[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
ફરિયાદ
અમો જે. આર. પરમાર, મામલતદાર કચેરી, માણસા ખાતે નાયબ મામલતદાર(પુરવઠા)ના હોદ્દા પર ફરજ બજાવીએ છીએ. જેથી હોદ્દાની રૂએ સરકારશ્રી વતી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી, ગાંધીનગરના તા. ૨૪/૦૪/૨૦૨૦ના પત્ર નં.પરઠ/વભદ/વશી.૬૭૮ થી ૬૭૯/૨૦૨૦થી અમોને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિક્રુત કરેલ હોઈ આ ફરિયાદ આપીએ છીએ કે,
અનાજ વિતરણ માટે નિમાયેલ તકેદારી સમિતિ દ્વારા તા. ૧૫/૦૪/૨૦૨૦ના રોજ ધી રંગપુર સેવા સહકારી મંડળી, મુ.રંગપુર, તા.માણસા, જી.ગાંધીનગર દ્વારા ચાર્જમાં સંચાલિત મો.જે. હિમ્મતપુરા(લાકરોડા), તા. માણસા, જી. ગાંધીનગરના રેશનકાર્ડધારકોને છેલ્લા ૪ માસથી અનાજનું વિતરણ કરવામાં આવેલ નથી. જે મુજબની ફરિયાદના આધારે મામલતદારશ્રી તેમજ નાયબ મામલતદારશ્રી દ્વારા તપાસ કરતા હિમ્મતપુરા(લાકરોડા)ની તકેદારી સમિતિના સભ્યોના રૂબરૂ જવાબ લેતા સંચાલકશ્રી દ્વારા તેમના ગામમાં ૪ મહિનાથી સસ્તા અનાજનું વિતરણ કરેલ નથી તથા એપ્રિલ, ૨૦૨૦ માસનો વિનામૂલ્યે મળવાપાત્ર જથ્થામાંથી ફક્ત ૧ કિલોગ્રામ ચણાદાળ, ૧ કિલોગ્રામ ખાંડ તથા ૧ કિલોગ્રામ મીઠાનું વિતરણ કરવામાં આવેલ છે. પરંતુ એપ્રિલ, ૨૦૨૦ માસના ઘઉં અને ચોખાના જથ્થાનું વિતરણ કરવામાં આવેલ નથી. ઉપરાંત અનાજની કૂપન કાઢવા માટે ગ્રામ પંચાયતના ઓપરેટર દ્વારા રૂ. ૧૦નો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. વધુમાં ઓનલાઇન જથ્થા તેમજ ભૌતિક જથ્થામાં વિસંગતતા જણાયેલ હોઇ વેચાણપત્રક તેમજ સ્ટોકપત્રક નિભાવેલ ન હોઈ ગંભીર ક્ષતિ હોવાનું જણાતા મામલતદરશ્રી દ્વારા પત્ર નં પરઠ/વભદ/વશી. ૧૨૨૭/૨૦૨૦ના તા. ૧૬/૦૪/૨૦૨૦થી ધી રંગપુર સેવા સહકારી મંડળીને સસ્પેંડ કરવા જણાવતા જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગરની તપાસણી ટીમ દ્વારા તા. ૨૦/૦૪/૨૦૨૦ના રોજ તપાસ કરતા આવશ્યક ચીજવસ્તુના જથ્થાનું મંડળીમાં રહેલ ભૌતિક જથ્થા સાથે મેળવણું કરતાં નીચેની વિગતે વધ-ઘટ જણાઈ આવેલ હતી.
