*મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી- અન્ય મંત્રીઓ જિલ્લા મથકોએથી કેબિનેટ બેઠકમાં જોડાયા* ….. *મુખ્યમંત્રીશ્રીએ કર્યા મહત્વપૂર્ણ નિર્ણયો-સૂચનો* -: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો:-
*ખેડૂતલક્ષી નિર્ણયો* *આગામી શુક્રવાર તા. ૧ લી મે થી તા. પ મે સુધી નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે તુવેરની ખરીદીનો પ્રારંભ થશે* *ગુજકોમાસોલ દ્વારા તા. ૧લી મે થી ચણા-રાયડાની ખરીદી શરૂ થશે* *સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય-ભીડભાડ ન થાય તે માટે તુવેર વેચાણના ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ અને સમય ફાળવાશે* *ખરીદ કેન્દ્ર ખાતે માસ્ક-સેનીટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે* *જિલ્લા કલેકટરોને સૂચનો* *આગામી ઊનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન ઊભી થાય તે માટે જિલ્લા કલેકટરો જાતે દેખરેખ રાખે* *હેન્ડ પંપ બગડયા હોય-પાણી ઊંડુ ગયું હોય ત્યાં તાત્કાલિક રિપેરીંગ હાથ ધરાય* *વધુ પ્રમાણમાં અવર-જવર વાળા સ્થળો-APMC માર્કેટ યાર્ડ – બજારોમાં થર્મલ ગન – સેનીટાઇઝર માસ્કનો ઉપયોગ અવશ્ય થાય તે જિલ્લા તંત્ર સુનિશ્ચિત કરે* *મનરેગાના કામો-સુજલામ સુફલામ જળ અભિયાનના કામો-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો ત્વરાએ શરૂ કરવા તાકીદ* …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની સતત પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ અને આરોગ્યલક્ષી બાબતો, પીવાના પાણીની સ્થિતી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની ઉપલબ્ધિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ અન્ય મંત્રીશ્રીઓ પોતાના જિલ્લાઓમાંથી સહભાગી થયા હતા. રાજ્ય મંત્રીમંડળની આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય. એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે. તેમણે એવી પણ તાકીદ કરી કે, અત્યારે રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે. કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં હવે તેનો વ્યાપ વધુ ફેલાય નહિ તેની તકેદારીઓ રાખવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા APMC, માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ કરી હતી તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તુવેર તથા એરંડા-ચણા પકવતા ખેડૂતોના વ્યાપક હિતમાં પણ આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્યો કર્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી શુક્રવાર તા. ૧ મે થી તા. ૫ મી મે-ર૦ર૦ સુધી તુવેરની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. અગાઉ સરકારે તા. ૧-૧ર-ર૦૧૯થી તા. ૧૫-૧-ર૦ર૦ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ તા. ૧-૧-૨૦૨૦થી તા. ૩૦-૩-ર૦ર૦ સુધી ૯૦ દિવસ ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં ૧૬,૩૪૫ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. તે પૈકીના ૩૮૮૧ ખેડૂતોએ ૬પ૧૪ મે.ટન તુવેર દાળનું વેચાણ કરેલું છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ને પગલે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં ખરીદી તા.ર૩ માર્ચથી મુલત્વી રાખવામાં આવેલી હતી. મુખ્યમંત્રીશ્રીએ હવે તા. ૧ મે શુક્રવારથી તા. ૫ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પૈકીના તુવેર વેચાણ માટે બાકી રહેલા ૧૨૪૧૭ ખેડૂતોના તુવેરના જથ્થાની ખરીદી તા. ૧ મે-ર૦ર૦થી તા. પ-પ-૨૦૨૦ સુધી કરાશે. ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ કહ્યું કે ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીશ્રીએ સુચનાઓ આપી છે. તેમણે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પણ ખાસ તાકીદ કરી છે. હાલમાં નોવેલ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણના કિસ્સાઓ વધતા આ સંક્રમણ અટકાવવા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ખેડૂતોને SMS કરીને ટાઇમ સ્લોટ અને તારીખ જણાવવામાં આવે તે મુજબ તેઓએ તુવેર વેચાણ માટે આવવાનું રહેશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગુજકોમાસોલ દ્વારા તા. ૧લી મે થી ચણા અને રાયડાની ખરીદી શરૂ થવાની છે તેમાં પણ કોઇ સમસ્યા ન આવે, મુશ્કેલી ન સર્જાય તે માટે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ, મંત્રી શ્રી જયેશભાઇ તેમજ ઇશ્વરસિંહ પટેલ સાથે વિડીયો કોન્ફરન્સીંગ બેઠક યોજી હતી. આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, ચણા-રાયડાની ખરીદી પ્રક્રિયામાં પણ ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્ક વગેરેનો ઉપયોગ અવશ્ય થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં મનરેગાના કામો ઝડપથી ચાલુ કરવા સાથોસાથ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પણ શરૂ કરવા અને ખોદવામાં આવતા તળાવ-ચેકડેમની માટી ખેડૂતોને તેમના ખેતરમાં વિનામૂલ્યે લઇ જવા આપી દેવાય તેની પણ કલેકટરોને તાકીદ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો પણ ત્વરાએ શરૂ કરવાની અને લાભાર્થીઓને તેનો લાભ મળે તે જોવાની પણ કલેકટરોને આ બેઠકમાં સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિનીકુમાર વગેરે આ બેઠકમાં જોડાયા હતા. સીએમ-પીઆરઓ/અરૂણ
######################## [4/29, 7:18 PM] Uday Vaishnav: *કોરાના વાઇરસના સંક્રમણના કપરા કાળમાં રાજયની જનસંખ્યા ના ૯ર ટકાને વિનામૂલ્યે અનાજ વિતરણનો નવતર રાહ બતાવતું ગુજરાત* …… *રૂ. ૯૮૧ કરોડના બજાર મૂલ્યના ૪ર.૪૮ લાખ કવીન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ* …… *૨૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં ૧૧.૪૬ લાખ કવીન્ટલ ચોખા ૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ ૧.૧૯ લાખ કવીન્ટલ તુવેર-ચણા દાળ સાથે ૪ર.૪૮ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે પુરૂં પાડવાની ગુજરાતની આગવી પહેલ* …… *મુખ્યમંત્રીશ્રીની રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે તેવી સંવેદનશીલતાને રાજય સરકારના કર્મયોગીઓએ ચરિતાર્થ કરી* …… *શ્રી વિજયભાઇ રૂપાણીએ વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં પડકાર ઉપાડી લઇ સુચારૂ ઢબે-સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે ૧૭૦૦૦ દુકાનો પરથી ૩.રપ કરોડ લોકોએ અનાજ મેળવ્યું …… *મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે ૬૬ લાખ NFSA લાભાર્થીઓ અને ૬.૩૮ લાખ શ્રમયોગીઓમાંથી અત્યાર સુધીમાં પ૦.પર લાખ લાભાર્થીના બેન્ક ખાતામાં કુલ રૂ. પ૦પ કરોડની સહાય જમા થઇ* ……. *વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇની સંવેદનાને પગલે ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના ૯ર ટકા જેટલા લોકોને વિનામૂલ્યે ૪ર.