GN_27-4-20 (News of Gandhinagar PDF
Press Brief 26.04.2020 Gujarat 17.00 hrs
kovid- 19 હોસ્પિટલમાં દાખલ પોઝિટિવ દર્દીઓના કપડાને જંતુ મુક્ત કરવા માટે રૂ. ૬ કરોડના ખર્ચે અધ્યતન લોન્ડ્રીની વ્યવસ્થા ઊભી કરાઇ
————
દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ તથા સ્ટાફના કપડા ચાર મશીન દ્વારા સ્ટરિલાઈઝ્ડ કરાય છે
———–
121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ ૧૦૦૦ થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે
———–
કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફ ના કપડા- ચાદર વગેરે સ્ટરિલાઇઝ કરાય છે તે તેનું ઉત્તમ ઉદાહરણ છે.
કોરોનાના દર્દીઓના કપડા કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેને કાં તો ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે.
જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાય અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો રોજે-રોજ કેટલા નવા કપડાં લાવવા તે પ્રશ્ન રહે.
આ સમસ્યાના નિવારણ માટે ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૬ કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓના કપડા, ટોવેલ,બ્લેન્કેટ તથા મેડિકલ- પેરામેડિકલ સ્ટાફના કપડા ધોવા માટે રૂ.૬ કરોડના ખર્ચે વોશીંગ તથા સ્ટરિલાઈઝેશનની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ સુવિધા ઉભી કરવા માટે રૂ. એક કરોડનું એક એવા ચાર સ્ટરિલાઈઝેશન મશીન લગાવવામાં આવ્યા છે. આ અંગેની વિગતો આપતા હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલ કહે છે કે, ‘આ મશીનમાં 121 ડિગ્રીના ઊંચા તાપમાને કપડાને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે કે જેથી તેમાં એક પણ વાયરસ કે વિષાણુ ન રહે.
આ ઉપરાંત આ કપડાં ધોવા માટે અલગથી લોન્ડ્ર્રી એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં વિષાણુ નાશક કેમિકલના સંયોજનવાળા પાણીથી કપડાં ધોવામાં આવે છે.
આ ધોવાયેલા કપડાંને પછી આ મશીનમાં દાખલ કરવામાં આવે છે.
એક મશીન એક વખતે 75 નંગ કપડાનો સમાવેશ કરી શકે તેવું છે. આવા મશીન દ્વારા 121 ડિગ્રી તાપમાનને ૪૫ મિનિટની એક એવી દરરોજ ૨૦ સાઇકલ ચલાવીને દરરોજ ૧૦૦૦ થી વધુ કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે…, એમ તેઓ ઉમેરે છે.
કોરોના સંક્રમિત દર્દીના કપડા, બેડશીટ, બ્લેન્કેટ કે મેડિકલ- પેરામેડિકલ સ્ટાફના કપડા પર કોરોનાના જંતુ લાગેલા હોય અને જો આવા કપડાં સ્ટરિલાઈઝ્ડ કર્યા વગર પહેરાય તો જે પણ વ્યક્તિ તેને પહેરે કે તેને સ્પર્શે તેને ચેપ લાગી શકે છે.
પરંતુ આ વ્યવસ્થાને કારણે સંક્રમણ લાગવાનું જોખમ બિલકુલ રહેતું નથી. વળી, દરરોજ નવા કપડા, બ્લેન્કેટના નવા ખર્ચમાંથી પણ બચી શકાય છે… એટલે બચતની બચત અને જોખમમાંથી તદ્દન મુક્તિ અને રાહત….
રૂ. ૬ કરોડના ખર્ચે ઊભી કરાયેલી લોન્ડ્રીની આ વ્યવસ્થામાં કપડાં ડોક્ટર અગ્રવાલ કહે છે કે, ‘સ્ટરિલાઈઝ્ડ થયા બાદ ઓટોમેટીક મશીન વડે બહાર મોકલવામાં આવે છે. જેથી તેને લેનાર વ્યક્તિનું ઇન્ફેકશન લાગે નહીં કે વોશિંગ વિસ્તારમાં તેના સંક્રમણનું જોખમ રહે નહીં.