અ.નં. આવશ્યક ચીજવસ્તુનું નામ વધ-ઘટ(કિલોગ્રામમાં)
૧ ઘઉં ૮૪૯.૫ કિલોગ્રામ વધ
૨ મીઠું ૪૭૮ કિલોગ્રામ વધ
૩ ચણાદાળ ૫૩ કિલોગ્રામ વધ
૪ ચોખા ૨૫૦ કિલોગ્રામ ઘટ
૫ ખાંડ ૯૭.૫૫ કિલોગ્રામ ઘટ
વધુમાં સંચાલકશ્રીને માહે ડિસેમ્બર-૨૦૧૯ થી માર્ચ-૨૦૨૦ દરમ્યાન હિમ્મતપુરા(લાકરોડા) ગામના રેશનકાર્ડધારકો માટે ઓનલાઈન મુજબ મળેલ જથ્થા તથા વિતરણની માહિતી નીચે મુજબ છે :
હિમ્મતપુરા(લાકરોડા)
અ.નં. મહિનો આવશ્યક ચીજવસ્તુનું નામ ગોડાઉન પરથી થયેલ આવક (કિલોગ્રામમાં) ઓનલાઈન દ્વારા કરવામાં આવેલ વિતરણ
(કિલોગ્રામમાં) બચત જથ્થો
(કિલોગ્રામમાં)
૧ ડિસેમ્બર -૨૦૧૯ ઘઉં ૨૨૫૦ ૨૧૯૫ ૫૫
ચોખા ૯૫૦ ૯૪૧ ૯
૨ જાન્યુઆરી -૨૦૨૦ ઘઉં ૨૦૫૦ ૧૯૭૪ ૭૬
ચોખા ૯૦૦ ૮૪૬ ૫૪
૩ ફેબ્રુઆરી – ૨૦૨૦ ઘઉં ૨૨૦૦ ૧૯૫૩ ૨૪૭
ચોખા ૯૫૦ ૮૩૭ ૧૧૩
૪ માર્ચ – ૨૦૨૦ ઘઉં ૧૯૦૦ ૮૯૩ ૧૦૦૭
ચોખા ૮૦૦ ૩૮૩ ૪૧૭
જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, ગાંધીનગરની તપાસણી ટીમ દ્વારા હિમ્મતપુરા(લાકરોડા)ના ૨૪ રેશનકાર્ડધારકોના નિવેદન લેતા માહે ડિસેમ્બર – ૨૦૧૯ તથા માહે જાન્યુઆરી – ૨૦૨૦ થી માર્ચ – ૨૦૨૦ દરમ્યાન રેશનકાર્ડધારકોની ફિંગરપ્રિંટ લઈ કૂપનના રૂ. ૧૦ વસૂલ કરવામાં આવેલ પરંતુ આવશ્યક ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવેલ નથી. તેમ જણાવેલ હતુ. ત્યારબાદ જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની તપાસણી ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાનની વિસ્તૃત તપાસણી કરવાનું ઉચિત જણાતા તા.૨૨/૦૪/૨૦૨૦ના રોજ જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની તપાસણી ટીમ દ્વારા ગ્રામ્ય તકેદારી સમિતિના સભ્યોનો રૂબરૂ જવાબ લેવામાં આવેલ હતો. તેમાં તેઓ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક તરીકે છેલ્લા ૭ થી ૮ વર્ષથી સંભાળે છે અને હિમ્મતપુરા(લાકરોડા) વ્યાજબી ભાવની દુકાનનો ચાર્જ છેલ્લા ૩ વર્ષથી સંભાળે છે. સંચાલકશ્રી સોનસિંહ નવલસિંહ ચાવડા ઉક્ત બંને ગામના રેશનકાર્ડધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો રંગપુર ખાતે ચાલતી વ્યાજબી ભાવની દુકાનમાં રાખવામાં આવે છે. હિમ્મતપુરા(લાકરોડા) ગામના રેશનકાર્ડધારકોને અનાજ મેળવવા માટેની કૂપન મો.જે. રંગપુર ગામે ચાલતી વ્યાજબી ભાવની દુકાનમાં રંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રૂ.૧૦ વસૂલ કરી હિમ્મતપુરા(લાકરોડા) ગામનો રેશનકાર્ડધારકોને અનાજ માટેની કૂપન ફિંગરપ્રિંટ મેળવી આપવામાં આવતી હતી. પરંતુ, તે દિવસે રંગપુર ખાતે ઉપલબ્ધ અનાજનો જથ્થો હિમ્મતપુરા(લાકરોડા) ગામના રેશનકાર્ડધારકોને આપવામાં આવતો ન હતો. છેલ્લા ૧ થી ૧.૫ વર્ષથી હિમ્મતપુરા(લાકરોડા) ગામના રેશનકાર્ડધારકોને અનિયમિતપણે ૨ મહિનાનો ભેગો જથ્થો આપવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ૪ માસથી રેશનકાર્ડધારકોને કોઈ પણ જથ્થો વિતરણ ન કરી સરકારી અનાજનો જથ્થો વગે કરી આર્થિક ઉપાર્જન મેળવવા માટેનું કૃત્ય સંચાલકશ્રી દ્વારા કરવામાં આવેલ છે. સદર બાબત સંચાલકશ્રીએ તા.૨૨/૦૪/૨૦૨૦ના રૂબરૂ જવાબમાં કાબુલ કરેલ છે.
