(1 )PressBrief 25.04.2020 Gujarat 17.00 hrs(Latest corona Gujarat update by Jayanti Ravi)
New one PDFPress Brief 25.04.2020 Gujarat 17.00 hrs(1)
VID-20200425-WA1251 (vedio Jayanti Ravi medam
(2) ((GN_26-4-20 ( News of Gandhinagar PDF News paper) clik for download
(3) JF_26-4-20 ( જન ફરિયાદ ન્યુઝ પેપર P D F) (૪)પીી વિજય નહેરા.
https://www.facebook.com/414943448637925/posts/2120798971385689/
મુખ્ મંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.
ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયની જાહેરાત કરી છે.
આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.
તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે.
માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
*રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં*
*શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે*.
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
——————————————–
: *રાજ્યમાં તમામ જિલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી
મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય દુકાનો-ધંધા વ્યવસાયો શરૂ કરવા દેવાશે*
-: *નિયમો-શરતોને આધિન છૂટછાટો*:-
……
-: *ભારત સરકારના ગૃહમંત્રાલય ના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય* :-
……
*બાર્બર શોપ –હેર કટીંગ સલૂન -પાન-ગુટકા-બીડી-સીગારેટની દુકાનો – ટી સ્ટોલ – હોટલ- રેસ્ટોરન્ટ શરૂ નહિં થાય*
…..
*શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલ અન્ય દુકાનો વ્યવસાયો શરૂ કરી શકાશે*
……
*ફરજિયાત માસ્ક-સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું પડશે*
………
*કન્ટેનમેન્ટ ઝોન બહારની આઇ.ટી તેમજ આઇ.ટી.ઇ.એસ ઇન્ડસ્ટ્રીઝ ૫૦ ટકા સ્ટાફ સાથે શરૂ કરવા મંજુરી અપાશે*
……
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*:-
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.
તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
એટલું જ નહિ, દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે તેમજ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં.
શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.
રાજ્યમાં જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહિ. ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે, તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે પણ એક અગત્યનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમીતિઓની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થનારી છે તેવી બજાર સમિતિઓની મુદત તા.૩૧ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે.
શ્રી અશ્વિનીકુમારે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતીઓની વ્યવસ્થાપન સમિતીની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, અંત્યોદય અને PHHના NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વધારાના આપવાનો પ્રારંભ થયો છે.
અત્યાર સુધીમાં ૪.પ લાખ પરિવારો આ અનાજ વિતરણનો લાભ લઇ ચૂકયા છે એમ પણા તેમણે જણાવ્યું હતું.
શ્રી અશ્વિનીકુમારે રાજ્યના માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનોની વેચાણ માટે થયેલી આવકની વિગતો આપતાં જણાવ્યું કે, પ લાખ પ૯ હજાર કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે તેમાં ર લાખ ૯૯ હજાર કવીન્ટલ ઘઉં, ૧ લાખ પપ હજાર કવીન્ટલ એરંડા અને ૩૦૬પ૮ કવીન્ટલ રાયડો મુખ્યત્વે છે.
રાજ્યમાં લોકડાઉનના બત્રીસમાં દિવસે ૪૮.૮૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે તેમજ ૧ લાખ ૧૪ હજાર ૯પ૭ કવીન્ટલ શાકભાજી અને પ૦પ૪ કવીન્ટલ ફળોનો આવરો થયો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
સીએમ-પીઆરઓ/અરૂણ
——————————————–
રાજ્યના ૬૬ લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા પરિવારોને
સાડા ત્રણ કિલો ઘઉં – દોઢ કિલો ચોખા વિનામૂલ્યે વિતરણના પહેલા જ દિવસે
૧૦ લાખ પરિવારોએ મેળવ્યો લાભ
…….
૧૭પ૦૦ મે.ટન ઘઉં ૭પ૦૦ મે. ટન ચોખાનું રાજ્યની ૧૭ હજારથી વધુ
સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી થયું વિતરણ
……
કોરોના વાયરસના સંક્રમણના કપરા કાળમાં ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નવતર રાહ બતાવતું ગુજરાત
…….
મુખ્યમંત્રીશ્રીની રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે તેવી સંવેદનશીલતાને
રાજ્ય સરકારના કર્મયોગીઓએ ચરિતાર્થ કરી
……
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-૧૯ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનાને પગલે ગુજરાતે અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણના સફળ પ્રયોગ દ્વારા દેશને જાહેર વિતરણ વ્યવસ્થાનું આગવું ઉદાહરણ પુરૂં પાડયું છે.
મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસાય-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી છે ત્યારે રાજ્યનો કોઇ પણ વ્યકિત ભૂખ્યો ન સૂવે, હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.
