“પડે તેવી દેવાશે” રૂપાણી સરકાર.ભાગ – ૨ : પ્રદીપ રાવલ
*ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક બ્રેકિંગ ન્યુઝ*
અમદાવાદ માહિતી ખાતું પણ કોરોનાની ઝપેટમાં
આજે અમદાવાદ માહિતી ખાતાનાં વધુ 4 કર્મીને કોરોના
સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટરનો ટેસ્ટ પોઝિટિવ.માહિતી ખાતાનાં કુલ 5 અધિકારીને થયો કોરોના પોઝિટિવ …સરકારી કર્મીઓને કોરોના થતાં સરકારી વિભાગમાં ફફડાટ…ગાંધીનગર સ્વર્ણિમ ભવન ખાતે પણ માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત ૪ થી પાંચ માહિતી ખાતાના અધિકારીઓ,જિલ્લા માહિતી ખાતાના કેમેરામેને એડિટર. ટ્રાંસ્લેટર પણ છેલ્લા ૩૭ દિવસ થી કાયમ સવારે ૧૦:૩૦ ની આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી મેડમ ની પ્રેસ. બપોરે ૨ વાગે સીએમઓ અશ્વિનીકુમાર અને ૪ વાગે ડીજીપી શિવાનંદ ઝા ની તેમજ સાંજે સાડા સાત વાગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી મેડમ ની પ્રેસ માં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકારો.કેમેરા મેન.ન્યુઝ એંકર સાથે ઉપસ્થિત રહે છે .સ્વર્ણિમ ભવન ને અંદરથી તેમજ બહાર થી સેનેટાઈઝ કરાવેલ છે તેમજ માહિતી ખાતા દ્વારા પત્રકારો ની બેઠકો ને.માઇક ને પણ સેનેટાઇઝ કરાયા છે તેમજ આરોગ્ય પ્રદ હોમીઓ પેથી દવાઓ.ઉકાળા.ચાહ.કોફી.નાસ્તા પણ જોઈ ચકાસી ડિસ્ટન્સ જળવાય તે રીતે સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને માસ્ક તેમજ સેનેટાઈ ઝર પણ ત્રણ થી ચાર જગ્યાએ મૂકવામાં આવે છે.આં હવે આમ હવે અમદાવાદ ના ૪,વડોદરાના ૭ અને ગાંધીનગર ના ૧ મળીને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા કુલ ૧૧ પત્રકારોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ઇમરાન ખેડાવાલા ની પ્રેસ માં ૧૪/૪ ના રોજ હાજર રહેલા માથી ૧૧ પત્રકારો ને સીસીટીવી ફૂટેજ ને આધારે ૨૦ એપ્રિલ ના રોજ સિવિલ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જે બધાનો બીજે દિવસે રિપોર્ટ નેગેટીવ આવતા બધાને ૨૧/૪ થી ૧૪ દિવસ માટે હોમ કોરો ન્ટીન કરાયા છે.જેમાં મારો ન્યુઝ ઓફ ગાંધીનગર તંત્રી પ્રદીપ રાવલ નો પણ સમાવેશ થાય છે.ગુજરાત ના મુખ્યમંત્રી કાર્યાલય ની ગંભીર ભૂલનકે ઇમરાન ખેડા વાળા ને સીએમ મળવા બોલાવે પણ કોઈ પ્રાથમિક તેમના આરોગ્ય બાબતે પૂછતાછ નહીં કરેલ અને સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સીએમ અને ડે.સીએમ.પ્રદીપ સિંહ ને બીજે દિવસે કોરો ન્ટિન કરેલા.જ્યારે આં બાબતે સીએ ઓ અશ્વિન કુમાર ને પત્રકાર યુનિયન તેમજ મે પોતે મેસેજ થી જાણ કરતા સફાળી જાગેલ પત્રકારો પ્રત્યે બેદરકારી માહિતી ખાતાની તેમજ સરકાર ની જાહેર ના થાય તે માટે છેક ૨૦/૪ ના રોજ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ૧૧ પત્રકારો ને સેફ્ટી ખાતર ટેસ્ટ કરાવ્યા હતા જે નેગેટિવ આવતા સરકારે નિરાંત નો દમ લીધો હતો અને બે દિવસ પહેલા ઇમરાન ખેડા વાળા ને પણ બીજીવાર નો રિપોર્ટ કઢાવતા તે પણ નેગેટિવ આવતા તેમને પણ હોસ્પિટલ માંથી રજા અપાયેલ હતી.