હિમ્મતપુરા(લાકરોડા) ગામે કુલ ૧૨૦ રેશનકાર્ડધારકો એનએફએસએ એપીએલ-૧ કક્ષાના છે. સદર રેશનકાર્ડધારકો માટે ડિસેમ્બર – ૨૦૧૯ થી માર્ચ – ૨૦૨૦ સુધી છેલ્લા ૪ મહિનાનો સરકારી અનાજનો જથ્થો સંચાલકશ્રી સોનસિંહ નવલસિંહ ચાવડાને સરકારી ગોડાઉન ઉપરથી નીચેની વિગતે ડોરસ્ટેપ ડિલિવરી દ્વારા પૂરો પાડવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે :
અ.નં. આવશ્યક ચીજવસ્તુનું નામ ગોડાઉન પરથી થયેલ આવક (કિલોગ્રામમાં) ઓનલાઈન દ્વારા કરવામાં આવેલ વિતરણ
(કિલોગ્રામમાં) બચત જથ્થો
(કિલોગ્રામમાં)
૧ ઘઉં ૮૪૦૦ ૭૦૧૫ ૧૫૮૫
૨ ચોખા ૩૬૦૦ ૩૦૦૭ ૫૯૩
આમ, હિમ્મતપુરા(લાકરોડા) ગામમાં કુલ ૧૨૦ રેશનકાર્ડધારકો માટે જે જથ્થો સંચાલકશ્રીને સરકારી ગોડાઉન ઉપરથી આપવામાં આવેલ હતો તે જથ્થા પૈકી ઓનલાઈન થયેલ વિતરણ થયેલ જથ્થો રેશનકાર્ડધારકોને ખરેખર આપવામાં આવેલ નથી. પરંતુ, તે રેશનકાર્ડધારકોની ફિંગરપ્રિંટ મેળવી માત્ર ઓનલાઈન વિતરણ બતાવેલ છે. રેશનકાર્ડધારકોને આપવાપાત્ર જથ્થો ઓનલાઈન વિતરણ બતાવી ખરેખર વિતરણ ન કરતા રેશનકાર્ડધારકો સાથે છેતરપિંડી કરેલ છે તથા ગેરરીતિ આચરેલ છે. વધુમાં બચત રહેતો જથ્થો પણ તેઓની પાસે ઉપલબ્ધ છે. સંચાલકશ્રીએ ગેરકાયદેસર કૃત્ય કરી સરકારી અનાજનો જથ્થો અન્ય વ્યક્તિઓને વગે કરી આર્થિક ઉપાર્જન કરેલ હોવાનું જણાતા ધી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ ૩ અને ૭ તથા જાહેર વિતરણ વ્યવસ્થા(નિયંત્રણ) આદેશ – ૨૦૦૧ અને ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ(વ્યાજબી ભાવની દુકાનોને લાઇસન્સ આપવા બાબત) હુકમ – ૨૦૦૪ હેઠળ પરવાનાની શરતો/ફરજો/જવાબદારી નં.૧ થી ૯ તેમજ કંડિકા નં. (૪)ની, (ક), (ખ), (ગ), (ઘ), (ચ) અને સરકારશ્રીના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા. ૨૬/૦૮/૨૦૧૫ના ઠરાવ પ્રમાણે વભદ/૧૦/૨૦૧૫/૨૬૨૪/ક ની શરતો તેમજ ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ – ૨૦૦૫ની કલમ ૫૩ તેમજ આઇપીસી, સીઆરપીસી મુજબનો ગુનો બનતો હોઈ તેઓની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ગુજરાત સરકારશ્રી વતી અમારા દ્વારા કરાયેલ ફરિયાદ નોંધવા વિનંતી છે.
(જે. આર. પરમાર)
નાયબ મામલતદાર(પુરવઠા)
ગુજરાત સસ્તા અનાજ દુકાનો ના યુનિયન ના પ્રમુખ પ્રહલાદ મોદી એ કાલે મીડિયા માં ગંભીર આક્ષેપો કર્યા હતા.અને કહ્યું હતું કે રૂપાણી મને બોલાવે તો હું ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવું… સસ્તા અનાજ વિતરણ માં પુરવઠા ના અધિકારીઓ અને સરકાર ની મીલીભગત થી મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે.અનાજ બારોબાર વેચી મારવામાં આવે છે અને સરકાર સાથે રહીને આં બધુ કરાવે છે..તેમજ આં કોરોના નો લાભ લઇ ને હાલમાં પુરવઠા અધિકારીઓ બધે જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.ટકાવારી પ્રમાણે કામ થાય છે અને અમે પ્રજા હિત માં હાલમાં અમારી લડત ચાલુ રાખીને આંદોલન મોકૂફ રાખ્યું છે….પ્રહલાદ મોદી