આ અનાજ વિતરણમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ જાળવવા સાથે દુકાનોએ ભીડભાડ ન થાય તેની પણ ખાસ તકેદારી અને આયોજન અન્ન નાગરિક પુરવઠા વિભાગે કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ અંત્યોદય-અગ્રતા ધરાવતા NFSA લાભાર્થી ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાની વિનામૂલ્યે વિતરણની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉનનો સમયગાળો લંબાવાની સ્થિતીમાં વધુ સંવેદના દર્શાવીને આવા ૬૬ લાખ પરિવારોને વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો.
આ અનાજનું વિતરણ તા. રપ એપ્રિલથી શરૂ કરવા તેમણે તંત્રને પ્રેરિત કર્યુ અને આ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે ચાલે તે માટે NFSA લાભાર્થીઓના રેશન કાર્ડના છેલ્લા આંક મુજબ તા. રપ થી તા. ર૯ એપ્રિલ દરમ્યાન ક્રમાનુસાર અનાજ વિતરણ વ્યવસ્થાઓ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી.
શનિવારે તા. રપ એપ્રિલે અનાજ વિતરણ શરૂ થયાના પહેલા જ દિવસે એક જ દિવસમાં ૧૦ લાખ લાભાર્થીઓએ રાજ્યની ૧૭ હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવ્યું.
આ હેતુસર અન્ન-નાગરિક પુરવઠા વિભાગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૧૭પ૦૦ મે.ટન ઘઉં અને ૭પ૦૦ મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યલ ડીસ્ટેન્સી જાળવીને અને સસ્તા અનાજની દુકાનો પર ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ રાજ્ય સરકારની આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જીલ્લા કલેકટરશ્રી/જીલ્લા પુરવઠા અધિકારીઓ સાથે દૈનિક ધોરણે વિડીયો કોન્ફરન્સ કરીને સમગ્ર પ્રક્રિયા પારદર્શી અને સુચારૂ રીતે ચાલે તેમજ કોઇ જગ્યાએ ભીડભાડ ન થાય સોશ્યલ ડીસ્ટન્સી જળવાઇ રહે તેવી તમામ બાબતોનો કાળજી અંગે સતત માર્ગદર્શન પુરૂં પાડયું.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના સચિવ શ્રી મહમ્મદ શાહીદના નેતૃત્વ તથા સતત માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ તથા સૂચનાઓના સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સ તેમજ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાસેથી સતત ફોલોઅપ લઇને આ આખી વ્યવસ્થામાં કોઇ પણ ફરિયાદ કે કચાશ વગર પાર પડી રહી છે.
આ વિનામૂલ્યે અનાજ વિતરણ ૬૬ લાખ NFSA લાભાર્થીઓને તેમના રેશનકાર્ડના છેલ્લા અંક મુજબ ક્રમાનુસાર તા.ર૯ એપ્રિલ સુધી થવાનું છે.
જે લાભાર્થી અનિવાર્ય કારણોસર આ દિવસો દરમ્યાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તેવા લાભાર્થીઓને તા. ૩૦ એપ્રિલે પણ અનાજ વિતરણ કરાશે એવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કરેલો છે.
રાજ્યનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અનાજ વિતરણ વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો અનુસરીને ભીડભાડ કર્યા વિના અનાજ મેળવવા આવેલા અંત્યોદય પરિવારો અને આ વિતરણ કામગીરી સુપેરે પાર પાડી રહેલા કર્મયોગીઓનો પણ આભાર વ્યકત કર્યો છે અને અભિનંદન પાઠવ્યા છે.
સીએમ-પીઆરઓ/
રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો
જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ
…….
રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.
આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મુજબ છે:-
જે શહેરોમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયા છે તેની વિગતો મુજબ અમદાવાદ મહાનગરના કન્ટેનમેન્ટ જાહેર થયેલા ખાડીયા, જમાલપૂર, શાહપૂર, દરિયાપૂર, દાણીલીમડા અને બાપુનગરમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહી.
ભાવનગરના સાંઢિયાવાડ અને વડવા, રાજકોટ મહાનગરના જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્ણજિત સોસાયટી જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં પણ દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહી.
વડોદરા ગ્રામ્યના ડભોઇ, ભાયલી, વાઘોડીયા અને કરજણ તથા પાદરા પાણ કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં પણ આવી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા દેવામાં આવશે નહી.