૪૮ લાખ કવીન્ટલ અનાજ વિતરણના સફળ પ્રયોગ દ્વારા દેશને જાહેર વિતરણ વ્યવસ્થાનું આગવું ઉદારણ પુરૂં પાડયું છે* *આ અનાજની બજાર કિંમત રૂ. ૯૭પ.૯૩ કરોડ થવા જાય છે* મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસ્યા-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી છે ત્યારે રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે, હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના દિશા નિદેર્શોમાં રાજય સરકારે લોકડાઉન જાહેર થયા બાદ તારીખ રપ/૩/ર૦ર૦ ના રોજ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખથી વધુ લાભાર્થીઓને એપ્રીલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી તેમને ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે. શ્રી વિજયભાઇ રૂપાણીએ તારીખ રપ/૩/ર૦ર૦ના રોજ નિર્ણય કર્યા બાદ માત્ર ૧૫ દિવસના ટૂંકાગાળામાં જ અનાજ વિતરણની કામગીરી રાજયની ૧૭૦૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ હેતુસર ખૂબ જ ટૂંકાગાળામાં ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ, ૭૦ હજાર કવીન્ટલ ચણા અને તુવેર દાળ તથા ૭૮ હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને ૧૯.૩૮ લાખ કવીન્ટલ અનાજ જથ્થાને જીલ્લા મથકો / તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની પડકારરૂપ કામગીરી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તથા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓએે સુપેરે પાર પાડી છે. એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારોને રાજ્ય સરકારે ૪૪૫.૫૦ કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને અંત્યોદય પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીશ્રીએ એન.એફ.એસ.એ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો ઉદાત ભાવ દર્શાવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ૬૦ લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ થી ૩ કરોડ લોકોને તા. ૧૩ મી એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત સાથે સંપન્ન મધ્યમવર્ગીય પરિવારોને અપિલ કરી હતી કે તેઓ પોતાનું આવું મળવાપાત્ર અનાજ જતું કરે તો જે જરૂરતમંદ છે તેવા લાભાર્થીઓને યોગ્ય લાભ મળી શકે. મુખ્યમંત્રીશ્રીની આ અપિલનો પ્રતિસાદ આપતા સંપન્ન મધ્યમવર્ગી પરિવારોએ અનાજ મેળવવાનો પોતાનો હક્ક જતો કર્યો અને રાજ્યના કુલ ૬૦ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૪પ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૯૪.પ૦ કરોડ થાય છે, ૧.૪૦ લાખ કવીન્ટલ અને રૂ. ૩૦.૮૦ કરોડની બજાર કિંમત ધરાવતા ચોખા, રૂ. ૧૮ કરોડની બજાર કિંમત ધરાવતી ૪પ હજાર કવીન્ટલ ખાંડ અને રૂ. ર૭ કરોડની કિંમતના મૂલ્યની તુવેર અને ચણા દાળ મળીને કુલ રૂ. ૧૭૦.૩૦ કરોડની બજાર કિંમતનું ૬.૮૦ લાખ કવીન્ટલ અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્યાર બાદ રાજયમાં અન્ય પ્રદેશ કે પરપ્રાંતમાંથી રોજગાર મેળવવા માટે આવેલા હોય તેવા શ્રમિકો, કામદારો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા વર્ગના ગરીબોને અન્ન બ્રહમ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ દાળ અને મીઠું સહિતની ખાદ્ય સામગ્રી આ લોકડાઉનના સમયમાં મળી રહે તેવા ઉદાર ભાવથી જીલ્લા કલેકટરશ્રીઓ પાસે આવા લાભાર્થીઓની યાદી તૈયાર કરાવડાવીને આશરે પ લાખ લાભાર્થીઓને તેનો લાભ આપવાનો શરુ કર્યો. અન્નબ્રહ્મ યોજના અંતર્ગત ૧૪૧૯૦ કવીન્ટલ ઘઉં, ૬૩૯૦ કવીન્ટલ ચોખા, ૪ર૬૦ કવીન્ટલ ખાંડ અને ૪ર૬૦ કવીન્ટલ તુવેર-ચણા દાળ મળીને કુલ રૂ. ૮.