આં સરકાર ની ગંભીર બેદરકારી ના ભોગ પત્રકારો ને પણ બનવું પડ્યું પણ હવે તો કુલ ૧૧ પત્રકાર તેમજ માહિતી ખાતાના ૫ કર્મચારી ને પોઝિટિવ આવ્યા છે. પત્રકારો બાબતે હજુ સુધી સરકારે કોઈ પણ જાતનું રાહત પેકેજ જાહેર કર્યું નથી કે કોઈપણ ગાઈડ લાઈન નથી.હરિયાણા સરકારે ૧૫ લાખ નું પેકેજ જાહેર કર્યું છે.અમદાવાદ ના સ્થાનિક તેમજ સચિવાલય કવરેજ કરતા તેમના શેઠિયા ઓ ને નડે નહિ તે રીતે એક કમિટી બનાવી તેમાંથી પાંચ જણા ના નામે બેંક મા ખાતું ખોલાવી લોકો ને દાન ની અપીલ પત્રકારો ને આર્થિક રાહત આપી શકાય તે માટે કરવામાં આવી છે ..ગુજરાત સરકારે તમામ હંગામી સહિત .સફાઈ કામદારો મેડિકલ સાથે ના કર્મચારીઓ ને ૨૫ લાખ નું કોરોના રિસ્ક પેકેજ જાહેર કરેલ છે..કંડલા પોર્ટ પણ ૫૦ લાખ નું રિસ્ક પેકેજ કર્મચારી માટે જાહેર કરેલ છે..હાલની પરિસ્થિતિ જોતા કોરોના સંકટ માં પોલીસ.પોલિટિશિયન્સ.અધિકારીઓ.મેડિકલ સ્ટાફ અને માહિતી ખાતા ના પોઝિટિવ નેગેટિવ આવેલા ને સરકારે ૨૫ લાખ ના કોરોના રિસ્ક પેકેજ માં આવરી લીધા છે પણ સરકાર અને પ્રજા વચ્ચેના સેતુ સમાન એક માત્ર મીડિયા ના લોકો ૧૧ કેસ પોઝિટિવ આવ્યા છતાં લટકતી જિંદગીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે..મીડિયા માલિકો અને ચેનલ માલિકો ને સરકાર અંદર.બાહ્ય રીતે વિજ્ઞાપનો ના આર્થિક સહકાર થી સાચવી રહી છે જેથી તેમને ફિલ્ડ માં કામ કરતા કોઈ પત્રકાર બાબતે કોઈપણ જાતની ચિંતા હોય તેવું દેખાતું પણ નથી કે આં બાબતે એમ.પી.ધારાસભ્ય અને અનેક સિનિયર પત્રકાર સરકાર નું ધ્યાન દોરી ફરજ અદા કરવા અસંખ્યવાર લખ્યું છે છતાં આં અખતરા વાળી સરકાર ના પેટ નું પાણી પણ હાલે તેવું લાગતું નથી.જ્યારે માહિતી ખાતા ના કોઈ જ ઉચ્ચ અધિકારીઓ એ પણ સરકાર નું ધ્યાન દોર્યું નથી કે ૮૦% મીડિયા ના માલિકો ની સરકારે જાહેરાત બંધ કરી છેલ્લા બે વરસ થી આર્થિક મરણતોલ ફટકો આપેલ છે જેથી આં સંજોગોમાં તો મીડિયા કરમી ને કોઈ પણ રાહત આપવી જોઈએ પણ કદાચ કેન્દ્ર સરકાર ની મીડિયા વિરોધી નીતિઓને કારણે રૂપાણી કહ્યાગરી સરકાર મીડિયા બાબતે નિર્ણય લઈ શકતી નથી.. રૂપણીજી જે માનવતા ખાતર કોરોના સંકટ ના સરકારને પ્રજાના સેતુ સમાન મીડિયા કર્મીઓ ને રાહત નું કોઈ પેકેજ કે કોઈ બીજી રાહત આપી ને પુણ્ય કમાવવું જોઈએ..પ્રદીપ રાવલ તંત્રી: જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક.
ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર.(૯૮૨૪૬૫૩૦૭૩)
True..
જીવના જોખમે કામ કરી રહેલા કર્મચારીઓને સલામ છે.. ડૉક્ટરો ખુદ આમાં ઝપેટમાં આવી રહ્યા છે.. એ દુઃખદાયક બાબત છે..