વડોદરા મહાનગરપાલિકામાં કિશનવાડીના બહાર કોલોની, વૃન્દાવન પાર્ક અને ધાનાની પાર્ક, જ્યુબેલી બાગના મોગલવાડા, કાલુપુરા, નરસિંહજી પોળ, મરાઠી મહોલ્લા, નવા બજાર રોકડનાથ પોલીસ ચોકી, જગમાળની પોળ, સુદામાપુરીના ગુલીસ્થાન એપાર્ટમેન્ટ, રામદેવનગરના બનિયનસિટી ડુપ્લેક્ષ, બાપોદના એકતાનગર, ગોરવાના કુરેશાપાર્ક, દિવાળીપુરાના અયોધ્યાપુરી, ગોકુળનગરના પ્રાસિત રેસીડેન્સી, તાંદળજાના ગુલાબવાટીકા સોસાયટી, નિલનીરી વુડા, ફાતિમા બંગ્લોઝ, દંતેશ્વરના અનુપમનગર, ગજરાવાડીના શનિદેવ મંદિર, મોટીમોરવાડ, માળી મોહલ્લા, યમુનામીલના વિશ્વકર્મા (શિવનગર-ર), મકરપુરાના રૂષિકેશ સોસાયટી, કારેલીબાગના સત્યમ ફલેટ, રાણાવાસ, એમ.આઇ.જી. ફલેટ, શીયાબાગના શિંન્દેકોલોની, મહેબૂબનગર, નવાપુરા હનુમાલ ફળીયા, દયાળબાવાનો ખાચો, અકબરી મસ્જીદ નાન કોર્ટ, નવા યાર્ડ ભવાનીપૂરા, નવી ધરતીના નાગરવાડા અને સૈયદપુરા, આંબલીફળિયા, રોહિતવાસ, અમદાવાદી પોળ, મહેતાવાડી, નવાબવાડા, સરદારભવન ખાચો અને કશામહોલ્લા, છાણીના સેફરોનબલીસ તેમજ સમાના રાંદલધામ સોસાયટી, હરણીસમા અને નૂતન સ્કુલ પાસેના પટેલ પાર્કનો સમાવેશ થાય છે.
સુરત મહાનગરના સેન્ટ્રલ ઝોનના નવસારી બજાર ચાર રસ્તાથી ડી.કે.એમ.સર્કલથી ભાગળ ચાર રસ્તા થઇ કાંસકીવાડ પે એન્ડ યુઝ થઇ માલી ફળીયા થઇ મસ્કતિ હોસ્પિટલ થઇ રાજમાર્ગ ટાવર રોડ થઇ બેગમપુરા મોમતીટોકીઝ રોડ થઇ ફાલસાવાડી મેઇનરોડ થઇ ઝાંપાબજાર મેઇનરોડ થઇ નિર્વાણ અખાડા રોડ થઇ એન.ટી.એમ. માર્કેટ થઇ મૃગવાન ટેકરા થઇ બેગમપુરા મેઇનરોડ થઇ સલાબતપુરા પોલીસ સ્ટેશન સર્કલ થઇ હલવાવાલા સર્કલ થઇ નિશીત કન્ઝયુમર સ્ટોર્સ થઇ કષ્ટભંજન હનુમાન મંદિર રોડ થઇ હજરત અકબર શહીરદ રોડ થઇ રુસ્તમપુરા કોમ્યુનીટી હોલથી સગરામપુરા પુતળી સર્કલથી નવસારી બજાર ચાર રસ્તાની વચ્ચેના વિસ્તાર, સૈયદપુરા પંપીંગ સ્ટેશનથી સૈયદપુરા ખાડી શેરી ઉભા રોડથી લીમડખા શેરી થઇ રામપુરા પેટ્રોલ પંપથી રામપુરા મેઇનરોડથી ડાબે લાલમીયા મસ્જીદ રોડથી મશાલચીવાડથી ડાબે ટર્ન લઇ સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બેંકથી સૈયદપુરા મેઇનરોડથી ડાબે ટર્ન લઇ સૈયદપુરા પંપીંગ સ્ટેશન સુધાના વિસ્તાર, મુગલીસરા મેઇનરોડ સીપ એસન્સ રોડના બાજુના રસ્તેથી રીવર ફ્રન્ટ રોડ થઇ જીલાની બ્રીજની નીચેથી જમણે હાથે ટર્ન લઇ ધાસ્તીપુરા યાદગાર ચીકન સેન્ટરથી ધાસ્તીપુરા એસ.એમ.સી.ઓફીસથી વરીયાવી બજાર પોલીસ સ્ટેશન થઇ સીપ એસન્સ સ્ટોર્સ સુધીના વિસ્તાર, ઝાંપાબજાર વિસ્તાર, નાનપુરા LIC કવાટર્સથી કાદરશાની નાળ સર્કલથી સીમ્ગા સ્કુલ રોડથી ક્ષેત્રપાલ મંદિર રોડથી મોલવી સ્ટ્રીટથી રાજેશ્રી ટોકીઝ રોડથી નવસારી બજાર પોલીસ સ્ટેશનથી ન્યુ ખ્વાજાદાના રોડથી ખંડેરાવપુરા રોડથી એકતા સર્કલથી નાનપુરા LIC કવાટર્સ સુધીના વિસ્તાર, ચૌટાબજાર જમનાદાસ ધારીવાલાથી લાલગેટથી ભાગળ ચાર રસ્તાથી ડાબી બાજુ ભાવનગરી શેરી રોડથી બી.