જ્યાં કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે ત્યાં બહારનો કોઇ વ્યક્તિ ન જાય તેવી ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જે આ પ્રક્રિયામાં રોકાયેલા છે તે લોકો પણ તકેદારી માટે જંતુમુક્ત પોશાક અને સ્ટરિલાઈઝ્ડ થયા બાદ જ આ વિસ્તારમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે વોર્ડમાં જે દિવસે ચાદર બદલવાની હોય છે તેના આગલા દિવસે કપડાં તથા ચાદર અને પિલો કવર નો સેટ આગલા દિવસે સાંજે જે તે વોર્ડમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવે છે…” એમ તેઓ કહે છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સેવા માટે આ આધુનિક સ્ટરિલાઈઝેશનની સેવા તંત્રની અધ્યતનતાનુ ઉદાહરણ તો છે જ પરંતુ તે દર્દીઓની પણ અભૂતપૂર્વ સેવાનું માધ્યમ પણ બન્યું છે.
.############################
*રાજ્યમાં કોરોના વાયરસ ના સંક્રમણ ના વધતા વ્યાપ સામે આરોગ્ય તંત્ર સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર સુશ્રુષા માટે સંપૂર્ણ સજજ છે*
*આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ એ અંગેની વિગતો આપતા કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દિશા દર્શનમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ kovid 19 હોસ્પિટલ 4000 બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરુ કરી છે*
*આ હેતુસર વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રી એ ખાસ જવાબદારીઓ સોંપીને સમગ્ર વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તેની કાળજી લીધી છે*
*તેમણે કહ્યું કે આ મહાનગરોની kovid 19 હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લા મથકો ઉપર 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલ જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ 19 હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ 3 પ્રાયવેટ હોસ્પિટલ સાથે 10500 બેડ ની કુલ ક્ષમતા કોરોના સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર માટે ઊભી કરેલી છે*
*ડો .જયંતી રવિ એ જણાવ્યું કે કોરોના ની સારવાર માટે જરૂરી એવા મોંઘા વેન્ટિલેટર ની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે એવા સમયે મુખ્ય મંત્રીશ્રી ની પ્રેરણા થી રાજકોટ ના એક સ્થાનિક ઉત્પાદક જ્યોતિ સી એન સી દ્વારા માત્ર એક લાખ રૂપિયા ની કીમતે સ્વદેશી ધમણ વેન્ટિલેટર નું ઉત્પાદન કરીને તેનો સફળતા પૂર્વક પ્રયોગ પણ કર્યો છે*
*આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યુંહતું કે રાજ્યમાં હાલની સ્થિતી એ સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલો માં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે*.
*આ ઉપરાંત 1000 વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે*.
#############################
*રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે*
*પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે*.
*લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે*
*રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે*
*તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં*
*ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી*
##########################
[ *રાજ્યના ચાર મહા નગરો અમદાવાદ- વડોદરા- સુરત રાજકોટમાં તા.3 મે સુધી દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ*
…..
