશે*
…………………..
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવીડ – ૧૯ના સંક્મણની સ્થિતિમાં લોકડાઉન લંબાવવાના પગલે રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઈ ને ભૂખ્યા રહેવું ના પડે તેવી સંવેદના દર્શાવીને બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે*.
*મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં એન.એફ.એસ.એ (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા) અંતર્ગત અનાજ મેળવતા ૬૫.૪૦ કાર્ડધારક પરિવારો અને ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા ૩.૪૦ લાખ નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ કાર્ડધારકો એમ ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ૩૬ લાખ પરિવારજનો-જનસંખ્યાને મે મહિનામાં પણ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણા તેમજ મીઠાનું વિતરણ કરવા માં આવશે*
*આગામી ૧૭ મી મે થી રાજ્યની
૧૭ હજાર જેટલી સરકારમાન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે*.
*મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ આવા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરવાની સંવેદના દર્શાવી હતી*
*હવે રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેની કાળજી સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા અન્ય એક મહત્વ પૂર્ણ નિર્ણય લઈને*
*આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મે મહિના માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને પરિવાર દિઠ ૧ કિલો ચણાનું વિતરણ પણ વિનામૂલ્યે કરવાનો ઉદાત અભિગમ દર્શાવ્યો છે*
*શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્યના ૬૦મા સ્થાપના દિવસે ૬૧ લાખ જેટલા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો – એ.પી.એલ.-૧ કાર્ડધારકોના અંદાજે અઢી કરોડ લોકોને પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને તારીખ ૭મી મેથી તેનો પ્રારંભ થવાનો છે*
*હવે રાજ્યના એન.એફ.એસ.એ. અને બી.પી.એલ. નોન એન એફ એસ એ એમ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોના અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ આપવાની તેમણે આગવી સંવેદનશીલતા દર્શાવી છે*.
*અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમને પગલે રાજ્યમાં કુલ જનસંખ્યાના ૯૨ ટકાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે*
*જે અનુસાર રૂપિયા ૯૮૧ કરોડના બજાર મૂલ્યનું ૪૨.૪૮ કવીન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે*
*આ અનાજ વિતરણમાં ૨૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં – ૧૧.૪૬ લાખ કવીન્ટલ ચોખા-૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ-૧.૧૯ લાખ કવીન્ટલ તુવેર-ચણા દાળનો સમાવેશ થાય છે*
*મુખ્યમંત્રીશ્રીની અત્યાર સુધીની આવી ગરીબલક્ષી સંવેદનાસ્પર્શી જાહેરાતો ના ગણતરીના દિવસોમાં જ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સુચારુ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કર્યું છે*