પી. હેલથ સેન્ટર રોડથી તક્ષશીલા એપાર્ટમેન્ટની બાજુમાંથી ચૌટાબજાર સાઇબાબા મંદિરથી ચૌટાબજાર જમનાદાસ ધારીવાલા સુધીના વિસ્તાર, સૈયદપુરા, નાણાવટ, શાહપોર (અનુ.નં.૧(ર) સિવાયનો વિસ્તાર, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, કાંસકીવાડ, સૈયદપુરા (અનુ.નં.૧ (૧) અને ૧ (૪) સિવાયનો વિસ્તાર, સગરામપુરા, નાનપુરા, ગોપીપુરા, વાડી ફળિયા, સોનીફળિયા (અનુ.નં.૧(પ) અને ૧ (૬) સિવાયનો વિસ્તાર)
સાઉથ ઇસ્ટ ઝોન (લીંબાયત) આઝાદ ચોક, નુરાનીનગર, રમાબાઇ ચોક, ઇસ્લામિક ચોક, ગુજરાત (આંજણા) સ્લમ કલીયરન્સ બોર્ડ, મીઠીખાડી, રઝાચોક, બેઠી કોલોની, પતરાનીચાલ, કુલવાડી, રેલ રાહત કોલોની, ઇન્દ્રા વસાહત, નૂરે ઇલાહી નગર, ગોવિંદનગર, પ્રતાપનગર, ક્રાંતિનગર, સુગરનગર, હનુમાનશેરી, રાવનગર, કાદરીગલી નં.૦ર થી ૦પનો વિસ્તાર, માન દરવાજા ટેનામેન્ટ નં એ-૧ થી એ-પ, બી-૧ થી બી-૩, સી-૧ થી સી-૯ તથા ટેનામેન્ટને લાગત હળપતિ કોલોનીનો વિસ્તાર.
વરાછા ઝોન-એ ના વલ્લભનગર, ગુરૂનગર, મહેશ્વરી સોસાયટી, વિહળનગરનો વિસ્તાર, દિવ્યવસુંધરા ફલેટ્સ, દલિત વસાહત, જોલી એન્કલેવ, ટાંકલીફળિયું, આંબાવાડી ઝૂપડપટ્ટી, ઉધરસભૈયાની વાડી, પાટીચાલનો વિસ્તાર. કૃષ્ણનગર, દીનદયાળનગર અને શ્રીરામનગર સ્લમ વિસ્તર. ધરમતીનગર સોસાયટી, ફુલપાડા વિસ્તારમાં આવેલ શકિતનગર, શિવનગર, સોમનાથ સોસાયટી.
સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) ના SMC EWS આવાસ અને પાણીની ટાંકીની બાજુમાં, વેસુ. તાજનગર, આઝાદનગર પાસે, ભટાર રોઙ
વેસ્ટ ઝોન (રાંદેર) ના રાંદેર, મુખ્યરોડનો ઉત્તર પૂર્વીય તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે, અડાજણ પાટિયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટેડીયમની આજુબાજુનો વિસ્તાર. ઊગત સાઇટ એન્ડ સર્વિસ સ્કીમ જહાંગીરાબાદ .
સાઉથ ઝોન (ઉધના) ના સ્વામીનારાયણનગર, રામનગર, શ્રીરામનગર, છત્રપતિ શિવાજીનગર, ગૌરીનગર. ભેસ્તાન એચ-૧પ આવાસ, એ-૪ર થી ૪૪ અને ૪૯ થી પ૧ .
નોર્થ ઝોન (કતારગામ) ના માનસરોવર સર્કલથી માનીશ ગરનાળા, કોસાડ રોડ, કૃષ્ણનગર સોસાયટી, સત્તાધાર સોસાયટી વિગેરેનો સમાવેશ થાય છે.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
ડીજીપી શિવાનંદ ઝા પ્રેસ બ્રિફિંગ
*ગઇકાલ (તા.24/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત*
* જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2263
* કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા
ભંગના ગુનાની સંખ્યા
(IPC 269, 270, 271) : 991