*સ્થાનિક વેપારીઓ સાથે કલેકટરો-મ્યુનિસિપલ કમિશનરોએ ચર્ચા-વિચારણા બાદ રાજ્ય સરકારના પરામર્શમાં સંયુકતપણે નિર્ણય કર્યો*
*લોકડાઉન દરમ્યાન ચાલુ રહેલી આવશ્યક ચીજવસ્તુઓ-જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ માત્ર ચાલુ રાખી શકાશે*
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*:-
*રાજ્યના અન્ય વિસ્તારો જીલ્લાઓમાં પણ મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ-હેર કટીંગ સલૂન-બ્યૂટીપાર્લર- પાન-ગુટકા-બીડી-સીગારેટ વેચાણ કરતી દુકાનો-ટી સ્ટોલ-હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહિ*
*ટેક્ષી સેવાઓ-રિક્ષા-ઉબેર-અન્ય બસ સેવાઓ શરૂ થશે નહિ*
*અંત્યોદય NFSA લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો અત્યાર સુધીમાં ૧પ લાખ કાર્ડધારકોએ લાભ મેળવ્યો*
*ર૬,રપ૦ મેટ્રિક ટન ઘઉં-૧૧,રપ૦ મે.ટન ચોખાનું વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનોએથી થયું*
……
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયની પ્રચાર માધ્યમોને જાણકારી આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
આ ચર્ચા-વિચારણા બાદ રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો છે કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચાર મહાનગરોમાં દુકાનો બંધ રાખવામાં આવશે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકડાઉનના સમય દરમ્યાન આ મહાનગરોમાં અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી ચીજવસ્તુઓ દૂધ, કરિયાણું, શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ, દવાઓની દુકાનો જ માત્ર ચાલુ રાખવા દેવાશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જિલ્લાઓમાં રવિવાર તા.ર૬ એપ્રિલથી ધંધા-વ્યવસાયો શરૂ કરવાની રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે તેમાં પણ મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ, હેર કટીંગ સલૂન-બ્યૂટીપાર્લર, પાન-ગુટકા-બીડી-સીગારેટનું વેચાણ કરતી દુકાનો, ટી સ્ટોલ કે હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહિ.
આ ઉપરાંત ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવાઓ ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહિ, એમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.
તેમણે રાજ્યમાં ૬૬ લાખ અંત્યોદય અને PHH પરિવારો જે NFSAનો લાભ મેળવે છે તેમને વિનામૂલ્યે વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિતરણની રાજ્ય સરકારની યોજના અન્વયે અત્યાર સુધીમાં ૧પ લાખ કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે તેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં કહ્યું કે, આવા NFSA લાભાર્થીઓને તા. રપ એપ્રિલથી આ અનાજ વિતરણ કરવાનો જે આરંભ થયો છે તેના બીજા દિવસે રવિવારે તા. ર૬ એપ્રિલે પાંચ લાખ લોકોએ લાભ મેળવ્યો છે.
આ અનાજ વિતરણ અન્વયે અત્યાર સુધીમાં કુલ ર૬,રપ૦ મે.ટન ઘઉં અને ૧૧રપ૦ મે.ટન ચોખાનું ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું.
તેમણે રાજ્યમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ ચાલુ રાખવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગી અન્વયે મહાનગરોમાં પ૯૮ વિવિધ સરકારી કામોના બાંધકામ પ્રોજેકટસમાં ર૦,૬૦૦ શ્રમિકોને રોજગારી મળી રહી છે તેની વિગતો આપી હતી.
આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રના ૭૩ પ્રોજેકટસમાં ૭પ૦૦ શ્રમિકોને કામ મળ્યું છે તથા સરકારના નિયમાનુસાર આવા શ્રમિકોની રહેવા-જમવાની વ્યવસ્થા સાઇટ પર ઇન-સી-ટુ કરવામાં આવી છે તેમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે રાજ્યના માર્કેટયાર્ડ-બજારોમાં અનાજ-ખેત ઉત્પાદનોના વેચાણ માટેની આવકની વિગતો આપતાં કહ્યું કે અત્યાર સુધીમાં ૬ લાખ ૮૯ હજાર કવીન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે.
આ ખેત ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં ૩,૪૮,૦૪ર કવીન્ટલ, એરંડા ૧,૮૯,પ૬૭ કવીન્ટલ અને રાયડો ૩૬,૦૯પ કવીન્ટલનો સમાવેશ થાય છે.
તેમણે રાજ્યના શાક બજારોમાં આવરો થયેલા શાકભાજીની વિગતોમાં જણાવ્યું કે, રવિવારે સવારે ૧ લાખ ૧૪ હજાર પ૪૧ કવીન્ટલ શાકભાજીની તેમજ ૧૩,રપપ કવીન્ટલ ફળફળાદિની આવક થઇ છે.
