રૂપાણી સરકારે લોક ડાઉન માં દુકાનો ખોલવાની છૂટછાટ આપતા ગણતરી ના કલાકો માં ટપોટપ દુકાનો બંધ કરવા નિર્ણય લેવાયો કે હવે ૩ મે સુધી દુકાનો ખોલી નહિ શકાય..કેમકે ચાર મહાનગરો ના કમિશનર પોતે અભ્યાસ કરીને પ્રજહીત માં વિટો વાપરી રૂપાણી સરકાર ના કાંન આંબોલ્યા કે આં હાઇ પાવર કમિટી માં કોઈ પણ ચર્ચા કરતાં પહેલાં એમણે વિશ્વાસ માં લ્યો.આં ભાઈ ને મારી સાથે જ કોરો નતાઇન કરાયા હતા…હું પણ તેમની ભૂલ ના લીધે જ આજે હોમ કોરો ન્ટાઈન છું..આં ભાઈ ની પાસે સમજણ થી વધારે કામ લેવાય રહ્યું હોય તેમ લાગે છે જેથી રાજકારણી નો કોરોના ટેસ્ટ સાથે મનોચિકિત્સક ટેસ્ટ કરવો પણ જરૂરી છે તેવું મને લાગે છે.કેમકે ઉતાવળે લીધેલ નિર્ણય નો પ્રજા ભોગ ના બની જાય એટલે…..કેન્દ્ર નું હોમવર્ક અને સૂચના નું પાલન તેમના માટે પ્રથમ કાર્ય છે જ્યારે સ્થાનિક સત્તાધીશો તેમના માટે બીજા નંબરે છે.મોદીજી જેમ “મન કી બાત” પ્રમાણે શાશન કરે છે તેમ રૂપાણી પણ “મોદી શાહ કી વાત” ગુરુ મંત્ર ના હોમ વર્ક પ્રમાણે શાશન કરે છે જેમાં આં બીજી વાર તેમની આજે ગંભીર ભૂલ થઈ..પહેલી વાત હાઈ કમિટીના નિર્ણય થી ઇમરાન ખેદાવાલાં ને મળવા બોલાવ્યા અને કોઈ જ તપાસ કરાવ્યા વિના મળ્યા અને અમારા જેવા પત્રકાર ને પણ દુઃખી કર્યા તેમ આજે અમદાવાદ માં પણ દુકાનો ખોલાવી અને પછી વિજય નહેરા મ્યુનિસિપલ કમિશનર ની સાવચેતી ના નિર્ણય ને માન્ય રાખી પછી દુકાનો બંધ કરાવી…..આં ” પડે તેવી દેવાય” જેવા શાશન માં અખતરા કરતા મુખ્યમંત્રી ને કોણ રોકશે? જો આવું ને આવું ચાલશે તો વિજય નહેરા ના કહેવા પ્રમાણે અમદાવાદ મા ૫૦.૦૦૦ થી ૮ લાખ કેસ પણ થઈ શકે..હાલમાં જયંતિ રવી,અશ્વિનીકુમાર અને શિવાનંદ ઝા ત્રણેય સનદી અધિકારીઓ રૂપાણી સરકાર ના મીડિયા સામે ના એંકર છે..જેઓ રૂપાણી અને મોદીજી તેમજ સરકાર ના કોઈપણ નિર્ણય ના એટલા હૃદય દ્રાવક વખાણ કરી કોઈ પણ બાબત ને એવી મરોડીને રજૂ કરે છે કે જાણે હરિશ્ચંદ્ર રાજા ના નિર્ણય ને પ્રજા સમક્ષ મૂકતા હોય..આંકડાકીય માહિતી એટલી બધી ઘણીવાર ખોટી પડે અને વાસ્તવિક ના લાગે તે માટે મીડિયાના પ્રશ્નો ના જવાબ પણ ગોળ ગોળ આપવામાં આવે અને ક્યારેક મીડિયા સાચો જવાબ ના મળે તેનાથી પી જવાનું પણ ટાળે…આં ત્રણેય સરકાર ના એંકર ને માત્ર મીડિયા માં લાઈવ પ્રજા સામે આવી ને સીધી સૂચના આપવાનું જાણે કહેવામાં આવ્યું હોય તેમ જણાવે છે..જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા વાળા ને પણ ઉપર ના આદેશાનુસાર લાઈવ પ્રેસ બતાવવામાં જ રસ હોય…જયંતિ રવી આજે તો જાણે વિજય નહેરા ના આંકડાઓ ને તેમના સ્ટેટેસ્તિક હોય તેવું ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા પણ હજુ સ્વીકારતા નથી કે ૩૫ દી આં ના કોરોના ગુજરાત પ્રવેશ માં આજે ૩૭ કેસ થી વધી ને ૩૦૦૦ થી વધારે આજે કેસ પોઝિટિવ થઈ ગયા અને સ્પેન.ઈટલી સાથે ગુજરાત ને સરખાવી મૂર્ખતા નું પ્રદર્શન તો એવી રીતે કરે છે કે જાણે મીડિયા ને ખબર જ ના પાડતી હોય..૬ કરોડ ની જનતા માં રોજના. ૨૫૦૦ થી ૩૦૦૦ ટેસ્ટ થાય અને તેમાં પણ ૨૦૦ થી વધારે પોઝિટિવ આવે..જ્યારે વિદેશો માં ટેસ્ટ ની સંખ્યા કેટલા ગણી વધારે હોય છે માટે ત્યાં પોઝિટિવ વધારે આંવે અને વેન્ટિલેટર પર વધારે લોકો હોય.ગુજરાત માં હાલમાં સાડા ત્રણ હજાર પોઝિટિવ કેસો માં પણ અનેક સરકારી અધિકારી,ધારાસભ્ય,પત્રકારો,પોલીસ અધિકારીઓ.મેડિકલ સ્ટાફ અને વોરિયર્સ પોઝિટિવ આવી ગયા કેમકે સરકાર ની કોઈ ચોક્કસ હજુ પણ ગાઈડ લાઈન છે જ નહિ.હોસ્પિટલ મા પોઝિટિવ કેસ સાથે કેમ વ્યવહાર કરવો,કેમ ટ્રીટમેન્ટ આપવી તેવો કોઈ સિલેબસ છે જ નહિ જેના ભોગ વોરિયર્સ બની રહ્યા છે અને આં રાજનેતાઓ ત્રણ સનદી અધિકારીઓ ના ખભે રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૭:૩૦ માં ચાર પ્રેસ લાઈવ કરીને જાણે કે પ્રજા ને સંતોષ આપી દીધી તેમ આજે ૩૫ દિવસ થી વર્તી રહ્યા છે અને પેલા દિલ્હી વાળા દર રવિવારે જેમ વિચાર આવે તેમ મન કી વાત મા બાળ ગોળી પ્રજા ને આપી ખુશ કરી રહ્યા છે જ્યારે ભાજપ ના કાર્યકરો ધારાસભ્યો અને સાંસદ ના ક્વોટા ના ફૂડ પેકેટ ક્યાં બનાવવા.ક્યાં આપવા અને પોતાની વોટબેંક રહી ના જાય તેની મથામાળ માં વ્યસ્ત છે જ્યારે વિરોધ પક્ષ પણ નાની મોટી ફૂડ પેકેટ આપવાની સેવાઓ અને પ્રસિદ્ધિ માં વ્યસ્ત છે…હવે “પડે તેવી દેવાય” ભાગ – ૨ આવતી કાલે….પ્રદીપ રાવલ.તંત્રી ન્યુઝ ઓફ ગાંધીનગર..