૬૩ કરોડની બજાર કિંમતનું ૨૯૧૦૦ કવીન્ટલ અનાજ આવા શ્રમિકો, કામદારો, દરિદ્રનારાયણોને વિનામૂલ્યે અપાયું. શ્રી વિજયભાઇ રૂપાણીએ બહુધા લોકોને લોકડાઉનના આ સમયગાળા દરમ્યાન ખાદ્યાન મેળવવામાં કોઇ જ તકલીફ ન પડે તે માટે પણ એક ક્રાંતિકારી નિર્ણય લઇને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી ન લેવાયા હોય તેવા ૩.૪૦ લાભ ગરીબી રેખા નીચેના (બીપીએલ) કુટુંબોને કે જેમને માત્ર ખાંડ અને મીઠાનો જથ્થો તેમના કાર્ડ પર મળતો હતો તેમને પણ પ્રવર્તમાન સ્થિતિમાં ઘઉં, ચોખા, દાળનો જથ્થો વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો અને તેનુ વિતરણ પણ રાજયની ૧૭૦૦૦ સસ્તા અનાજની દુકાનો પરથી તારીખ પ/૪/ર૦ર૦ થી શરુ કરવામાં આવ્યું. કોરોના વાઇરસને કારણે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય-ગરીબ પરિવારોને આર્થિક આધાર આપવા મુખ્યમંત્રીશ્રીએ સંવેદનાસ્પર્શી નિર્ણય લઇને મુખ્યમંત્રી ગરીબ પેકેજ અન્વયે રૂ. ૧૦૦૦ની સહાય NFSA યોજનાનો લાભ મેળવતા કાર્ડધારકોના ખાતામાં સીધી ડી.બી.ટી દ્વારા જમા કરાવવાની જે પહેલ કરી તેના પગલે પ૦.પર લાખ લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ. પ૦પ કરોડ રાજ્ય સરકારે જમા કરાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનનો સમયગાળો લંબાવાની સ્થિતીમાં આવા ૬૬ લાખ એન.એફ.એસ.એ. કાર્ડધારકો – પરિવારો પ્રત્યે વધુ સંવેદના દર્શાવીને તેમને વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, અને ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો. તા. રપ એપ્રિલ થી તા. ર૯ એપ્રિલ દરમિયાન આ અનાજ વિતરણ કરવાના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ. ૨૪૭ કરોડની બજાર કિંમતના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં અને ૧૧૦ કરોડ રૂપિયાની કિંમતના પ લાખ કવીન્ટલ ચોખાનું વિતરણ થયું છે. સામાન્ય રીતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ધ્વારા દર માસે કાર્ડધારકોને આપવામાં આવતા અનાજ વિતરણની કામગીરી જે સમગ્ર માસ દરમ્યાન ચાલતી હોય છે તેને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં માત્ર ગણતરીના સમયમાં પુરી કરવાનો પડકાર ઝીલી લઇને રોજીંદી કામગીરી કરતાં ચાર ગણી વધુ કામગીરી કરીને પણ નાગરિક પુરવઠા વિભાગના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ /કર્મયોગીઓએ /જીલ્લા સ્તરે વિતરણ વ્યવસ્થા સાથે નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓ / ગોડાઉન મેનેજરો તથા સસ્તા અનાજના દુકાનદારોએ સરળતાથી આ કપરા સમયમાં અનાજ વિતરણ વ્યવસ્થા સુનિયોજીત ઢબે પાર પાડી છે. કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યીલ ડિસ્ટન્સ જાળવીને અને સસ્તા અનાજની દુકાનો પર ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ રાજય સરકારની આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. રાજ્યનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરે છે. મુખ્યમંત્રીશ્રીએ આ અનાજ વિતરણ વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો અનુસરીને ભીડભાડ કર્યા વિના અનાજ મેળવવા આવેલા અંત્યોદય પરિવારો અને આ વિતરણ કામગીરી સુપેરે પાર પાડી રહેલા કર્મયોગીઓનો પણ આભાર વ્યકત કર્યો છે અને અભિનંદન પાઠવ્યા છે. સીએમ-પીઆરઓ/અરૂણ ……