#########################
કોરોના વાયરસના વ્યાપથી સંક્રમિત થયેલા
વ્યકિતઓની સારવાર-સુશ્રુષા પૂર્ણ સજ્જતાથી થઇ રહી છે
……
*મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોમાં
રાજ્યમાં યુદ્ધના ધોરણે ચાર મહાનગરોમાં ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલો ઊભી કરી
રપ સરકારી-૩૧ ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલ સાથે
કુલ ૧૦પ૦૦ બેડની ક્ષમતા સાથેની સારવાર સેવા શરૂ કરી છે*
……
*રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ અને ખાનગી હોસ્પિટલોમાં ૧૭૦૦ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે*
-: *આરોગ્ય અગ્ર સચિવે આપી વિગતો*:-
……
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા વ્યાપ સામે આરોગ્ય તંત્ર સંક્રમિત વ્યક્તિઓની સારવાર સુશ્રુષા માટે સંપૂર્ણ સજ્જ છે.
આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશોમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ kovid-19 હોસ્પિટલ કુલ ૪૦૦૦ બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરૂ કરી છે.
આ હેતુસર વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રીએ ખાસ જવાબદારીઓ સોંપીને સમગ્ર વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તેની કાળજી લીધી છે.
તેમણે કહ્યું કે આ મહાનગરોની kovid-19 હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લામથકો ઉપર ૨૫ સરકારી અને ૩૧ ખાનગી હોસ્પિટલ જે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ ૩ પ્રાયવેટ હોસ્પિટલ સાથે ૧૦,૫૦૦ બેડની કુલ ક્ષમતા કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટે ઊભી કરેલી છે.
ડો .જયંતી રવિએ જણાવ્યું કે કોરોનાની સારવાર માટે જરૂરી એવા મોંઘા વેન્ટિલેટરની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે એવા સમયે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી રાજકોટના એક સ્થાનિક ઉત્પાદક જ્યોતિ સી.એન.સી દ્વારા માત્ર એક લાખ રૂપિયાની કિંમતે સ્વદેશી ધમણ-૧ વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને તેનો સફળતાપૂર્વક પ્રયોગ પણ કર્યો છે.
આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલની સ્થિતીએ સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૭૦૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૦૦૦ વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.
રૂૂૂ#############################
લોક ડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત
*****
રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે સદરહું જગ્ય્યાએ તા ૨૬-૦૪-૨૦૨૦ના રોજ પાટણ ખાતે રેડ કરતાં આ જગ્યાએથી (૧) કોડીન સિરપ, ૮૪૦ × ૧૦૦ એમ.એલ, (૨) ટ્રેમાડોલ કેપ્સુલ ૩૨૦૦ કેપ્સુલ તથા (૩) અલ્પ્રાજોલમ ટેબલેટ ૫૮,૨૦૦ ટેબલેટનો જથ્થો મળી આવેલ આ ત્રણેય દવાઓ મે. સી.બી. હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રદેશ દ્રારા ઉત્પાદન કરવામાં આવેલ તથા માર્કેટબાય: વી.કેર ફાર્મા, કલોલ, ગાંધીનગર દર્શાવેલ.
આ દવાઓ માન્ય પરવાના વગરની જગ્યાએ સંગ્રહ કરી તેનું મોટા પાયે ખરીદ-વેચાણ કરી આવી દવાઓનો નશા માટે ઉપયોગ થતો હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવતાં નાર્કોટીક કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી નાર્કોટીક કંટ્રોલના અધિકારીઓને સાથે રાખી ઉક્ત દવાઓ પંચનામાં હેઠળ જપ્ત કરવામાં આવેલ છે તથા આ દવાઓ જીમિત પટેલ, વૈરાઇ ચકલા, પાટણની માલિકીની હોવાનું તપાસમાં જણવા મળેલ આથી તેઓને ત્યાં આ દવાઓ જપ્ત કરેલ. આ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.
આમ, નશાકારક દવાઓનો મોટા જથ્થો અસામાજીક તત્વો દ્રારા ખરીદ-વેચાણ કરાતુ હોય એન.ડી.પી.સી. (નાર્કોટીંગ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
******